સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને સહયોગી તુલસીરામ પ્રજાપતિના કથિત ફેક એન્કાઉન્ટર કેસ
૨૬ નવેમ્બર, ૨૦૦૫ના રોજ અમદાવાદના વિશાલા સર્કલ પાસે સોહરાબુદ્દીન શેખનું કથિત નકલી એન્કાઉન્ટર કરવામાં આવ્યું.
સુપ્રીમ કોર્ટના આદેશથી ૨૦૧૨માં આ કેસ ગુજરાતથી મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને સહયોગી તુલસીરામ પ્રજાપતિના કથિત ફેક એન્કાઉન્ટર કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ કેસના તમામ ૨૨ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નીચલી અદાલતના નિર્ણયને યથાવત રાખતા, પીડિત પરિવાર દ્વારા કરવામાં આવેલી અપીલોને ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અંખાદની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટનો ૨૦૧૮નો ચુકાદો યોગ્ય છે.
૨૦૦૬ – ૨૦૧૦: તપાસ અને ધરપકડ

૨૦૧૨ – ૨૦૧૪: કેસ ટ્રાન્સફર અને મુક્તિ

૨૦૧૭ – ૨૦૧૮: અંતિમ સુનાવણી અને ચુકાદો
સોહરાબુદ્દીનના ભાઈઓ રુબાબુદ્દીન અને નાયબુદ્દીને ૨૦૧૯માં હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. તેમની દલીલ હતી કે ટ્રાયલ કોર્ટની સુનાવણીમાં ખામીઓ હતી અને પુરાવાઓનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું.
તેમણે એવી પણ ફરિયાદ કરી હતી કે સીબીઆઈ દ્વારા મહત્વના સાક્ષીઓ અને મેજિસ્ટ્રેટોને સમન્સ પાઠવવામાં આવ્યા નહોતા. જોકે, સીબીઆઈએ હાઈકોર્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ટ્રાયલ કોર્ટના ચુકાદાને સ્વીકારે છે અને તેને પડકારવાનો કોઈ નિર્ણય લીધો નથી. હાઈકોર્ટે આ તમામ દલીલો સાંભળ્યા બાદ વર્ષ ૨૦૨૫માં ઓર્ડર અનામત રાખ્યો હતો, જેનો ચુકાદો આજે જાહેર કરવામાં આવ્યો છે.

