(પ્રતિનિધિ) આણંદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૬માં લેવામાં આવેલ ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે.જેમાં આણંદ જિલ્લાનું ૮૨.૨૯ ટકા પરિણામ આવ્યું છે. આણંદ જિલ્લાના સમગ્ર પરિણામમાં ચાલુ વર્ષે જિલ્લામાંથી કુલ ૨૮,૫૧૧ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. તેમાંથી ૨૮,૧૧૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૨૩,૧૪૦ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈને પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઠર્યા છે. ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓના ગ્રેડનું વિશ્લેષણ કરીએ તો, સમગ્ર આણંદ જિલ્લામાં ૮૩૦ વિદ્યાર્થીઓએ છ૧ ગ્રેડ અને ૨૪૩૯ વિદ્યાર્થીઓએ છ૨ ગ્રેડ મેળવીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.આ ઉપરાંત ૩૯૨૨ વિદ્યાર્થીઓએ મ્૧ ગ્રેડ અને ૫૩૫૨ વિદ્યાર્થીઓએ મ્૨ ગ્રેડ મેળવ્યો છે.આમ, આણંદ જિલ્લાનું ૮૨.૨૯…
Author: gujarat
(પ્રતિનિધિ) ગોધરા, કાળઝાળ ઉનાળાની વચ્ચે જ્યારે કુદરતી જળસ્રોતો સુકાઈ રહ્યા છે, ત્યારે મહીસાગર વન વિભાગે વન્યજીવોની તરસ છીપાવવા માટે પ્રશંસનીય પહેલ કરી છે. જિલ્લાના આશરે ૬૧,૬૮૭ હેક્ટર જેટલા વિશાળ વનવિસ્તારમાં દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં કૃત્રિમ જળકુંડ (ગજલર) કાર્યરત કરીને વન્યજીવોને પાણીની સુલભતા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.વન વિભાગના નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ વિવિધ રેન્જમાં આ જળકુંડનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આ કુંડમાં કળી ચૂનાનો ઉપયોગ કરવાથી પાણી ઠંડું રહે છે તેમજ પ્રાણીઓને જરૂરી કેલ્શિયમ પણ મળી રહે છે, જે તેમના સ્વાસ્થ્ય માટે લાભદાયક સાબિત થાય છે.ભીષણ ગરમી વચ્ચે પણ વનકર્મીઓ ટ્રેક્ટર અને ટેન્કર દ્વારા પથરાળ…
(પ્રતિનિધિ) નડિયાદ, પો.અધિક્ષક વિજય પટેલ ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં મિલકત સબંધી બનતા ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ નડીયાદ પશ્વિમ પો.સ્ટે ફ.ગુ.ર.નં.૧૧૨૦૪૦૪૭૨૬૦૧૯૭/૨૦૨૫ ના બી.એન.એસ.કલમ. ૩૩૧(૪),૩૦૫(ડી) મુજબના કામે ગઇ તા.૨૦-૨૧/૦૪/૨૦૨૬ ની રાત્રીના કલાકઃ૨૦/૦૦ થી કલાકઃ૦૫/૦૦ વાગ્યાના સમય દરમ્યાન નડીયાદ વૈશાલી રોડ ઉપર આવેલ નીલકંઠ મહાદેવ મંદીરના પુજારી ફરિયાદ નિલેશકુમાર રમેશચંન્દ્ર ભટ્ટ રહે.નડીયાદ નિલકંઠ મહાદેવ મંદીર, વૈશાલી સીનેમાં રોડતા.નડીયાદ જી.ખેડા નાઓએ ફરિયાદ આપેલ કે નિલકંઠ મહાદેવના મંદીરના દરવાજાનું તાળુ તોળી કોઇ ઇસમ મંદીરમાં પ્રવેશ કરી મંદીરમાં આવેલ પાર્વતી માતાના તથા હનુમાનદાદાની મુર્તી ઉપરના ચાંદીના બે છત્તર જે એક છત્તરનું વજન ૨૫૦ ગ્રામ લેખે બે છત્તરનું વજન ૫૦૦ ગ્રામ કુલ કિ.રૂ.૧,૨૦,૦૦૦/- તથા દાન પેટીની ચોરી…
(પ્રતિનિધિ)મોડાસા, અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મોરલીકંપા (પો. અણીયોર) મુકામે નવનિર્મિત શ્રી મહાવીર હનુમાનજી મંદિરનો ત્રિદિવસીય ‘ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ’ આજથી ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થયો છે.વિક્રમ સંવત ૨૦૮૨ વૈશાખ વદ-૪ ને બુધવાર, તા. ૦૬/૦૫/૨૦૨૬ થી શુક્રવાર તા. ૦૮/૦૫/૨૦૨૬ દરમિયાન આ પરમ વંદનીય સંતોના સાનિધ્યમાં આ ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આજના પાવનકારી પ્રથમ દિવસે વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો હતોઃ સવારે ૦૭ઃ૦૦ કલાકે નિયાણાંના સામૈયાં સાથે મહોત્સવની ભવ્ય શરૂઆત થઈ હતી.સવારે ૦૮ઃ૩૦ કલાકેનિયાણી દાનભેટનો કાર્યક્રમ યોજાયો હતો. બપોરે ૧૧ઃ૩૦ કલાકે સમસ્ત ગ્રામજનો અને ભાવિકો માટે બ્રહ્મ ભોજનનું આયોજન કરાયું હતું. બપોરે ૦૨ઃ૧૫ કલાકે શાસ્ત્રોક્ત વિધિ સાથે મંડપ પ્રવેશ…
(એજન્સી)અમદાવાદ, રાજ્યના વાતાવરણમાં અચાનક આવેલા પલટા વચ્ચે હવામાન વિભાગે હજુ આગામી ૨૪ કલાક માટે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વાતાવરણમાં બે નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે ભેજવાળા પવનો ખેંચાઈ આવ્યા છે,જેના લીધે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું પડવાની પૂરેપૂરી શક્્યતા છે. આ સમાચારની સીધી અસર ખેડૂતો અને સામાન્ય નાગરિકો પર જોવા મળશે.હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી મુજબ, આજે કચ્છની સાથે સૌરાષ્ટ્રના ૬ જિલ્લાઓ-મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. માત્ર વરસાદ જ નહીં, પરંતુ આ વિસ્તારોમાં ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન પણ ફૂંકાશે તેવી…
અમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિજેતા ઉમેદવારોના ખોટા પુરાવાને લઇને વિવાદો સર્જાયા છે. તાજેતરમાં કુબેરનગરના કોંગ્રેસ પક્ષમાંથી જીતેલા મહિલા ઉમેદવાર નું સ્કૂલ સર્ટિફિકેટ ખોટું હોવાનું બહાર આવતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.હવે નરોડા વોર્ડના ભાજપ પક્ષમાંથી વિજેતા ઉમેદવાર ડો. ચંદાબેન વિઠ્ઠલભાઈ પટેલ વિરુદ્ધ ગંભીર કાયદાકીય આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ દાખલ કરવા પુરાવા સાથે પોલીસ કમિશનર અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજદારે રજૂઆત કરી છે. અરજદારની લેખિત ફરિયાદ મુજબ, મહિલા કોર્પોરેટરે પોતાની ડોક્ટરની ડિગ્રી સાથે રજૂ કરેલી શૈક્ષણિક લાયકાત અંગે ખોટી માહિતી આપીને મતદારો અને વહીવટી તંત્ર સાથે છેતરપિંડી કરી છે.નરોડા પોલીસે અરજી લઇ વધુ તપાસ હાથધરી છે.…
આરોપીઓના સરઘસ કાઢવા મુદ્દે પોલીસ સામે કન્ટેમ્પ્ટની અરજી(એજન્સી)અમદાવાદ, વડોદરાના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારોનો આક્ષેપ છે કે રિકન્સ્ટ્રક્શનના નામે આરોપીઓનું પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે કોર્ટના આદેશો અને બંધારણથી વિપરીત કૃત્ય છે. હાઇકોર્ટ આ મામલે થયેલી તમામ અરજીઓને હવે ક્લબ કરીને એકસાથે સુનાવણી હાથ ધરી શકે છે.વડોદરાના પાંચ અરજદારોએ વડોદરા પોલીસ સામે કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરી છે. જેમાં જણાવ્યું છે કે તેમની સામે શ્રીગણેશજીની પ્રતિમા ઉપર ઈંડા ફેકવાનો આક્ષેપ છે. આ બનાવ ઓગસ્ટ ૨૦૨૫ નો છે. પોલીસ ફરિયાદ અજાણ્યા ઇસમો સામે નોંધવામાં આવી હતી. ત્યારબાદ તપાસ કરીને પોલીસે આરોપીઓની ધરપકડ…
અમદાવાદ, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ૬ મે ૨૦૨૬ના રોજ સવારે ૮ વાગ્યે ધોરણ ૧૦નું ૮૩.૮૬ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ પરીક્ષામાં કૂલ ૭૬૯૯૯૩ નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૭૫૬૩૯૨ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. અને ૬૩૪૩૨૭ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ ૮૩.૮૬ ટકા જાહેર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત રિપીટર પરીક્ષાર્થી તરીકે ૭૦૯૩૪ પરીક્ષાર્થઓ નોંધાયા હતા. તે પૈકી ૬૭૪૦૪ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૨૨૫૯૮ પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ ૩૩.૫૩ ટકા આવ્યું છે.આ ઉપરાંત જીએસઓએસ પરીક્ષાર્થી તરીકે નોંધાયેલા કૂલ ૨૫૩૧૩ પરીક્ષાર્થીઓ પૈકી ૨૩૩૫૩ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં…
અમદાવાદ, અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થિનીએએ ધો.૧૨ આટ્ર્સની પરીક્ષામાં ઓછું પરિણામ આવતા આપઘાત કર્યાે છે. આ વિદ્યાર્થિની પરિણામ લઈને ઘરે આવી ત્યારે તેની નાની બહેન હાજર હતી.તેની બહેન ટ્યૂશન ગઈ તે દરમિયાન ઘરમાં એકલી રહેલી વિદ્યાર્થિનીએ તણાવમાં આવીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. નારોલ પોલીસે પરિવારના સભ્યોની પૂછપરછ કરતા એવી વિગત મળી છે કે, વિદ્યાર્થિનીએના ૪૪% આવ્યા હતા, પરંતુ તેને આટલું ઓછું પરિણામ સ્વીકાર્ય ન હોવાથી મનમાં લાગી આવતા તેણે આ અંતિમ પગલું ભર્યું હતું.નારોલ ગંગોત્રીનગરના ન્યૂ ઉમંગ ફ્લેટમાં રહેતી ૧૯ વર્ષીય વિદ્યાર્થિની કાજલ પાલ રંગોલીનગરમાં આવેલી શક્તિ વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી. તેણે ધો.૧૨ આટ્ર્સની પરીક્ષા આપી હતી. ગત…
સુરત, સુરતના એક વેપારીને પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં શૂઝ, યુનિફોર્મ અને બેગ સપ્લાય કરવાનું મોટું ટેન્ડર અપાવવાની લાલચ આપી કુલ ૭ કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો સનસનાટીભર્યાે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.૩૫ કરોડથી વધુના નકલી ડોક્યુમેન્ટ્સ અને વર્ક ઓર્ડરના આધારે આચરેલા આ કરોડોના કૌભાંડમાં સુરત ઇકો સેલ પોલીસે બે ઠગબાજોની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.સુરતમાં રહેતા પ્રવીણભાઈનો પરિચય શહેરના જ કિશોરભાઈ વાઘેલા સાથે થયો હતો. કિશોરભાઈએ પશ્ચિમ બંગાળમાં ઉંચા કનેક્શન હોવાનું જણાવી પ્રવીણભાઈની મુલાકાત નિસીસ નોચલિન નામના વ્યક્તિ સાથે કરાવી હતી.આ બંને ઠગબાજોએ પ્રવીણભાઈને વિશ્વાસમાં લીધા હતા કે પશ્ચિમ બંગાળ સરકારને શાળાઓ માટે મોટા પાયે શૂઝ અને યુનિફોર્મની જરૂરિયાત…
