પાલનપુર, થરાદ તાલુકાના કરબુણ ગામે પત્નીએ પોતાના પ્રેમ વચ્ચે આડખીલી બનતા પતિને રોકવા માટે પ્રેમીને ઉશ્કેરી રાત્રિના સમયે પતિની હત્યા કરાવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.થરાદ તાલુકાના કરબુણ ગામના રણછોડજી ભોમાજીની પત્નીના ગામના અન્ય એક પુરુષ સાથે આડા સંબંધ હોવાની ચર્ચાઓ અગાઉથી ચાલી રહી હતી.આ મુદ્દે રણછોડજીને શંકા જતા વારંવાર કલહ સર્જાતો હતો. અંતે પત્નીએ પોતાના પ્રેમીને કહ્યું કે, આપણા સંબંધ બાબતે મારા પતિને ખબર પડી ગઈ છે.જેથી જો આપણે તેને વચ્ચેથી નહીં હટાવીએ તો એ તને મારી નાખશે. તેથી સાથે મળીને પ્રેમ પ્રકરણમાં આડખીલી બનતા પતિને રસ્તામાંથી દૂર કરવાની ભયાનક સાજિસ રચી હતી.બનાવના દિવસે પત્નીએ પૂર્વ યોજના…
Author: gujarat
પાલનપુર, દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામે વહેલી પરોઢે સફેદ કલરની કાર પટેલવાસના બોર્ડ પાસે બાવળના ઝાડ સાથે ટકરાતાં ગાડીમાં આગ લાગી હતી. જે ઘટનાને પગલે ગાડીમાં બેઠેલા ચાલક તેમજ અન્ય એક આગમાં સળગી જતાં બંનેનાં મોત થવા પામ્યાં હતા. પોલીસ તપાસમાં મૃતક એક વ્યક્તિ દાંતીવાડાના મારવાડા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે બીજો વ્યક્તિ ક્યાંનો છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામ પાસે વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ માલપુરીયાથી જેગોલ જતા રોડ ઉપર એક સફેદ કલરની આઇ-૨૦ ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે હંકારતાંઓઢવા ગામે પટેલવાસના બોર્ડ પાસે બાવળના ઝાડ સાથે અથડાઈ હતી.આ અકસ્માતમાં કાર ચાલકને તથા તેની…
સુરત, સુરત શહેરમાં વધુ એક વખત શંકાના વહેમમાં પ્રેમલગ્ન કરીને શરૂ કરેલા હસતા-રમતા સંસારનો કરુણ અંત આવ્યો છે. શહેરના રાંદેર વિસ્તારમાં રામનગર વોકવે પાસે આજે મંગળવારે બપોરે એક યુવકે પોતાની પત્ની પર ચારિર્ત્યની શંકા રાખી જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી તેની નિર્મમ હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.બે વર્ષ પૂર્વે જ પ્રેમલગ્ન કરનારા આ યુગલ વચ્ચે પત્નીના અન્ય યુવક સાથેના સંપર્કને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો, જેનો આજે લોહિયાળ અંત આવ્યો છે.પોલીસ ઇન્સપેક્ટરના કહેવા પ્રમાણે મૂળ બિહારના વતની અને સુરતમાં કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ૨૫ વર્ષની વયના સરફરાઝ ખાન અને પૂજાકુમારી બંને કેટરિંગના વ્યવસાયમાં મજૂરીકામ સાથે સંકળાયેલા…
ગાંધીનગર, ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આજે સનસનાટી મચી ગઈ છે. અનામી ઇમેલ દ્વારા મળેલી આ ધમકીમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિધાનસભા સહિત રાજ્યના અનેક મહત્વના ઠેકાણે બોમ્બ મૂકવામાં આવ્યા છે.આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે, તે પૂર્વે જ આ પ્રકારની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ ભારે દોડધામ મચી ગઇ છે. આજે સવારે ૯ વાગ્યે મળનારી વિધાનસભાની બેઠક આ ધમકીને પગલે તાત્કાલિક અસરથી મોકૂફ રાખવામાં આવી છે. ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ તમામ ધારાસભ્યો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી આખું સંકુલ ખાલી કરાવાયું હતું.હાલમાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી રાજ્યના મુખ્યમંત્રી અને…
મોરબી, મોરબીનો સીરામીક ઉદ્યોગ ગેસની અછતના કારણે બંધ કરવા પડે તેવી નોબત ઉભી થઇ છે. આજે મોરબી સિરામિક એસો.ના હોલ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અંદાજે ૫૦૦ જેટલા સીરામીકના કારખાનેદારો હાજર રહ્યા હતા અને ગેસની અછત અને તેનો ભાવ નિશ્ચિત ન હોવાના કારણે સિરામિક કારખાનાઓને આગામી એક માસ સુધી બંધ કરવાનો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે.મોરબીના સિરામિક કારખાનાઓમાં છેલ્લા ૧૫ દિવસથી પ્રોપેન ગેસનો સપ્લાય ખોરવાઈ ગયો છે.જેથી ધીમે ધીમે ૨૦૦ જેટલા કારખાના બંધ થઈ ગયા હતા.છેલ્લા બે થી ત્રણ દિવસમાં વધુ ૫૦ જેટલા કારખાના બંધ થયા છે આમ ૨૫૦ જેટલા સિરામિકના કારખાના બંધ થઈ ગયા છે તેવી માહિતી મોરબી…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો એ.આઈ. સેક્ટરના યુવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરતો અનોખો અભિગમ –દેશના વિવિધ રાજ્યોના ઉચ્ચ સંભવિત સ્ટાર્ટ અપ્સ સાથે મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યક્ષ સંવાદ કર્યોયુવા સ્ટાર્ટઅપની પ્રોડક્ટ્સનું મુખ્યમંત્રી નિવાસસ્થાન પરિસરમાં પ્રદર્શન નિહાળ્યું-ગુજરાતને AI અને ઈમર્જીંગ ટેક્નોલોજી માટે ગ્લોબલ સેન્ટર બનાવવાની દિશામાં રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગનું બહુ આયામી આયોજનશાસનમાં પારદર્શિતા અને નાગરિકોની સુખાકારી માટે AI ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં મુખ્યમંત્રી-સ્ટાર્ટ અપને AI સોલ્યુશનના પ્રુફ ઓફ કોન્સેપ્ટ (PoC) માટે રાજ્ય સરકાર દ્વારા ફાયનાન્સિયલ સપોર્ટ મોડલની જાહેરાતઅમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતને યુવા સ્ટાર્ટ અપ્સના સ્કેલેબલ અને ઈફેક્ટિવ સોલ્યુશન્સથી વધુ સક્ષમ કરીને AI અને ઉભરતી ટેક્નોલોજી…
ગુજરાત એસ.ટી. દરરોજ8હજારથી વધુ બસના કાફલા સાથે33 લાખ કિલોમિટરનાસંચાલનથી અંદાજે27લાખથી વધુ મુસાફરોને સ્વચ્છ-સલામત અને સમયબદ્ધ પરિવહન સેવા પૂરી પાડે છેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના દિશાદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે જનસેવા પ્રતિબદ્ધતામાં એક નવું સિમાચિહ્ન 182નવિન બસોના લોકાર્પણથી ઉમેર્યુ છે.આ હેતુસર રાજ્યના તમામ 182વિધાનસભા વિસ્તાર માટે એક એમ કુલ182નવિન બસોને મુસાફરોની સેવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ,નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી પ્રવીણ માળીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવાનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરમાં યોજવામાં આવ્યો હતો. રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ,ધારાસભ્યો,પદાધિકારીઓ આ સમારોહમાં સહભાગી થયા હતા.At the Legislative Assembly in…
૨૧ અને ૨૨ માર્ચના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્ય કક્ષાનો ભવ્ય મિલેટ એક્સ્પો-મહોત્સવનું આયોજનઅમદાવાદ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૧૭ મહાનગરોમાં મિલેટ (જાડા ધાન)ના પ્રચાર-પ્રસાર માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આગામી ૨૧ અને ૨૨ માર્ચ, ૨૦૨૬ દરમિયાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે બે દિવસીય ‘રાજ્ય કક્ષાનો મિલેટ એક્સ્પો-મહોત્સવનું આયોજન કરાયું છે૨૧ માર્ચ સવારે ૧૦:૩૦ કલાકે કૃષિ મંત્રીશ્રીની જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાનાર આ એક્સ્પો-મહોત્સવમાં મિલેટ અને પ્રાકૃતિક કૃષિનો સંગમ જોવા મળશે.મિલેટ એક્સ્પો-મહોત્સવના પ્રથમ દિવસે ૨૦૦૦ થી વધુ મિલેટ પકવતા અને પ્રાકૃતિક ખેતી કરતા FPOs (ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન) ના ખેડૂતો, કૃષિ સાથે સંકળાયેલી સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOS) અને મોટી સંખ્યામાં શહેરીજનો…
AUDA દ્વારા આવાસ યોજનાના નિયમભંગ બદલ કડક કાર્યવાહી: કોટેશ્વરના ૩૩ આવાસો ખાલી કરવા નોટિસ ફટકારાઈકોટેશ્વર ખાતેની ‘મધુરમિલન આવાસ યોજના’માં ઔડાની ટીમો દ્વારા આકસ્મિક તપાસ: શરતોનો ભંગ કરી ભાડે આપેલા મકાનો સીલ કરવાની તજવીજઅમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા EWS યોજના હેઠળ ગાંધીનગર જિલ્લાના મોજે-કોટેશ્વર ખાતે ‘મધુરમિલન આવાસ યોજના’નું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૧-૨૨માં ડ્રો પદ્ધતિ દ્વારા આ યોજનાના કુલ ૨૬૬ યુનિટની ફાળવણી કરવામાં આવી હતી.ગાંધીનગરના વિકસિત વિસ્તારમાં આવેલી આ આવાસ યોજના લિફ્ટ, સીસીટીવી કેમેરા, ગાર્ડન અને સોલાર જેવી અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ છે. મોટેરાની નજીક હોવાને કારણે આ વિસ્તાર ખૂબ જ ઝડપી વિકાસ પામી રહ્યો છે.આ આવાસ યોજનામાં મકાનોની…
છાપેલી કિંમત ઉપર જો કોઈ છેકછાક કરી હોય તો એના નિયમ ૨૦૧૧ મુજબ આ એકમો સામે કાર્યવાહી કરીને ગુનો નોંધવામાં આવે છે.વડોદરા,પંચમહાલ અને કચ્છમાં કુલ ૫૮ વેપારીઓ સામે કાર્યવાહી કરાઈ-ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી શ્રી રમણભાઈ સોલંકીરાજ્યના ગ્રાહકોના હિતનું રક્ષણ થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં વેપારીઓ પેકિંગવાળી વસ્તુ પર છાપેલી મૂળ કિંમતથી વધુ કિંમત લઈ શક્તા નથી. ગ્રાહક તરીકે વસ્તુ ખરીદતા પહેલાં તેની પર છાપેલી કિંમતમાં કોઈ છેકછાક થઈ છે કે નહીં તે તપાસી લેવી જોઈએ.તેની પર છાપેલી કિંમત અને એ સાથે અન્ય વિગતો પણ હોય છે. આમ છતાં જો એને છાપેલી…
