રાજકોટ, રાજકોટમાં ૧૬ વર્ષ જૂના લાંચના કેસમાં ખાસ અદાલતે તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટરને બે વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. ૧૮ નવેમ્બર ૨૦૦૯ના રોજ મોટા મવા ગામના સરપંચ મયુર તળશીભાઈ શિંગાળાની હત્યા થઈ હતી, જેમાં રમેશભાઈ રાણાભાઈ મકવાણાની સંડોવણી હોવાની રજૂઆત થઈ હતી.તત્કાલીન પીઆઈ ચંદુલાલ પી. ગોસાઈ રમેશભાઈને બોલાવી તેમનું નામ ન ખોલાવવા માટે ૧૫ લાખની લાંચ માગી હતી, જે રકઝકના અંતે ૩.૫૦ લાખમાં નક્કી થઈ હતી.ટ્રેપના દિવસે ૨ લાખ રૂપિયા આપી દેવાયા હતા, જ્યારે બાકીના ૧.૫૦ લાખ રાત્રે પોલીસ સ્ટેશને પહોંચાડવાના હતા. ફરિયાદી રમેશભાઈએ આ અંગે એસીબીનો સંપર્ક કરતા તેમને ઝડપી લીધા હતા.જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ કોર્ટ સમક્ષ…
Author: gujarat
રાજકોટ, રાજકોટમાં સાયબર ફ્રોડની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પીજીવીસીએલના એમડીના નામે ખોટો વોટ્સએપ મેસેજ કરીને નાણા વિભાગના જનરલ મેનેજર પાસેથી ૪૫,૬૦,૯૦૪ પડાવીને બંગાળની બેંકમાં જમા કરાવ્યા હતા.ગઠિયાએ એમડીના ફોટા સાથેના વોટ્સએપ નંબર પરથી મેસેજ કરી પોતે મીટિંગમાં હોવાનું જણાવી તાત્કાલિક નાણાં ટ્રાન્સફર કરવા સૂચના આપી હતી. યુનિવર્સિટી રોડ પર રહેતા અને પીજીવીસીએલ કચેરીમાં ફાઈનાન્સ વિભાગના જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા કિન્તુકુમાર શશીકાંતભાઈ મલકાણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા. ૪ મેના રોજ તેઓ ઓફિસમાં હતા ત્યારે તેમના મોબાઈલ પર એમડી કેતન જોષીના ફોટાવાળા એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો.જેમાં લખ્યું હતું કે, ‘મલકાણ, આ મારો પર્સનલ…
અમદાવાદ , વડોદરાના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારોનો આક્ષેપ છે કે રિકન્સ્ટ્રક્શનના નામે આરોપીઓનું પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે કોર્ટના આદેશો અને બંધારણથી વિપરીત કૃત્ય છે. હાઇકોર્ટ આ મામલે થયેલી તમામ અરજીઓને હવે ક્લબ કરીને એકસાથે સુનાવણી હાથ ધરી શકે છે.વડોદરાના પાંચ અરજદારોએ વડોદરા પોલીસ સામે કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરી છે. જેમાં જણાવ્યું છે કે તેમની સામે શ્રીગણેશજીની પ્રતિમા ઉપર ઈંડા ફેકવાનો આક્ષેપ છે. આ બનાવ ઓગસ્ટ ૨૦૨૫ નો છે. પોલીસ ફરિયાદ અજાણ્યા ઇસમો સામે નોંધવામાં આવી હતી. ત્યારબાદ તપાસ કરીને પોલીસે આરોપીઓની ધરપકડ કરવાનુ શરૂ કર્યું હતું. પોલીસે કથિત…
સરદાર પટેલના યુગમાં “સેવાલક્ષી રાજધર્મ” ચાલતો હતો ત્યારે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં એક રાજનિતિ ચાલતી હતી ! આજે પ્રજા બે ધ્રુવ વચ્ચે વહેંચાઈ ગઈ છે તેને એક કરવાની રાજનિતિ પૂનઃજીવીત કોણ કરશે ?!ખાડીયામાંથી પેનલમાં ત્રણ હિન્દુઓ અને એક મુસ્લિમ જીત્યા ! દરિયાપુરમાંથી બે હિન્દુ અને બે મુસ્લિમો જીત્યા ! પ્રજાની વિચારવાની દિશા બદલાઈ રહી છે ?!અમેરિકાના અતિ ખ્યાતનામ ન્યાયવિદ્દ જસ્ટીસ હોમ્સ કહે છે કે, “બંધારણના અને સિધ્ધાંતોમાં જે કોઈપણ એક સિધ્ધાંત અનિવાર્યપણે ધ્યાન ખેંચતો હોય તો તે છે મુકત વિચારનો સિધ્ધાંત જેઓ આપણી સાથે સહમત છે, તેમને માટે મુકત વિચાર એમ નહીં, પણ જે વિચાર પ્રત્યે આપણને નફરત છે…
એક વીઘામાંથી રૂ.દોઢ લાખની કમાણી કરીઅમરેલી, અમરેલી જિલ્લાના ખેડૂતો હવે પરંપરાગત ખેતીની પદ્ધતિ છોડી ‘વેલ્યુ એડિશન’ તરફ વળી રહ્યા છે. જેનાથી ખેતી પાકમાં ફાયદો થાય છે. સાવરકુંડલાના પ્રગતિશીલ ખેડૂત મનસુખભાઈ ગાજીપરાએ શેરડીનું વાવેતર કર્યુ હોય, પરંતુ તેમને હોલસેલ માર્કેટમાં વેચવાથી યોગ્ય વળતર મળતું નથી,ત્યારે તેમણે પોતે જ શેરડીના ચિચોડો ઉભો કરી શેરડીનો રસ કાઢી ગ્રાહકોને સીધું વેચાણ કરવાનું શરૂ કર્યું છે. તેઓ આજે ૧૦ રૂપિયામાં એક ગ્લાસ રસ ગ્રાહકને વેચીને માત્ર એક જ વીઘામાંથી રૂપિયા સવાથી દોઢ લાખની કમાણી કરી રહ્યા છે.મનસુખભાઈ ગાજીપરાએ માત્ર ધો.૧૦ સુધી અભ્યાસ કર્યો હોવા છતાં ખેતીમાં નવનીતા લાવી સફળતા મેળવી છે. તેઓ કુલ ૧પ વીઘા…
યુવાનોમાં દેશી દારૂ બાદ કફ સિરપનો સસ્તો નશો રોગચાળાની જેમ ફેલાયો ઃ સિંધુભવન રોડ નશાના લે-વેચનું કેન્દ્ર બન્યોઃ લોક ચર્ચા(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં દારૂની માફક હવે શેરીએ શેરીએ ગાંજા અને ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. ડ્રગ્સના બંધાણીઓનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે અમદાવાદના સરકારી અને ખાનગી મનોચિકિત્સાલયમાં ડ્રગ રિહાબિલેશન માટે મહિને ૬૦૦થી વધુ યુવાનોની લાઈન લાગે છે! અમદાવાદના સેન્ટરમાં લાગેલી આ યુવાનોની લાઈન તો માત્ર એક નમૂનો છે. આ સિવાય રાજ્યમાં નશામાં સપડાયેલાં યુવાનોનો અસલ આંકડો આનાથી અનેક ગણો વધારે છે.અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ અને ખાનગી મનોચિકિત્સાલયમાં ડ્રગ રિહાબિલેશન માટે મહિને ૬૦૦થી ૭૦૦ લોકો આવી રહ્યા છે.…
(એજન્સી)અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨નું પરિણામ જાહેર થયા બાદ એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. શહેરના નારોલ વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થિનીએ પરીક્ષામાં અપેક્ષા કરતા ઓછા ટકા આવવાના કારણે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે.મળતી વિગતો અનુસાર, નારોલના ગંગોત્રી નગર વિસ્તારમાં આવેલા ઉમંગ ફ્લેટમાં આ દુઃખદ ઘટના બની હતી. ચોથી મે સાંજે પાંચથી છ વાગ્યાની આસપાસ વિદ્યાર્થિનીએ પોતાના જ ઘરે આપઘાત કરી લીધો હતો.ધોરણ ૧૨ની પરીક્ષામાં ઓછું પરિણામ આવતા વિદ્યાર્થિની માનસિક રીતે ભાંગી પડી હતી. જોકે, વિદ્યાર્થિનીના પિતાએ તેને પરિણામ બાબતે કોઈ ઠપકો આપ્યો ન હતો કે કશું કહ્યું ન હતું. તેમ છતાં,…
કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય લેવાયા(એજન્સી)અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે, જે અંતર્ગત રાજ્યમાં રૂપિયા ૩,૯૦૦ કરોડથી વધુના કુલ રોકાણ સાથે વધુ બે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત વાડીનાર ખાતે એક આધુનિક શિપ રિપેર ફેસિલિટીની સ્થાપનાને પણ લીલીઝંડી આપવામાં આવી છે.વધુ બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ પ્રોજેક્ટ્સ દ્વારા ભારત હવે કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર-આધારિત ‘મિની/માઈક્રો એલઈડી ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે ડગ માંડશે. આ નવી સુવિધાઓથી રાજ્યમાં અંદાજે ૨,૨૩૦ કુશળ પ્રોફેશનલ્સ માટે રોજગારીની નવી તકો ઉભી થશે.ઉલ્લેખનીય છે કે, ‘ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ હેઠળ અત્યાર સુધીમાં કુલ ૧૨ પ્રોજેક્ટ્સ મંજૂર…
(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગર નજીક આવેલા સંત સરોવરમાં આજે દુર્ઘટનાસભર ઘટના બની હતી, જેમાં ચાર યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. મળતી માહિતી મુજબ, યુવકો સરોવર પાસે ફરવા ગયા હતા ત્યારે અચાનક પાણીમાં ઉતરતા આ અકસ્માત બન્યો હતો.ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઝડપી કામગીરીના કારણે ચારમાંથી ત્રણ યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. જોકે, એક યુવકને બચાવી શકાયો નહોતો અને તેનું દુઃખદ મોત નિપજ્યું હતું.ફાયર વિભાગે ભારે મહેનત બાદ મૃત યુવકનો દેહ બહાર કાઢ્યો હતો. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ…
