(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના નોબલનગર ચાર રસ્તા પાસે મંગળવારે (૧૭ માર્ચ, ૨૦૨૬) એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહીં રોડ પાસેની ઝાડીઓમાંથી એક અજાણી મહિલાની અર્ધસળગેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસની ટીમ દોડતી થઈ છે.પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યાનો મામલો હોવાનું જણાય છે, જેમાં આરોપીઓએ અન્ય સ્થળે હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને અહીં લાવી સળગાવી હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નોબલનગર ચાર રસ્તા નજીક આવેલી ઝાડીઓમાં કોઈ માનવ શરીર સળગતું હોવાનું ધ્યાને આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે લાશ ઘણી ખરી બળી ગયેલી હાલતમાં હતી. મૃતદેહની આસપાસની સ્થિતિ જોતા…
Author: gujarat
(એજન્સી)બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં નશાના કારોબાર પર લગામ કસવા માટે ગુજરાત સીઆઈડી ક્રાઈમની એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સએ મોટી સફળતા મેળવી છે. પાલનપુર-જગાણા હાઈવે પરથી પોલીસે ૨૩૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાજસ્થાનના બે યુવકોને દબોચી લીધા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત આશરે ૫ લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે.એએનટીએફના અધિકારીઓને સચોટ બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી એક મોટરસાયકલ પર નશીલા પદાર્થોનો જથ્થો ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે ૧૬ માર્ચના રોજ પાલનપુર તાલુકાના જગાણા હાઈવે પર પોલીસની ટીમે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી.આ દરમિયાન, રાજસ્થાન પાસિંગની મોટરસાયકલ પર આવી રહેલા બે શંકાસ્પદ શખસોને આંતરીને તેમની તપાસ કરવામાં આવતા તેમની…
(એજન્સી)ગાંધીનગર, સાબરમતી, વિશ્વામિત્રી, મહી, ભાદર સહિત રાજ્યની નદીઓને પ્રદૂષણથી બચાવવા ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણી નદીના બદલે સીધા સમુદ્રમાં ઉતારવાના આયોજન સાથે વર્ષ ૨૦૧૯થી રાજ્ય સરકાર દ્વારા ડીપ સી ડિસ્ચાર્જ પ્રોજેક્ટનું કામ શરૂ કરાયું હતું.જેની પાછળ ૭ વર્ષમાં ૭૩૮ કરોડ રૂપિયા જેટલી જંગી રકમ વાપરી દેવાઈ હોવા છતાં હજી સુધી પાઈપલાઈનનું નેટવર્ક નાંખવાનું કામ પણ પૂરું કરાયું નથી. આવી મંદગતિએ કામ ચાલશે તો ત્યાં સુધીમાં નદીઓ પૂરેપૂરી પ્રદૂષિત થઈ ચૂકી હશે, પછી આ પ્રોજેક્ટનો શું ફાયદો! તે ચર્ચાનો વિષય છે.ઉદ્યોગોના પાણી નદીના બદલે સમુદ્રમાં ઠાલવવાનું આયોજન હતું અમદાવાદ, અંકલેશ્વર, સાયખાના ઉદ્યોગોમાંથી સીધા ખંભાતના અખાતમાં અને જેતપુરથી સીધા પોરબંદરના દરિયામાં કારખાનાના કેમિકલયુક્ત પાણી…
સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓના ભોજન માટે ચૂલા પર બને છે રસોઈ(એજન્સી)ગાંધીનગર, રાજ્યમાં વર્તાઈ રહેલી એલપીજી ગેસની કટોકટી હવે સચિવાલય અને વિધાનસભા સુધી પહોંચી ગઈ છે. ગુજરાત વિધાનસભાની સુરક્ષામાં તહેનાત પોલીસ જવાનો માટેના ભોજનાલયમાં છેલ્લા પાંચ દિવસથી ગેસ સિલિન્ડર ન હોવાને કારણે લાકડાં અને ચૂલા પર રસોઈ બનાવવાની નોબત આવી છે.સરકારના પૂરતા પુરવઠાના દાવાઓ વચ્ચે આ ઘટનાએ વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કર્યાં છે. મળતી માહિતી અનુસાર, સચિવાલય પરિસરમાં સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલા આશરે ૧૫૦થી ૨૦૦ જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓ માટે ભોજન તૈયાર કરતા કેટરિંગ યુનિટની હાલત કફોડી બની છે. છેલ્લા પાંચ દિવસથી ગેસની સપ્લાય ખોરવાતા કેટરિંગ સંચાલકોએ લાકડાં મંગાવીને કામચલાઉ…
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને જિલ્લાઓની મુલાકાત તથા જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યોગાંધીનગર, ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)ના અમલીકરણ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલને મંગળવારે ગાંધીનગરમાં સોંપ્યો હતો.આ અહેવાલ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી આ સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને રાજ્યના જિલ્લાઓની મુલાકાત લઇને લોક અભિપ્રાયો મેળવીને તથા ઘનિષ્ઠ જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો.સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને રચવામાં આવેલી…
શિકાગો / અમદાવાદ (17 માર્ચ, 2026): હયાત હોટલ્સ કોર્પોરેશન દ્વારા આજે અમદાવાદના નિકોલ વિસ્તારમાં ‘હયાત પ્લેસ અમદાવાદ નિકોલ’ માટે કરાર પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભારતમાં હયાત બ્રાન્ડના વિસ્તરણમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવે છે.ગોલ્ડન બિલ્ડકોન દ્વારા વિકસાવવામાં આવનાર આ 140 રૂમ ધરાવતી હોટલ આરામ, શૈલી અને આધુનિક સુવિધાઓનું અનોખું મિશ્રણ પ્રદાન કરશે. ગુજરાતના વહીવટી અને વ્યાપારી કેન્દ્ર એવા અમદાવાદમાં હયાતની બ્રાન્ડ પ્રેઝન્સ આ નવી હોટલથી વધુ મજબૂત બનશે.હયાતના ઇન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના રિયલ એસ્ટેટ એન્ડ ડેવલપમેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ ધ્રુવ રાઠોડે જણાવ્યું હતું કે, “ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસિસને કારણે અમદાવાદમાં મજબૂત આર્થિક વૃદ્ધિ જોવા મળી રહી…
ગાંધીનગર: ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજપત્ર અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં રાજ્યની હરિયાળી વધારવા અને વન્યજીવોના સંરક્ષણ માટે કુલ ₹૩૫૫૯.૬૪ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટમાં વન વિભાગ માટે ₹૩૫૨૦.૨૪ કરોડ અને પર્યાવરણ સુરક્ષા માટે ₹૧૬.૩૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.સરકારે પર્યાવરણ અને વન્યજીવ સૃષ્ટિ માટે અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ જાહેર કર્યા છે:ગુજરાત અનેક ક્ષેત્રોમાં દેશમાં અગ્રેસર છે:
“છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓની માહિતી પહોંચાડવામાં માહિતી વિભાગની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ”અમદાવાદ, ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે માહિતી અને પ્રસારણ વિભાગની વર્ષ ૨૦૨૬-૨૭ની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતા મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિભાગની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, માહિતી વિભાગ કદમાં રાજ્ય સરકારનો ખૂબ જ નાનો, પરંતુ વ્યાપક અને ગહન જવાબદારી નિભાવતો અત્યંત મહત્વપૂર્ણ વિભાગ છે. રાજ્ય સરકાર, માધ્યમો અને જનતા વચ્ચે વિશ્વાસનો સેતુ બનીને માહિતી વિભાગ સરકારની ઇમેજ બિલ્ડિંગનું વિશેષ કાર્ય કરી રહ્યો છે.રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી માત્ર રાજ્ય પૂરતી સીમિત ન રહેતા દેશ-વિદેશ સુધી પહોંચે તે માટે આ વિભાગ દ્વારા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી…
ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પનો શુભારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીજનપ્રતિનિધિઓ અને પત્રકારોમાં સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થાય તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે:- આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયારાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે આજે ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપેથિક,આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના…
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે નડિયાદ ટાઉન પોલીસ મથકની હદમાં આવેલ પીજ ભાગોળ વિસ્તારમાંથી થયેલી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ચોરીનો ગુનો ઉકેલી નાખ્યો છે. પોલીસે બાતમીના આધારે એક શખ્સને ૧૬ નંગ ગેસની બોટલો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ નડિયાદ ટાઉન પોલીસ મથક વિસ્તારમાં એલ.સી.બી.ની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન હરજીભાઈ અને રણજીતસિંહ ને બાતમી મળી હતી કે સાગર કાળીદાસ ધોબી (રહે. સાંથ બજાર, ગોરનો ખાચો, નડિયાદ) એ પોતાના ઘરની પાસે શંકાસ્પદ હાલતમાં ગેસના સિલિન્ડર છુપાવ્યા છે.આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો. તેની પાસેથી અલગ-અલગ કંપનીના…
