(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે નડિયાદ ટાઉન પોલીસ મથકની હદમાં આવેલ પીજ ભાગોળ વિસ્તારમાંથી થયેલી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ચોરીનો ગુનો ઉકેલી નાખ્યો છે. પોલીસે બાતમીના આધારે એક શખ્સને ૧૬ નંગ ગેસની બોટલો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ નડિયાદ ટાઉન પોલીસ મથક વિસ્તારમાં એલ.સી.બી.ની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન હરજીભાઈ અને રણજીતસિંહ ને બાતમી મળી હતી કે સાગર કાળીદાસ ધોબી (રહે. સાંથ બજાર, ગોરનો ખાચો, નડિયાદ) એ પોતાના ઘરની પાસે શંકાસ્પદ હાલતમાં ગેસના સિલિન્ડર છુપાવ્યા છે.આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો. તેની પાસેથી અલગ-અલગ કંપનીના…
Author: gujarat
નદી પસાર કરવા માટે બોટમાં ક્ષમતા કરતા વધુ પરિક્રમાવાસીઓ બેસાડાતા હોવાનો વિડીયો વાયરલ ઃ નદી અને સમુદ્રના સંગમ સ્થળ પર દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ચર્ચાતો પ્રશ્ન(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના હાંસોટના વમલેશ્વરથી સામે પાર આવેલ મીઠી તલાઈ જવા માટે નર્મદા પરિક્રમાવાસીઓ જીવના જોખમે જતા હોવાનો વિડીયો વાયરલ થયો છે.બોટમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો બેસાડાતા હોવાના આક્ષેપ થયા છે.ભરૂચ જિલ્લામાં નર્મદા પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ માટે નદી પાર કરવાની વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.હાંસોટ તાલુકાના વમલેશ્વરથી દહેજના મીઠી તલાઈ સુધી નદી-સમુદ્ર પાર કરવા માટે બોટનો ઉપયોગ કરવામાં આવે છે,પરંતુ તાજેતરમાં એક વીડિયો બહાર આવ્યો છે જેમાં બોટમાં ક્ષમતા કરતા વધુ પરિક્રમાવાસીઓને…
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ શહેરમાં નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને એક જ સ્થળે ઉપલબ્ધ થાય તે હેતુસર આજ રોજ નડિયાદ મહાનગરપાલિકા પૂર્વ ઝોન દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા પોતાના સ્ટોલ મૂકીને નાગરિકોને જરૂરી સેવાઓ અને માર્ગદર્શન પૂરી પાડવામાં આવ્યું હતું, જેના કારણે મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન નાગરિકો માટે અનેક ઉપયોગી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.ખાસ કરીને ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા અગ્નિશામક સાધનો તથા આધુનિક ઉપકરણોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આગ લાગવાની પરિસ્થિતિમાં કેવી રીતે સુરક્ષા જાળવવી અને અગ્નિશામક સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે નાગરિકોને વિગતવાર માર્ગદર્શન…
અમદાવાદ, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-અમદાવાદ દ્વારા “ઉત્પાદક થી ઉપભોક્તા સુધી” થીમ અંતર્ગત કૃષિ મેળા અને પ્રદર્શનનું સુંદર આયોજન વસ્ત્રાલમાં આવેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ ખાતે સંયુક્ત ખેતી નિયામક શ્રીમતી મીનાબહેન દવેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.સમારંભના અધ્યક્ષ શ્રીમતી મીનાબહેન દવેએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રોજિંદા જીવનમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનો ઉપયોગ કરીને પરિવારને કેવી રીતે બીમારીઓથી મુક્ત અને સ્વસ્થ રાખી શકાય. તેમણે સૌને પ્રાકૃતિક ખેતી અપનાવવા ખાસ અપીલ કરી હતી અને પ્રદર્શનના સ્ટોલ્સની વ્યક્તિગત મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.કાર્યક્રમની રૂપરેખા આપતા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી કે.કે. પટેલે જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા સમજવી અને તેનો…
પેટલાદના યુવક સહિત ૪પ લોકો સાથે રૂ.૧.૪૮ લાખની છેતરપિંડી(એજન્સી)આણંદ, આણંદ જિલ્લાના ખંભાત શહેરના મૂળ વતની હાલ વડોદરા શહેરમાં સ્ટાર રેસીડેન્સી વસંત વિહાર ભાયલી રોડ વિસ્તારમાં રહેતા એક શખ્સે ૪પ જેટલા લોકોને વારાણસી ખાતે યોજાયેલી કથામાં લઈ જવા માટે રૂ.૧.૪૮ લાખ ઉપરાંતની રકમ ઓનલાઈન મેળવી લઈને ટિકિટ બુક નહીં કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ પેટલાદ શહેર પોલીસ મથકમાં નોંધાઈ છે.આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં નાના પંડયાની પોળ વિસ્તારમાં કુણાલ કિરીટભાઈ ત્રિવેદી રહે છે. તેઓ દસ વર્ષ પહેલાં પેટલાદ રાજકીય સંસ્કૃત પાઠ શાળામાં પૂજાપાઠ કરવા માટે જતા હતા ત્યારે તેમની સાથે વડોદરા ખાતે રહેતા મૂળ ખંભાતના ચિરાથભાઈ મુકેશચંદ જોષી પણ પૂજાપાઠ શીખવા માટે આવતા…
હેબતપુર ગામ પાછળ બિનોરી એરીસ્ટોલા સાઈટનો બનાવ(એજન્સી)અમદાવાદ, શહેરના એસપી રીગ રોડ પાસે હેબતપુર ગામ પાછળ આવેલી બીનોરી એરીસ્ટોલા નામનીસાઈટ પર કામ કરતા શ્રમીકનું ત્રીજા માળેથી નીચે પડવાના કારણે મોત થયું હતું. સાઈટ પર સેફટી નેટ ના લગાવવાના કારણે શ્રમીકના મોત મામલે બોડકદેવ પોલીસે બિલ્ડર, એન્જીનીયર, કોન્ટ્રાકટર સહીત ચાર લોકો સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.મુળ રાજસ્થાનનો ર૩ વર્ષીય અનીલ નિનામા એસપી રીગ રોડ હેબતપુર ગામ પાછળ આવેલી બીનોરી એરીસ્ટોલા નામની કન્સ્ટ્રકશન સાઈટ પર વોટર પ્રુફીગનું કામ કરતો હતો. તા.૩૦ સપ્ટેમ્બરના રોજ તે ત્રીજા માળે વોટર પ્રુફીગનું કામ કરતો હતો. આ સાઈટના ફલેટ નંબર ૩૦૧ના બેડરૂમની બારીના છજજા પર પ્લાન્ટેશનની…
(એજન્સી)ગાંધીનગર, ગીર વિસ્તારમાં વન્યજીવો અવારનવાર ખુલ્લા કૂવામાં ખાબકતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આ સમસ્યાના નિરાકરણ માટે સરકાર દ્વારા ગીર વિસ્તારમાં આવેલા ખુલ્લા કૂવાઓને પેરાપેટ વોલથી સુરક્ષિત કરવાની ખાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે.ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. બજેટ સત્રનો આજે નવમો દિવસ હતો. નવમા દિવસે બજેટ સત્રમાં પ્રશ્નોત્તરી કાળથી ગૃહની શરૂઆત થઈ હતી.પ્રશ્નોત્તરી કાળમાં ગૃહમાં પશુપાલન વિભાગ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ક્લાઈમેટ ચેન્જ તેમજ વન અને પર્યાવરણ વિભાગના પ્રશ્નો ગૃહમાં ઉઠ્યા હતા. જેમાં જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા વિધાનસભામાં ગીર વિસ્તારમાં આવેલા ખુલ્લા કૂવાઓને પેરાપેટ વોલથી સુરક્ષિત કરવાની ખાસ યોજના અંગે વન મંત્રીને પ્રશ્ન પૂછ્યા હતા.વન…
(એજન્સી)ગાંધીનગર, રાજ્યમાં એલપીજી સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસ જવાનો તૈનાત કરાશે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આદેશ કર્યો હતો. સરકારી, ખાનગી એલપીજી સિલિન્ડરના ગોડાઉન પર પોલીસને તૈનાત કરવાનો આદેશ અપાયો છે. એલપીજીના ગોડાઉન, બુકિંગ ઓફિસ પર ૧-૧ પોલીસ જવાન તૈનાત કરાશે.પોલીસની સાથે મહેસૂલ વિભાગના ૧-૧ કર્મચારી રાખવાનો પણ આદેશ અપાયો છે. રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ વડા, સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનો હવાલો આપી સૂચના જાહેર કરાઈ હતી.ગેસ સંકટ વચ્ચે રાજકોટના ગોંડલમાં પુરવઠા વિભાગની ટીમ હોટલ, રેસ્ટોરન્ટ અને નાસ્તા હાઉસ પર ત્રાટકી હતી. ઘરેલુ ગેસનો વપરાશ કરતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના અલગ…
ગાંધીનગર, એલપીજી ગેસ સિલિન્ડરને લઈને દેશભરમાં ચાલી રહેલી મથામણ વચ્ચે હોટલો અને રોસ્ટોરન્ટ બંધ થવાના કગાર પર આવી ગઈ છે. આ વચ્ચે ગુજરાત સરકારે રાજ્યની હોટલ અને રેસ્ટોરેન્ટ માટે મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા રાજ્યની હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાયને ચાલુ રાખવા માટે હવે તાત્કાલિક પીએનજી (પાઇપ નેચરલ ગેસ) કનેક્શન આપવામાં આવશે છે.ગેસ સિલિન્ડર મેળવવામાં પડી રહેલી મુશ્કેલીઓને કારણે રાજ્યભરમાં હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાય મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તાત્કાલિક વિકલ્પ તરીકે પીએનજીને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી મુજબ ઘરેલું અને કોમર્શિયલ બંન્ને માટે તાત્કાલિક કનેક્શન આપવાનું સુચન કર્યું છે. આ અંગે સિટી ગેસ…
બંગાળ ચૂંટણી માટે ભાજપે ૧૪૪ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી ભાજપે કેરલમમાં ૪૭ ઉમેદવારોના નામની જાહેરાત કરી(એજન્સી)નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ૧૪૪ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીએ નેતા પ્રતિપક્ષ સુવેંદુ અધિકારીને નંદીગ્રામ ઉપરાંત ભવાનીપુરથી ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે, જ્યાંથી મમતા બેનર્જી ચૂંટણી લડે છે અને હાલમાં ત્યાંથી ધારાસભ્ય પણ છે.ભાજપમાં સામેલ થતાં પહેલા મમતા બેનર્જીના નજીક રહેલા સુવેંદુ અધિકારીને ભવાનીપુરથી ચૂંટણી લડાવવાનો નિર્ણયથી ફરી એક વાર બંને નેતાઓ વચ્ચે રાજકીય ટકરાવની પ્રબળ સંભાવના પેદા થઈ ગઈ છે.પાછલી વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીએ નંદીગ્રામ સીટ પરથી સુવેંદુ અધિકારી વિરુદ્ધ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો…
