Author: gujarat

રાજકોટ, શિતલ પાર્ક નજીક શ્યામનગર-૪માં રહેતાં એક તરૂણને પોલીસમેન સહિતનાં આઠેક આરોપીઓએ ભેગા મળી બેફામ બની મારકુટ કર્યાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઇ છે. આ ઘટનામાં આરોપી તરીકે પોલીસમેન હોવાથી ચાર દિવસ બાદ પોલીસે ફરિયાદ નોંધ્યાનો આક્ષેપ થયો છે.લેડીસ સલૂન ચલાવતાં રિધ્ધીબેન અતુલભાઇ ભડેણીયા (ઉ.વ.૩૨)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનો ભાઇ પ્રિન્સ તેના મિત્રો સાથે ગઇ તા.૨૯ના રોજ ક્રિકેટ રમવા બજરંગવાડી ગાર્ડનમાં ગયો હતો. તે વખતે તેના મિત્ર મિતનો મિત્ર કે જે સગીર છે તે અને તેનો ભાઇ બેટ ફેરવતાં હતાં. જે બેટ તેના ભાઇને વાગતાં બંને સાથે ઝઘડો થતાં તેનો ભાઇ ત્યાંથી નિકળી ગયો હતો.ત્યાર પછી તેનો ભાઇ…

Read More

અમદાવાદ, અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા વેપારી ગત મહિને પોતાના પરિવાર સાથે ૯ દિવસ માટે વતન બિહાર ગયા હતા. આ દરમિયાન બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડ્યો હતો અને ઘરમાં પ્રવેશ કર્યાે હતો.તસ્કરોએ બંધ મકાનનો ગેરલાભ ઊઠાવીને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. ૩.૪૦ લાખની મતાની ચોરી કરી હતી. વસ્ત્રાલની શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા દિલીપભાઈ પાટીલના મોબાઈલ ફોન પર તેમના પાડોશી મુન્નાભાઈ પાંડેનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, તેઓ પરિવારના તમામ સભ્યો સાથે બિહાર પોતાના વતને ગયા છે અને તેમના ઘરનો દરવાજો ખુલ્લો જણાય છે.આથી પાડોશી દિલીપભાઈ તથા સોસાયટીના અન્ય સભ્યો એકઠા થઈને મુન્નાભાઈના મકાને તપાસ…

Read More

ગાંધીનગર, કલોલ નજીક રહેતી ૧૩ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર આરોપી રોહિતકુમાર ઉર્ફે ગાગાકુમાર બિંદેશ્વરસિંહ કુશવાહ (ઉં-૨૩, રહે-મેદનીપુર થાના-ધોન્ડાહ, કંચનપુર પોસ્ટ, જિલ્લો-રોહતાસ, બિહાર)ને કલોલની કોર્ટે ૨૦ વર્ષ કેદની સજા ફટકારી છે.આ ચુકાદાની શરૂઆતમાં કોર્ટે સંસ્કૃત શ્લોક ટાંક્યો હતો, જેનો અર્થ થાય છે કે કન્યા પર અત્યાચાર કરનાર તત્ત્વો કડક સજાને પાત્ર છે.ચોંકાવનારા કેસની વિગત એવી છે કે, મૂળ બિહારના અને હાલ કલોલના છત્રાલ ખાતે રહેતા આરોપી રોહિતકુમાર કુશવાહે ગત મે, ૨૦૨૫માં ફરિયાદીની ૧૩ વર્ષની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી અપહરણ કરી હરિયાણાના ગન્નોર પાસે લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.આ દુષ્કર્મના પરિણામે…

Read More

અમદાવાદ, જશોદાનગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ વેપારી એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ટ્રેન દ્વારા પંજાબ જઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રેનમાં ફિરોઝાપુરના એક યુવકે તેમની સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ આરોપીએ વીડિયો કોલ પર બીભત્સ વાતો કરીને વૃદ્ધને ઉત્તેજિત કર્યા અને તેમના અશ્લીલ વીડિયો બનાવી લીધા હતા.આ પછી આરોપીએ તેના બે સાથીદારો સાથે મળીને આ વીડિયો વૃદ્ધના સગા-સંબંધીઓને મોકલવાની અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. વધુમાં, આરોપીઓએ પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે આપીને ૧૫ લાખ રૂપિયાની માગણી કરી હતી અને વૃદ્ધ પાસેથી રૂ. ૮.૮૮ લાખ પડાવી લીધા હતા.આ મામલે વૃદ્ધે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ખોખરા…

Read More

AMA દ્રારાગુજરાતી સિનેમા ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે સામૂહિક સંવાદનું આયોજન કરાયુંAhmedabad, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) “ગુજરાતી સિનેમા પ્રોડ્યુસર્સ કાઉન્સિલ: એક સામૂહિક સંવાદ”નું એએમએ કેમ્પસ ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અગ્રણીઓને એક મંચ પર લાવી ભવિષ્યલક્ષી રાઉન્ડ ટેબલ ચર્ચા કરવામાં આવી હતી. આ સંવાદમાં સક્રિય નિર્માતાઓ અને હિતધારકોની પ્રોત્સાહક સહભાગીતા જોવા મળી હતી, જેમાં પ્રોડક્શન ઇકોનોમિક્સ, પોલિસી સપોર્ટ અને ઉદ્યોગના ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે હિતધારકો વચ્ચેના સહયોગ અંગે અર્થપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી.શ્રી સંજય ચક્રવર્તી અને શ્રી અભિષેક જૈન દ્રારા પરિકલ્પિત આ પહેલે મુક્ત અને રચનાત્મક સંવાદ માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું,જેમાં એએમએટીમ દ્રારા વિચારોના આદાન-પ્રદાન…

Read More

ગુજરાતના મુખ્ય જળાશયોમાં વર્તમાન સ્થિતિએ સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૫૯ ટકાથી વધુગત વર્ષેના સાપેક્ષમાં આ વર્ષે વિસ્તારવાર રાજ્યમાં ૯ ટકાથી વધારે પાણીનો જથ્થો ઉપલબ્ધØરાજ્યમાં સૌથી વધુ ૫૯ ટકાથી વધુ પાણીનો જથ્થો મધ્ય ગુજરાતના જળાશયોમાંગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાવાર્ત્રિક અને ભારે વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયો એટલે કે ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને જળ સંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વમાં પાણી સંચય અંગેના સુચારૂ વ્યવસ્થાપન થકી રાજ્યમાં દિન-પ્રતિદિન પીવાના અને સિંચાઈ માટેના પાણીની ઉપલબ્ધતા વધી રહી છે.રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સરેરાશ ૧૨૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેના પરિણામ સ્વરૂપે તા. ૦૩ મે…

Read More

ગુજરાતની જેલોમાં બંધ બંદીવાનોની પરીક્ષા જેલની અંદર જ પરીક્ષા કેન્દ્રની વ્યવસ્થા કરી યોજાઈ હતી જેમાં 40 બંદીવાનોમાંથી 22 ઉમેદવારો ઉત્તીર્ણ થયેલ છે.સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આહવા ડાંગ (97.88 ટકા) – જ્યારે સૌથી ઓછું અમદાવાદ (શહેર) 87.10 ટકા પરિણામધોરણ 12 વિજ્ઞાન/સામાન્ય પ્રવાહ/ ગુજકેટ -2026નું પરિણામ તા. 04-05-2026ના રોજ સોમવારે સવારે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી રિવાબા જાડેજા દ્વારા જાહેર કરવામાં આવ્યુ હતું અને ધોરણ 12ના વિજ્ઞાન, વાણિજ્ય અને સામાન્ય પ્રવાહની સાથે ગુજકેટ (GUJCET)નું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઓનલાઇન જોઈ શકાશે…અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૬માં યોજાયેલી ધોરણ-૧૨…

Read More

(એજન્સી)સુરત, સુરત એરપોર્ટ, જેને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળ્યો છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા તે માત્ર નામ પૂરતું જ રહી ગયું છે. તાજેતરમાં એર ઈન્ડિયા એકસપ્રેસ દ્વારા સુરતથી બેંગકોક જતી સીધી ફ્લાઈટ બંધ કરવામાં આવી છે. કંપનીએ આ નિર્ણય પાછળ નુકસાનને મુખ્ય કારણ ગણાવ્યું છે.માર્ચ ૨૦૨૬માં સુરત-બેંગકોક રૂટ પર ૭ હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હોવા છતાં, ફ્લાઈટ બંધ થવાથી મુસાફરોમાં નિરાશા ફેલાઈ છે. ખાસ કરીને ઉનાળા વેકેશનના સમયમાં, જ્યારે પ્રવાસીઓ માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસની માંગ વધે છે, ત્યારે સુરતમાંથી એક પણ સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉપલબ્ધ નથી.બીજી તરફ, મધ્ય પૂર્વમાં ચાલી રહેલી પરિસ્થિતિને કારણે દુબઈ અને શારજાહ માટેની ફ્લાઈટ્‌સ પણ હાલ સ્થગિત…

Read More

(એજન્સી)ઊંઝા, મહેસાણા જિલ્લાનું ઊંઝા તાલુકાનું બ્રાહ્મણવાડા ગામ તેની લાલ, ચટાકેદાર અને સ્વાદિષ્ટ ડુંગળી માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્રમાં પણ પ્રખ્યાત છે. જોકે, આ વર્ષે સ્થિતિ ઉલટી જોવા મળી રહી છે. સ્વાદમાં મીઠી ગણાતી આ ડુંગળી અત્યારે ખેડૂતોની આંખમાં આંસુ લાવી રહી છે. પ્રતિકૂળ સંજોગોને કારણે આ વર્ષે ઉત્પાદનમાં મોટો કાપ મુકાયો છે, જેના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે.બ્રાહ્મણવાડાની જમીન અને પાણીની ખાસિયતને કારણે અહીંની ડુંગળીની ગુણવત્તા શ્રેષ્ઠ હોય છે. ગામના અંદાજે ૬૦ થી ૭૦ ટકા પરિવારો પેઢીઓથી ડુંગળીની ખેતી પર જ નિર્ભર છે. પરંતુ આ વર્ષે ઉત્પાદનમાં ગત વર્ષની સરખામણીએ સીધો ૫૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. ખેડૂતોના…

Read More

વોટ્‌સએપ પર ગ્રુપ બનાવી લોકોનો સંપર્ક કરતી -રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે તેઓ શરૂઆતમાં શેરબજારની ટિપ્સ આપતાશેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી લાખોની છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ(એજન્સી)અમદાવાદ,શહેરમાં શેરબજારમાં રોકાણના નામે નિર્દોષ નાગરિકો સાથે લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી સાયબર ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા જયસુખભાઈ જીવાણી નામના શખ્સની સુરતથી ધરપકડ કરી છે.પ્રાથમિક તપાસમાં આ ઠગબાજે નકલી ટ્રેડિંગ એપ્લિકેશન દ્વારા રોકાણકારોને જાળમાં ફસાવી અંદાજે રૂ.૫૫ લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપી જયસુખ જીવાણી અને તેની ગેંગ અત્યંત વ્યવસ્થિત રીતે મોડસ ઓપરેન્ડી ચલાવતા હતા. આ ટોળકી વોટ્‌સએપ પર ગ્રુપ બનાવી…

Read More