Author: gujarat

છાપેલી કિંમત ઉપર જો કોઈ છેકછાક કરી હોય તો એના નિયમ ૨૦૧૧ મુજબ આ એકમો સામે કાર્યવાહી કરીને ગુનો નોંધવામાં આવે છે.વડોદરા,પંચમહાલ અને કચ્છમાં કુલ ૫૮ વેપારીઓ સામે કાર્યવાહી કરાઈ-ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી શ્રી રમણભાઈ સોલંકીરાજ્યના ગ્રાહકોના હિતનું રક્ષણ થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં વેપારીઓ પેકિંગવાળી વસ્તુ પર છાપેલી મૂળ કિંમતથી વધુ કિંમત લ‌ઈ શક્તા નથી. ગ્રાહક તરીકે વસ્તુ ખરીદતા પહેલાં તેની પર છાપેલી કિંમતમાં કોઈ છેકછાક થ‌ઈ છે કે નહીં તે તપાસી લેવી જોઈએ.તેની પર છાપેલી કિંમત અને એ સાથે અન્ય વિગતો પણ હોય છે. આમ છતાં જો એને છાપેલી…

Read More

16મી સદીના દરિયાઈ વૈભવથી21મી સદીની ઔદ્યોગિક શ્રેષ્ઠતા સુધીની સુરતની સફરગ્લોબલ ડાયમંડ અને ટેક્સટાઇલ હબ સુરતટૂંક સમયમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (દક્ષિણ ગુજરાત)ની કરશે યજમાનીતાપીના તટે વસેલું અને ‘સૂર્યપુર‘તરીકેની ઐતિહાસિક ઓળખ ધરાવતું સુરત આજે માત્ર ગુજરાતનું જ નહીં,પરંતુ ભારતનું એક અત્યંત ગતિશીલ અને આર્થિક પાવરહાઉસ બનીને ઉભરી આવ્યું છે.16મી સદીમાં જે શહેર વિશ્વના વેપારીઓ માટે ભારતનું‘પ્રવેશદ્વાર‘ગણાતું હતું,તે આજે21મી સદીમાં પોતાની‘ઔદ્યોગિક કુશળતા‘અને‘સાહસિક વૃત્તિ‘ને કારણે વિશ્વના નકશા પર ઝળહળી રહ્યું છે. ટૂંક સમયમાં સુરત ખાતે યોજાનારી‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ‘ (દક્ષિણ ગુજરાત) શહેરના આ પરિવર્તનને વૈશ્વિક મંચ પૂરું પાડશે.વૈભવી વારસો અને વ્યાપારી વર્ચસ્વસુરતનો ઇતિહાસ જળમાર્ગો અને જહાજ નિર્માણની કળાથી જીવંત રહ્યો છે. એક સમયે…

Read More

ગાંધીનગર: ગુજરાતનું ગૌરવ અને ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે આજે ગાંધીનગર સચિવાલય ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી (નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ) શ્રી કનુભાઈ દેસાઈ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Read More

(પ્રતિનિધિ) ગોધરા, દાહોદ શહેરમાં મહિલાઓને ટાર્ગેટ બનાવી છેતરપિંડી અને લૂંટ ચલાવતી એક શાતિર જોડીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગોધરા રોડ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી હતી. પોલીસે ઝડપથી કાર્યવાહી કરી આરોપી પુરુષ અને મહિલાને ઝડપી પાડીને કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.માહિતી મુજબ, બે દિવસ પહેલાં ગોધરા રોડ ઉપર એક મહિલા પગપાળા જઈ રહી હતી ત્યારે એક અજાણ્યો ઈસમ તેની પાસે આવી સરનામું પૂછવાના બહાને વાતચીત શરૂ કરી હતી. થોડા સમય બાદ બીજી એક મહિલા પણ ત્યાં આવી અને તે મહિલાને વાતોમાં ફસાવી દીધી હતી. આરોપી મહિલાએ ચતુરાઈપૂર્વક વિશ્વાસ જીતતા કહ્યું કે, “તમારા પર કોઈએ વશીકરણ કર્યું છે”…

Read More

આવી જ હાલત અમદાવાદ અને ગુજરાતના અન્ય જિલ્લાઓની પણ છે-રસ્તા અને પાણી જેવા આવશ્યક કામો ઝડપથી પૂરા કરવા પર વહીવટી તંત્રનો વિશેષ ભારગાંધીનગર, ગાંધીનગર શહેર અને જિલ્લામાં હાલમાં ચાલી રહેલા વિવિધ માળખાકીય સુવિધાના કામો પર શ્રમિકોની અછતનું ગ્રહણ લાગ્યું છે. હોળી અને ધૂળેટીના તહેવારોની ઉજવણી કરવા વતન ગયેલા પરપ્રાંતિય શ્રમિકો પખવાડિયું વીતવા છતાં હજુ પરત ફર્યા નથી, આવી જ હાલત અમદાવાદ અને ગુજરાતના અન્ય જિલ્લાઓની પણ છે.જેના કારણે પાણી, ગટર, રસ્તા અને સરકારી બાંધકામની અનેક સાઈટ્‌સ પર કામગીરી ખોરંભે પડી છે. હાલની સ્થિતિ એવી છે કે અનેક જગ્યાએ ૧૦૦ મજૂરોની જરૂરિયાત સામે માંડ ૩૦ મજૂરો જ ઉપલબ્ધ થઈ રહ્યા છે.આ…

Read More

(પ્રતિનિધિ) ભરૂચ, શ્રી ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વર દ્વારા છેલ્લા ૯ વર્ષથી વિવિધ ચીજ વસ્તુઓનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે,ચાલુ સાલે પણ શ્રી ખોડલધામ મહિલા સમિતિ અંકલેશ્વરના કન્વીનર અમીબેન સોજીત્રા તથા તેમની ટીમ દ્વારા અને ભરૂચ જિલ્લા ખોડલધામ મહિલા સમિતિના કન્વીનર શોભનાબેન દેવાણીના માર્ગદર્શન હેઠળ એક્ઝિબિશનનુ આયોજન કરવામાં આવ્યું છે.આ એક્ઝિબિશનમાં વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ જેવી કે મહિલાઓના વસ્ત્રો, ટ્રેડિશનલ શૃંગારના પ્રસાધનો, કોસ્મેટીક વસ્તુઓ તેમજ વિવિધ પ્રકારના અથાણા, મુખવાસ, પર્સ તેમજ ખાણીપીણીના સ્ટોલ મૂકવામાં આવ્યા છે.તારીખ ૧૭ અને ૧૮ એમ બે દિવસ ચાલનાર આ એક્ઝિબિશનમાં ખૂબ મોટી સંખ્યામાં અંકલેશ્વર તેમજ તેની આજુબાજુના વિસ્તારના લોકો મોટાપાય લાભ લે છે,એક્ઝિબિશનનું આયોજન કરનાર શ્રી…

Read More

(એજન્સી)અમદાવાદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસની ત્રિદીવસીય અખીલ ભારતીય પ્રતીનીધી સભા ર૦ર૬ હરીયાણાના સમાલખામાં સંપન્ન થઈ જેમાં રાષ્ટ્ર હિતના વિવિધ મુદે મંથન કરાયું હતું. આરએસએસની સ્થાપનનો ૧૦૦ વર્ષ પુરા થઈ રહયા છે.ત્યારે દેશભરમાં ગૃહ સંપર્ક અભીયાન શરૂ કરાયું હતું. જેમાં કાર્યકરોએ કુલ ૧૦.૦ર કરોડ પરીવારનો સંપર્ક કરી તેમની સાથે રાષ્ટ્રના ઉત્થાન માટે ચર્ચા કરી હતી.જેમાં પપ હજાર મુસ્લીમ પરીવારો અને પ૪ હજાર ખ્રિસ્તી પરીવારોનો પણ સંપર્ક કરાયો હતો. હરીયાણામાં યોજાયેલી પ્રતીનીધી સભાની માહિતી આપતા ગુજરાત પ્રાંતના સંઘચાલક ડો. ભરત પટેલે જણાવ્યું હતંકે, પ્રીતીનીધી સભામાં વિવિધ મુદા પર ચર્ચા થઈ હતી. વર્તમાન વર્ષે સંત શિરોમણી રવીદાસજીના ૬પ૦માં પ્રાગટય વર્ષ નીમીત્તે વિશેષ પ્રેરણાદાયક…

Read More

બાંટવામાં આગેવાનોએ રજૂઆત કરીઃ બે સર્વે બાદ જમીન સંપાદન થશેઃ પાંચ વર્ષમાં પ્રોજેક્ટ પુરો થશેજૂનાગઢ, બાંટવા નગરપાલિકા ક્ચેરીના નવનિર્મિત ભવન, જવાહર ગાર્ડન અને એમ્બ્યુલન્સના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે શાપુર-સરાળિયા વાયા કુતિયાણા, વાંસજાળિયા ટ્રેન ચાલુ કરવા પ્રથમ સર્વે બાદ ફાઈનલ સર્વે એમ બે સર્વે કરાશે. જમીન સંપાદન બાદ બજેટમાં સમાવવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે.આ પ્રસંગે વોઈસ ઓફ સોરઠના કન્વીનર રાકેશ લખલાણી, બાંટવાના નગરપતિ સુનિલ જેઠવાણી, રાજકુમાર વાઘવાણી, જીવાભાઈ કોડીયાતર, ગણપત મોરી, મયૂરસિંહ ડોડિયા વગેરે હાજર હતા. તેઓએ કેન્દ્રીય મંત્રી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.જેના પ્રત્યુત્તરમાં કેન્દ્રીય મંત્રી ડો.માંડવિયાએ જણાવ્યું કે…

Read More

(પ્રતિનિધિ) ગોધરા, દાહોદ સ્માર્ટ સિટીમાં રખડતા પશુઓનો આતંક દિવસેને દિવસે વધતો જતા શહેરજનોમાં ભારે ભય અને રોષ ફેલાયો છે. તાજેતરમાં ગધેડાની અડફેટે પૂર્વ કાઉન્સિલર દિનેશ સીકલીગરનું દુઃખદ મોત નિપજતાં મામલો વધુ ગંભીર બન્યો છે. આ ઘટનાને પગલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરીએ હોબાળો મચાવી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે દાહોદ શહેર “સ્માર્ટ સિટી” હોવા છતાં હકીકતમાં “ફોરેસ્ટ સિટી” જેવી હાલત બની ગઈ છે, જ્યાં રસ્તાઓ પર રખડતા ઢોર, ગાયો, ગધેડા અને કુતરાઓનો ત્રાસ સતત વધતો જાય છે. આ સ્થિતિના કારણે સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે અને અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.પ્રદર્શન…

Read More

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર શિકાર સામે શહેરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શહેરા તાલુકાના ચલાલી ગામેથી વાઘજીપુર તરફ જતા રોડ પાસે આવેલા જંગલ વિસ્તારમાં નીલગાયોના શિકાર માટે આવેલા ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડ્‌યા હતા. આરોપીઓ પાસેથી બાર બોર ડબલ બેરલની બંદુક, સાત જીવતા કારતુસ અને એક ફોરવ્હીલ કાર સહિત કુલ રૂપિયા ૪,૧૫,૮૪૦ના મુદ્દામાલ સાથે કબ્જે લેવામાં આવ્યો છે.આ કાર્યવાહી પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે કડક નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને ગોધરા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક…

Read More