મોડાસા તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને ૧૦-૧૦ બેઠકો મળતા ટાઈ સર્જાઈ, શામ દામ દંડ ભેદની નિતીના એંઘાણ(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા તાલુકા પંચાયતની યોજાયેલી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ૨૦ બેઠકો પૈકી ૧૦ બેઠક ઉપર ભાજપ અને ૧૦ બેઠકો ઉપર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો.મોડાસા તાલુકા પંચાયત ઉપર બંને પક્ષોને ૧૦-૧૦ બેઠક મળતા ટાઈ સર્જાતા હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સત્તા મેળવવા માટે શામ દામ દંડ ભેદ ની નીતિ અજમાવાય તો નવાઈ નહીં. કોંગ્રેસે તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૧૦ બેઠકો મેળવી કાઠું કાઢ્યું છે અને મૃતપ્રાય થયેલી કોંગ્રેસ માટે મોડાસા તાલુકા પંચાયત સંજીવની બની છે.અરવલ્લી જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જાહેર થયેલા પરિણામો ઉમેદવારો…
Author: gujarat
*સાપુતારા સહિત દક્ષિણ ગુજરાતમાં ઇકો-ટુરિઝમ અને લગ્ન પર્યટનના નવા અવસર ઉભા**સુરત, 1મે2026:*દક્ષિણ ગુજરાત પર કેન્દ્રિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની ત્રીજી આવૃત્તિનો આજે સુરતની ઑરો યુનિવર્સિટી ખાતેપ્રારંભ થયો,જેમાં રાજ્યના પર્યટન ક્ષેત્રના વિકાસને કેન્દ્રસ્થાને રાખીને મહત્વપૂર્ણ ચર્ચાઓ યોજાઈ.કોન્ફરન્સના ભાગરૂપે આયોજિત પર્યટન પ્રમોશન સેમિનારમાં ગુજરાત સરકારના પર્યટન રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામિતે આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં વધતી પર્યટન સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે,સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે – નાણાકીય વર્ષ2023-24માં1.13લાખથી વધીને2025-26માં1.19લાખ સુધી પહોંચી છે.મંત્રીએ દક્ષિણ ગુજરાતના નર્મદા,ડાંગ અને સાપુતારા જેવા સ્થળોને લગ્ન પર્યટન માટે ઊભરતા હોટસ્પોટ તરીકે ગણાવ્યા. રાજ્ય સરકાર અને ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હાથ ધરાયેલા વિકાસ…
૪૭ વર્ષીય દર્દીની ‘ફિઓક્રોમોસાઇટોમા‘ની દુર્લભ ગાંઠની સિવિલમાં સફળ લેપ્રોસ્કોપી સર્જરીઅમદાવાદ સિવિલના યુરોલોજી વિભાગના ડોક્ટર્સે ૨૧ વર્ષ બાદ ફરી ઉદભવેલી, ધમની અને આંતરડા સાથે ચોંટેલી ગાંઠ દૂર કરીને દર્દીને આપ્યું નવજીવનસિવિલ હોસ્પિટલનો યુરોલોજી વિભાગ અત્યાર સુધીમાં ૨૩૬૩ જેટલી લેપ્રોસ્કોપી સર્જરી કરી ચૂક્યો છે, જેમાં ૪૩ ‘એડ્રિનાલેક્ટોમિ‘ સર્જરી સામેલ :- ડો. શ્રેણિક શાહ, વડા, યુરોલોજી વિભાગઆ સફળતા સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ડોકટરોની કુશળતા, ટીમવર્ક અને આધુનિક સારવાર પદ્ધતિઓનું ઉત્તમ ઉદાહરણ:- ડો. રાકેશ જોશી, સુપ્રિટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલઆલેખન:- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદઅમદાવાદની સિવિલ હોસ્પિટલ આજે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશાનું કિરણ સાબિત થઈ રહી છે. તાજેતરમાં હોસ્પિટલના યુરોલોજી અને એનેસ્થેશિયા…
લોહી કરતા ગાઢ પ્રેમ અને લાગણીનો સંબંધ -નાનાં બાળકો માટે ઘોડિયાં સાથેનું ‘ઘોડિયાઘર’ બનાવ્યુંવડનગર, કહેવાય છે કે દીકરી તો સાપનો ભારો નહીં, પણ તુલસીનો ક્યારો છે અને જયારે આ ક્યારાને પંખી બની ઉડવાની વેળા આવે ત્યારે પાંખો આપનાર જો સાક્ષાત ‘ભાઈ’બનીને આવે તો એ દ્રશ્ય દેવોને પણ જોવું ગમે. વડનગરના સુલતાનપુર ગામની પાવન ધરા પર માનવતા અને સેવાના અનોખા સંગમ સમાન એક એવો પ્રસંગ જેણે આધુનિક યુગમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધની વ્યાખ્યા બદલી નાખી છે. Mass marriage at Sultanpur Vadnagar organized by Mahakali Foundation.સમાજનું ઋણ ઉતારવાના ઉમદા ભાવ સાથે, ઠાકોર સમાજના ત્રણ નવયુવાનોએ પ૧ દીકરીઓના ભાઈ બની એક માંડવે લગ્ન કરાવ્યા…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રનિર્માણના સ્તંભ તરીકે મહિલાઓ પર ભાર મૂક્યો,સશક્તિકરણ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરીસુરત,૧ એપ્રિલ ૨૦૨૬:* વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે સુરતમાં “શક્તિ સંગમ: ગુજરાત વિકાસ ભારતના વિકાસ એન્જિન તરીકે” થીમ હેઠળ ‘નારી શક્તિ વંદન’ સેમિનાર યોજાયો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ,ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર તથા રવાંડા દેશની ભારત સ્થિત હાઇ કમિશનર,માનનીય સુશ્રી જૅકલિન મુકાંગિરા ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે અને રાષ્ટ્રનિર્માણમાં તેમનું યોગદાન અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ…
ગુજરાતની વિકાસગાથા વર્ણવતા વિવિધ વિભાગના આકર્ષક ટેબ્લોવિશ્વ સાંસ્કૃતિક ધરોહર ગરબા અને ગુજરાતના ગૌરવ સમાન આદિવાસી નૃત્યના સાંસ્કૃતિક કાર્યક્રમને સૌએ મનભરી માણ્યા“જય જય ગરવી ગુજરાત” અને “ભારત માતા કી જય”ના ગગનભેદી નારા સાથે સુરતીઓ દેશભક્તિના રંગે રંગાયાસુરત:શુક્રવાર: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સુરતના આંગણે તા. ૧લી મે ના રોજ ૬૬ માં ‘ગુજરાત ગૌરવ દિવસ‘ની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ગૌરવશાળી અવસરને યાદગાર બનાવવા માટે સાંજે ૭:૦૦ વાગ્યે સુરતનાYજંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી વિવિધ પ્લાટુન અને ટેબ્લો સાથેની એક શિસ્તબદ્ધ ભવ્ય અને ઐતિહાસિક પરેડને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સલામી આપી પ્રસ્થાન કરાવી હતી. કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ અને નાયબ…
મોડાસા, ગુજરાતીમાં એક કહેવત છે કે મન હોય તો માંડવે જવાય આ કહેવત અનુસાર તમારે ભગવાનની ભક્તિ કરવા માટે ઉંમરનું કોઈ જ બંધન હોતું નથી, માત્ર Ìદયમાં શુધ્ધભાવ અને અતૂટ શ્રદ્ધા હોવી જોઈએ, શ્રધ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી, આ વાતને ભગત સાર્થક કરી રહ્યા છે.અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મઉં ગામના ૮પ વર્ષીય વયોવૃદ્ધ ભક્ત રવિશંકર જટાશંકર ભગત ૮પની વર્ષની જૈફ વયે નિયમિત દર્શનનો નિત્ય ક્રમ જાળવી રાખ્યો છે. પરિસ્થિતિ ગમે તે હોય પણ શામળાજી જવાનું ચુકતા નથી.વધતી જતી ઉંમર અને શારીરિક શ્રમ છતાં, વયોવૃદ્ધ રવિશંકર દાદાનો ભક્તિનો અનેરો માર્ગ જરાય ડગ્યો નથી. દરરોજ ભક્તિભાવ સાથે ગુજરાત રાજયના સુપ્રસિદ્ધ…
વૃદ્ધા સાથે ર૬.૪૦ કરોડની છેતરપિંડી કરનાર મિહિર પરીખની ધરપકડવર્ષાબેનને મીહીર પરીખે રોકાણ કર્યાની એલઆઈસી પોલીસી, પ્રધાનમંત્રી વયવંદન યોજનાની સ્લીપો તેમની પાસબુકમાં એન્ટ્રીઓ કરાવીને આપી હતી.(એજન્સી)અમદાવાદ, શેરબજારમાં એલઆઈસી સહીત અન્ય કંપનીઓની પોલીસીઓમાં રોકાણના નામે મિહીર પરીખ સહીતની ટોળકીએ અત્યાર સુધીમાં પ૦ કરોડની છેતરપીડીની ફરીયાદો નોધવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અંતે મિહીર પરીખની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેની વિરુદ્ધ આર્થિક ગુન્હા નિવારણ શાખામાં 6 અને સેટેલાઇટ પોલીસ મથકમાં 2 મળી કુલ 8 ફરિયાદો નોંધાઈ છે.બીજી તરફ ઠગ ટોળકીએ ૧૦૦ કરોડ રૂપિયાની છેતરપીડી આચાર્યાની આશંકાથી ઈઓડબલ્યુ ની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય ઠગો ને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા…
ગેરવહીવટ બદલ ગુજરાત રાજ્ય કર્મચારી કો.ઓ. બેંક લિ.ને RBIએ કિલયરન્સમાંથી સસ્પેન્ડ કરીકર્મચારી કો.ઓ.બેંકનું કિલયરન્સ અટકાવતા ૯ હજાર સભાસદોના ૬ કરોડ અટવાયા -કર્મચારીઓના હિત માટે બનાવેલી બેંકને તત્કાલીન ડાયરેકટર, ચેરમેન સહિતના હોદેદારોએ ખાનગી પેઢી બનાવી દીધાની ફરિયાદને પગલે નિર્ણયઆડેધડે ધીરાણ આપીને વ્યાપક ભ્રષ્ટાચાર આચરવો બેંકના નામે વાહનો મીલકત ખરીદીને તેને અંગત વપરાશ કરી તેનો ખર્ચ બેકમાં પાડીને ગેરરીતી આચરવી પુર્વ મંજુરી વિના બેકની શાખા ખોલવા સહીતની અસંખ્ય ફરીયાદ(એજન્સી)અમદાવાદ, રાજ્ય સરકારના જુદાજુદા વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે સ્થપાયેલી ગુજરાત રાજય કર્મચારી કો.ઓ.બેક લી.ને રીઝર્વ બેક ઓફ ઈન્ડીયા આરબીઆઈ એ તાત્કાલીક અસરથી કિલયરનસમાંથી સસ્પેન્ડ કરતા અંદાજે ૯ હજારથી વધુ કર્મચારીઓ સભાસદોના રૂ.૬ કરોડની…
(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરના સીમાડે આવેલા ચિલોડા ગામમાં આજે (પહેલી મે) વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના સરકારી બોર કુવા પાસે આવેલા વૃક્ષ પર એક પ્રેમી યુગલે એકસાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છેકે, મૃતક મહિલા પરિણીત હતી અને તેનો પતિ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દંપતીની એક દીકરીના લગ્ન પણ થઈ ચૂક્યા હતા.મળતી માહિતી મુજબ, ચિલોડા ગામમાં રહેતા એક પુરુષ અને મહિલા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ગાઢ પ્રેમ સંબંધ હતો. આજે વહેલી સવારે જ્યારે ગ્રામજનો ખેતરો તરફ જઈ રહ્યા હતા, ત્યારે સરકારી બોર પાસેના વૃક્ષ પર એક…
