Author: gujarat

સુરત, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલી એક નિર્દાેષ સગીરાને ચાર હવસખોરોએ પોતાની હવસનો શિકાર બનાવી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.આ ચકચારી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં જ એક સગીર વયના આરોપી સહિત કુલ ચાર નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ઉમરપાડા વિસ્તારમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન ચાર શખ્સોની મેલી નજર આ સગીરા પર પડી હતી. આ નરાધમોએ સગીરાને પટાવી-ફોસલાવી બસ સ્ટેશનની પાછળ આવેલા એક અવાવરું સ્થળે લઈ…

Read More

રાજકોટ, રાજકોટ સ્થિત એઇમ્સ હોસ્પિટલમાં એમ.બી.બી.એસ.ના ઇન્ટર્ન તબીબના આપઘાત મામલે પોલીસની તપાસમાં નવો વળાંક સામે આવ્યો છે. અભ્યાસ કરતા સહપાઠી પાંચ વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક ત્રાસના કારણે જ યુવાને જીવન ટૂંકાવી લીધાનું સામે આવ્યું છે.આ પ્રકરણમાં પોલીસે પાંચેય વિદ્યાર્થીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.રાજકોટ એસ.સી., એસ.ટી. સેલના એ.સી.પી. ચિંતન પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, એઇમ્સ હોસ્પિટલના ઇન્ટર્ન તબીબ અને એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થી રતનકુમાર મોહનલાલ મેઘવાલે આપઘાત પહેલા લખેલી સુસાઈડ નોટ મળી આવી છે.જેમાં મૃતકે તેમની સાથે અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યાે છે. પોલીસે પ્રણવ પાલીવાલ, અસ્મિત…

Read More

દ્વારકા, દ્વારકાના જગત મંદિરે દર્શનાર્થે આવતા ભોળા શ્રદ્ધાળુઓને નિશાન બનાવી, તેમને નશીલું પીણું પીવડાવી લૂંટતી એક ટોળકીનો દેવભૂમિ દ્વારકા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાના બે આરોપીઓને રૂપિયા ૩.૧૪ લાખના મુદ્દામાલ સાથે પોલીસે દબોચી લીધા છે.આ ગેંગ વૃદ્ધ અને નિર્દાેષ દર્શનાર્થીઓને ટાર્ગેટ કરતી હતી.આરોપીઓ સૌપ્રથમ ભક્તો સાથે મીઠી વાતો કરીને વિશ્વાસ કેળવતા અને ત્યારબાદ તેમને એકાંત સ્થળે લઈ જઈ શેરડીના રસ કે ઠંડા પીણામાં ધતુરાનો પાવડર ભેળવી પીવડાવી દેતા હતા. પીણું પીતા જ ભક્તો બેભાન થઈ જતા, જેનો લાભ ઉઠાવી આરોપીઓ તેમના શરીર પરના સોનાના દાગીના અને રોકડ લૂંટીને ફરાર થઈ જતા હતા.તાજેતરમાં હોળી-ધુળેટીના ફૂલડોલ ઉત્સવ…

Read More

અમદાવાદ સિવિલમાં ૧૪ કલાકમાં બે અંગદાન: ૯૯૫ અંગો-પેશીઓના દાનથી અત્યાર સુધી ૭૪૨ વ્યક્તિઓને મળ્યું નવજીવનલોહીનો રંગ એક, શ્વાસની કિંમત પણ એક: મુસ્લિમ સમાજમાંથી મળેલું નવમું અંગદાનઅંગદાન પહેલાં અંગદાતાને શ્રદ્ધાંજલિરૂપે કરવામાં આવે છે પ્રાર્થના; એકસાથે પ્રાર્થના અને કલમા ગુંજતા સર્જાયા લાગણીસભર દ્રશ્યોઅમદાવાદની સિવિલ હોસ્પિટલના કોરિડોરમાં ૧૫ માર્ચના રોજ એક એવું દ્રશ્ય સર્જાયું જેણે ધર્મના વાડાઓ અને સામાજિક રૂઢિચુસ્તતાને હંમેશા માટે હચમચાવી દીધી. જ્યારે સમગ્ર મુસ્લિમ બિરાદરો રમજાનના પવિત્ર માસમાં ખુદાની ઈબાદતમાં લીન છે, ત્યારે જૂનાગઢના ચાવડા પરિવારે પોતાની વ્હાલસોયી સ્વજન જેબુનબેનના અંગોનું દાન કરી ‘ખિદમત-એ-ખલ્ક’ (માનવતાની સેવા)નું સર્વોચ્ચ ઉદાહરણ પૂરું પાડ્યું છે.જૂનાગઢના કેશોદ પાસે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા ૫૧ વર્ષીય જેબુનબેનને…

Read More

રાજ્યમાં ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટેPNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધરાજ્યમાંLPGસહિત કેરોસીનના વિતરણ અંગેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે: સુશ્રી મોના ખંધાર,અધિક મુખ્ય સચિવ,અન્ન અને નાગરિક પુરવઠા વિભાગખાનગી અને જાહેર ક્ષેત્રની તમામ ગેસ એજન્સીઓના મોનિટરિંગ માટે અધિકારીઓની ટીમ તૈનાતગાંધીનગર, સોમવાર 16 માર્ચ 2026ના રોજ ગાંધીનગર વિધાનસભા પરિસર ખાતે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તેમજ અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ વિભાગના ઉદ્દેશ્ય, “અંત્યોદયથી સર્વોદય,સૌને અન્ન,સૌને પોષણ”ના…

Read More

ગાંધીનગર, 16 માર્ચ : ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ માટે નર્મદા પરિક્રમા માત્ર યાત્રા નથી; પણ આસ્થા, સાધના અને આધ્યાત્મિક શક્તિનો અનોખો અનુભવ રહી છે અને ગુજરાતમાં યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા આ જ સનાતન પરંપરાનું જીવંત પ્રતિબિંબ છે કે જ્યાં ભક્તો નર્મદા માતાની આરાધના સાથે પરિક્રમા કરીને આધ્યાત્મિક સાહસ થકી શાંતિનો અનુભવ મેળવે છે.ગુજરાત સરકાર પણ દર વર્ષે યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાને ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે વિશાળ પાયે વ્યવસ્થાઓ કરે છે. આ વર્ષે આગામી ફાગણ વદ અમાસ 19 માર્ચથી ચૈત્ર વદ અમાસ 17 એપ્રિલ 2026 સુધી ચાલનારી આ 30 દિવસીય નર્મદા પરિક્રમા માટે પણ રાજ્ય સરકારે…

Read More

શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ તેમના 71માં જન્મદિવસ નિમિત્તે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના‘કેન્દ્રની મુલાકાત લઈ શ્રમિકોને સ્વહસ્તે ભોજન પીરસ્યુંગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના સર્વાંગી કલ્યાણ અને સુખાકારી માટે કાર્યરત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતર્ગત શ્રમિક પરિવારોને પૂરતું પોષણ અને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવા માટે નક્કર આયોજન કરવામાં આવ્યું છે. બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકો અને તેમના પરિવારને સાદું,સાત્વિક અને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી આ યોજનાનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગુજરાત સરકારના શ્રમ,કૌશલ વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના 71 મા જન્મદિવસની ઉજવણી,આજે ગાંધીનગરમાં સેક્ટર – 6માં આવેલા કડિયા નાકા પાસેના શ્રમિક…

Read More

ભરૂચમાં નવા જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ થકી ૨ લાખથી વધુ યુવાનોના સપના સાકાર થશે-વિશ્વમાં ગ્લોબલ કેમિકલ હબ તરીકે ખ્યાતિ પ્રાપ્ત ભરૂચ જિલ્લાના જંબુસરમાં એક હજાર એકરમાં દેશનો પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક આકાર લઈ રહ્યો છેઅરજદારોને સરળ-સુગમ વહીવટી સેવાઓ પૂરી પાડવા મહેસૂલ વિભાગ દ્વારા રૂ. ૧.૧૭ કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા ૪ જનસેવા કેન્દ્રોનું લોકાર્પણનર્મદા પરિક્રમાર્થીઓ માટે ૮ વિશ્રામ હોલ અને ગ્રામીણ સ્તરે ૬૪ નવા પંચાયત ઘરોની ભેટમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસને નવી ગતિ આપતા રૂ. ૧૨૪૮.૫૭ કરોડના ૭૩ વિકાસ કાર્યોનું ખાતમૂહૂર્ત તેમજ રૂ.૧૦૨ કરોડના ૬૬ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી ભરૂચના નાગરિકોને કુલ અંદાજિત રૂ. ૧૩૫૦.૬૮ કરોડના કુલ ૧૩૯ વિકાસ…

Read More

સેવા,શિસ્ત અને સંસ્કાર જ યુવા જીવનનો સાચો શણગાર;સ્કાઉટ્સ-ગાઈડ્સ પ્રવૃત્તિ રાષ્ટ્રનિર્માણની પાઠશાળા: રાજ્યપાલનાની ઉંમરે રચાયેલો સ્વભાવ જ આજીવન વ્યક્તિત્વની ઓળખ બને છે;ભૂલો છુપાવવાને બદલે પારદર્શક બનવા યુવાનોને રાજ્યપાલશ્રીની શીખવૃક્ષારોપણ અને વ્યસનમુક્તિને જીવનનો હિસ્સો બનાવવા રાજ્યપાલશ્રીનું આહવાનગાંધીનગર, લોકભવન ખાતે આયોજિત ‘ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ્સ ગાઈડ્સ‘ના રાજ્ય સન્માન સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સ્કાઉટ્સ-ગાઈડ્સ અને રોવર-રેન્જર્સને પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. આ તકે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે,આજની યુવા પેઢી જ્યારે મોબાઈલ,ટીવી અને અન્ય વ્યસનોના પ્રભાવ હેઠળ છે,ત્યારે સ્કાઉટ્સ-ગાઈડ્સની આ શિસ્તબદ્ધ ટીમમાં જોડાયેલા બાળકો ખરેખર ભાગ્યશાળી છે. નાની ઉંમરે જ્યારે તમે વૃક્ષારોપણ,સ્વચ્છતા અને જળ સંરક્ષણ જેવા કાર્યો સાથે જોડાવ છો,ત્યારે…

Read More

Øપોલિયો મુક્ત ગુજરાતની સિદ્ધિને ટકાવી રાખવા માટે વર્ષ2025માં24.65લાખ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યાØ“ટીકા એક્સપ્રેસ“, “મોબાઇલ મમતા દિવસ”અને“ખિલખિલાટ વાહન”જેવા માધ્યમોના કારણે અંતરિયાળ વિસ્તારોમાં રસીકરણ શક્ય બન્યુંØઓરી–રુબેલા નાબૂદી માટેIDSPઅનેVSIMSસિસ્ટમ દ્વારા પ્રાપ્ત રિયલ–ટાઇમ ડેટાનો ઉપયોગØગુજરાતમાં28ફેબ્રુઆરીથી રાષ્ટ્રવ્યાપીHPVરસીકરણ અભિયાનનો પ્રારંભવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશા માતા અને શિશુ આરોગ્યને રાષ્ટ્રીય પ્રાથમિકતા આપી છે. તેમના આ વિઝનને અનુરૂપ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આ ક્ષેત્રમાં અભૂતપૂર્વ કાર્ય કરી રહી છે. રાજ્યમાં ‘સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ’ સુદ્રઢ બન્યો છે,જેથી માતાઓ અને બાળકોને સુરક્ષાનું એક વ્યાપક કવચ મળી રહ્યું છે. ગુજરાત સરકારની આ નિરંતર અને અસરકારક પહેલોના પરિણામે,વર્ષ2025-26દરમિયાન11.30લાખથી વધુ શિશુઓ અને24લાખથી વધુ બાળકોનું સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું છે.સ્વસ્થ…

Read More