ગેરવહીવટ બદલ ગુજરાત રાજ્ય કર્મચારી કો.ઓ. બેંક લિ.ને RBIએ કિલયરન્સમાંથી સસ્પેન્ડ કરી
કર્મચારી કો.ઓ.બેંકનું કિલયરન્સ અટકાવતા ૯ હજાર સભાસદોના ૬ કરોડ અટવાયા -કર્મચારીઓના હિત માટે બનાવેલી બેંકને તત્કાલીન ડાયરેકટર, ચેરમેન સહિતના હોદેદારોએ ખાનગી પેઢી બનાવી દીધાની ફરિયાદને પગલે નિર્ણય
આડેધડે ધીરાણ આપીને વ્યાપક ભ્રષ્ટાચાર આચરવો બેંકના નામે વાહનો મીલકત ખરીદીને તેને અંગત વપરાશ કરી તેનો ખર્ચ બેકમાં પાડીને ગેરરીતી આચરવી પુર્વ મંજુરી વિના બેકની શાખા ખોલવા સહીતની અસંખ્ય ફરીયાદ
(એજન્સી)અમદાવાદ, રાજ્ય સરકારના જુદાજુદા વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે સ્થપાયેલી ગુજરાત રાજય કર્મચારી કો.ઓ.બેક લી.ને રીઝર્વ બેક ઓફ ઈન્ડીયા આરબીઆઈ એ તાત્કાલીક અસરથી કિલયરનસમાંથી સસ્પેન્ડ કરતા અંદાજે ૯ હજારથી વધુ કર્મચારીઓ સભાસદોના રૂ.૬ કરોડની વધુની રકમ અટવાઈ ગઈ છે. આરબીઆઈના નિર્ણયથી કર્મચારીઆલમમાં ભારે અંજાપો ફેલાયો છે. સરકારના વિવિધ વિભાગોમાં કાર્યરત અને નિવૃત્ત થયેલા કર્મચારીઓને હવે પોતાની પરસેવાની કમાણી કયારે પરત મળશે તેની ચિંતા સતાવા લાગી છે.
કર્મચારી સુત્રોના જણાવ્યા મુજબ, કર્મચારી મંડળો અને કર્મચારીઓને વ્યકિતગત રીતે રાજયનાસહકારી રજીસ્ટ્રાર સમક્ષ ર૦૧૦થી કર્મચારી કો.ઓ.બેકના તત્કાલીન હોદેદારો સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના પુરાવા સાથે ફરીયાદ કરી હતી. જેમાં બેકની અમદાવાદના લાલ દરવાજા બહુમાળી ભવન સહીતની પાર શાખામાં બેકના તત્કાલીન ચેરમેન વાઈસ ચેરમેન ડાયરેકટર દ્વારા કર્મચારીઓ સાથે ગેરવર્તનથી માંડીને એકાહથ્થું શાસનને બ્રેક મારવા માટે લેખીતમાં ફરીયાદ કરવામાં આવી હતી.
જેન પગલે તપાસ આદરવામાં આવી હતી. આ તપાસની અહેવાલ પણ સ્ટેટ રજીસ્ટ્રારનેલ સુપરત કરાયો હતો. જોકે આ અહેવાલોમાં ભ્રષ્ટાચારને પોલ ખુલ્લી જવાના ડરથી હોદેદારોએ ગોઠવણ કરીને અહેવાલ નોટીસો દફતરે કરાવી દીધી હતી. અલબત અરજદારો અપીલ કરતા આ અરજીઓ આજે પણ રીવીઝન માટે પડતર છે.
સુત્રો કહેછ ેકે, ધી બેકીગ રેગ્યુલેશન એકટ ૧૯૪૯ હેઠળ કંપનીઝ એકટ ૧૯પ૯ની સેકશન ૧૦ એ અંતર્ગત કોઈપણ વ્યકિત બેકમાં આઠ વર્ષથી વધુ ડાયરેકટ તરીકે રહી શકે નહી. તેવી જોગવાઈનું ધરાર ઉલ્લંઘન કરીને એક જ વ્યકિત બાવીસ વર્ષથી ચીટકી રહયા છે. એટલું જ નહી શિક્ષણ વિભાગના કર્મચારીઓ ડાયરેકટર બનવા માટે હંગામી રાજીનામું આપીને સ્ટેટ અને જીલ્લા રજીસ્ટ્રારને ગેરમાર્ગે દોર્યા હતા.
બેકમાં આચરવામાં આવતી ગેરરીતિ બાબતે રજીસ્ટર્રને કરાયેલી ફરીયાદમાં જણાવાયું હતું કે બેકની બેલેન્સ શીટમાં હવાલા પાડીને ખોટો નફો બતાવવામાં આવેછે. બેકમાં કર્મચારી કે સસભાસદ સામે માનહાનીને ખોટા દાવા તરીકે હેરાન કરવા કર્મચારીઓના હીતમાં વહીવટ કરવાને બદલે ખાનગી પેઢીને જેમ વહીવટ કરવી માનીતા અને જાણીતાઓને મર્યાદાથી ઉપરવટ જઈને આડેધડે ધીરાણ આપીને વ્યાપક ભ્રષ્ટાચાર આચરવો બેકના નામે વાહનો મીલકત ખરીદીને તેને અંગત વપરાશ કરી
તેનો ખર્ચ બેકમાં પાડીને ગેરરીતી આચરવી પુર્વ મંજુરી વિના બેકની શાખા ખોલવા સહીતની અસંખ્ય ફરીયાદ સ્ટેટ રજીસ્ટ્રાર સમક્ષ કરીને ગેરવહીવટ કરનારા હોદેદારોને દુર કરી વહીવટદારની નિમણુંક કરવાની માગ કરવામાં આવી હતી. અલબત સ્ટેટ રજીસ્ટ્રાર દ્વારા કોઈ પગલાં ન લેવાતા અંતે રીઝર્વ બેક ઓફ ઈન્ડીયાએ ફરીયાદ કરતા આરબીઆઈએ ગંભીર આક્ષેપોની તપાસ બાદ બેકનું કિલયરન્ટ અટકાવી દેતા નિર્દોષ કર્મચારીઓના નાણાં સલવાઈ ગયા છે.

