કચ્છમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી: ISISની વિચારધારાથી પ્રભાવિત શખ્સની ધરપકડATS ના જણાવ્યા અનુસાર, પઠાણ હથિયારો એકત્ર કરવા તેમજ બોમ્બ બનાવવાની તૈયારીમાં હતો અને તે RSS સાથે સંકળાયેલા વ્યક્તિઓને ટાર્ગેટ કરવાની યોજના ધરાવતો હતો.કચ્છ, ૨ મે : દેશવિરોધી પ્રવૃત્તિઓ વિરુદ્ધ એક મહત્વપૂર્ણ કાર્યવાહીમાં, સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) એ શનિવારે કચ્છ જિલ્લામાંથી ઇસ્લામિક સ્ટેટ (ISIS) ની વિચારધારાથી પ્રભાવિત એક શખ્સની ધરપકડ કરી છે.પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક નકલી ઓળખ (fake identities) સાથે સક્રિય હતો. તે લોકોને ‘જેહાદ’ માટે ઉશ્કેરવા અને ભડકાઉ સામગ્રી શેર કરવાનું કામ કરતો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ ભુજ તાલુકાના…
Author: gujarat
અમદાવાદના કાંકરિયા રોડ પર હીરાભાઈ માર્કેટ પાસે આવેલા બોર્ડી મિલ કમ્પાઉન્ડ પાર્કિંગમાંથી તેને NCBએ ૧૮૫ ગ્રામ 4-MEC સાથે ઝડપી લીધો હતોઅમદાવાદ, ૨ મે: અમદાવાદની સ્પેશિયલ NDPS કોર્ટે ૧૮૫ ગ્રામ ‘4-મેથાઈલેથકેથિનોન’ (4-MEC) નામના સાયકોટ્રોપિક પદાર્થની આંતરરાજ્ય તસ્કરીના કેસમાં રાજસ્થાનના એક શખ્સને ૧૫ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. એનસીબી (NCB) ના અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી. આ પદાર્થ સામાન્ય રીતે “ડિઝાઇનર ડ્રગ” તરીકે પણ ઓળખાય છે.રૂ. ૨ લાખનો દંડ ફટકારાયો અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેસન્સ કોર્ટે રાજસ્થાનના પ્રતાપગઢના રહેવાસી દશરથ સિંહને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, ૧૯૮૫ હેઠળ દોષિત જાહેર કર્યો છે. સજાની સાથે કોર્ટે તેના પર ૨…
સુરત: શહેરમાં ભારે વાહનો દ્વારા સર્જાતા અકસ્માતોનો સિલસિલો યથાવત છે. સુરતના અલથાણ વિસ્તારમાં વધુ એક નિર્દોષ યુવક ડમ્પરની અડફેટે ચડતા તેનો ભોગ લેવાયો છે. બેફામ ગતિએ આવી રહેલા એક ડમ્પર ચાલકે મોપેડ સવાર યુવકને અડફેટે લઈ કચડી નાખતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ઘટનાસ્થળે જ મોત પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માત એટલો ભયાનક હતો કે મોપેડ સવાર યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, શહેરમાં ભારે વાહનોના પ્રવેશ અને તેમની અનિયંત્રિત ગતિને કારણે અવારનવાર આવા જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે.પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતા જ અલથાણ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે…
સંકુલમાં ૨૭૮ રૂમો, ૪૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતાવાળી ઈ-લાઈબ્રેરી, ૧૦૦૦ વ્યક્તિઓની ક્ષમતાનો હોલ, જીપીએસસી-યુપીએસસી અને સંરક્ષણ-ન્યાયતંત્રની તાલીમ માટે ૫ કેન્દ્રો,વડોદરા: સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ના ધ્યેય સાથે કાર્યરત સરદારધામ દ્વારા વડોદરા ખાતે નિર્મિત ભવ્ય ‘ડો. દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલ’નો લોકાર્પણ સમારોહ આગામી ૧૧ મે ૨૦૨૬, સોમવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે યોજાશે.વડોદરામાં નેશનલ હાઈવે-૪૮ પર વાઘોડિયા ક્રોસિંગ પાસે, L&T નોલેજ સિટીની બાજુમાં નિર્મિત આ સંકુલનું લોકાર્પણ અને અભિવાદન સમારોહ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્દહસ્તે સંપન્ન થશે.રૂપિયા ૧૫૦ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ભવન: મધ્ય ગુજરાત ઝોનમાં પાટીદાર સમાજના ૨૦૦૦ દીકરા-દીકરીઓ માટે રૂપિયા ૧૫૦ કરોડના ખર્ચે નિર્મિત આ સરદારધામ…
ગુજરાત સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા કરારગુજરાત સરકારના પેન્શનરો માટે ખુશખબર – ૧ મે થી ૩૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા નિઃશુલ્ક બનાવાશે ડિજિટલ જીવન (હયાતી) પ્રમાણપત્રઅમદાવાદ, પેન્શનધારકોના જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે ગુજરાત સરકારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે મળીને મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે બેંક, ટ્રેઝરી અથવા અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં. આ સેવા પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો દ્વારા તેમના ઘરે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ અને ગુજરાત સરકારના નાણાં સચિવ સંદીપ કુમારની…
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે ગુજરાત સરકારની લાલ આંખરાજ્યભરમાં “ખોરાક શુદ્ધિ અભિયાન” હેઠળ ભેળશેળિયા તત્વો સામે કરાઈ કડક કાર્યવાહી: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાØએપ્રિલ માસમાં ૪,૧૯૩થી વધુ એકમોની તપાસ;રૂ.૧.૮૩ લાખનું મૂલ્ય ધરાવતા ૧,૦૧૮ કિગ્રા શંકાસ્પદ પનીરનો સ્થળ પર જ નાશØગંભીર ઉલ્લંઘન કરનાર ૧૮ બેદરકાર એકમોને સીલ કરાયાØમહાનગરપાલિકાઓમાં નિયમોના ઉલ્લંઘન બદલ રૂ.૨.૮૪ લાખથી વધુનો દંડ વસૂલાયોØઆરોગ્ય મંત્રીશ્રીએ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાથે બેઠક યોજી ડ્રાઇવને વધુ વેગવાન બનાવવા સૂચના આપીમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવાની નીતિ પર હંમેશથી મક્કમ છે. આ અંતર્ગત આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાએ આજે…
AIMIM દ્વારા ગુજરાતમાં નવા પ્રમુખ લાવવાની તૈયારીઓ કરવામાં આવી છે?(એજન્સી)અમદાવાદ, ગુજરાતની સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં ઓલ ઈન્ડીયા મંજલીએ ઈતિહાદુલ મુસ્લીમની એઆઈએમઆઈએમ માટે નિરાશાજનક પરીણામો આવ્યા છે. ખાસ કરીને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચુંટણીમાં પક્ષે પોતાની તમામ ૭ બેઠકો ગુમાવી દીધી છે.જે પક્ષ માટે મોટો ઝટકો માનવામાં આવી છે. આ ઉપરાંત નગરપાલિકાની ચુંટણીમાં પણ પક્ષનું ધોવાણ થયું છે. જેની ગાજ હવે પક્ષના પ્રમુખ સાબીર કાબલીવાલા પર પડી શકે છે. એઆઈએમઆઈએમનું દ્વારા ગુજરાતમાં નવા પ્રમુખ લાવવાની તૈયારીઓ કરવામાં આવી છે.અને તેના માટે સુરત અમદાવાદમાંથી લોબીગ પણ શરૂ થયું હોવાનું જાણવા મળે છે. બીજી બાજુ પ્રમુખ પોતાની પ્રતીષ્ઠા બચાવવા માટે રાજીનમાં આપે તેવી શકયતા પણ…
શિક્ષણ અને સામાજિક ન્યાય મંત્રી શ્રી પ્રદ્યુમન વાજાની પ્રોત્સાહક ઉપસ્થિતિ‘વિકસિત ભારત 2047′ના સંકલ્પને સાકાર કરવા રાજસ્થાન સરકારે ગરીબ, યુવા, મહિલા અને ખેડૂતોને કેન્દ્રમાં રાખી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી:- રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માઅમદાવાદમાં આયોજિત આ ઇન્વેસ્ટર મીટ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે કૃષિ ક્ષેત્રે સહયોગની મજબૂત કડી બનશે :- શિક્ષણ અને સામાજિક ન્યાય મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા, ગુજરાત રાજ્યરાજસ્થાનના કૃષિ ક્ષેત્રમાં રોકાણની વિપુલ તકો અંગે ઉદ્યોગ સાહસિકોને અપાયું આમંત્રણરાજસ્થાન સરકાર અને ફિક્કી (FICCI) ના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ‘ગ્લોબલ રાજસ્થાન એગ્રીટેક મીટ‘ (GRAM 2026)ના સંદર્ભમાં ઇન્વેસ્ટર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય…
અમદાવાદ, તારીખ 1મે2026આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના અવસર પર પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન(WRWWO),અમદાવાદ મંડળ દ્વારા મંડળ રેલવે મેનેજર ઓફિસમાં ગરિમાપૂર્ણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું. આ અવસર પર મંડળના વિવિધ વિભાગોના30રેલવે કર્મચારીઓને પ્રશંસા પત્ર અને સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કરવામાં આવ્યા અને તેમના કઠોર પરિશ્રમ, લગન અને નિષ્ઠા પૂર્ણ કામોની પ્રશંસા કરવામાં આવી.કાર્યક્રમના મુખ્ય મહેમાન મંડળ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશ હતા. કાર્યક્રમનો શુભારંભ અતિથિઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો. આ અવસર પર WRWWOઅમદાવાદ મંડળની અધ્યક્ષા શ્રીમતી શેફાલી ગુપ્તાએ તમામ રેલવે કર્મચારીઓને મજૂર દિવસની શુભેચ્છાઓ આપતાં કહ્યું કે ભારતીય રેલવે, જે દેશની જીવન રેખા છે, તેની મજબૂતી અને સફળતા પાછળ લાખો…
બનાવટી દસ્તાવેજોના આધારે સ્માર્ટ પેનલ અને લેપટોપ ખરીદી બતાવી કરોડોની હેરાફેરી, અધિકારી પૂજન જોષી તથા નિતિન પટેલ સહિત ચાર કોન્ટ્રાક્ટર અને એજન્સી ધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં શિક્ષણ વિભાગ હેઠળ ચાલતા “સમગ્ર શિક્ષણ” પ્રોજેક્ટમાં આશરે ?૨.૭૯ કરોડના આર્થિક કૌભાંડનો પર્દાફાશ થતા શિક્ષણ તંત્રમાં ભારે ચકચાર મચી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવેલી આંતરિક તપાસ દરમિયાન આ ગેરવહીવટ સામે આવ્યો હતો, જેના આધારે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.પ્રાથમિક માહિતી મુજબ, વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન સાધનોની ખરીદીના નામે મોટી ગેરરીતિ આચરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે…
