પુરવઠા સચિવ મોના ખંધારે કહ્યુંઃ તમામ એજન્સી કનેક્શનના ડેટાને વેરિફાઈ કરી રહી છે(એજન્સી)ગાંધીનગર, એલપીજી અને પીએનજી કનેક્શન ધરાવનારા લોકો માટે મોટા સમાચાર આવ્યા છે. એલપીજી અને પીએનજી કનેક્શન ધરાવનાર માટે મોટા સમાચાર આવ્યા છે. પુરવઠા સચિવ મોના ખંધારે કહ્યું હતું કે એલપીજી અને પીએનજી એમ બંન્ને કનેક્શન ધરાવનારાઓએ એલપીજી સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવાનો રહેશે.તમામ એજન્સી પીએનજી, એલપીજી કનેક્શનના ડેટાને વેરિફાઈ કરી રહી છે. બુધવાર સુધી બંને કનેક્શન ધરાવનારાઓને એલપીજી જમા કરાવી દેવું પડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમર્શિયલ એલપીજી લાયસન્સ ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. કોમર્શિયલ એલપીજી લાયસન્સ ધારકો પીએનજીનું કનેક્શન પ્રાપ્ત કરી શકે છે. કેન્દ્ર સરકારે સૂચના આપી…
Author: gujarat
અન્ય મહાનગરપાલિકાઓને અમદાવાદનું મોડલ અપનાવવા આદેશ(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરને “પ્રતિબંધિત પ્લાસ્ટિક ફ્રી સિટી” બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન કામગીરીની નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા નોંધ લેવામાં આવી છે. તાજેતરમાં એક આદેશમાં, નામદારે હાઈકોર્ટે AMC ની કામગીરીની પ્રશંસા કરી છે અને રાજ્યની અન્ય મોટી મહાનગરપાલિકાઓને પણ આ જ દિશામાં કાર્ય કરવા સૂચન કર્યું છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઇકોર્ટ સમક્ષ ઘન કચરાના વ્યવસ્થાપન, જપ્ત કરાયેલ પ્લાસ્ટિક વેસ્ટ, પ્લાસ્ટિક મટિરિયલ્સનું અપસાયકલિંગ, તેમજ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ અને વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટ્સમાં તેના ઉપયોગ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે-સાથે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ હેઠળ એક્સટેન્ડેડ પ્રોડયુસર રિસ્પોન્સિબિલિટી (EPR)…
પુણે, એલપીજી સિલિન્ડરની તીવ્ર તંગીનો સામનો કરી રહેલા રેસ્ટોરાં માલિકો અને ગૃહિણીઓ વૈકલ્પિક ઇંધણ તરીકે વપરાતા કોલસા અને લાકડાના ભાવમાં મોટો ઉછાળો આવ્યાની અને એના કાળા બજાર થઈ રહ્યા હોવાની ફરિયાદો શરુ થઈ છે. પુણેના કોલસાના વેપારીઓના જણાવ્યા મુજબ ઘણા લોકોને ગેસ સિલિન્ડર્સ મળતા ન હોવાથી કોલસાની માગમાં એકઝાટકે ૮૦ ટકાનો ઉછાળો આવ્યો છે.પુણેના નાર્હે વિસ્તારની રહેવાસી છાયા ભવરે જણાવ્યું હતું કે એલપીજી સિલિન્ડર ન મળતા મેં હમણા કોલસાથી ચાલતો સ્ટવ ખરીદ્યો હતો. હાઉસિંગ સોસાયટીઓના રહીશો એલપીજી સિલિન્ડર ન મળતા એના વિકલ્પરૂપે એકસાથે ૫-૧૦ કિલો કોલસા ખરીદી રહ્યા છે.શહેરના સપ્લાયટરોએ કોલસાના ધૂમ કાળા બજાર થતા હોવાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું…
અમદાવાદ, શહેરના એસપી રિંગ રોડ પાસે હેબતપુર ગામ પાછળ આવેલી બીનોરી એરિસ્ટોલા નામની સાઈટ પર કામ કરતા શ્રમિકનું ત્રીજા માળેથી નીચે પડવાના કારણે મોત થયું હતું.સાઈટ પર સેફ્ટી નેટ ના લગાવવાના કારણે શ્રમિકના મોત મામલે બોડકદેવ પોલીસે બિલ્ડર, એન્જિનિયર, કોન્ટ્રાક્ટર સહિત ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૂળ રાજસ્થાનનો ૨૩ વર્ષીય અનિલ નિનામા એસપી રિંગ રોડ હેબતપુર ગામ પાછળ આવેલી બીનોરી એરિસ્ટોલા નામની કન્સ્ટ્રક્શન સાઈટ પર વોટર પ્›ફિંગનું કામ કરતો હતો.તા.૩૦ સપ્ટેમ્બરના રોજ તે ત્રીજા માળે વોટર પ્રુફિંગનું કામ કરતો હતો. આ સાઇટના ફ્લેટ નંબર ૩૦૧ના બેડરૂમની બારીના છજ્જા પર પ્લાન્ટેશનની જગ્યાએ તે વોટર પ્›ફિંગનું કામ કરતો…
અમદાવાદ, શહેરીજનોને આગ અને અકસ્માત સહિતની કુદરતી તેમજ માનવસર્જીત આપત્તિ સમયે રાહત-બચાવની કામગીરી કરતાં ફાયર બ્રિગેડનાં કર્મચારીઓ અને અધિકારીઓ માટે બનાવાયેલાં ક્વાટર્સ અને ઓફિસ વગેરેનાં છેલ્લા બે વર્ષનાં જ વીજળી બિલ બે કરોડ ઉપર આવતાં ઉચ્ચ અધિકારીઓ કોઇ નીતિવિષયક નિર્ણય લેતા નથી તે પૂરવાર થયું છે.શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં નાગરિકોને વિવિધ પ્રકારની આફતમાંથી બચાવવા માટે કરોડો રૂપિયાનાં ખર્ચે કુલ ૧૯ જેટલાં ફાયર સ્ટેશન, ફાયરમેન ક્વાટર્સ અને ઓફિસર્સ ક્વાટર્સ બનાવવામાં આવ્યા છે.જ્યાં રહેતાં ફાયરમેન તથા ઓફિસર્સનાં ઘરે વપરાતી વીજળીનાં બિલ મ્યુનિ. તિજોરીમાંથી ચૂકવવામાં આવતાં હોવાથી અનેક ફાયરમેન તથા ઓફિસર મનફાવે તેમ વીજવપરાશ કરી મ્યુનિ. તિજોરી ઉપર બિનજરૂરી ભારણ વધારી રહ્યાં છે.આ…
અમદાવાદ, નરોડા વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં જમીન દલાલીની જૂની અદાવત રાખી ત્રણ શખ્સોએ હુમલો કરી યુવકને છરીના ઘા ઝીંકી દીધા હોવાની ઘટના સામે આવી છે.ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેના હાથમાં ગંભીર ઇજા થતા ટાંકા લેવા પડ્યા છે. નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા અને જમીન દલાલીનો વ્યવસાય કરતા હાર્દિક મહેન્દ્રભાઈ પટેલ ગત ૧૩ માર્ચના રોજ રાત્રે સાડા બાર વાગ્યાના સુમારે નરોડા મુઠિયા ટોલટેક્સ પાસે આવેલી પોતાની ઓફિસે મિત્રો સાથે હાજર હતા. આ સમયે અગાઉ જમીન દલાલી બાબતે જેની સાથે તકરાર થઈ હતી તેવો ભરતસિંહ નાથુસિંહ…
પ્રાંતિજ, પ્રાંતિજ તાલુકાના સાદોલિયા ગામે આવેલા પુલના છેડે રાત્રિના સમયે ગડરમાં ડમ્પર ઘૂસી જતાં ડમ્પરના ડ્રાઇવર અને કંડક્ટર બંનેનાં મોત નીપજ્યા હતા. મળતી માહિતી મુજબ, પ્રાંતિજ-મહેસાણાને જાડતા સાદોલિયા ગામેથી પસાર થતી સાબરમતી નદી ઉપર બનેલ પુલ પર ઓવરલોડ અને ભારે વાહનો ઉપર પ્રતિબંધ હોવાથી પુલના બન્ને છેડે લોખંડની હેવી ગડર લગાડવામાં આવી છે.જ્યાં શનિવારે મોડી રાત્રે પ્રાંતિજ તરફથી કપચી ભરીને જઈ રહેલું ડમ્પર બાબરીયા વીરના મંદિર નજીક બ્રિજના છેડે લગાવવામાં આવેલી ગડર સાથે ટકરાયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ડમ્પરના કેબિનમાં ગડરનો ભાગ પડતાં ડ્રાઇવર અને કંડક્ટરને ગંભીર ઇજાઓ પહોંચતાં બંનેનું ઘટના સ્થળે જમોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ…
ભીલડી, બનાસકાંઠા એસઓજીની ટીમે બાતમી આધારે ડીસા તાલુકાના છત્રાલા ગામે બે ખેતરમાં રેડ કરી પશુઓના ઘાસચારાના વાવેતરની આડમાં પ્રતિબંધિત ગાંજાના છોડના કરેલા વાવેતરને ઝડપી પાડ્યું હતું.એસઓજીએ ૨૩૬ છોડ સાથે ૨ ખેડૂતની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ડીસા તાલુકાના છત્રાલા ગામે ગાંજાની ખેતી થતી હોવાની એસ.ઓ.જી.ને બાતમી મળી હતી. આથી ટીમે છત્રાલા ગામની સીમમાં રહેતા સોલંકી ઇશ્વરજી મોબતાજીના ખેતરમાં રેડ કરતાં પશુઓના ઘાસચારાના આડમાં ખેતરમાં છુટાછવાયા ગાંજાના છોડનું વાવેતર કરાયેલું હતું. પોલીસે આ છોડની ગણતરી કરતાં ૧૦૯ છોડ જણાયા હતા.જેનું વજન કરાવતાં ૧૬.૧૪૮ કિલોગ્રામ જેની કિં.રૂ. ૮,૦૭,૪૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે સોલંકી રેવાજી ગોકાજીના ખેતરમાં રેડ કરતાં પશુઓના ઘાસચારાની…
સુરત, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલી એક નિર્દાેષ સગીરાને ચાર હવસખોરોએ પોતાની હવસનો શિકાર બનાવી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.આ ચકચારી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ગણતરીના કલાકોમાં જ એક સગીર વયના આરોપી સહિત કુલ ચાર નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ઉમરપાડા વિસ્તારમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન ચાર શખ્સોની મેલી નજર આ સગીરા પર પડી હતી. આ નરાધમોએ સગીરાને પટાવી-ફોસલાવી બસ સ્ટેશનની પાછળ આવેલા એક અવાવરું સ્થળે લઈ…
રાજકોટ, રાજકોટ સ્થિત એઇમ્સ હોસ્પિટલમાં એમ.બી.બી.એસ.ના ઇન્ટર્ન તબીબના આપઘાત મામલે પોલીસની તપાસમાં નવો વળાંક સામે આવ્યો છે. અભ્યાસ કરતા સહપાઠી પાંચ વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક ત્રાસના કારણે જ યુવાને જીવન ટૂંકાવી લીધાનું સામે આવ્યું છે.આ પ્રકરણમાં પોલીસે પાંચેય વિદ્યાર્થીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.રાજકોટ એસ.સી., એસ.ટી. સેલના એ.સી.પી. ચિંતન પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, એઇમ્સ હોસ્પિટલના ઇન્ટર્ન તબીબ અને એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થી રતનકુમાર મોહનલાલ મેઘવાલે આપઘાત પહેલા લખેલી સુસાઈડ નોટ મળી આવી છે.જેમાં મૃતકે તેમની સાથે અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યાે છે. પોલીસે પ્રણવ પાલીવાલ, અસ્મિત…
