અમદાવાદ, તારીખ 1મે2026આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના અવસર પર પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન(WRWWO),અમદાવાદ મંડળ દ્વારા મંડળ રેલવે મેનેજર ઓફિસમાં ગરિમાપૂર્ણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું. આ અવસર પર મંડળના વિવિધ વિભાગોના30રેલવે કર્મચારીઓને પ્રશંસા પત્ર અને સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કરવામાં આવ્યા અને તેમના કઠોર પરિશ્રમ, લગન અને નિષ્ઠા પૂર્ણ કામોની પ્રશંસા કરવામાં આવી.
કાર્યક્રમના મુખ્ય મહેમાન મંડળ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશ હતા. કાર્યક્રમનો શુભારંભ અતિથિઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો. આ અવસર પર WRWWOઅમદાવાદ મંડળની અધ્યક્ષા શ્રીમતી શેફાલી ગુપ્તાએ તમામ રેલવે કર્મચારીઓને મજૂર દિવસની શુભેચ્છાઓ આપતાં કહ્યું કે ભારતીય રેલવે, જે દેશની જીવન રેખા છે, તેની મજબૂતી અને સફળતા પાછળ લાખો કર્મચારીઓનો અથાગ પરિશ્રમ સમાયેલો છે.
તેમણે કહ્યું કે ટ્રેકમેન, ગાર્ડ, લોકો પાયલોટ, ટેકનિકલ કર્મચારી અથવા સ્ટેશન સ્ટાફ-દરેક કર્મચારી પોતાની જવાબદારી પૂર્ણ નિષ્ઠાથી નિભાવે છે. મજૂર દિવસ અમને આ સંદેશ આપે છે કે દરેક શ્રમિકનું યોગદાન અમૂલ્ય છે અને તેમનું સન્માન કરવું આપણું કર્તવ્ય છે.

મંડળ રેલવે મેનેજર શ્રી વેદ પ્રકાશ એ પોતાના સંભાષણમાં રેલવે કર્મચારીઓની લગન અને સમર્પણની પ્રશંસા કરતાં કહ્યું કે લાઈન પર કામ કરનારા કર્મચારી દરેક ઋતુમાં થાક્ય વગર પોતાની જવાબદારી નિભાવે છે જે અત્યંત પ્રશંસનીય છે.
તેમણે કહ્યું કે ભારતીય રેલવે ફક્ત પાટાઓ અને ટ્રેનોનું નેટવર્ક નથી, પરંતુ આ કર્મચારીઓની મહેનત, શિસ્ત અને કર્તવ્યનિષ્ઠાનું પ્રતીક છે. દિવસ-રાત, ગરમી-વરસાદ દરેક પરિસ્થિતિમાં રેલવે કર્મચારીઓ પોતાની સેવાઓ આપીને દેશની ગતિ જાળવી રાખે છે.
આ અવસર પર અપર મંડળ રેલવે મેનેજર શ્રીમતી મંજૂ મીણા, અપર મંડળ રેલવે મેનેજર શ્રી વિકાસ ગઢવાલ, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી સિદ્ધાર્થ સહિત અન્ય અધિકારીઓ, મહિલા કલ્યાણ સંગઠનની સભ્યો, રેલવે યૂનિયન અને એસોસિએશનના પદાધિકારી તથા કર્મચારી ઉપસ્થિત હતા.

