આગામી સમયમાં શહેરનાં શાકભાજી માર્કેટમાંથી વધેલાનો પણ બાયોગેસ ચલાવવા માટે ઉપયોગમાં લેવાનું આયોજન છે.રોજ 2800 કિલો છાણ એકઠું થાય છે . જેનાં નિકાલ માટે મહિને રૂ 3.50 લાખની બચત સાથે સાથે બાયોગેસ ઉત્પન્ન કરવા માટે રોજ 1000 કિલો છાણની જરૂર પડે છે અને રોજ અંદાજે 46 કિલો બાયોગેસ ઉત્પન્ન થાય છે.(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કેટલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD) દ્વારા શહેરનાં રસ્તાઓ પર રખડતા પશુઓને પકડી આ પશુઓનાં ઉપદ્રવથી શહેરીજનોને મોટી રાહત તો આપી જ છે પણ સાથે સાથે આ પશુઓનાં છાણમાંથી વૈકલ્પિક ઉર્જાનો સ્ત્રોત ઉભો કરી પર્યાવરણ સંરક્ષણ અને ઘનકચરા નિકાલની વ્યવસ્થા મામલે એક નવો ચિલો ચાતર્યો છે.અમદાવાદ…
Author: gujarat
સંસદસભ્ય રાજેશ ચુડાસમા, પૂર્વ સંસદસભ્ય ગીતા રાઠવા, જામનગરના પૂર્વ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા આવશે. દરેક મહાનગરપાલિકામાં મેયર પદ માટે ધારાસભ્યો, કોર્પોરેટરો અને શહેર સંગઠનના હોદ્દેદારો પાસે નામ માંગવામાં આવશે.(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 15 મહાનગરપાલિકામાં ભાજપે તમામમાં સત્તા હાંસલ કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 192 બેઠકોમાંથી 160 બેઠકો ઉપર ભાજપે ભવ્ય વિજય મેળવીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી સત્તા હાંસલ કરી છે ત્યારે અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર સહિતના મુખ્ય પાંચ પદાધિકારીની નિમણૂક આગામી દિવસોમાં થવાની છે.મેયર તરીકેની નિમણુક માટે ભાજપ દ્વારા 2 અથવા 3 મેના રોજ ધારાસભ્યો અને કોર્પોરેટર સહિતના શહેર સંગઠનના નેતાઓ સાથે પ્રદેશના નેતાઓ દ્વારા સેન્સ લેવામાં…
અમદાવાદ, શહેરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં મિલકતની નોંધણી કરાવવા માટે સરકારના નિયમોને નેવે મૂકી બોગસ દસ્તાવેજો રજૂ કરવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે.અમદાવાદના નરોડા વિસ્તારની મિલકત માટે અશાંતધારાની ખોટી અને ફેબ્રિકેટેડ પરમિશન બનાવી સરકાર સાથે છેતરપિંડી કરવા બદલ શાહીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સબ રજિસ્ટ્રારે દસ્તાવેજ તૈયાર કરનાર એજન્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા ચકચાર મચી ગઈ છે. ગત ૧૫ જુલાઈ ૨૦૨૫ના રોજ નરોડા સર્વે નંબર ૬૨૫માં આવેલ ‘કેસર એક્ઝોટીકા’ ફ્લેટ નંબર ૩૦૧ના વેચાણ અંગેનો દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર કચેરી-૬ (નરોડા) ખાતે રજૂ કરવામાં આવ્યો હતો.વિક્રમભાઈ પટેલ અને ધર્મિષ્ઠાબેન પટેલ દ્વારા મીનાબેન પટેલને વેચવામાં આવેલી આ મિલકત માટે જરૂરી સ્ટેમ્પ…
દ્વારકા, યાત્રાધામ દ્વારકાને જોડતા ખંભાળિયા-દ્વારકા હાઈવે પર મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. હાબરડીના પાટીયા નજીક એક કાર બેકાબૂ બની ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાતા બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.મળતી વિગતો અનુસાર, ગત મોડી રાત્રે એક કાર ખંભાળિયાથી દ્વારકા તરફ જઈ રહી હતી. આ દરમિયાન હાબરડીના પાટીયા પાસે ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા કાર સીધી રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે ટકરાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.વિગતઆ દુર્ઘટનામાં કારમાં સવાર એક મહિલા અને એક પુરુષને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે…
અમદાવાદ, રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે ગુજરાત પોલીસ સજ્જ થઈ છે. પહેલી મેથી ૩૧મી મે ૨૦૨૬ સુધી સમગ્ર રાજ્યમાં ખાસ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન માત્ર સામાન્ય જનતા જ નહીં, પરંતુ નિયમ તોડનારા સરકારી અધિકારીઓ સામે પણ લાલ આંખ કરવામાં આવશે.ગુજરાત પોલીસના ઇન ચાર્જ આઈજી (STB) મકરંદ ચૌહાણ દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, મોટર વાહન અધિનિયમની કલમ ૧૨૯ મુજબ ટુ-વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર (પિલિયન રાઇડર) બંને માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. નિયમનો ભંગ કરનાર પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે.આ વખતે પોલીસની વ્યૂહરચનામાં મોટો ફેરફાર જોવા…
એપ્રિલ-2026ના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના પ્રશ્નોનું સમયમર્યાદામાં,ન્યાયિક અને તટસ્થ રીતે નિરાકરણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લાઓના વહિવટી તંત્રને સ્પષ્ટ સુચના*:રાજ્ય સ્વાગતની ફલશ્રુતિ:: •ખેડૂતને મળશે જમીન સંપાદનનું વળતર •નાણાકીય છેતરપિંડી આચરતા અસામાજિક તત્વો સામે થશે કાર્યવાહીજિલ્લા કક્ષાએ એકબીજા વિભાગો વચ્ચે સંકલનના અભાવે નાગરિકો હેરાન ન થાય તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશ પોતાના ટેબલ પરથી ફાઈલ બીજા ટેબલ પર જાય એટલે પોતાની જવાબદારી પુરી કરવાને બદલે લોકોના પ્રશ્નોનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી જવાબદેહીતા દાખવી,પ્રશ્નોનો આખરી નિકાલ કરવા મુખ્યમંત્રીશ્રીની સુચનામુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એપ્રિલ-2026ના રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો રૂબરૂ સાંભળીને નાગરિકોના પ્રશ્નોનું સમયમર્યાદામાં,ન્યાયિક અને તટસ્થ રીતે નિરાકરણ માટે જિલ્લા તંત્ર…
૧ મે: ગુજરાત સ્થાપના દિવસ –સંસ્કાર-સમૃદ્ધિના સંગમથી ‘ગ્લોબલ ગ્રોથ એન્જિન’ તરીકે ઉભરતું આધુનિક અને સમર્થ ગુજરાતØગુજરાતની માથાદીઠ આવક પ્રથમવાર રૂ. ૩ લાખને પાર: રાષ્ટ્રીય સરેરાશ કરતા ૬૦ ટકા વધુØભારતના ૪૦ ટકા કાર્ગોનું ગુજરાતના અત્યાધુનિક પોર્ટ્સ દ્વારા હેન્ડલીંગØદેશના કેમિકલ ઉદ્યોગમાં ૩૩ટકા હિસ્સા સાથે ગુજરાત અગ્રેસરØગુજરાત પરંપરાગત ઉદ્યોગોની સાથે‘સેમીકન્ડક્ટર‘અને ગ્લોબલ‘ફિનટેક‘નું પણ કેન્દ્ર બન્યુંગુજરાત વર્ષોથી સંસ્કાર,સંસ્કૃતિ,સમૃદ્ધિ અને વિકાસની ભૂમિ રહી છે. ૧લી મે,૧૯૬૦ના રોજ બૃહદ મુંબઈથી અલગ થયેલું ગુજરાત આજે માત્ર ભારતનું એક રાજ્ય નથી,પરંતુ વિશ્વના નકશા પર ‘મોડેલ ઓફ ડેવલપમેન્ટ સ્ટેટ’ બનીને ઉભર્યું છે. જે રાજ્ય પાસે દેશની માત્ર ૫ ટકા વસ્તી અને ૬ ટકા જમીન છે,તે આજે દેશના અર્થતંત્રનો ધબકાર બનીને…
વડોદરા શહેર પ્રમુખ ઋત્વિક જોષીની સામે કેટલાક કોગ્રેસી કાર્યકરોએ સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવીને રાજીનામાની માગણી કરી હતીવડોદરા, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાં વડોદરા શહેર અને જિલ્લામાં કોંગ્રેસના નબળા પ્રદર્શનની સીધી અસર સંગઠન પર જોવા મળી છે. ચૂંટણીમાં પક્ષના નિરાશાજનક પરિણામોની નૈતિક જવાબદારી સ્વીકારી વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જશપાલસિંહ પઢિયારે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે.જ્યારે શહેર પ્રમુખ ઋત્વિક જોષીની સામે કેટલાક કોગ્રેસી કાર્યકરોએ સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવીને રાજીનામાની માગણી કરતાં તેઓએ પ્રદેશના આગેવાનોનો આદેશ શિરોમાન્ય રહેશે તેવી સ્પષ્ટતા કરી હતી.મળતી માહિતી મુજબ કોંગ્રેસનો ગઢ ગણાતા વિસ્તારોમાં પણ પક્ષને કારમી હારનો સામનો કરવો પડયો છે.…
‘ગ્રાન્ટ નહીં મળે’- મિતેષ પટેલ જ્યાં બોલ્યા તે આંકલાવ પંચાયતમાં કોંગ્રેસની જીત થઈ-આંકલાવ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ૧૩ અને ભાજપને ૭ બેઠકો મળી છે.પ્રચાર દરમિયાન નેતાઓનાં બેફામ ઉચ્ચારણોની સામે મતદારોએ જાણે જવાબ આપ્યો હોય તેમ મતગણતરી દરમિયાન ઈવીએમમાંથી રોષ બહાર આવ્યો છે.ગાંધીનગર, ચૂંટણી સમયે જાહેર મંચ ઉપરથી થતા ઉચ્ચારણો, પોતાને જ ફળે છે તેની પ્રતીતિ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને અંતે રાજકીય નેતાઓને થઈ છે.પ્રચાર દરમિયાન નેતાઓનાં બેફામ ઉચ્ચારણોની સામે મતદારોએ જાણે જવાબ આપ્યો હોય તેમ મતગણતરી દરમિયાન ઈવીએમમાંથી રોષ બહાર આવ્યો છે. જેમાં આણંદના સાંસદ મિતેષ પટેલે જયાંથી ‘અહીંથી એક પણ કોંગ્રેસી ચૂંટાશે તો એક પૈસો ગ્રાન્ટ નહીં મળે’ તેવી ચીમકી…
સોશિયલ મીડિયા મારફતે ખરીદી કરવા જતા યુવક અને યુવતીએ મોટી રકમ ગુમાવીબિલીંગ પ્રોસેસ અટકી ગઈ હોવાનું અને જીએસટી રિફંડના બહાના કાઢીને વિશ્વાસ જીતવા નકલી ઈન્વોઈસ મોકલ્યું હતું. રિ(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં ઓનલાઇન છેતરપિંડીના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર કોસ્મેટિક પ્રોડક્ટ્સ અને કપડાંની આકર્ષક જાહેરાતો જોઈને ઓર્ડર આપવા જતાં બે અલગ-અલગ કિસ્સામાં એક યુવક અને એક યુવતીએ કુલ ૫૮ હજાર રૂપિયાથી વધુની રકમ ગુમાવી છે. આ અંગે વાસણા અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ છે.મળતી માહિતી અનુસાર, વાસણા વિસ્તારમાં રહેતા અને સોલાર પેનલનો બિઝનેસ કરતા ૨૪ વર્ષીય જૈનિશકુમાર જોષી ગત ૨૦મી એપ્રિલના રોજ ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા હતા.…
