અમદાવાદ, અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સાથી વિદ્યાર્થી દ્વારા ધોરણ-૧૦ના વિદ્યાર્થીની હત્યાના કેસમાં રાજ્ય સરકાર તરફથી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.આ હૃદયદ્રાવક ઘટના બાદ શાળાનું મેનેજમેન્ટ સરકાર હસ્તક લેવાયું હતું. પરંતુ હવે સેવન્થ ડે એડવેન્ટીસ્ટ સ્કૂલનું સંચાલન ફરી પાછું શાળાને સોંપવાનો નિર્ણય લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરતા શાળા દ્વારા કરાયેલી અપીલનો હાઈકોર્ટે નિકાલ કર્યાે હતો.રાજ્ય સરકાર તરફથી હાઈકોર્ટને માહિતી અપાઈ હતી કે, સેવન્થ ડે સ્કૂલનું મેનેજમેન્ટ લેવા અંગેનો હુકમ પાછો ખેંચવા બાબતે સરકારમાં ભલામણ કરવામાં આવી છે અને સંભવતઃ ટૂંક સમયમાં જ આ અંગે નિર્ણય લેવાઈ જશે, જેથી શાળાને…
Author: gujarat
અંબાજી:સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજય બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને મંત્રી જગદીશ વિશ્વકર્માએ શક્તિપીઠ અંબાજી ખાતે શીશ ઝુકાવ્યું હતું.15 મહાનગરપાલિકાઓ અને મોટાભાગની પંચાયતોમાં કેસરીયો લહેરાયા બાદ, વિશ્વકર્માએ માતાજીના આશીર્વાદ મેળવીને મંદિરના શિખર પર સુવર્ણકળશની સાક્ષીએ ધજા રોહણ કર્યું હતું. આ વિજયને તેમણે જનતાના વિશ્વાસ અને માં અંબાની કૃપા ગણાવી હતી.મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ વચ્ચે જગદીશ વિશ્વકર્માએ મુખ્ય ભટજી મહારાજના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી હતી. દર્શન બાદ માધ્યમો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસકાર્યો પર મહોર મારી છે.માં અંબાના આશીર્વાદથી જ ભાજપ તમામ મહત્ત્વની બેઠકો પર વિજયી બન્યું છે.” નોંધનીય…
કિર્તીદાન ગઢવી અને તેમના ભાગીદારોના કહેવાથી પોલીસ અધિકારીઓએ તેમને કસ્ટડીમાં ઢોર માર માર્યો હતો.-લોકગાયક કિર્તીદાન ગઢવીને ગુજરાત હાઇકોર્ટે ફટકારી નોટિસ(એજન્સી)અમદાવાદ, ગુજરાતના પ્રખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કાયદાકીય ગૂંચમાં ફસાયા છે. અમદાવાદના એક ઇવેન્ટ આૅર્ગેનાઇઝરને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ઢોર માર મારવાના ગંભીર આરોપ સાથે થયેલી અરજી પર સુનાવણી કરતાં ગુજરાત હાઇકોર્ટે કિર્તીદાન ગઢવી સહિત સીઆઈડી ક્રાઇમ સાયબર સેલના અધિકારીઓને નોટિસ ફટકારી છે.અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા ઇવેન્ટ આૅર્ગેનાઇઝર જયેશ પરમારે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેમાં તેમનો દાવો છે કે વર્ષ ૨૦૨૫ની નવરાત્રિ ઇવેન્ટના આયોજન માટે જયેશ પરમાર અને કિર્તીદાન ગઢવી વચ્ચે ભાગીદારી થઈ હતી. જો કે હિસાબ-કિતાબ…
અમદાવાદ, અમદાવાદ શહેરના સતત વિસ્તરી રહેલા વ્યાપ અને વસ્તીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસના માળખામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, અમદાવાદમાં હવે ૩ નવા પોલીસ ડિવિઝન અસ્તિત્વમાં આવ્યા છે.જેમાં પી, આર અને જી ડિવિઝનનો સમાવેશ થાય છે. આ સાથે જ શહેરમાં ૩ નવા પોલીસ સ્ટેશનો પણ કાર્યરત થશે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે.ગૃહ વિભાગની સૂચના મુજબ, નવા પોલીસ સ્ટેશનોમાં વસ્ત્રાલ, મોટેરા અને સાબરમતી ઇસ્ટનો સમાવેશ થાય છે. આ નવા વિભાગોના નિર્માણ બાદ પોલીસ સ્ટેશનોની ફાળવણીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પી ડિવિઝનમાં કુલ ૩ પોલીસ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો…
(એજન્સી)વડોદરા, વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા રેલ્વે સ્ટેશન નજીક આવેલ પ્રિય લક્ષ્મી મિલ ખાતે બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરીના ભાગ રૂપે ફેબ્રુઆરી મહિનામાં પ્રિય લક્ષ્મી મિલ અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો.ત્યારથી ત્રણ મહિના વીતી ગયા છે, છતાં અંડરપાસ હજુ સુધી ખોલવામાં આવ્યો નથી. આ સ્થિતિથી ત્રસ્ત રહીશોએ આજે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડની ઓફિસે રજૂઆત કરવા મોરચો કાઢ્યો હતો. અંડરપાસ બંધ થવાના કારણે સૌથી વધુ અસર નજીકના વિસ્તારોના રહીશોને પડી છે.પ્રિય લક્ષ્મી મિલની ચાલ, ડૉ.છગનલાલની ચાલ, એમ.કે.નગર, ગાયકવાડી ચાલ અને રેલ્વે કોલોની સહિતના વિસ્તારોમાં વસતા ૧૦ હજારથી વધુ લોકો રોજ સવાર-સાંજ ભારે…
‘શબનમ’નું હાડપિંજર શોધવા ક્રાઈમ બ્રાન્ચની કવાયત તેજઅમદાવાદ, વટવાના કુતુબનગરમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે ખોદકામ ચાલી રહ્યું છે, તેમાં એક પછી એક ચોંકાવનારા રહસ્યો બહાર આવી રહ્યા છે. ૧૯૯૨માં રહસ્યમય રીતે ગુમ થયેલી ફરઝાના ઉર્ફે શબ્નમ નામની યુવતીની તેના જ પ્રેમીએ હત્યા કરી હોવાની આશંકા પ્રબળ બની છે.ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ હત્યા પાછળ ‘ક્રાઈમ ઓફ પેશન’ એટલે કે પ્રેમ સંબંધ કારણભૂત હતો. આ કેસનો મુખ્ય આરોપી શમશુદ્દીન હોવાનું મનાય છે, જેની સાથે ફરઝાનાને લગ્નેતર સંબંધો હતા.અંગત વિવાદ અને તકરાર વધતા શમશુદ્દીને ફરઝાનાની હત્યા કરી નાખી હતી. ગુનાના પુરાવાનો નાશ કરવા માટે તેણે લાશને પોતાના જ ઘરના…
વોટ શેરના આંકડા જાહેર થતાં રાજનીતિક રણનીતિ સ્પષ્ટ થઈ(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો બાદ હવે વોટશેરના આંકડા સામે આવ્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો મજબૂત ગઢ જાળવી રાખ્યો છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બીજા ક્રમ માટે રસાકસી જોવા મળી રહી છે. શહેરી મતદારોમાં ભાજપ પર ખૂબ જ મજબૂત વિશ્વાસ દર્શાવ્યો છે.મહાનગરપાલિકાઓમાં ભાજપે લગભગ ૫૯.૩૬% વોટશેર સાથે પ્રચંડ જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને ૨૬.૪૬% પર વોટ જ મળ્યા છે. નોંધનીય છે કે, મહાનગરપાલિકા સ્તરે આમ આદમી પાર્ટીએ ૧૦.૨૭% વોટ મેળવીને શહેરી રાજકારણમાં પોતાની હાજરી મજબૂત કરી રહી છે. શહેરી વિસ્તારોમાં…
અમદાવાદ, ગુજરાતમાં હાલ ઉનાળો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. આકરી ગરમી અને લૂના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે તાપમાન, પવન અને વાવાઝોડા અંગે અત્યંત મહત્ત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે.તેમની આગાહી મુજબ, હજી થોડા દિવસો ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, પરંતુ મે મહિનામાં કુદરતનો અલગ જ મિજાજ જોવા મળી શકે છે.અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, મધ્ય ગુજરાતમાં ગરમીનું મોજું તીવ્ર બનશે. વડોદરા, આણંદ અને મહીસાગર જિલ્લામાં તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ નોંધાઈ શકે છે.આવી જ સ્થિતિ ઉત્તર ગુજરાતમાં પણ રહેશે. પાટણ, સમી, હારીજ, પાલનપુર, ડીસા, વાવ અને થરાદ જેવા વિસ્તારોમાં બપોરના સમયે તાપમાન ૪૩…
મોડાસા તાલુકા પંચાયતની સાકરીયા સીટમાં કોંગ્રેસનો વિજયમોડાસા નગરપાલિકાની 36 બેઠકોમાંથી 24 બેઠકો ભાજપે કબ્જે કરી(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) સ્થાનિક ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે તેમાં મોડાસા તાલુકા પંચાયતની સાકરીયા ૧૫ તાલુકા પંચાયતની સીટમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે આજ સુધીના ઇતિહાસમાં કોંગ્રેસ નો આ સીટ ઉપર ક્યારે પણ વિજય થયેલ નથી પરંતુ આ વખતે કોંગ્રેસ ના ઉમેદવાર પટેલ અતુલભાઇનો ભવ્ય વિજય થયેલ છે તે ભાજપ માટે ચોકાવનારો વિષય બનેલ તેમ છે.અત્યાર સુધીના ઇતિહાસમાં સાકરીયા સીટ કોંગ્રેસમાં ગયેલ નથી પરંતુ આ વખતે કોંગ્રેસમાં ગયેલ છે તો ભાજપે આ માટે મંથન કરવું જરૂરી છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટીએ આ…
અમદાવાદ, સમગ્ર ગુજરાતમાં અત્યારે ઉનાળો પોતાની ચરમસીમા પર છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વિવિધ જિલ્લાઓમાં ‘હીટવેવ’ (Heatwave) ની આગાહી કરવામાં આવી છે. સતત વધતા તાપમાન અને ગરમ પવનોને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. આવી સ્થિતિમાં ગરમી અને લૂ (Heat Stroke) થી બચવા માટે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.જ્યારે શરીરનું તાપમાન નિયંત્રિત ન રહે ત્યારે લૂ લાગવાની શક્યતા વધી જાય છે. તેના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે:૧. પુષ્કળ પાણી પીવો: તરસ ન લાગી હોય તો પણ દિવસ દરમિયાન વારંવાર પાણી પીવાનું રાખો. લીંબુ શરબત, નારિયેળ પાણી, છાશ અને ઓઆરએસ (ORS) નું…
