સિદ્ધપુર, પાટણ શહેરના નિલમ સિનેમા વિસ્તારમાં ગુરુવારે ભરબપોરે જૂની અદાવતમાં થયેલી ફાયરિંગની ઘટનામાં શહેરના બુકડી વિસ્તારમાં રહેતા અને ભેંસોના વ્યવસાય સાથે સંકળાયેલા આધેડનું મોત નીપજ્યું હતું.બનાવને પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવી ફાયરિંગ કરી ફરાર થયેલા શખ્સને ઝડપી લેવા શહેર ફરતે નાકાબંધી કરી સીસીટીવી ફૂટેજ તપાસી ચક્રોગતિમાન કરાયાં હોવાનું જાણવા મળ્યું છે. શહેરના બુકડી વિસ્તારમાં રહેતા અને ભેંસોના વ્યવસાય સાથે સંકળાયેલા યુસુબખાન ચાંદખાન પઠાણ (ઉ.વ. ૫૦) સવારે ૧૧ વાગ્યાના સુમારે નિલમ સિનેમા વિસ્તારમાં ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ઝહીર ઉર્ફે ખોખરા, સાહિદ સાજીદ શેખ અને એઝાઝ ઉર્ફે વેતીયો રસુલભાઈ સિપાઈએ રિક્ષામાંથી ઉતરી યુસુફ ખાનની…
Author: gujarat
જામનગર, સૌરાષ્ટ્રના મહત્વના ઔદ્યોગિક શહેરો જામનગર અને મોરબી હાલ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એક તરફ જામનગરમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે કાચા માલની આયાત અટકી છે, તો બીજી તરફ મોરબીમાં સિરામિક એકમો બંધ થતાં ટ્રાન્સપોર્ટ વ્યવસાયના પૈડાં થંભી ગયા છે, જેના કારણે હજારો પરિવારોની આજીવિકા સામે પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યો છે.જ્યારે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઈલ ઉદ્યોગ પર યુદ્ધની અસર જોવા મળી રહી છે. સ્ટીમની મદદથી ચલાવાતા ૧૦હજારથી વધારે પાવરલૂમ્સને ગેસ નહીં મળતા આ યુનિટ્સ ડગુમગુ થવા માંડ્યા છે.જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ભંગારની આયાત પર મોટી બ્રેક લાગી છે.આ અંગે જામનગર બ્રાસ ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા…
અમદાવાદ, મિડલ ઈસ્ટમાં યુદ્ધને પગલે ગેસના સિલિન્ડરની છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ખેંચતાણથી વિદ્યાર્થીઓ ચિંતામાં મૂકાયા છે. કેમકે, પીજી તરીકે રહેતા વિદ્યાર્થી-નોકરિયાતો જ્યા રહે છે, ત્યા નાના પાયે ચાલતા રસોડામાં કે પછી બહાર રેસ્ટોરન્ટમાં જમતા હોય છે. હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડર નહીં મળતા હોવાથી તેમને પણ જમવાની મુશ્કેલી સર્જાઈ શકે છે.અમદાવાદમાં હાલ ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ પીજીમાં રહે છે. જેમાંથી મોટાભાગના ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, વસ્ત્રાપુર અને શ્યામલ વિસ્તારમાં છે. હાલ આ પીજીમાં ગેસ સિલિન્ડરને લઈને કોઈ સમસ્યા સર્જાઈ નથી. પરંતુ તેના સંચાલકો અને પીજીમાં રહેતા લોકોમાં એક ચિંતા વ્યાપી ગઈ છે.બીજી તરફ વડોદરામાં પીજીના વિદ્યાર્થીઓ માટે નાના પાયે ચાલતા રસોડા…
અમદાવાદ મંડળમાં કાંકરિયા સ્થિત આધુનિક મેકેનાઈઝ્ડ લોન્ડ્રી: મુસાફરોને મળી રહ્યા છે સ્વચ્છ અને હાઇજિનિક બેડરોલઅમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોને સ્વચ્છ,સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાની લિનેન સેવા ઉપલબ્ધ કરાવવા માટે કાંકરિયા ખાતેBOOTમોડેલ આધારિત આધુનિક મેકેનાઈઝ્ડ લોન્ડ્રીનું અસરકારક સંચાલન કરવામાં આવી રહ્યું છે.આ અત્યાધુનિક લોન્ડ્રી લાંબા અંતરની ટ્રેનોમાં એસી શ્રેણીના મુસાફરોને આપવામાં આવતાબેડરોલની ધોલાઈ,સફાઈ અને પ્રબંધનનેવૈજ્ઞાનિક તથા સ્વચાલિત ટેકનોલોજી દ્વારા સુનિશ્ચિત કરે છે.•આ પ્રોજેક્ટનીધોલાઈ ક્ષમતા પ્રતિ શિફ્ટ8ટન (કુલ16ટન)છે,જ્યારે દરરોજ આશરે19.5ટન લિનેન(18ટન બેડરોલ અને1.5ટન અન્ય કપડા) ની ધોલાઈ કરવામાં આવે છે·હાલમાં લિનેન ધોલાઈ માટેનોકરાર દર₹16.65પ્રતિ કિલોગ્રામ અથવા પ્રતિ બેડરોલનક્કી કરવામાં આવ્યો છે અને આ એકમમાં અંદાજે200કર્મચારીઓ કાર્યરત છે.·લોન્ડ્રીમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP)દ્વારા…
ગાંધીનગર, ૧૩ માર્ચ: સુરત જિલ્લામાં ટેસ્ટિંગ દરમિયાન નવી બનેલી ઓવરહેડ પાણીની ટાંકી ધરાશાયી થવાના મામલે ગુજરાત સરકારે નિર્માણ એજન્સી પાસેથી ₹૧.૦૪ કરોડની વસૂલાત કરી છે. જળ સંપત્તિ અને પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલે શુક્રવારે રાજ્ય વિધાનસભામાં આ જાણકારી આપી હતી.ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, તડકેશ્વર ગામના હરિયાળ સબ હેડવર્કસ ખાતે આ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી હતી.આ ઘટના જાન્યુઆરી મહિનામાં બની હતી જ્યારે ‘ગાયપગલા જૂથ પાણી પુરવઠા યોજના’ હેઠળ બનેલી ૧૫ મીટર ઊંચી ટાંકીમાં તેની મજબૂતી ચકાસવા માટે પાણી ભરવામાં આવી રહ્યું હતું. આ માળખું અચાનક ધરાશાયી થતા નજીકમાં કામ…
દક્ષિણ ગુજરાતનું પ્રતિ વ્યક્તિ જીડીપી અંદાજે4,600ડોલર છે,જેને2047સુધી વધારીને45,000ડોલરથી વધુ કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યદક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સ્થાન આપવાનાં નિર્ધાર સાથે માર્ગ સુધારણા માટે રૂ. 1,185 કરોડ મંજૂરગાંધીનગર, ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે દક્ષિણ ગુજરાતમાં આવેલા માર્ગોને પહોળા કરવા અને સુધારવા માટે રૂ.1,185કરોડનાં કામોને મંજુરી આપી છે. આનો ઉદ્દેશ સુરત ઇકોનોમિક રિજિયન (SER)ને દુબઈ અને ચીનના ગુઆંગઝૂ જેવા વૈશ્વિક ટ્રેડિંગ હબની તર્જ પર વિકસાવવાનો છે અને સુરતને વૈશ્વિક સપ્લાય ચેનમાં જોડવાનો છે.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે મંજૂર કરેલા આ પ્રોજેક્ટોમાં સુરત,તાપી,વલસાડ,નવસારી અને ડાંગ જિલ્લાઓમાં કુલ383 કિમીને આવરી લેતા24કામોનો સમાવેશ થાય છે. આ પગલું લોજિસ્ટિક્સ કનેક્ટિવિટી સુધારવા અને દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ કેન્દ્ર…
ગાંધીનગર, 13 માર્ચ: ગુજરાતમાં બેરોજગારીનો દર ૧.૧ ટકા સાથે દેશમાં સૌથી ઓછો છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૩.૨ ટકા કરતા ઘણો ઓછો છે. શ્રમ અને રોજગાર વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ ગુરુવારે વિધાનસભામાં આ માહિતી આપી હતી.કેન્દ્ર સરકારના પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) ને ટાંકીને બાવળિયાએ જણાવ્યું હતું કે, આ આંકડા રાજ્યના રોજગાર અને કૌશલ્ય વિકાસના પ્રયાસોની સફળતા દર્શાવે છે. તેમણે વર્ષ ૨૦૨૬-૨૭ માટે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગની ₹૨,૯૦૨ કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરી હતી.સામાજિક સુરક્ષા અને સુધારા: મંત્રીએ જણાવ્યું હતું કે ૨૯ શ્રમ કાયદાઓને ૪ લેબર કોડમાં એકીકૃત કરવામાં આવ્યા છે, જે ગત ૨૧ નવેમ્બરથી અમલી બન્યા છે. આ…
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણીનિષ્ણાતો દ્વારા 800થી વધુ મહિલાઓને મહિલા સશક્તીકરણ અને સાયબર સુરક્ષા અંગે અપાયું માર્ગદર્શનવિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલાના અધ્યક્ષ સ્થાને એક વિશેષ મહિલા સંમેલન યોજાયું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કંચનબા વાઘેલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં મહિલા શક્તિ અને સંસ્કારનું પ્રતિક છે. આજે મહિલાઓ વિજ્ઞાનથી લઈને રાજકારણ સુધીના તમામ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર અને…
રાજ્યભરમાં તા. ૯ થી ૧૫ માર્ચ દરમિયાન ‘ગ્રાહક જાગૃત્તિ સપ્તાહ‘ની ઉજવણીØગ્રાહકોની સુવિધા માટે ટોલ ફ્રી નંબર‘૧૪૪૩૭’અને‘૧૮૦૦ ૨૩૩ ૦૨૨૨’કાર્યરતØવર્ષ ૨૦૨૪થી અત્યાર સુધીમાં અંદાજે ૨૨,૭૦૨ જેટલી ફરિયાદોનું સુખદ નિવારણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના‘સશક્ત ગ્રાહક,સમૃદ્ધ ભારત‘ના વિઝન અને ગ્રાહક સુરક્ષાને રાષ્ટ્રના વિકાસના અભિન્ન અંગ ગણવાની નેમ સાથે ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ ગ્રાહક હિતોનું રક્ષણ એ માત્ર કાયદાકીય પ્રક્રિયા નહીં પરંતુ સુશાસનનો એક ભાગ બની ગઈ છે. આ જ વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ગ્રાહક જાગૃતિ અને સુરક્ષાના ક્ષેત્રમાં અનેક નવતર આયામો સર કર્યા છે. આગામી તા.૧૫ માર્ચ,૨૦૨૬ના રોજ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ‘ની રાજ્યકક્ષાની ભવ્ય…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો દિવ્યાંગજનો પ્રત્યે સંવેદના સ્પર્શી અભિગમ –મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરથી રાજ્યના દિવ્યાંગજનોનું રોજિંદુ જીવન વધુ સરળ અને સુગમ બનશેસાદી જોયસ્ટિક વ્હીલચેરના સ્થાને ફોલ્ડીંગ જોયસ્ટિક વ્હીલચેર માટે1.10લાખ સહાય આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો દિવ્યાંગ હિતકારી નિર્ણયમસ્ક્યુલર ડ્રીસ્ટ્રોફી પ્રકારની દિવ્યાંગતાના સહાય લાભ મેળવવાની લાભાર્થીની પાત્રતા વય મર્યાદા18થી ઘટાડીને10વર્ષ કરવામાં આવીઅમદાવાદ, દિવ્યાંગજનો પોતાના રોજિંદા કામકાજ સરળતાથી કરી શકે તેમજ તેમને એક સ્થળેથી બીજા સ્થળે અવરજવરમાં સુગમતા રહે તેવા દિવ્યાંગ હિત અભિગમથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે દિવ્યાંગજનો માટે મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર આપવાની યોજના શરૂ કરી છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 34જિલ્લાઓના4000દિવ્યાંગજનોને પ્રથમ વખત મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ…
