૧૨ માળની ઊંચાઈ ધરાવતો પુલ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે સાબરમતી નદી પર બની રહ્યો છેઅમદાવાદ: મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ હેઠળ સાબરમતી નદી પર એક અત્યાધુનિક પુલનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટમાં અનેક મહત્વના બાંધકામ લક્ષ્યાંકો સિદ્ધ કરી લેવામાં આવ્યા છે, જે આ મહત્વકાંક્ષી કોરિડોર માટે એક મોટી સિદ્ધિ ગણાય છે.પુલના માળખાને મજબૂત બનાવવા માટે ખાસ પ્રકારની એન્જિનિયરિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે:બાંધકામ દરમિયાન સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ અવિરત ચાલુ રહે તે માટે વિશેષ કાળજી લેવામાં આવી છે. કામચલાઉ પાળા (Embankments) માં ‘હ્યુમ પાઇપ કલ્વર્ટ્સ’ (Hume pipe culverts) ફીટ કરવામાં આવ્યા છે…
Author: gujarat
એન્વુ ઇન્ડિયાએ ભારતના જાહેર આરોગ્ય નેતૃત્વને એકત્ર લાવતા રાષ્ટ્રીય સંમેલનને સમર્થન આપ્યું — શહેરી વેક્ટરજન્ય રોગ નિયંત્રણને ગતિ આપવા દિશામાં મહત્વપૂર્ણ પગલુંભારતના શહેરો વેક્ટરજન્ય રોગોના જોખમનું કેન્દ્ર: એન્વુ ઇન્ડિયાના અરુણ કુમારભારતીય મેલેરિયા અને અન્ય સંક્રમક રોગ સંસ્થા (ISMOCD) દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સહયોગથી આયોજિત બે દિવસીય વૈજ્ઞાનિક સંમેલનમાં શહેરી પેસ્ટ મેનેજમેન્ટ અને વેક્ટર નિયંત્રણમાં થયેલા નવા વિકાસ પર ચર્ચા કરવામાં આવી અને ભારતના શહેરો માટે વિજ્ઞાન આધારિત માર્ગદર્શિકા નક્કી કરવામાં આવીતા. 29 એપ્રિલ 2026 | અમદાવાદ: શહેરી પેસ્ટ મેનેજમેન્ટ અને વેક્ટર નિયંત્રણ ક્ષેત્રે થયેલા નવા વિકાસ વિષયક રાષ્ટ્રીય ટેકનિકલ સંમેલન 28 એપ્રિલ 2026ના રોજ અમદાવાદમાં પૂર્ણ થયું. આ સંમેલનમાં…
સ્થળાંતર કરતા પરિવારો અને તેમના બાળકોને શિક્ષણની મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો અને જેઓ શાળાકીય શિક્ષણથી વંચિત રહી જાય છે તે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્યઅમદાવાદ, 28 એપ્રિલ 2026: અમદાવાદના મોરૈયા ઔદ્યોગિક વિસ્તારમાં સ્થળાંતરિત શ્રમિકોના બાળકો માટે એક નવા ‘અર્લી ચાઈલ્ડહુડ ડેવલપમેન્ટ કેર એન્ડ એજ્યુકેશન’ (ECDCE) કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય કામની શોધમાં સતત સ્થળાંતર કરતા પરિવારો અને તેમના બાળકોને શિક્ષણની મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો છે, જેઓ ઘણીવાર શાળાકીય શિક્ષણથી વંચિત રહી જાય છે.મોરૈયા ગામના કેસર સિટી ખાતે શરૂ કરાયેલું આ કેન્દ્ર 3 થી 6 વર્ષની વયના બાળકો માટે શિક્ષણ, પોષણ અને સંભાળ માટે એક વ્યવસ્થિત માળખું પૂરું…
અમદાવાદ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના 28 એપ્રિલે પરિણામો લગભગ બપોર પછી જાહેર થઈ જશે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કુલ 10 હજાર 5 સીટમાંથી 732 સીટ બિનહરીફ થઈ ચૂકી છે. શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ જીત તરફ છે.ગુજરાત રાજ્યની 15 મહા નગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 26,196 બેઠકો પર ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલ, 2026ના રોજ આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું.અમદાવાદના ગુજરાત કોલેજ ખાતે મત ગણતરી કરવાની પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી ચાલુ થઈ ગઈ છે.…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ 28-04-2026ના રોજ મંગળવાર બપોર સુધીમાં જાહેર થઈ જશે. આ સાથે જ નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક 10 દિવસની અંદર બોલાવવામાં આવે તેવી સંભાવના છે. આ બેઠકમાં જ મેયર અને ડેપ્યુટી મેયરની વરણી પણ કરવામા આવશે.રોટેશન મુજબ, નવી ટર્મના પહેલા અઢી વર્ષ માટે મેયર ઓ.બી.સી. વર્ગના હશે. મેયર પદના પ્રબળ દાવેદાર તરીકે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ અને પૂર્વ એ.એમ.ટી.એસ. ચેરમેન ધરમશી દેસાઈના નામ સૌથી આગળ છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વિજેતા જાહેર થનારા તમામ ૧૯૨ ઉમેદવારો તે જે વોર્ડમાંથી ચૂંટણી જીત્યા હોય તે અંગેનુ સર્ટિફિકેટ કલેકટર કચેરીમાંથી મેળવી મ્યુનિસિપલ સેક્રેટરી સમક્ષ જમા કરાવવા પડશે.નવી ટર્મની પહેલી…
(એજન્સી)કોલકાતા, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના અંતિમ તબક્કા પહેલા બેરેકપુરમાં યોજાયેલી વિશાળ રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ રેલી ભાજપ માટે મહત્વપૂર્ણ અંતિમ પ્રચાર સભા તરીકે જોવામાં આવી રહી છે, વડાપ્રધાને રેલીની શરુઆતમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં તેમની અંતિમ સભા છે.તેમણે કહ્યું કે, હું જ્યાં-જ્યાં ગયો ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, બંગાળના લોકોનો મેં જે મિજાજ જોયો છે, તેનાથી એ વિશ્વાસ લઈને પાછો જઈ રહ્યો છું કે ૪ મેના પરિણામો પછી ભાજપના શપથ ગ્રહણ સમારોહમાં મારે આવવાનું જ છે.રેલી દરમિયાન પીએમ મોદીએ પોતાના ભાષણમાં પશ્ચિમ બંગાળ સાથેના…
અમદાવાદ, અમદાવાદના કલગી ચાર રસ્તા પાસે ગત મોડી રાતે બેફામ ગતિએ આવતી એક કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.નશાની હાલતમાં હોવાનું મનાતા યુવકોએ એક ઈકોને જોરદાર ટક્કર મારતા ગાડી રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઈકોમાં સવાર એક મહિલા અને પુરુષને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર, અકસ્માત એટલો ભીષણ હતો કે પૂરપાટ ઝડપે આવતી કારની ટક્કર વાગતા જ ઈકો ફંગોળાઈને આખી પલટી મારી ગઈ હતી. ઈકોમાં સવાર મુસાફરો લોહીલુહાણ હાલતમાં અંદર ફસાયા હતા.અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલ મોકલી…
ભાવનગર, ભાવનગર જિલ્લાના મહુવા ખાતે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન એક હિંસક ઘટના સામે આવી છે. લોકશાહીના પર્વ સમાન મતદાનના દિવસે જ શહેરના નવા બસ સ્ટેશન વિસ્તારમાં મતદાન કરીને પરત ફરી રહેલા એક યુવાનની બે અજાણ્યા શખ્સો દ્વારા છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.મૂળ અમરેલી જિલ્લાના રાજુલાનો વતની અને હાલ મહુવા ખાતે કામગીરી અર્થે રહેતો સમીરભાઈ સાલેભાઈ યાફાઈ નામનો ૨૬ વર્ષીય યુવાન આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે ગયો હતો.મતદાન પ્રક્રિયા પૂર્ણ કરીને જ્યારે તે નવા બસ સ્ટેશન વિસ્તાર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અગાઉથી જ તકની રાહ…
અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા નજીક શાંગ્રીલા આર્કેડમાં આગની ઘટના: 50 લોકોનું રેસ્ક્યુઅમદાવાદ. (પ્રતિનિધિ) અમદાવાદ શહેરના શ્યામલ ચાર રસ્તા નજીક આવેલ શાંગ્રીલા આર્કેડના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે 27 એપ્રિલની સવારે અંદાજે 10:15 વાગ્યે આગની ઘટના સર્જાઈ હતી. બિલ્ડિંગમાં આગ લાગી હોવાની જાણ ફાયર વિભાગને એક સ્થાનિક દ્વારા કરવામાં આવી હતી. ફાયર કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.આ ઘટનામાં બિલ્ડિંગના પહેલાથી ચોથા માળ સુધી આગ અને ધુમાડો ફેલાઈ જતા અંદાજે 50 જેટલા લોકો અંદર ફસાયા હતા, જેમને ફાયર સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.જો કે, આગની અસરથી ચાર મહિલાઓ ધુમાડાના કારણે બેભાન…
