મામલતદારને આવેદન, હરસોલી ચોકડી પાસે ઉત્તમ ડેરી પર પશુપાલકોએ સૂત્રોચાર કર્યાદહેગામ, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં દૂધ સ્વીકાર મુદ્દે પશુપાલકો અને અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ વચ્ચે સર્જાયેલો વિવાદ ઉગ્ર બની રહ્યો છે. ગાંધીનગર જિલ્લા સંઘની મધુર ડેરીમાં દૂધ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકાતા તાલુકાના પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મુદ્દે મંગળવારે રાત્રે પશુપાલકોએ દહેગામની નેહરુ ચોકડી પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. રોષે ભરાયેલા પશુપાલકોએ ચેતવણી આપી છે કે, જો માગણીઓ તાત્કાલિક સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.દરમિયાન બુધવારે સવારે પશુપાલકોએ ફરીથી વિરોધ…
Author: gujarat
ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટણી કમિશ્નરો અને કેટલાક વકીલ ઉમેદવારો વચ્ચે ઐતિહાસિક કાનુની જંગ વચ્ચે મત ગણતરી શરૂ થઈ, પરંતુ બેલેટ બોકસ લઈ જતી ટ્રક બીનવારસી જણાતા વિડિયો વાયરલ થતાં અફવા ફેલાઈ જે વકીલોના ઉશ્કેરાટનું કારણ બની ?! જવાબદાર કોણ ?!ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય અને ઉમેદવાર પરેશભાઈ વાઘેલા, જોઈન્ટ કમિશ્નર મિલનભાઈ પટેલના કહેવાથી શંકાનું સમાધાન કરાવવા ટ્રક પર ચઢયા ને તેમને નોટિસ મળી ?!તસ્વીર ગુજરાત યુનિર્વિસટીના પટાંગણમાં આવેલા “અટલ કલામ” હોલ પાસેની છે ! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ શાંતિથી અને સરળતાથી પૂર્ણ થઈ ગઈ હતી ! કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી !આ ચૂંટણી કમિશ્નરશ્રીઓ સર્વ શ્રી હસમુખભાઈ…
ગૃહ વિભાગ ગુજરાતની ઢાલ છે અને ન્યાય તંત્ર એ રાજદંડઃ ડેપ્યુટી સીએમ સંઘવીચાર વર્ષમાં પોકસોના કેસમાં ૯૦૭ ગુનેગારોને આજીવન કેદ, ૧૪ને ફાંસીની સજા-બુલડોઝરથી રૂ.ર,રપ૬ કરોડની જમીન મુકત કરાઈઃ કોન્સ્ટેબલ માટે ર૦,૪૦૦ આવાસ બનાવાશે(એજન્સી)ગાંધીનગર, ગૃહ અને કાયદા-ન્યાયતંત્ર વિભાગોની કુલ રૂ.૧૬,૯૬૭ કરોડનો અંદાજપત્રીય માંગણી બજેટને વિધાનસભામાં પસાર કરાવશે વેળાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અસામાજીક તત્વો તેમજ ભુમાફીયાઓને ઉપર દાદરનું બુલડોઝર ફરરતા રૂ.ર,ર૪૬ કરોડની સરકારી જમીન મુકત કરાયાનું કહયું હતું આ સાથે જ ઝડપથી પોલીસ કોન્સ્ટેબલ સિપાઈ પરીવાર સાથે પોલીસ સ્ટેશન નજીક રહી શકે તે માટે એક સાથે ર૦,૪૦૦ આવાસો બાંધવા માટે આયોજન હોવાનું પણ તેમણે જાહેર કર્યું હતું. જે બે રૂમ રસોડાના…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં બ્રિટીશ ડેપ્યુટી હાઈ કમીશન અને ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે કોમનવેલ્થ ડે નીમીતી ઉચ્ચ સ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકનો મુખ્ય ઉદેશ્ય યુકે ગુજરાત કોમનવેલ્થ હેઠળ રમતગમત સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્કચર અને ઈનોવેશન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો છે. અમદાવાદ જયારે વર્ષ ર૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા તરફ આગળ વધી રહયું છે.ત્યારે બ્રિટીશ કંપનીઓએ આ કાર્યક્રમમાં અત્યાધુનીક સોલ્યુશન અને વિશ્વસ્તરીય રમતગમત માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે પોતાની તત્પરતા દર્શાવી છે. યુકે પાસે મોટા પાયે આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓના આયોજનનો બહોળો અનુભવય છે. જેનો લાભ ગુજરાતના સ્પોર્ટસ ઈકો સીસ્ટમ મળશે.આ પ્રસંગે ગુજરાત રમતગમત અને સાસકૃતિક પ્રવૃત્તિઓના મંત્રી ડો. જયરામભાઈ ગામીતે આ સહયોગને…
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મેડિકલ બિલના નવા નિયમો આવ્યા -ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે : કુટુંબની વ્યાખ્યામાં બીજી પત્નીનો સમાવેશ કરવામાં આવ્યો નથીગાંધીનગર, રાજ્ય સરકાર દ્વારા અધિકારી કર્મચારીના મેડિકલ બીલ માટે કુટુંબની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. તબીબી સારવારના ખર્ચના હેતુ માટે હવેથીકુટુંબ’ માં કોનો સમાવેશ થશે તેની સ્પષ્ટતા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કુટુંબની વ્યાખ્યામાં સરકારી અધિકારી કે કર્મચારી પોતે અને તેના પર નિર્ભર સભ્યોનો સમાવેશ કરાયો છે. જો કે આ વ્યાખ્યામાં સગીર વયના જ સભ્યોનો સમાવેશ કરાયો છે.આ અંગે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. મહત્વની બાબત છે કે, કુટુંબની…
(એજન્સી)જૂનાગઢ, જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર આવેલા આદ્યશક્તિ મા અંબાના મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની મહેફિલ જામી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન આ પવિત્ર જગ્યાએ નીચ હરકત કરનારા કર્મચારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે.શું છે સમગ્ર મામલો? સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા કથિત વીડિયોમાં બેથી ત્રણ લોકો બેફામ ગાળાગાળી કરતા, દારૂ પીતા અને માંસાહાર કરતા જોવા મળ્યા હતા. આ મામલો વહીવટી તંત્રના ધ્યાને આવતા જ કલેક્ટર અને મામલતદારની સૂચનાથી તાત્કાલિક તપાસ હાથ ધરાઈ હતી.પ્રાથમિક તપાસમાં તથ્ય જણાતા મંદિરની ગરિમા લજવનારા કિશોરસિંહ ચૌહાણ, તુષારગીરી ગૌસ્વામી, પ્રિન્સ ઠાકર, ગૌસ્વામી…
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના ટ્રાફિક માટે મહત્ત્વનો ગણાતો સુભાષ બ્રિજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૩૫ કરોડ રૂપિયાના ખર્ચે નવો અને મોર્ડન બ્રિજ બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જૂના બ્રિજનો સ્પાન બેસી જતાં તેને જોખમી જાહેર કરી તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં આ નવો પ્રોજેક્ટ પૂર્ણ કરી જનતા માટે ખુલ્લો મૂકવાનું લક્ષ્ય કોર્પોરેશનનું છે.મળતી માહિતી અનુસાર, આગામી પહેલી એપ્રિલથી ૧૫મી જૂન સુધીના અઢી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી રાખવામાં આવશે. સિંચાઈ વિભાગ દ્વારા વાસણા બેરેજના ૩૦ પૈકી ૧૮ દરવાજા નવા નાખવા અને અન્યમાં રિપેરિંગની કામગીરી કરવાની હોવાથી નદીનું પાણી છોડી દેવાશે.નદી ખાલી હોવાનો સીધો ફાયદો કોર્પોરેશનને મળશે,…
(એજન્સી)ભાવનગર, ઉનાળાની ઋતુ અને કેસર કેરી… આ બંનેનો સંબંધ જાણે એકબીજા વગર અધૂરો છે. પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કેસર કેરીના પાક પર વાતાવરણનો માઠો પ્રભાવ પડતો જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લાના સોસિયા, મહુવા અને ઘોઘા પંથક સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ખેડૂતો વર્ષોથી આંબાની ખેતી કરી રહ્યા છે.સામાન્ય રીતે આંબામાં વહેલો મોર બેસે અને ત્યારબાદ નાની નાની કેરીઓ આવવાની શરૂઆત થાય છે. પરંતુ આ વર્ષે વાતાવરણમાં સતત આવતા ફેરફારોને કારણે આંબામાં પૂરતો મોર બેસ્યો નથી. બીજી તરફ અનેક આંબામાં નવા પાન અને ડાળીઓ ફૂટી નીકળતા ખેડૂતોમાં ચિંતા વધી છે.જ્યારે આંબામાં નવા પાન અને ડાળીઓ આવે છે ત્યારે આંબાનું…
મહેસાણાની દૂધસાગર ડેરીના ગેસ પુરવઠામાં ૪૦ ટકાનો કાપ મૂકાશે તેવું જાણવા મળ્યુ છે?ગેસની અછત સર્જાતા હવે ડેરી પ્લાન્ટ પણ બંધ કરવા પડે તેવા સંકેત -પ્રોપેન ગેસની સપ્લાય બંધ થવા સિરામીક સહિત અન્ય ઉદ્યોગોએ તાળા મારવા પડે તેવી સ્થિતિ(એજન્સી)અમદાવાદ, કોમર્શિયલ ગેસના પૂરવઠાની અછત સર્જાતા હોટલ-રેસ્ટોરન્ટ, કેટરિંગ ઉદ્યોગની મુશ્કેલી વધી છે. જ્યારે પ્રોપેન ગેસની અછત સર્જાતાં સિરામિક ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. મહેસાણા સહિત અન્ય ડેરી પ્લાન્ટમાં અપાતાં ગેસ પુરવઠામાં ૪૦ ટકાનો કાપ મૂકાયો છે, ત્યારે ડેરી પ્લાન્ટ બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.મિડલ ઈસ્ટમાં યુદ્ધ હવે ડેરી ઉદ્યોગને પણ નડે તેવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે.ઈરાન સામે ઇઝરાયલ-અમેરિકાના…
રાજસ્થાનની મહિલાની મગજ સુધી વિસ્તરેલી ગાંઠ સફળતાપૂર્વક દૂર કરાઈ, તો વાપીના યુવાનને કિડનીમાં 10 સેમીની ગાંઠથી રાહત મળીસિવિલ હોસ્પિટલ જટિલ અને ગંભીર બીમારીઓની સારવાર માટે અદ્યતન ટેકનિક અને અનુભવી નિષ્ણાતોની ટીમ સાથે દર્દીઓની સેવામાં સતત પ્રતિબદ્ધ :- ડૉ. રાકેશ જોશી, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલઆલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદઅમદાવાદની સિવિલ હોસ્પિટલે ફરી એકવાર તેની તબીબી શ્રેષ્ઠતા સાબિત કરી છે. હોસ્પિટલના ENT અને યુરોલોજી વિભાગના ડોક્ટરો દ્વારા બે જટિલ અને દુર્લભ કિસ્સાઓમાં સફળ સર્જરી કરી દર્દીઓને નવી આશા પૂરી પાડવામાં આવી છે.પ્રથમ કિસ્સામાં રાજસ્થાનની મહિલા છેલ્લા ત્રણ વર્ષથી ગળાની ગાંઠથી પીડાતી હતી. આ વિશે સિવિલના ENT વિભાગના વડા ડૉ.…
