સાબરકાંઠાના સલાલ ખાતે મુખ્યમંત્રીએ ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન કર્યું-અંદાજિત ૮ કરોડના ખર્ચે સાબરકાંઠામાં ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક વિકસાવવામાં આવ્યોટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કની મુલાકાત લઇ પાર્કના ભૌગોલિક અને ખગોળશાસ્ત્રીય મહત્વ વિશે જાણકારી મેળવતા મુખ્યમંત્રીસાબરકાંઠા જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠાના સલાલ ખાતે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા,શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા તેમજ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કની મુલાકાત લઇ પાર્કના ભૌગોલિક અને ખગોળશાસ્ત્રીય મહત્વ વિશે જાણકારી મેળવીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો…
Author: gujarat
ઉનાળામાં ગુજરાતના નાગરિકોને પીવાનું અને સિંચાઈ માટેનું પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારનું આગોતરું આયોજન*ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં ૪.૧૫ ટકા વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ**ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં ૭૪ ટકાથી વધુ પાણીનો સંગ્રહ*ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,ઉનાળાની સિઝનમાં રાજ્યના પ્રત્યેક નાગરિકને પીવાનું અને ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે તે માટે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની માહિતી મેળવી હતી.આ અંગે વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે,ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ કુલ…
(એજન્સી)ભાવનગર, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કમાં રવિવારના રોજ સાયબર ગઠિયાઓએ મોટું કૌભાંડ આચર્યું હોવાની વિગતો સામે આવી છે. બેન્કની સિસ્ટમ હેક કરીને અજાણ્યા શખ્સો દ્વારા કરોડો રૂપિયાની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.આ ઘટનાને પગલે બેન્ક તંત્રમાં દોડધામ મચી ગઈ છે.મળતી માહિતી અનુસાર, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કની વિવિધ ૮૮ શાખાઓમાં ૧.૨૫ લાખ ખાતેદારોની કરોડોની થાપણો પડેલી છે. ગત રવિવારે સાયબર ગુનેગારોએ અત્યાધુનિક પદ્ધતિથી બેન્કની સંપૂર્ણ સિસ્ટમ અને ડેટા સિક્યુરિટીને ક્રેક કરી દીધી હતી.હેકર્સ દ્વારા તળાજા, ભરતનગર, સુભાષનગર અને સિદસર સહિતની શાખાઓમાંથી અંદાજે સાત કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.સોમવારે જ્યારે બેન્ક શરૂ થઈ ત્યારે સિસ્ટમ ખોલતાની…
પોલીસ અને ફાયરની ટીમે તપાસ કરી હતી(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા થોડા મહિનાઓથી શાળા, કોર્ટ, પોસ્ટ ઓફિસની કચેરીઓમાં બ્લાસ્ટ થવાના ધમકીભર્યા ઈમેલ મળી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ખરેખર એક ભેદી ધડાકો થયો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં આવેલા એક પાર્સલમાં ભેદી ધડાકો થયો છે.જોકે, આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરના પાલડી વિસ્તારમાં અનેક ટ્રાવેલ્સની કંપનીઓ આવેલી છે.અહીં એક ટ્રાવેલ્સની કંપનીની બહારની બાજુએ અચાનક પાર્સલ બ્લાસ્ટ થયો છે. પાલડી વિસ્તારમાં આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં આવેલા એક પાર્સલમાં ભેદી ધડાકો થયો છે. જોકે, આ…
(એજન્સી)ગાંધીનગર, માર્ચ મહિનાની શરૂઆત સાથે જ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને વટાવી ગયો છે. ગરમીના આ વધતા પ્રકોપ વચ્ચે શહેરના માર્ગો પર લીંબુ શરબત, શિકંજી, લીંબુ સોડા અને શેરડીના રસ જેવા ઠંડા પીણાંના સ્ટોલ તથા લારીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.લીંબુની માંગમાં થયેલા અચાનક વધારાને કારણે, સામાન્ય રીતે એપ્રિલમાં જોવા મળતો ભાવવધારો આ વર્ષે માર્ચમાં જ જોવા મળી રહ્યો છે, જેમાં લીંબુનો ભાવ પ્રતિ કિલો ૨૦૦થી ૨૫૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. નવાઈની વાત એ છે કે, વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જમાલપુર યાર્ડમાં લીંબુની આવક ગત વર્ષ કરતા ૨૦% વધી હોવા છતાં, ભાવમાં થયેલો આ…
આયુષ્માન ભારત યોજના હેઠળ સાત વર્ષમાં 75,617 લાભાર્થીઓએ લીધી સેવા(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એન.એચ.એલ. મેડિકલ કોલેજ સંચાલિત એસવીપી હોસ્પિટલમાં વર્ષ 2019થી લઈને વર્ષ 2025 દરમિયાન દર્દીઓની સારવાર તેમજ વિવિધ તબીબી સેવાઓમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.હોસ્પિટલના સ્થાપના વર્ષ 2019ની તુલનામાં વર્ષ 2024 અને વર્ષ 2025 દરમિયાન OPD, IPD તેમજ સર્જરી સેવાઓમાં સતત વૃદ્ધિ જોવા મળી છે, જે શહેરના નાગરિકોમાં હોસ્પિટલ પ્રત્યે વધતા વિશ્વાસને દર્શાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હોસ્પિટલમાં આધુનિક તબીબી સુવિધાઓ, વિશેષજ્ઞ ડોક્ટરો તથા વિસ્તૃત સારવાર સેવાઓ ઉપલબ્ધ થતાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.OPD (Out-Patients) સેવાઓની વાત કરીએ તો વર્ષ 2019થી 2025 દરમિયાનના સાત વર્ષના સમયગાળામાં 14,53,638…
અમદાવાદમાં આગામી 7 દિવસ ગરમીનો માર : પ્રથમ દિવસે હીટવેવની શક્યતા, AMCનો હીટ એક્શન પ્લાન સક્રિય(પ્રતિનિધિ) અમદાવાદ, ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા શહેરમાં ગરમીને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 7 દિવસ ગરમીનો પારો કેટલો રહેશે તે જણાવવામાં આવ્યું છે. IMDના અનુમાન મુજબ આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં તાપમાન ઊંચું રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને શરૂઆતના દિવસે હીટ વેવ જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે.હવામાન વિભાગના અનુમાન અનુસાર 12થી 18 માર્ચ 2026 દરમિયાન અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન આશરે 39 ડિગ્રી થી 41 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી થી 24 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના દર્શાવવામાં…
અમદાવાદ , ઇસનપુર વિસ્તારમાં સંયુક્ત પરિવારમાં રહેતી એક પરિણીતાને તેના જેઠે શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હતી. પરિણીતાએ આ માગણી નકારી દીધી હતી. તેમ છતાં, બીજી વખત ઘરમાં ભાભી એકલી હોવાનું જાણીને જેઠે ફરીથી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું અને બળજબરી કરીને તેણીના કપડા ફાડી નાખ્યા.આ ઘટનાની જાણ પતિને થતા દંપતીએ મળીને જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.શહેરના ઇસનપુર વિસ્તારમાં ભાભી અને જેઠના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. ૨૪ વર્ષીય પરિણીત સ્ત્રી તેના પતિ, સાસુ અને જેઠ સાથે સંયુક્ત પરિવારમાં રહે છે.તેણીનો પતિ સામાન્ય નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.કેટલાક દિવસ…
અમદાવાદ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા પ્રશ્નપત્રોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઉમેરવામાં આવેલી ટેકનિકલ સુવિધા (ફિચર) જ ચર્ચાનું કારણ બની છે.સીબીએસઈએ પ્રશ્નપત્રોમાં મૂકેલા ક્યુઆર કોડ સ્કેન કરતાં કેટલાક પ્રશ્નપત્રોમાં અંગ્રેજી ગીતનો વીડિયો શરૂ થતો હોવાનું જણાયું હતું. આ ક્યુઆર કોડ પ્રશ્નપત્રની અસલિયતની ચકાસણી માટે મૂકવામાં આવ્યા હતા. પરંતુ કોડ સ્કેન કરતાં યૂટ્યૂબ પર અંગ્રેજી ગીત શરૂ થતા પ્રશ્નપત્ર સાચું છે કે કેમ તે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મુંઝવણ સર્જાઈ હતી. જોકે બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પ્રશ્નપત્ર સંપૂર્ણપણે અસલી છે અને તેની સુરક્ષા અથવા ગોપનીયતા સાથે કોઈ પ્રકારનો ભંગ થયો નથી.સાથે જ ભવિષ્યમાં આવી તકનીકી ભૂલો ન બને તે…
રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીને રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રીનો જવાબ11 માર્ચ,2026:કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી માટે રૂ. 47,236 કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી શ્રી નીતિન ગડકરીએ 11 માર્ચ,2026ના રોજ રાજ્યસભામાં આ માહિતી આપી હતી.શ્રી નથવાણીએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર વસૂલવામાં આવેલા ટોલ અને તે જ સમયગાળા દરમિયાન રાજ્યમાં નેશનલ હાઇવેના બાંધકામ અને જાળવણી માટે રાજ્યને…
