Author: gujarat

મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જીનો જથ્થો ઉપલબ્ધમધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે ઉદભવતા વર્તમાન સંજોગોમાં સમગ્ર રાજ્યમાંLPGસિલિન્ડરોના અવિરત વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્‍દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો તથા મોનિટરીગ કરવામાં આવી રહેલ છે.મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને,રાજ્યમાં ઉપલબ્ધLPGસ્ટોકનું પરિવહન અને કાર્યક્ષમ રીતે વિતરણ માટે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી નો જથ્થો ઉપલબ્ધ છે. એમ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયુ છે.ગુજરાત રાજ્યમાં30%ઘરેલુ ગેસPNG GAS PIPELINEમારફત પૂરો પાડવામાં આવે છે.PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ગુજરાત રાજ્યની પરિસ્થિત વધારે સારી છે.રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેના એલ.પી.જી નો…

Read More

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં ‘પોષણ ટ્રેકર’ અને AIથી આંગણવાડીઓનું ડિજિટલ મોનિટરિંગ :*NFHS-5ની સરખામણીએ જાન્યુઆરી-૨૦૨૬ સુધીમાં રાજ્યમાં કુપોષણના દરમાં ૨૮.૩૦ ટકા સુધીનો નોંધપાત્ર ઘટાડો: મંત્રીશ્રી**આંગણવાડીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એટેન્ડન્સ સિસ્ટમ અને ઈમેજ પ્રોસેસિંગ માટે રૂ.૫ કરોડની જોગવાઈ**ગુજરાત દેશમાં ૩૭.૪ ટકાના સર્વાધિક ‘જેન્ડર બજેટ’ સાથે પ્રથમ ક્રમે**બાળકોનું સ્વાસ્થ્ય એ કોઈ પક્ષનો નહીં પણ સમગ્ર સમાજનો વિષય:‘સુપોષિત ગુજરાત‘થી‘મજબૂત ભારત‘ના નિર્માણમાં સૌને સાથે મળીને કામ કરવા મંત્રીશ્રીનો અનુરોધ*Gandhinagar, વિધાનસભા ગૃહમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની રૂ. ૭,૬૮૯.૮૪ કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ ચર્ચામાં સહભાગી થતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલે વિભાગની સિદ્ધિઓનો ચિતાર રજૂ કર્યો હતો. મંત્રીશ્રીએ…

Read More

તળાવનાં પાણીમાં ઓક્સિજનનુ પ્રમાણ વધશે અને માછલી, કાચબા સહિતના જળચર જીવતા રહી શકશે તેમજ લીલ અને જળકુંભી જેવી બિનજરૂરી વનસ્પતિ ઉપર અંકુશ આવશે.(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલાં ૧૪૫ જેટલાં નાના મોટા તળાવોને ઇન્ટરલીંક કરીને તેમજ મીની એસટીપી મુકીને બારેમાસ પાણીથી ભરવાનાં આયોજનનાં ભાગરૂપે તળાવોમાં ભરાયેલાં પાણીની ગુણવત્તા સુધારવા તેમજ લીલ-જળકુંભી જેવી બિનજરૂરી વનસ્પતિ ઉત્પન્ન થાય નહિ તે માટે નેનો બબલ ટેકનોલોજી સહિત ત્રણેક પ્રકારની ટેકનોલોજીનાં ઉપયોગનાં પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આ‌વી છે. મ્યુનિ.નાં નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ (એનઆરસીપી) દ્વારા આ પ્રકારની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.શહેરના સાત ઝોનમાં હાલનાં તબક્કે ૪૧ તળાવોને નાગરિકોને હરવા-ફરવાનાં સ્થળ તરીકે ડેવલપ કરી દેવાયાં…

Read More

સાબરકાંઠાના નવલપુર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાને રૂ. ૭૨ કરોડના ૧૯૯૯ વિકાસકામોની ભેટ ધરીસાબરકાંઠાને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી માટે પ્રતિષ્ઠિત ‘સ્કૉચ એવોર્ડ‘ની સિદ્ધિ બદલ જિલ્લાને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીશ્રીમુખ્યમંત્રીશ્રી:– સરકારી કામને પોતાનું સમજીને કરવામાં આવે તો તેની ગુણવત્તા અને આયુષ્ય આપોઆપ વધી જાય છે– નવલપુર ગામને મહિલા સશક્તીકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યુંનવલપુર, સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના વિકાસમાં એક નવું સોપાન ઉમેરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે તલોદ તાલુકાના આદર્શ ગામ નવલપુર ખાતેથી અંદાજે રૂ. ૭૨ કરોડના કુલ ૧૯૯૯ જેટલા વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સાથો સાથ મુખ્યમંત્રીશ્રીએ નવલપુર ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગ તેમજ ગામના અમૃત સરોવર સ્થિત સરદાર પટેલના પ્રતિમાનું…

Read More

વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ધારાસભ્યશ્રીઓ સાથે‘એક કદમ યોગમય વિધાનસભા તરફ‘કાર્યક્રમ યોજાયોGandhinagar, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવાMLAઆવાસ,ગાંધીનગર ખાતે રાજ્યના ધારાસભ્યશ્રીઓ માટે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં એક વિશેષ યોગ સંવાદ કાર્યક્રમ “એક કદમ યોગમય વિધાનસભા તરફ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ “સ્વસ્થ ગુજરાત – મેદસ્વીતા મુક્ત ગુજરાત” અભિયાનના એક મહત્વપૂર્ણ ભાગરૂપે યોજાયો હતો,જેનો મુખ્ય હેતુ‘વિકસિત ગુજરાત,વિકસિત ભારત‘ના વિઝનને સાકાર કરવા માટે લોકપ્રતિનિધિઓના માધ્યમથી યોગને જન-આંદોલન બનાવવાનો છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ‘મન કી બાત‘કાર્યક્રમમાં વધતી જતી ઓબેસિટી -મેદસ્વીતા સામે ચિંતા વ્યક્ત કરી હતી. આ ચિંતાને ધ્યાને રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિધાનસભા સત્રમાં…

Read More

*ચીખલી તાલુકાના રૂમલા ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા સંદેશ* નવસારી જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા અને સ્વચ્છતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે સફાઈ અભિયાન તથા વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થઈ ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” અભિયાનને વેગ આપતા રાજ્યપાલશ્રીએ રૂમલા ગામમાં સભાસ્થળના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે એક વૃક્ષ ઉછેરવું એટલે અનેક જીવનોને જીવનદાન,તેમ જણાવી વૃક્ષનો નિયમિત ઉછેર તેમજ સારસંભાળ લેવાં પણ આહવાન કર્યું હતું. પર્યાવરણની સાથે જનસ્વાસ્થ્યનો વિચાર કરતા રાજ્યપાલશ્રીએ…

Read More

ખેતીની જમીનના વેચાણ માટે રપ વર્ષ અગાઉનો રેકોર્ડ ધ્યાને નહીં લેવાય(એજન્સી)ગાંધીનગર, મહેસુલ વિભાગમાં વિવિધ સંવર્ગની ૧પ૪૬ નવી જગ્યાઓ ઉભી કરવા બજેટમાં રૂ.૪૭ કરોડની જોગવાઈ કરાઈ છે. હાલ નાયબ મામલતદાર અને તલાટી સંવર્ગની ૪૧૩૩ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પ્રગતી હેઠળ છે. મહેસુલી કર્મચારીઓની ક્ષમતા નિર્માણ માટે ૪ કરોડ ફાળવ્યા છે.દીનદયાળ મોજણી અને મહેસુલી વહીવટસંસ્થા ને કેન્દ્ર દ્વારા સેન્ટર ઓફ એસકેલેન્સ નો દરજજો અપાયો છે. નવી કલેકટર કચેરીઓ મહેસુલી ભવન અને પ૬૦ સ્ટાફ કવાર્ટસે માટે પ૪પ કરોડની જોગવાઈ કરી છે.જે અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે નવી કલેકટર કચેરીના ભવન માટે ખેડા જીલ્લાના મહુધા મોરબી જીલ્લાના માળીયા અને ટેકરશા અમરેલી જીલ્લાના લાઠી આણંદ જીલ્લાના ઉમરેઠ…

Read More

(પ્રતિનિધિ) દમણ, કેન્દ્રશાસિત સંઘ પ્રદેશ દમણ દમણ જિલ્લાના દુણેઠા પંચાયતના બે વાર સરપંચ તરીકે સેવા આપી ચૂકેલા સવિતાબહેન ભરતભાઈ પટેલ હવે ભાંસલોર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે.દમણ જિલ્લાના દુણેઠા ગ્રામ પંચાયતમાંથી સતત બે ટર્મ સુધી સરપંચ તરીકે સેવા આપી ચૂકેલા સવિતાબેન ભરતભાઈ પટેલ હાલમાં ભાંસલોર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે. એમ કહી શકાય કે સતત ત્રીજી વખત સરપંચ બનીને, સવિતાબહેન ભરતભાઈ પટેલે તેમના દૂરંદેશી નેતૃત્વ દ્વારા મહિલા સશક્તિકરણનું ઉદાહરણ બેસાડ્‌યું છે.સરપંચ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, સવિતા ભરત પટેલે દુણેઠા પંચાયતને શ્રેષ્ઠ પંચાયત એવોર્ડ મેળવ્યો હતો. સરપંચ તરીકે, સવિતાબહેન પટેલે આરોગ્ય અને કૌશલ્ય વિકાસ દ્વારા…

Read More

૭૫ વર્ષીય વૃદ્ધ પિતાએ પોતાના જુવાનજોધ પુત્રની લાશ જોવાનો વારો આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. (પ્રતિનિધિ) ભરૂચ, વાગરા તાલુકાના પિશાદ ગામમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક અને સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. નજીવી બાબતે થયેલી તકરારે એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે પળવારમાં એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો.પિસાદ ગામના પંચાયત ફળિયામાં રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધ પિતા છગનભાઈ અંબાલાલ મકવાણાએ પોતાના જુવાનજોધ પુત્રની લાશ જોવાનો વારો આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ લોહિયાળ ઘટનામાં પિતાએ જ હુમલાખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે.ઘટનાની વિગતો મુજબ ગત તારીખ ૧૦/૦૩/૨૦૨૬ની રાત્રિના અગિયારેક વાગ્યાના સુમારે જ્યારે…

Read More

સાબરકાંઠાના સલાલ ખાતે મુખ્યમંત્રીએ ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન કર્યું-અંદાજિત ૮ કરોડના ખર્ચે સાબરકાંઠામાં ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક વિકસાવવામાં આવ્યોટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કની મુલાકાત લઇ પાર્કના ભૌગોલિક અને ખગોળશાસ્ત્રીય મહત્વ વિશે જાણકારી મેળવતા મુખ્યમંત્રીસાબરકાંઠા જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠાના સલાલ ખાતે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા,શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા તેમજ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્કની મુલાકાત લઇ પાર્કના ભૌગોલિક અને ખગોળશાસ્ત્રીય મહત્વ વિશે જાણકારી મેળવીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો…

Read More