અમદાવાદ-ગાંધીનગર કોરિડોરના મુસાફરો માટે ટ્રેનની ફ્રીકવન્સી વધશેગુજરાતમાં હાલ108કિમી મેટ્રો રેલ નેટવર્ક,આગામી વર્ષોમાં190કિમી સુધી વિસ્તરવાનો અંદાજઅમદાવાદ, ગુજરાત સરકારે34અત્યાધુનિક મેટ્રો ટ્રેનસેટ્સ માટે ઓર્ડર આપ્યો છે,જેમાં અમદાવાદ મેટ્રો ફેઝ-IIમાટે10ટ્રેનસેટ અને સુરત મેટ્રો માટે24ટ્રેનસેટનો સમાવેશ થાય છે. આ ટ્રેનો કોલકાતામાં ટીટાગઢની અદ્યતન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે બનાવવામાં આવી રહી છે,જે હાઇ-ટેક અર્બન મોબિલિટી સોલ્યુશન્સ ક્ષેત્રે ભારતની વધતી જતી આત્મનિર્ભરતા દર્શાવે છે. આ પહેલ ગુજરાતમાં જાહેર પરિવહન સુવિધાઓને તો મજબૂત કરશે જ,સાથે-સાથે દેશની ઉત્પાદન ક્ષમતાઓને પણ ઉજાગર કરશે. આ પહેલ રોજગાર અને કૌશલ્ય વિકાસની તકો પેદા કરશે તેમજ તેના થકી વિદેશી હૂંડિયામણની પણ બચત થશે.ઉલ્લેખનીય છે કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં મેટ્રો ટ્રેન…
Author: gujarat
કાયાકલ્પતરફવટવાસ્ટેશન:પુનર્વિકાસકાર્યઝડપીગતિએચાલુવટવારેલવેસ્ટેશનનુંબદલાતુંસ્વરૂપ:નવુંસ્ટેશનબિલ્ડિંગ, 40ફૂટપહોળોએફઓબીઅનેલિફ્ટજેવીઅદ્યતનસુવિધાઓથીથશેસજ્જપશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ મુસાફરોને સુરક્ષિત,સુગમ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આ જ દ્રષ્ટિકોણ હેઠળ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ અંતર્ગત વટવા રેલવે સ્ટેશનનું વ્યાપક પુનર્વિકાસ કાર્ય ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી રહ્યું છે. અંદાજિત₹33.64કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ કામોનો મુખ્ય હેતુ સ્ટેશનને માત્ર પરિવહન કેન્દ્ર તરીકે નહીં પરંતુ શહેરના આધુનિક “સિટી સેન્ટર” તરીકે વિકસાવવાનો છે.આ સાથે વટવામાં લગભગ3કિલોમીટર લાંબામેગા કોચિંગ ટર્મિનલના નિર્માણનો પણ પ્રસ્તાવ છે. તેના નિર્માણથી અમદાવાદ ક્ષેત્રમાં ટ્રેન સંચાલન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે તેમજ ભવિષ્યમાં અનેક નવી ટ્રેનોના સંચાલન માટે માર્ગ પ્રસસ્ત થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત લગભગ20નવી પરીક્ષણ (એક્ઝામિનેશન) લાઈનોઅને40થી વધુ સ્ટેબલિંગ લાઈનોનું…
ગાંધીનગર સ્થિત EQDC ખાતે માનનીય ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામિતના હસ્તે ઉર્જા લેબોરેટરી, કૉન્ફરન્સ રૂમ અને તાલીમ કેન્દ્રનું કરાયું ઉદ્ઘાટનનવી ઉર્જા લેબોરેટરી શરૂ થતાં આધુનિક ટેસ્ટિંગ તેમજ ગુણવત્તા મૂલ્યાંકન સેવાઓ વધુ સરળ બનશેનવું તાલીમ કેન્દ્ર MSME ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને ઇલેક્ટ્રિકલ-એનર્જી ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગોને માર્ગદર્શન અને ટેકનિકલ સપોર્ટ આપશેગાંધીનગર, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કાર્યરત ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ક્વોલિટી ડેવલોપમેન્ટ સેન્ટર (EQDC), ગાંધીનગર ખાતે ઉર્જા લેબોરેટરી, કોન્ફરન્સ રૂમ તથા તાલીમ કેન્દ્રનું માનનીય ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી ડો. જયરામભાઈ સી. ગામિતના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું. મંત્રીશ્રીએ ઈક્યૂડીસીની સુવિધાઓ અંગેની તકતીનું અનાવરણ કરી ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન બાદ મંત્રીશ્રીએ ઉર્જા લેબોરેટરીનું પ્રત્યક્ષ…
Øસ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે,એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે!Øસમાજમાંથી કુરિવાજો અને અંધશ્રદ્ધા દૂર કરવાનું મોટું કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું હતુંમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ‘અવસર‘માં ઉપસ્થિત રહ્યાઅમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જેતલપુર સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહામહોત્સવ ‘અવસર‘માં જણાવ્યું હતું કે આજે જેતલપુર ધામની સ્થાપનાને ૨૦૦ વર્ષ પૂર્ણ થયાં છે. સ્વામિનારાયણ ભગવાને પોતે આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હશે,એ દિવસ ભવ્ય અને દિવ્ય હશે! શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે પ્રાણ પ્રતિષ્ઠા કરીને સ્થાપેલા નવ મંદિરોમાંથી જેતલપુરનું મંદિર પાંચમું હતું,એવું તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિશ્વના સાંપ્રત પ્રવાહોમાં પણ ભારત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં…
નવી દિલ્હી: ૧૨-જામનગર લોકસભા ક્ષેત્ર (જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા) ના મીડિયાકર્મીઓ માટે તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભારતની લોકશાહીના સર્વોચ્ચ મંદિર સમાન ‘સંસદ ભવન’ અને ‘સંવિધાન સદન’ની વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગરના MP પુનમબેન માડમ હાજર રહ્યા હતા.આ મુલાકાત દરમિયાન પત્રકારોએએ સંસદની કાર્યપદ્ધતિ, તેના ઐતિહાસિક મહત્વ અને નૂતન સંસદ ભવનની ભવ્ય રચના વિશે અત્યંત ઉત્સાહપૂર્વક ઝીણવટભરી માહિતી મેળવી હતી. નવા સંસદ ભવન પાછળના ઉમદા ઉદ્દેશ્યો અને તેની અત્યાધુનિક વ્યવસ્થાઓ વિશે જાણીને સૌ પ્રતિનિધિઓ પ્રભાવિત થયા હતા.લોકશાહી અને જનતા વચ્ચે સંવાદ મજબૂત કરવાના મજબૂત ‘સ્તંભ’ તરીકે કાર્યરત મીડિયાકર્મીઓએ આ ભવ્ય વ્યવસ્થાને નિહાળી હતી. “બંધારણના પાલન અને જતન”…
ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી રાજધાનીની મુલાકાતે હતા જ્યાં ગુજરાતના મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.નવી દિલ્હી/અમદાવાદ, ૧૧ માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી (ડેપ્યુટી સીએમ તરીકે ઉલ્લેખિત) હર્ષ સંઘવીએ દિલ્હીથી પરત ફરતી વખતે એરપોર્ટ પર લોકો સાથે મુલાકાત કરી હતી. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથેની બેઠકો પૂર્ણ કરીને પરત ફરી રહેલા આ નેતાઓએ પ્રોટોકોલ બાજુ પર મૂકીને સામાન્ય લોકો સાથે વાતચીત કરી હોવાનું અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું.અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે બંને નેતાઓ ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર કોઈ પણ પ્રકારના ઔપચારિક પ્રોટોકોલ વગર મુસાફરો અને અન્ય નાગરિકોને મળ્યા હતા. તેઓ સામાન્ય જનતાની વચ્ચે…
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે દેશી પરિવારોને રાહત: સરકારની ગાઈડલાઈન મુજબ રિલાયન્સ ગેસ અને ઈંધણની પૂર્તિ સુનિશ્ચિત કરશેજામનગર, વૈશ્વિક ઊર્જા બજારોમાં અસ્થિરતા જોવા મળી રહી છે તેવા સમયે ભારતીય પરિવારો માટે આવશ્યક ઈંધણની અવિરત આપૂર્તી સુનિશ્ચિત કરવી એ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સરકારની માર્ગદર્શિકા મુજબ જામનગરમાં આવેલાવિશ્વના સૌથી મોટા સંકલિત રિફાઇનિંગ હબ –રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સમાંથીએલ.પી.જી.નું ઉત્પાદન વધારવા માટે સક્રિય પગલાં લઈ રહી છે. અમારી ટીમો રિફાઇનરીની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા અને એલ.પી.જી.ના ઉત્પાદનમાં વધારો કરવા માટે ચોવીસે કલાક કામ કરી રહી છે જેથી સ્થાનિક બજારમાં પુરવઠો સ્થિર અને ભરોસાપાત્ર રહે.એ સાથે જ રાષ્ટ્રીય ઊર્જાની પ્રાથમિકતા અને સરકારી માર્ગદર્શિકાને અનુરૂપકે.જી. ડી-6 બેઝિનમાંથી…
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઈમેલ મળતા તંત્રમાં હડકંપ મચી ગયો હતો.આ ઘટનાની જાણ થતાં જ ગોધરા બી-ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર પરિસરમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ ડોગ સ્ક્વોડને પણ બોલાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.મળતી માહિતી અનુસાર ગોધરા પોસ્ટ ઓફિસ અને તેમાં કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રને અજાણ્યા વ્યક્તિ દ્વારા ઈમેલ મોકલી બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલ મળતા જ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ભય અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા…
ફાયર ફાઈટરોની કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો, સદનસીબે જાનહાનિ ટળી(પ્રતિનિધિ) નડિયાદ, કઠલાલ તાલુકાના પીઠાઈ ગામની સીમમાં આવેલ એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કંપનીમાં રહેલો લાખો-કરોડોનો સામાન, મશીનરી અને કેમિકલનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ કઠલાલના પીઠાઈ વિસ્તારમાં આવેલી કંપનીમાં ગત રાત્રિના સમયે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાની સાથે જ ફેક્ટરીના પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પ્રાથમિક અંદાજ મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, પરંતુ આગે જોતજોતામાં સમગ્ર ફેક્ટરીને પોતાની ઝપેટમાં…
(પ્રતિનીધિ) અમદાવાદ, અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવા માટેની મંજૂરી આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છેજે દરમિયાન મંગળવારે સાંજના સમયે હાટકેશ્વર બ્રિજ ની પાસે બ્રિજ તોડવા માટે નીચે રેતી- કોંક્રિટ કોથળા મૂકવામાં આવ્યા હતા જે કોથળાઓ એક સાથે નીચે પડ્યા હતા. બ્રિજની નીચે લારી લઈને ઊભેલી એક મહિલા ઉપર રેતી- કોંક્રિટના કોથળા પડ્યા હતા જેમાં મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી અને તેના માલ સામાનને પણ નુકસાન થયું હતું.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર ઓવરબ્રિજને તોડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજના બંને તરફના છેડા તોડી પાડવામાં આવ્યા છે બ્રિજની વચ્ચેના…
