બારડોલીમાં રેલવે ઓવરબ્રિજ બનતાં આસપાસનાં ગામોના ૧.૨૫ લાખથી વધુ નાગરિકોને અવરજવરમાં સરળતા ઊભી થશેઅમદાવાદ, વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં રેલવે બ્રિજ અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે સમગ્ર રાજ્યમાં રેલવે ફાટક પરથી અવરજવર સુગમ બને તે માટે આગામી વર્ષ-૨૦૨૯ સુધીમાં સમગ્ર રાજ્યને ફાટકમુક્ત બનાવવાનું સરકારનું લક્ષ્ય છે.જે અંતર્ગત, રાજ્યના વિવિધ વિસ્તારોમાં સ્થિતિ અંગેની આંકડાકીય વિગતો આપતાં શ્રી દેસાઈએ જણાવ્યું કે રાજ્યમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં કુલ ૩૬૭ રેલવે ફાટક આવેલાં છે. જે પૈકી ૧૩૦ ફાટક પર ઓવરબ્રિજ/અંડરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે ૫૨ જેટલાં ઓવરબ્રિજ/અંડરબ્રિજનાં કામ પ્રગતિમાં છે અને અન્ય ૪૬ જેટલાં કામો મંજૂરી હેઠળ…
Author: gujarat
અમદાવાદ, શહેર અને ગાંધીનગરની હદ વચ્ચે રહેતી એક સગીરા એક યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. તેને ઇન્સ્ટાગ્રામ મારફતે એક યુવક સાથે સંપર્ક થયા બાદ બંને એકબીજાને મળતા હતા.આ દરમિયાનમાં આરોપી સગીરાને વસ્ત્રાપુરની એક હોટલમાં લઇ ગયો હતો. જ્યાં તેણે લગ્નની લાલચ આપીને સગીરા પર બળાત્કાર ગુજાર્યાે હતો. જે બાદ આરોપીએ ધંધા માટે નાણાં માંગતા સગીરાએ મનાઇ કરી હતી. જેથી આરોપી તેને હેરાન પરેશાન કરતો હોવાથી સગીરાએ પરિવારને જાણ કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.મૂળ મહેસાણાનો પરિવાર શહેરના ઝુંડાલ વિસ્તારમાં રહે છે. આ પરિવારની ૧૬ વર્ષીય સગીર પુત્રી એક યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. ત્રણેક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ…
અમદાવાદ, શહેરમાં નશાના કારોબાર સામે લાલઆંખ કરતા અમદાવાદની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. નારોલ વિસ્તારમાંથી રિક્ષામાં અંદાજે ૧૧૦ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી ચીમનભાઈ સોલંકીને કોર્ટે ૧૫ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૧ લાખના દંડનો હુકમ કર્યાે છે.આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, જે પુરવાર થાય છે ત્યારે આરોપી સામે દયા ન દાખવી શકાય.આ કેસની વિગત મુજબ, ૩ એપ્રિલ ૨૦૨૧ના રોજ નારોલ પોલીસને બાતમી મળી હતી કે એક ઓટો રિક્ષામાં ગાંજાનો જથ્થો લઈ કેટલાક ઇસમો પસાર થવાના છે.આ બાતમીના આધારે પોલીસે લાંભા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી શંકાસ્પદ રિક્ષાને અટકાવી…
અમદાવાદ, શહેરમાં સાયબર અપરાધીઓ અવનવી તરકીબો અજમાવી નિર્દાેષ નાગરિકોને ચૂનો લગાવી રહ્યા છે. તાજેતરમાં ન્યૂ નરોડા વિસ્તારમાં રહેતા અને એક ખાનગી ફાર્મા કંપનીમાં માઇક્રો બાયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા યુવકને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની લાલચ આપી ભેજાબાજોએ તેના ખાતામાંથી ૨.૨૯ લાખ ટ્રાન્સફર કરી લીધા હોવાની ઘટના સામે આવી છે.આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ન્યૂ નરોડામાં પ્રમુખ એવન્યુ ખાતે રહેતા કૃણાલભાઈ પટેલ ગત ૨૪ ફેબ્›આરીના રોજ ઘરે હાજર હતા, ત્યારે સાંજે તેમના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે એક્સિસ બેંકનો કર્મચારી હોવાની ઓળખ આપી હતી અને જણાવ્યું હતું કે,…
ગાંધીનગર, બૂટલેગરો બેફામ હોય તેમ રાજ્યની મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ ઉપર જંગી જથ્થામાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરતા હોય છે. છેલ્લા બે વર્ષમાં ૪૨.૨૨ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ અને બિયર આ સરહદો પરથી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં સંડોવાયેલા કુલ ૧૦૧૮ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હોવાની માહિતી વિધાનસભામાં અપાઇ છે.કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા દ્વારા જાન્યુઆરી-૨૦૨૬ની સ્થિતિએ બે વર્ષમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચેકપોસ્ટ પરથી કેટલી કિંમતનો વિદેશી દારૂ અને બિયર પકડવામાં આવ્યો તે અંગેની જાણકારી માગતો સવાલ પૂછ્યો હતો. જેના લેખિત જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યું હતું કે પકડાયેલા વિદેશી દારૂની કિંમત ૩૮.૮૯ કરોડ અને બિયરની કિંમત…
ગાંધીનગર, પોલીસ દ્વારા કોઇપણ વ્યક્તિની ધરપકડ થાય તો તેના કારણો પોલીસે લેખિતમાં પૂરા પાડવાના રહેશે તેવા સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનું ગુજરાતમાં ચૂસ્ત અમલ થઇ રહ્યો હોવાનો દાવો ગૃહ વિભાગ દ્વારા વિધાનસભામાં કરાયો છે.કોંગ્રેસના કિરીટ પટેલ દ્વારા કરાયેલા એક સવાલના જવાબમાં ગૃહ વિભાગે આ માહિતી આપી હતી. જેમાં મિહિર રાજેશ શાહ વિરૂધ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર ક્રિમિનલ અપીલ-૨૦૨૫ના એક કેસમાં પોલીસ દ્વારા કરાતી ધરપકડના તમામ કિસ્સામાં ધરપકડ થયેલી વ્યક્તિને ધરપકડના કારણો લેખિતમાં પૂરા પાડવાના રહેશે તેવો સુપ્રીમ કોર્ટે નવેમ્બર-૨૦૨૫માં આદેશ કર્યાે હોવાની બાબત હતી.લેખિતમાં કારણ પૂરા પાડવાના રહેશે અને તેના ભંગ બદલ થયેલી ધરપકડ ગેરકાયદે જાહેર થશે તેવા આદેશનો પણ સમાવેશ થતો…
રાજકોટ, રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં વહેલી સવારે પ્રેમપ્રકરણમાં હિંસક ઘટના બની હતી. એક શખ્સે પોતાની સ્ત્રી મિત્રના ગળા અને છાતીના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યાે હતો.હુમલો કર્યા બાદ પકડાઈ જવાના ડરે હુમલાખોર શખ્સે ટ્રેન હેઠળ કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ઇજાગ્રસ્ત મહિલાને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.બનાવની વિગતો મુજબ, મૂળ જૂનાગઢના ભેંસાણ તાલુકાના બરવાળા ગામના અને હાલ રાજકોટના શીતળાધાર વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષીય કાજલબેન ભૂપતભાઈ ગોંડલીયા પર વહેલી સવારે પાંચેક વાગ્યે હિંમત વાળા નામના શખ્સે છરીથી હુમલો કર્યાે હતો. કાજલબેન લોહીલુહાણ હાલતમાં પાડોશી પાસે મદદ માટે દોડી ગયા હતા, જ્યાંથી ૧૦૮…
ગુજરાતને‘સ્પોર્ટ્સ હબ‘બનાવવાના સંકલ્પ સાથે રમતગમત વિભાગ માટે રૂ.૨૦૦૬ કરોડની ઐતિહાસિક જોગવાઈ: મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીઅમદાવાદમાં ૧૭,૫૦૦ ખેલાડીઓની કેપેસીટી ધરાવતું‘ઓલિમ્પિક વિલેજ‘અને કરાઈમાં ૫૦ હજારની કેપેસિટીનું નવું એથ્લેટિક્સ સ્ટેડિયમ અને શૂટિંગ રેન્જ બનશેવિવિધ જિલ્લાઓમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ.૧૬૫ કરોડ અને કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાની સુવિધાઓ માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈવર્ષ ૨૦૧૦માં પ્રારંભ થયેલા‘ખેલ મહાકુંભ‘માં રમતવીરોની સંખ્યા ૧૬.૫૦ લાખ હતી જે વધીને આજે વર્ષ ૨૦૨૫-૨૬માં ૭૨ લાખે પહોંચીગાંધીનગર, ગુજરાત વિધાનસભા ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની બજેટ માંગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના યુવાનોના સર્વાંગી વિકાસ અને રમતગમત ક્ષેત્રે ગુજરાતના વધતા પ્રભાવને રેખાંકિત કર્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું…
રાજ્યની1.5લાખથી વધુ સરકારી સંપત્તિઓનું થશે ડિજિટલ મૉનિટરિંગનાગરિકોની સલામતી તથા જાહેર મિલ્કતોના સંરક્ષણને ટોચની પ્રાથમિકતા આપતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ‘એસેટ સેફ્ટી મૉનિટરિંગ પોર્ટલ’ અમલી બનાવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ કરવામાં આવેલા આ નિર્ણય સાથે જ;હવે રાજ્યમાં હયાત રોડ,બ્રિજ,બિલ્ડિંગ સહિત તમામ સરકારી તેમજ જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું રાજ્ય કક્ષાએથી ઇન્ટીગ્રેટેડ મૉનિટરિંગ થશે કે જેથી કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામાન્ય પ્રજાની સલામતી માટે જોખમકારક ન બને.આ નિર્ણય માત્ર એક ટેક્નિકલ ઇનોવેશન નથી;પણ સરકારની સંવેદનશીલતા,પારદર્શકતા તથા સમયબદ્ધ જવાબદારીનો સશક્ત દાખલો છે. રાજ્ય સરકારે આ પહેલ વડે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વિકાસની સાથે-સાથે સુરક્ષા,ગુણવત્તા તથા જાહેર…
*લોખંડી પુરૂષ સરદાર પટેલ જે શાળામાં ભણ્યા, નડિયાદની તેN.K.હાઈસ્કૂલને ‘હેરિટેજ’ સ્થળ તરીકે વિકસાવવામાં આવશે**પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે મહેસાણાVGRCમાં રૂ. ૧,૨૩૬ કરોડ તથા કચ્છ-રાજકોટVGRCમાં રૂ. ૧,૫૨૭ કરોડના રોકાણ માટેMoUથયા**PPPમોડ અને કોર્પોરેટ કાર્યશૈલી માટે‘ગુજરાત-ટુર ડેવલપમેન્ટ કંપની‘ (SPV)અને “ગુજરાત પ્રવાસન એડવાઇઝરી કાઉન્સિલ”ની સ્થાપના થશે**પ્રવાસન પ્રભાગની રૂ. ૩૦૮૯.૬૩ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર*પ્રવાસન વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે દાયકા પહેલા રોપેલું ‘ખુશ્બુ ગુજરાત કી’નું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. રાજ્ય સરકારની પ્રો-એક્ટિવ નીતિઓના પરિણામે ગત વર્ષે રેકોર્ડબ્રેક ૨૨.૨૭ કરોડ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી છે. વિધાનસભા ગૃહમાં પ્રવાસન પ્રભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.મંત્રીશ્રીએ…
