અંકલેશ્વરમાંથી રૂ.૧.૭૮ લાખના ગાંજાના જથ્થા સાથે મહિલા ઝડપાઈ(પ્રતિનિધિ) ભરૂચ,ભરૂચ SOGએ અંકલેશ્વરના મંગલદીપ સોસાયટીમાંથી એક મહિલાને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી છે. પોલીસે મહિલા પાસેથી ૩ કિલો ૪૪૬ ગ્રામ ગાંજો અને અન્ય મુદ્દામાલ મળી કુલ ૧.૭૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની ‘નો ડ્રગ્સ ઇન ભરૂચ’ ઝુંબેશ અંતર્ગત તમામ અધિકારીઓને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે ભરૂચ ર્જીંય્ સક્રિય બની હતી.પી.આઈ. એ.વી. પાણમીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં રહેતી સોનીકુમારી મુકેશ મંડલ પોતાના ઘરે ગાંજો…
Author: gujarat
ભાવ વધારો નહીં ખેંચવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી(પ્રતિનિધિ) ભરૂચ, દિવસે દિવસે વધતી મોંઘવારી તેમજ ગેસ,પેટ્રોલ અને ખાદ્ય તેલના ભાવોમાં થયેલા ભારે વધારા સામે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખા અંદાજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.ભરૂચ મહિલા કોંગ્રેસના જીલ્લા પ્રમુખ જ્યોતિ તડવી ની ઉપસ્થિતિમાં પ્રદેશ મહિલા આગેવાન ફરીદા પટેલ, શહેર પ્રમુખ હુસૈનાબીબી હાફેજી સહિત કોંગ્રેસની બહેનો દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં એકત્ર થઈ સરકારની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી.પ્રદર્શન દરમ્યાન બહેનો રોડ પર બેસી ચૂલો સળગાવી તેના પર રોટલા બનાવી ગેસના ભાવમાં થયેલા વધારા સામે પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવ્યો હતો.વધતી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર પડતા આર્થિક…
(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત કાંકણપુર પોલીસ દ્વારા ખનિજ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા એક ઇસમને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ તડીપાર કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી તથા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને ગોધરા વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક બ્રિન્દા જાડેજાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.કાંકણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એલ. કામોળ દ્વારા કાંકણપુર પોલીસ સ્ટેશન…
(પ્રતિનિધિ) દમણ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (૦૮ માર્ચ ૨૦૨૬) નિમિત્તે, રમતગમત અને યુવા બાબતો વિભાગે કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં મહિલાઓ માટે વિવિધ રમતગમત સ્પર્ધાઓની એક ભવ્ય અને સફળ શ્રેણીનું આયોજન કર્યું.આ કાર્યક્રમ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણ અને ફિટ ઇન્ડિયાના વિઝનની પ્રેરણા હેઠળ અને કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.રમતગમત અને યુવા બાબતો વિભાગના સચિવ ડૉ. અરુણ ટી.ના માર્ગદર્શન હેઠળ આયોજિત, રમતગમત અને યુવા બાબતો વિભાગના નિયામક શ્રી અરુણ ગુપ્તા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હતા.મહિલા તાલીમાર્થી ડ્ઢછદ્ગૈંઝ્રજી અધિકારીઓ ડૉ. અંકિતા, નિધિ અને મંજુશ્રી દત્તારાવ પંચાલ પણ હાજર રહ્યા…
(પ્રતિનિધિ) દમણ, કેન્દ્રશાસિત સંઘપ્રદેશ દમણ જિલ્લાના ઘેલવડ ગ્રામ પંચાયતના શિક્ષિત અને જાગૃત સરપંચ હિતાક્ષી પટેલ બીજી વખત બિનહરીફ ચૂંટાયા. ઘેલવડના રહેવાસીઓએ તેમના કાર્ય અને સંકલિત સંદેશાવ્યવહાર માટે તેમને ફરીથી સરપંચ તરીકે ચૂંટ્યા, જે મહિલાઓ માટે એક ઉદાહરણ છે.હિતાક્ષી જીગ્નેશભાઈ પટેલ માને છે કે રાજકારણમાં મહિલાઓના પ્રવેશ સાથે, ગામડાઓનું ભાગ્ય ધીમે ધીમે સુધરતું જાય છે. આ રાજકીય પરિદૃશ્ય બદલી રહ્યું છે. હવે, શિક્ષિત અને જાગૃત મહિલાઓ સરપંચ તરીકે ખૂબ જ તેજસ્વીતા સાથે લોકોનું પ્રતિનિધિત્વ કરી રહી છે.હિતાક્ષી પટેલ મહિલા શિક્ષણ, સ્વચ્છતા અને દીકરીઓના સ્વ-રક્ષણને પ્રોત્સાહન આપે છે. ઘેલવાડના રહેવાસીઓને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ઘેલવાડના મોટાભાગના રસ્તાઓને કોંક્રિટના રસ્તાઓમાં…
(એજન્સી) વોશિંગ્ટન, ઈરાનની સાથે જંગ ક્્યારે ખતમ થશે? છેલ્લા ૧૦ દિવસથી મિડલ ઈસ્ટમાં વિધ્વંસ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં સંકટ ત્યારે શરૂ થયું જ્યારે અમેરિકા અને ઈઝરાયલે મળીને ઈરાન પર હુમલો કર્યો, જેમાં સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થઈ ગયું હતું.રવિવારે ધ ટાઈમ્સ ઓફ ઇઝરાયલ સાથે વાત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે તેહરાનની સાથે જંગ ખતમ કરવાનો નિર્ણય નેતન્યાહુ સાથે ચર્ચા-વિચારણા કરી આપસી સહમતિથી લેવામાં આવશે.નાના ટેલીફોનિક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે તે પણ કહ્યુ કે જો તે અને નેતન્યાહુ દખલ ન આપી હોત તો ઈરાને ઇઝરાયલને ખતમ કરી દીધું હોત. તેમણે કહ્યું- ઈરાન ઇઝરાયલ અને તેની આસપાસની દરેક…
(એજન્સી)ગાંધીનગર, શહેરના સેક્ટર-૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘ-૪ ગાર્ડન પાસે પાર્ક કરેલી એક્ટિવામાંથી એક મહિના અગાઉ થયેલી રૂ. ૧.૪૦ લાખની ચોરી કરનારો અમદાવાદના રીઢા ચોરને લોકલ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લઈને અનેક ગુનોનો ભેદ ઉકેલી દીધો છે.પાટનગર ગાંધીનગરમાં સ્કૂટરની ડેકી તોડીને ચોરીના બનાવો વધતા લોકલ ક્રાઈમ બ્રાન્ચને સુચના આપવામાં આવી હતી. ત્યારે એલસીબી પીઆઇ ડી.બી.વાળાની અલગ અલગ ટીમો ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.દરમિયાન મળેલી બાતમીના આધારે એલસીબીએ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પાસે વોચ ગોઠવી શંકાસ્પદ રીતે ફરતા ઇસમો પર બાજ નજર રાખવામાં આવી હતી. જેના પગલે એક ઇસમ એક્ટિવા સાથે શંકાસ્પદ હાલતમાં એક લાખની રોકડ સાથે ઝડપાઈ ગયો હતો.જેની વૈજ્ઞાનિક ઢબે પૂછતાછ…
સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં તોતિંગ વધારો(એજન્સી)રાજકોટ, વિશ્વના બે દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેની સીધી અસર હવે ભારતીય બજાર અને ખાસ કરીને ખાદ્યતેલો પર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના મુખ્ય માર્કેટ યાર્ડ ગણાતા રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકવામાં આવ્યો છે. સિંગતેલ, કપાસિયા અને પામતેલના ભાવમાં રાતોરાત થયેલા આ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલ અને ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ખર્ચમાં વધારો થતા ખાદ્યતેલના ડબ્બાના ભાવ આસમાને પહોંચ્યા છે. રાજકોટ માર્કેટમાં આજે સિંગતેલના ડબ્બા દીઠ રૂપિયા ૨૦નો વધારો નોંધાયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બા દીઠ રૂપિયા ૩૦નો વધારો નોંધાયો છે.આ સાથે પામતેલના ડબ્બોમાં…
(એજન્સી)કંડલા, મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર ગુજરાતના બંદરો ઉપર દેખાવા લાગી છે. ગુજરાતના બે મહાબંદર કંડલા અને મુન્દ્રમાં બે હજારથી વધુ કન્ટેનરો અટવાયેલાં પડ્યાં છે. રાજ્યના પાંચ મુખ્ય સહિત કુલ ૪૯ બંદરો ઉપર કાર્યરત હજારો શ્રમિકો હોળી પછી પાછા ફર્યાં નથી.તો, અંદાજે એક લાખથી વધુ શ્રમિકો હાલમાં બંદરો ઉપર કામગીરી લગભગ ઠપ હોવાથી રોજીરોટીના અભાવે પરત ફરે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. યુદ્ધથી સર્જાયેલી મંદીની અસર હજારો શ્રમિકોની રોજીરોટી ઉપર પણ પડી રહી છે.ઈઝરાયલ, અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિના કારણે ભારતમાં પણ આયાત નિકાસને અસર પહોંચી છે. કચ્છના બે મહાબંદર કંડલા-મુન્દ્ર બંદરે ૨૦૦૦થી વધુ કન્ટેનરો અને અનેક જહાજો અટવાયેલાં પડ્યાં છે.યુદ્ધના…
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ: પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી-આરોપી આદિત્ય કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર હોવાનું કહેવાય છે,(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી કોલેજ પાસે ભરબપોરે એક કારમાં તોડફોડ કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ તોડફોડની ઘટનામાં આદિત્ય નામના નબીરા પર આક્ષેપ કરવામાં આવ્યો છે. આદિત્યએ કોલેજ કેમ્પસની બહાર પાર્ક કરેલી કાર પર હથિયાર વડે હુમલો કરી નુકસાન…
