*રાજ્ય સરકારનું આ બજેટ ગુજરાતને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું પ્રેરક એન્જિન બનાવશે : શ્રી જીતુભાઈ વાઘાણી*સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય બન્યું,ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા રૂ.૯૧ હજાર કરોડના રોકાણ સાથે દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ આકાર લઈ રહ્યો છેએક જ વર્ષમાંMSMEએકમોમાં રૂ.૩૮ હજાર કરોડથી વધુનું રોકાણ આવ્યું છે અને ૧.૪૦ લાખથી વધુ નવી રોજગારીઓ ઊભી થઈ: મોટા ઉદ્યોગોમાં પણ રૂ.૬૩ હજાર કરોડના રોકાણ સાથે ૨.૫૦ લાખ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું*ગુજરાતના ગૌરવ સમાન કાપડ ઉદ્યોગને વૈશ્વિક કક્ષાએ લઈ જવા₹૨૭૫૫ કરોડ ફાળવાયા છે,જેના ફળસ્વરૂપે કાપડ ક્ષેત્રે₹૧૮ હજાર કરોડનું મૂડી રોકાણ અને ૫૦ હજાર યુવાનોને રોજગારી પ્રાપ્ત થઈ*સ્ટાર્ટઅપ અને કુટિર…
Author: gujarat
સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે પારદર્શિતા અને ફી નિયમન માટે FRCસમિતિ થકી કડક અમલવારી: રિવાબા જાડેજાગાંધીનગર, રાજ્યની કોઈપણ શાળા ફી નિયમોનું ઉલ્લંઘન કરે અથવા વાલીઓ તરફથી ફરિયાદ મળે તો ફી રેગ્યુલેટરી કમિટી-FRC દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં પ્રથમ વાર ફરિયાદ મળે તો રૂ. ૫ લાખ સુધીનો દંડ, બીજી વાર રૂ. ૧૦ લાખ સુધીનો દંડ અને જો ત્રીજી વાર ફરિયાદ મળે તો શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે.જે અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા ફી નિયમોનું ઉલ્લંઘન કરનારી ૧૦થી વધુ શાળાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે, તેમ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી રિવાબા જાડેજાએ વિધાનસભામાં…
ગાંધીનગર ખાતે સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાંMoUસંપન્નGandhinagar, ડિજિટલ ગવર્નન્સમાં ઉભરતી ટેકનોલોજીના હસ્તક્ષેપને વધુ સુદ્રઢ કરવાના એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI),બ્લોકચેન,સાયબર સિક્યુરિટી અને ઈમરજિંગ ટેકનોલોજી લો એન્ડ પોલિસીમાં‘પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ‘શરૂ કરવા માટે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL),વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU)વચ્ચે આજે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.ગાંધીનગર ખાતે આજે આયોજિત‘ગુજરાત વાઇસ ચાન્સેલર્સ મીટ‘દરમિયાન આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા,ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા,શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ…
ગાંધીનગર, આરોગ્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આ શૈક્ષણિક વર્ષથીઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગર (IIPHG)ખાતે બે નવા અભ્યાસક્રમો INTEGRATED MASTER OF PUBLIC HEALTH (B.Sc. MPH) અને INTEGRATED MASTER OF HOSPITAL ADMINISTRATION (B.Sc. MHA) શરૂ કરવામાં આવી રહ્યા છે.ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ ગાંધીનગરની સ્થાપના વર્ષ2008માં ગુજરાત સરકારઅનેપબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા (PHFI)ની સંયુક્ત પહેલ હેઠળ કરવામાં આવી હતી. સંસ્થા જાહેર આરોગ્ય શિક્ષણ, સંશોધન અને તાલીમ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે જાણીતી છે અને આરોગ્ય ક્ષેત્રમાં ગુણવત્તાસભર શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છે.આજના સમયમાં આરોગ્ય સેવા ક્ષેત્ર ઝડપથી વિકસતું ક્ષેત્ર બની રહ્યું છે અને આવનારા સમયમાં હેલ્થકેર ક્ષેત્રમાં પ્રશિક્ષિત…
આરબીઆઇ અમદાવાદ દ્વારા ‘દરેક ચુકવણી ડિજિટલ’ મિશન હેઠળ છઠ્ઠા ડિજિટલ ચુકવણી જાગૃતિ સપ્તાહની ઉજવણીઅમદાવાદ, ભારતીય રિઝર્વ બેંક (RBI), અમદાવાદ કચેરીએ ચુકવણી અને નિપટાન પ્રણાલી વિભાગ, કેંદ્રીય કાર્યાલય, મુંબઈની આગેવાનીમાં રાષ્ટ્રીય પહેલ ‘દરેક ચુકવણી ડિજિટલ’ હેઠળ ડિજિટલ ચુકવણી જાગૃતિ સપ્તાહ (DPAW) 2026 નો શુભારંભ કર્યો. ચુકવણી જાગૃતિ સપ્તાહની ઉજવણી સમગ્ર ભારતમાં 09 થી 15 માર્ચ 2026 દરમિયાન કરવામાં આવસે.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અનુસંધાનમાં RBI અમદાવાદ કચેરી દ્વારા આ કાર્યક્રમ 400 પ્રતિભાગીઓ માટે મહિલા-કેન્દ્રિત આઉટરીચ કાર્યક્રમ સાથે શરૂ કરવામાં આવ્યો, જેમાં સ્વયં સહાયતા સમૂહો (SHGs), આરસેટી (RSETI) તાલીમાર્થીઓ અને બેંક કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય સહકારી બેંક, નારણપુરા, અમદાવાદ ખાતે…
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના વ્યવસ્થા તંત્રમાં સગવડોના અભાવ વચ્ચે ગેરવ્યવસ્થાનો મુદ્દો ઉઠાવતા – વિનોદચંદ્ર દિક્ષિત ?!જે. જે. પટેલ ૩૦૦૦ થી ૫૦૦૦ એકડા સાથે જીતશે ?! કાઉન્ટ ડાઉન્ટ શરૂ ?! -જુના જોગીઓની હાર-જીત કર્તવ્ય કર્મ પર નિર્ભર છે ?! “વકીલો માટે પાણી પીવાની વ્યવસ્થા પણ નહોતી”! ગુજરાત બાર કાઉન્સિલે રૂ. ૧ લાખ ૨૫ હજાર ફી કર્યા પછી પણ વકીલોને પાણી ના આપ્યું ?! તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલની યોજાયેલ ચૂંટણીની છે ! અમદાવાદ શહેરની ગુજરાત યુનિર્વિસટીમાં આવેલ અટલ કલામ ના પટાંગણની છે ! જેમાં શ્રી જે. જે. પટેલ, નોટરી અને એડવોકેટ શ્રી ઓમપ્રકાશ સાંખલા અને શ્રી જે. જે. પટેલના ટેકેદારો મતદાન મથક…
અમદાવાદ, ૭ માર્ચ ૨૦૨૬: અમદાવાદ શહેરમાં વધતી જતી વસ્તી અને ઔદ્યોગિક વિકાસની સાથે ચોરી, લૂંટ અને સ્નેચિંગ જેવા મિલકત સંબંધી ગુનાઓમાં વધારો જોવા મળ્યો છે. અસામાજિક તત્વો ઘણીવાર ચોરીના વાહનોનો ઉપયોગ કરી, પકડાઈ જવાના ડરે તેમાં ફેરફાર (મોડિફિકેશન) કરાવતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩’ ની કલમ-૧૬૩ અન્વયે એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જાહેરનામા મુજબ, અમદાવાદ શહેરના તમામ ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશનના માલિકો કે મેનેજરોએ તેમના ત્યાં રિપેરિંગ કે સર્વિસ માટે આવતા દરેક વાહનની વિગતો રાખવી ફરજિયાત રહેશે. ઘણીવાર ગુનેગારો વાહનોના નંબર કે દેખાવ બદલી નાખતા હોય છે,…
અમદાવાદ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતીય ટીમે ત્રીજી વખત ટી૨૦ વર્લ્ડ કપના ખિતાબ પર કબજો જમાવ્યો છે.આ ઐતિહાસિક જીત બાદ વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયા પર કરોડો રૂપિયાના ઇનામોનો વરસાદ થયો છે.ભારતીય ટીમે ફાઈનલ મુકાબલામાં ન્યુઝીલેન્ડને ૯૬ રનથી હરાવીને જોરદાર જીત મેળવી છે. રવિવારે રમાયેલી આ મેચમાં ભારતે આપેલા ૨૫૬ રનના વિશાળ ટાર્ગેટ સામે કીવી ટીમ માત્ર ૧૫૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.ભારતની આ જીતમાં સંજુ સેમસનની ૮૯ રનની આક્રમક ઇનિંગ અને જસપ્રીત બુમરાહની ૪ વિકેટ મહત્વની સાબિત થઈ હતી. ભારત સતત બીજીવાર (૨૦૨૪ અને ૨૦૨૬) ચેમ્પિયન બન્યું છે.ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ જીતનારી ભારતીય ટીમને આઈસીસી…
રાજ્યના શહેરોમાં તળાવો અને હવાની ગુણવત્તા સુધારવા માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM)શરૂ કરશે “લેક એન્ડ એર વોચ” પહેલગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે ઊભરી આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના શહેરો ટકાઉ અને સ્માર્ટ બને એ માટે અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ પ્રયાસોના ભાગરૂપે,રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM)દ્વારા તળાવો અને હવાની ગુણવત્તાનું રિયલ-ટાઇમ મોનિટરિંગ સુનિશ્ચિત કરવા “લેક એન્ડ એર વોચ” પહેલ શરૂ કરવામાં આવશે.તળાવો અને હવાની ગુણવત્તાનું સતત મોનિટરિંગ કરવા માટેGUDMદ્વારા નવીન પહેલઝડપથી વધી…
ગુજરાતનું પોલીસ તંત્ર ગુમ થયેલા બાળકોને શોધવામાં અત્યંત સંવેદનશીલતા અને ત્વરિતતાથી કામગીરી કરે છે: રાજ્ય મંત્રીગત બે વર્ષમાં જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લાના ગુમ થયેલા કુલ ૧૯૮ બાળકો પૈકી ૧૯૬ બાળકોને શોધીને તેમના પરિવારને સોંપવામાં આવ્યાGandhinagar, ગુજરાત વિધાનસભા ખાતે સભ્યશ્રી દ્વારા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ગુમ થયેલ બાળકો-મહિલાઓ અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, એક પરિવાર માટે તેમનું બાળક જીવનની મૂડી સમાન હોય છે.આવા નાના બાળકો વિખુટા પડે, ત્યારે તેમના પરિવાર પર આભ ફાટી પડે છે. આ વિષયની ગંભીરતાને ધ્યાને રાખીને ગુજરાતનું પોલીસ તંત્ર ગુમ થયેલા બાળકો અને મહિલાઓના કિસ્સામાં અત્યંત સંવેદનશીલતા અને ત્વરિતતાથી કામગીરી…
