સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ: પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી-આરોપી આદિત્ય કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર હોવાનું કહેવાય છે,(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી કોલેજ પાસે ભરબપોરે એક કારમાં તોડફોડ કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ તોડફોડની ઘટનામાં આદિત્ય નામના નબીરા પર આક્ષેપ કરવામાં આવ્યો છે. આદિત્યએ કોલેજ કેમ્પસની બહાર પાર્ક કરેલી કાર પર હથિયાર વડે હુમલો કરી નુકસાન…
Author: gujarat
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપઃ અમદાવાદ સહિત અનેક શહેરોમાં ‘યલો એલર્ટ’(એજન્સી)અમદાવાદ, માર્ચ મહિનાની શરૂઆત સાથે જ સમગ્ર ગુજરાતમાં ઉનાળાએ આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ઉત્તર-પૂર્વના ગરમ પવનો ફૂંકાવાને કારણે રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. હવામાન વિભાગે કેટલાક શહેરોમાં હિટવેવની આગાહી કરી છે. મદાવાદ અને વડોદરા, રાજકોટ, બનાસકાંઠા, બોટાદ, ભાવનગર, કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર, સુરતમાં પણ યલો એલર્ટ સાથે હિટવેવની આગાહી કરવામાં આવી છેરાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ તાપમાનમાં ધીમે ધીમે વધારો શરૂ થયો હતો.…
અમદાવાદ, લૂંટેરી દુલ્હન અંગેના અનેક બનાવો લોકો સાંભળતા આવ્યા છે, પરંતુ નારોલ વિસ્તારમાં લૂંટેરી ગર્લફ્રેન્ડનો વિચિત્ર બનાવ નોંધાયો છે. યુવકની એક મહિલા મિત્ર મારફતે તેની ઓળખ બીજી યુવતી સાથે થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે વોટ્સએપ પર વાતચીત શરૂ થઈ અને તેઓ અવારનવાર મળતા પણ હતા. આ દરમિયાન લગભગ બે મહિના પહેલા યુવતીએ યુવકને મેસેજ કરીને નારોલની કોઝી હોટલ પાસે મળવા બોલાવ્યો અને પછી નાસ્તો કરવા જવાની વાત કરી.ત્યારબાદ યુવક અને યુવતી એક્ટિવા પર બેસીને નાસ્તો કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અગાઉથી નક્કી કરેલી યોજના મુજબ એક્ટિવા પર ત્રણ શખ્સ ત્યાં પહોંચ્યા. તેમણે “મારી બહેનને ક્યાં લઈને જાય છે?” કહીને…
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ૧૨૦૦થી વધુ કર્મચારીઓ છેલ્લા બે મહિનાના પગારથી વંચિત છે. નેશનલ હેલ્થ મિશન કાર્યક્રમમાં ફરજ બજાવતા ડોક્ટરો, નર્સિગ સ્ટાફ, હેલ્થ વર્કરોને પગારની ચૂકવણી કરવામાં આવી હતી. ૨ કરોડથી વધુના બિલની રકમની ચૂકવણી અટકી ગઇ છે. ગ્રાન્ટના અભાવે પગાર ન થયાનું જાણવા મળ્યું છે.જિલ્લામાં આવેલા પીએચસી, આરબીએસકે વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરો, સીએચઓ, નર્સિગ સ્ટાફ, હેર્લ્થ વકર, ટેકનિકલ સ્ટાફ સહિતના અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા ૧૨૦૦થી વધુ કમર્ચારીઓ જાન્યુઆરી અને ફેબુÙઆરી મહિનાનો પગાર કરવામાં આવ્યો નથી. સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા જે પગારના બિલોની ચૂકવણી કરવામાં આવી રહી હતી. તે હવે ટેઝરી ઓફિસને કામગીરી સોંપાવમાં આવી છે. જેને…
અંકલેશ્વર, ભરૂચ એસ.ઓ.જી.એ અંકલેશ્વરના મંગલદીપ સોસાયટીમાંથી એક મહિલાને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી છે. પોલીસે મહિલા પાસેથી ૩.૪૪૬ કિલોગ્રામ ગાંજો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૧.૭૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે.મહિલા દિવસે જ અંકલેશ્વરમાં મહિલા ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ હતી.જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની “નો ડ્રગ્સ ઇન ભરૂચ” ઝુંબેશ અંતર્ગત તમામ અધિકારીઓને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.આ સૂચનાના આધારે ભરૂચ એસ.ઓ.જી. સક્રિય બની હતી.એસ.ઓ.જી. પી.આઈ. ના માર્ગદર્શન હેઠળ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં રહેતી સોની કુમારી મુકેશ મંડલ પોતાના ઘરે ગાંજો…
મહેસાણા, મહેસાણા શહેરમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ઇનરવ્હીલ કલબ ઓફ મહેસાણા અને રોટરી કલબ ઓફ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે ફક્ત મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા સંચાલિત રક્તદાન કેમ્પ યોજાયો હતો.આ અનોખા કેમ્પમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કુલ ૪૧૧ બોટલ રક્તદાન કર્યું હતું. આ અભૂતપૂર્વ આયોજનને એશિયા બુક ઓફ રેકોડ્ર્સમાં સ્થાન મળ્યું છે. ખાસ નોંધનીય બાબત એ છે કે આ પ્રકારનું આયોજન આખા ભારત તેમજ એશિયા સ્તરે પ્રથમવાર નોંધાયું છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ સ્વયંપ્રેરિત થઈ રક્તદાન કરીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મહિલાઓ દ્વારા સંચાલિત આ કેમ્પમાં આયોજન, વ્યવસ્થા અને સંચાલન તમામ ક્ષેત્રે મહિલાઓની સક્રિય ભૂમિકા રહી હતી.આ પ્રસંગે ઉપસ્થિત…
ગાંધીનગર, સમગ્ર વિશ્વ વૂમન્સના સન્માનમાં ઇન્ટરનેશનલ વૂમન્સ ડેની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આ અવસરે ગાંધીનગરમાં આશાવકર્સ તેમના પેન્ડિંગ પ્રશ્નોને લઇને વિરોધ પ્રદર્શન કરતી જોવા મળી હતી. આ દરમિયાન પોલીસે મહિલાઓની અટકાયત કરી હતી.ગાંધીનગરમાં આશા વર્કર બહેનોએ સત્યાગ્રહ છાવણીમાં ધરણા પ્રદર્શન કર્યું હતું. તેમના પડતર માંગણીમાં ઈન્સેટીવ પ્રથા, ઓનલાઈન કામગીરી બંધ કરવા માગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નોકરીના કલાક નક્કી કરવા, પગાર સમયસર કરવાની માગણી સાથે કાળી પટ્ટી બાંધીને મહિલાઓએ તેમના અધિકારોને લઇને અવાજ ઉઠાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન આશા વર્કસની અટકાયત કરવામાં આવી હતી.સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આશાવર્કશ બહેનોએ ધરણા અને વિરોધ પ્રદર્શન રેલી માટે મંજૂરી…
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજય સરકારના સહયોગથી કાર્યરત કરવામાં આવેલી એસવીપી હોસ્પિટલ શરૂઆતથી જ વિવાદમાં આવી ગઈ છે. એસવીપી હોસ્પિટલને ચલાવવા માટે સત્તાધારી પાર્ટીએ વી.એસ હોસ્પિટલને નામશેષ કરી છે.પરંતુ દુઃખદ બાબત એ છે કે એસવીપી હોસ્પિટલ પણ ચાલતી નથી. અહીં ઈન્ડોર દર્દીઓની સંખ્યા બિલકુલ નહીંવત રહે છે. જયારે આઈસીયુ વોર્ડમાં દાખલ થતા દર્દીઓનો મૃત્યુ દર ખૂબ જ ચિંતાજનક છે. છેલ્લા સપ્તાહ દરમિયાન આ બાબતે એક યુવતીનો વિડીયો પણ વાયરલ થયો હતો.અમદાવાદ મેડીકલ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત એસવીપી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેતા પણ ડરી રહયા હોય તેવો માહોલ જોવા મળી રહયો છે જેનું મુખ્ય કારણ ગત સપ્તાહ દરમિયાન ગીરાબેન…
પાટણ, કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી. આ વાતને ફરી એક વખત સાબિત કરી બતાવી છે વિપુલ કરમણભાઈ ચૌધરીએ. વિપુલ ચૌધરી સાંતલપુરના હમીરપુરા ગામના રહેવાસી છે. જેઓએ વર્ષ ૨૦૨૪માં યુપીએસસીમાં ૩૪૮ મો રેન્ક મેળવીને આઈપીએસ બન્યા હતા.આઈપીએસ બન્યા બાદ પણ વિપુલ ચૌધરીએ મહેનત ન છોડી અને આખરે વર્ષ ૨૦૨૫ની યુપીએસસી પરીક્ષામાં ૧૧૫મો રેન્ક મેળવીને IASનું પદ મેળવ્યું. સતત ૧૮ કલાકનું વાંચન અને ૫ પ્રયત્નો છતાં હિંમત હાર્યા વગર તેમણે આ મુકામ હાંસલ કર્યુ. વિપુલ ચૌધરીનું કહેવું છે કે જો તમે લક્ષ્યને નક્કી કરીને મહેનતને જ મંત્ર બનાવશો તો સફળતા ચોક્કસ તમારું સરનામું શોધતી આવશે.પાટણ જિલ્લાના સરહદી સાંતલપુરના હમીરપુરા ગામના વિપુલ…
વડોદરા, વડોદરા જિલ્લામાં વહેતી પવિત્ર મહીસાગર નદીમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા ઝેરી પ્રવાહી/દવા નાખીને જળચર પ્રાણીઓને મારી તેમનો વ્યાપાર કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. નદી કિનારે મોટી સંખ્યામાં માછલી-ઝીંગા મૃત હાલતમાં જોવા મળ્યા છે.સામાજિક કાર્યકરના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે કેટલાક લોકો નદીમાં ઝેરી દવા નાખીને ઝીંગા અને માછલીઓ મારતા હોવાનો સંદેહ છે. દાવા મુજબ રાત્રે લગભગ ૯ થી ૧૦ વાગ્યાના સમય દરમિયાન ઝેરી દવા નદીમાં નાખવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે ૧૨ થી ૨ વાગ્યાની વચ્ચે તે લોકો નદીમાંથી મૃત અથવા બેભાન થયેલા ઝીંગા અને માછલીઓ એકત્ર કરી લઈ જાય છે. આ જ ઝીંગા-માછલીઓ બાદમાં બજારમાં વેચવામાં આવતી…
