Author: gujarat

સરકારના સામાન્ય વહીવટ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા સિક્યોરિટીના બહાનાં હેઠળ સરદાર ભવન સચિવાલયમાં પ્રવેશના નિયમો એટલાં જડ અને કડક બનાવી દેવાયા છે કે સૌને એવું લાગે કે નવાં આ સચિવાલય સામાન્ય નાગરિક માટે નથી!તેનું કારણ એ છે કે સામાન્ય માણસનું વાહન ગણાય એવી જાહેર રીક્ષાને સચિવાલયમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.પરીણામે પોતાના વાહનની સુવિધા ન ધરાવતો કોઈ વ્યક્તિ સચિવાલયમાં આવી જ ન શકે! અને જો આવે તો મુખ્ય પ્રવેશદ્વારથી હજારો મીટર દુર આવેલા સચિવાલયના વિવિધ વિભાગોમાં જવા માટે તેણે પગે ચાલીને જવું પડે.જેની માટે અગાઉ બહુ બણગાં ફૂંકાયેલા એ પગપાળા આવતા મુલાકાતીઓની સુવિધા માટે રાખવામાં આવેલું ઈલેક્ટ્રોનિક વાહન સચિવાલયના મુખ્ય…

Read More

મહિલા શક્તિનો અભૂતપૂર્વ સંગમ:અમદાવાદમંડળમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવીપશ્ચિમ રેલ્વેના અમદાવાદ વિભાગે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ2026નિમિત્તે સાબરમતીના કોમ્યુનિટી હોલ ખાતે એક ભવ્ય અને ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.આ વર્ષની વૈશ્વિક થીમ‘ગિવ ટુ ગેઇન‘ને અનુરૂપ,આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદારતા,પરસ્પર સમર્થન અને મહિલા નેતૃત્વની શક્તિને પ્રોત્સાહન આપવાનો હતો.વેસ્ટર્ન રેલવે મહિલા કલ્યાણ સંગઠન(WRWWO),અમદાવાદના પ્રમુખ શ્રીમતી શેફાલી ગુપ્તાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ફક્ત ઉજવણી નથી,પરંતુ મહિલાઓનું સન્માન કરવાનો,તેમના સંઘર્ષો,સિદ્ધિઓ અને અધિકારોને યાદ કરવાનો એક મહત્વપૂર્ણ પ્રસંગ છે.તેમણે ભાર મૂક્યો હતો કે મહિલાઓ ફક્ત એક શબ્દ નથી,પરંતુ શક્તિ,પ્રેમ,બલિદાન અને ધીરજનું મૂર્ત સ્વરૂપ છે.માતા તરીકે,તે મૂલ્યો આપે છે,બહેન તરીકે,તે…

Read More

ધાર્મિક ઉત્સવો સમાજમાં એકતા,સંસ્કાર અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલયદુવંશી આહીર સમાજ ભગવાન શ્રીકૃષ્ણના પવિત્ર વંશ સાથે જોડાયેલો છે અને સદીઓથી પશુપાલન,ખેતી તેમજ શૌર્ય,પરાક્રમ અને રાષ્ટ્રપ્રેમની પરંપરા જાળવી રાખી છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે આવેલ શ્રી વીર યદુવંશી દગાયચા દાદા (ડાંગર) મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ મંદિર ખાતે પૂજા-અર્ચના કરી આ ધાર્મિક કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના આયોજકો તથા આહીર સમાજના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વીર યદુવંશી દગાયચા દાદાના શૌર્ય અને જીવનગાથા દર્શાવતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.કાર્યક્રમને…

Read More

ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆતઅમદાવાદ, ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. મોટાભાગના વિસ્તારોનું તાપમાન સતત વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે ત્રણ દિવસ યલો એલર્ટની આગાહી કરી છે. આ સાથે ચોથા દિવસે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાવવાની આગાહી દર્શાવવામાં આવી છે.હવામાન વિભાગના વેધર રિપોર્ટ પ્રમાણે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોથાથી સાતમાં દિવસ એટલે કે ૪થી ૭ માર્ચ દરમિયાન ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા રહેવાની શક્્યતા છે.આ સાથે મહત્તમ તાપમાન માટે આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે, આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે પાંચ સે.નો વધારો થશે. ત્યારબાદ ગુજરાતમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્્યતા નથી. ન્યૂનતમ તાપમાન…

Read More

વલસાડ, હાફૂસ કેરીનો ગઢ ગણાતા વલસાડ જિલ્લામાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સિઝનની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે આંબા પર સારું ફ્લાવરિંગ થતા ખેડૂતોની ખુશીનો પાર ન હતો.પરંતુ જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ વાદળછાયું વાતાવરણ અને ગરમીને કારણે કેરીના પાક પર અસર થઈ છે. વલસાડ જિલ્લામાં આ વખતે પણ કેરીના પાકમાં મોટું નુકસાન થવાની શક્્યતાઓ જોવાઈ રહી છે. હાફૂસ કેરીનું ઓછું ઉત્પાદન થવાને કારણે બજારમાં કેરીની કિંમતો વધારે હોવાની પણ ભીતિ સેવાઈ રહી છે.આ વર્ષે દિવાળી બાદ વલસાડ જિલ્લામાં આંબાવાડીઓમાં આંબા ઉપર ભરપૂર મોર ખીલ્યો હતો. આથી આ વર્ષે ખેડૂતોને કેરીના પાકનું બમ્પર ઉત્પાદન થશે તેવી…

Read More

અમદાવાદ, મોબાઈલ ફોન-પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈને ૧.૪૦ લાખ આંગણવાડી બહેનો, આશા વર્કરો રસ્તા પર ઉતરી છે. એટલું જ નહીં, આંગણવાડીમાં ઓનલાઈન કામગીરીનો સંપૂર્ણપણે બહિષ્કાર કર્યાે છે.એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો રાજ્યસરકાર ૧૨ માંગણી નહીં સ્વીકારે તો, આંગણવાડી બહેનો-આશા વર્કરો અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કરી શકે છે.જો રાજ્ય સરકાર ૧૨ માંગણીઓ નહીં સ્વીકારે તો અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કરાશે. વર્ષ ૨૦૨૨ માં આંગણવાડી બહેનોને નવા મોબાઈલ ફોન આપવામાં આવશે તેવું રાજ્ય સરકારે વચન આપ્યું હતું પણ હજુ સુધી નવા મોબાઈલ ફોન મળ્યા નથી.જૂના મોબાઈલ ફોન ચાલતા જ નથી જેથી ઓનલાઈન કામગીરી કરવી અઘરી બની છે. નબળી…

Read More

સુરત, સુરત શહેરના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ન્યુ પારસ ડાઇંગ મિલમાં કેમિકલની ટાંકી સાફ કરતી વખતે ગેસ ગૂંગળામણથી બે શ્રમિકોના મોત થયા હોવાની કરુણ ઘટના સામે આવી છે.ટાંકીમાં ઉતરેલા ચાર શ્રમિકો ગેસના ઝેરી પ્રભાવને કારણે બેભાન થઈ ગયા હતા. જેમાંથી બેના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા, જ્યારે અન્ય બે હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં રહેતા અને મૂળ બિહારના વતની ચાર શ્રમિકો ૨૩ વર્ષીય સોનુંકુમાર કમલેશ પાસવાન, ૨૦ વર્ષીય દિનુંકુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન, મનેનન્દર પાસવાન અને સંદીપ પાસવાન ગઈકાલે રાત્રે પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ન્યુ પારસ ડાઇંગ મિલમાં કેમિકલની ટાંકી સાફ કરવા…

Read More

પાલનપુર, શાળામાં અભ્યાસ કરવા જતા બાળકોના માતા-પિતા સામે લાલબત્તી સમાન કિસ્સો દિયોદર પોલીસ મથકે નોંધાયો છે. જેમાં ધોરણ ૯માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને શાળામાં જ અભ્યાસ કરતો ધો.૧૦નો વિદ્યાર્થી લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી જતાં સગીરાના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.દિયોદર પંથકમાં રહેતી અને ધોરણ ૯માં અભ્યાસ કરતી સગીરા ગત તા. ૫/૩/૨૦૨૬ના રોજ ઘરેથી શાળાએ અભ્યાસ અર્થ જવાનું કહી ઘરેથી નીકળી હતી. જેમાં સાંજે ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.પરિવારજનોએ તપાસ કરતાં સગીરા શાળાએ જઈ ન હોવાનું બહાર આવ્યું હતું. શોધખોળ કરતા શાળામાં ધો.૧૦માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડીને લઈ ગયો…

Read More

આણંદ, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપા ગામનો એક યુવાને સવા વર્ષ અગાઉ પેટલાદ પંથકની ૧૭ વર્ષીય એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. અને તેની ઉપર અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યાે હતો.આ અંગેનો કેસ પેટલાદના ત્રીજા સ્પેશ્યલ જજ અને અધિક સેસન્સ જજ ઝંખના વી.ત્રિવેદીની કોર્ટમાં ચાલી જતાં કોર્ટ તેને કસુરવાર ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદ અને દંડ ફટકાર્યાે છે.બોરસદ તાલુકાના નાપા એકતાનગરમાં નિલેશ જશવંતભાઈ રાઠોડ નામનો યુવાન પોતાના પરિવાર સાથે રહે છે. તે ઘણી વખત પેટલાદ પંથકમાં તેના સંબંધીના ઘરે જતો હતો. જેના કારણે તે ૧૭ વર્ષની એક સગીર યુવતીના સંપર્કમાં આવ્યો હતો. તેણે તેની સાથે પ્રેમસંબંધ…

Read More

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમદાવાદમાં અંગદાતા મહિલાઓને બિરદાવતો કાર્યક્રમ યોજાયોમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા અને ગાયિકા કિંજલ દવે દ્વારા અંગદાતા મહિલાઓનું સન્માન કરાયુંAhmedabad, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા અમદાવાદ ખાતે AMAમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા અને જાણીતી ગાયિકા સુશ્રી કિંજલ દવે ઉપસ્થિત રહ્યા હતા.“She gave life beyond life” થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં એવી પ્રેરણાદાયી મહિલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમણે અંગદાનના નિઃસ્વાર્થ નિર્ણય દ્વારા અનેક પરિવારોને નવજીવન આપ્યું છે.આ અવસરે મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા અને ગાયિકા સુશ્રી કિંજલ દવે દ્વારા અંગદાતા મહિલાઓનું સન્માન…

Read More