(એજન્સી)સુરેન્દ્રનગર, કરોડો રૂપિયાના સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં ઈડીએ ૧૮૨ પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા અનેક મોટા ખુલાસા થયા છે. જેમાં ઈડીએ જમીન એનએ કરી આપવાના નામે સુનિયોજીત કૌભાંડ હોવાનું જણાવ્યુ છે. સાથે જ કટકીની રકમ કોને, કેટલા ભાગમાં વહેંચાતી હતી તેની પણ માહિતી ચાર્જશીટમાં રજૂ કરી છે.ઈડીએ સુરેન્દ્રનગર જમીન કૌભાડમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. ઈડીએ જમીન દ્ગછ કરી આપવાના નામે રૂપિયા પડાવવાનું સુનિયોજિત કૌભાંડ ગણાવ્યં છે. આ જમીન કૌભાંડમાં તત્કાલીન કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝા, મામલતદાર મયુર દવે, એનએ શાખાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને એનએ શાખાના કારકુન…
Author: gujarat
સાયબર ઠગાઈની તમામ મોડસ ઓપરેન્ડી શીખવાડવામાં આવી છે(એજન્સી)અમદાવાદ, દસેક વર્ષ અગાઉ વિદેશી નાગરીકોને ઠગવાના કોલ સેન્ટરનો રાફડો શહેરમાં વિપુલ પ્રમાણમાં ફાટી નીકળ્યો હતો. અંગ્રેજી ભાષા કડકડાટ બોલતા યુવાનોની આવા ગેરકાયદેસર કોલ સેન્ટરમાં બોલબાલા હોવાના લીધે મોટા પગાર આપીને નોકરીએ રાખવાથી આવતા હતા. ત્યારે હવે જમાનો બદલાયો છે.ત્યારે વિદેશી નાગરીકોને ઠગતા કોલ સેન્ટરની જેમ સાયબર ઠગાઈના કોલ સેન્ટરોને રાફડો ગુજરશાત બહાર ફાટી નીકળ્યો છે. અને સાયબર ઠગાઈના ચાલતા કોલ સેન્ટરમાં પર ફાંફડું અંગ્રેજી બોલતા યુવાનોની પ્રથમ પસંદગી કરવામાં આવે છે.મ્યાનમાર અને કંબોડીયા જેવા દેશોમાં સાયબર ઠગાઈના કોલ સેન્ટરો મોટા પ્રમાણમાં ચાલી રહયા છે. ત્યારે આવા સેન્ટરમાં દેશભરના યુવાનો જેઓ અંગ્રેજી કડકડાટ…
“૧૩ વર્ષથી હું ધારાસભ્ય છું, હવે બીજાને તક મળવી જોઈએ”(એજન્સી)વડોદરા, મધ્ય ગુજરાતમાં ભાજપના આખાબોલા નેતા તરીકેની છાપ ધરાવતા ધારાસભ્ય કેતન ઈનામદારે ફરી એકવાર જૂનો રાગ આલાપ્યો છે. તેઓએ ફરી એકવાર ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી છે. વર્ષ ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ પણ કેતન ઈનામદારે આ જ શબ્દો કહ્યા હતા, હવે જોવું એ રહ્યું કે, તેઓ પોતાના કહ્યા બોલ પાળે છે કે નહિ, અને કેતન ઈનામદારની વાતમાં કેટલી ઈમાનદારી છે.બરોડા ડેરી મુદ્દે સાવલીના કેતન ફાર્મ ખાતે કેતન ઈનામદારનો સમ્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ડેસર ઝોનના ઉમેદવાર સુરપાલસિંહ પરમાર અને સાવલી ઝોનના ઉમેદવાર રામસિંહ વાઘેલા હાજર રહ્યા…
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસરને લઈને ગુજરાત સરકાર એલર્ટ-ઈરાન યુદ્ધની અસરઃ હર્ષ સંઘવીએ રાજ્યમાં ગેસ સપ્લાય, સ્ટોક, આયાત, વિતરણ અંગે ચર્ચા કરી(એજન્સી)ગાંધીનગર, મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવની અસર વૈશ્વિક ઊર્જા બજાર પર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યમાં ગેસ પુરવઠાની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી.વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી આ બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ઊર્જા વિભાગના અધિકારીઓ અને સરકારી ગેસ કંપનીઓના પ્રતિનિધિઓ જોડાયા હતા.બેઠકમાં રાજ્યમાં એલએનજી અને એલપીજીના પુરવઠા, ઉપલબ્ધ સ્ટોક તેમજ ભવિષ્યમાં ઉભી થઈ શકે તેવી સંભાવિત સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ રાજ્યમાં હાલ ગેસ સપ્લાયની…
૨૬૦ તાલુકા ગુજરાતમાં પંચાયત, ૩૨ જિલ્લા પંચાયત, ૧૫ મનપા અને ૭૧ ન.પાલિકામાં ચૂંટણી યોજાઈ શકે છે ગાંધીનગર, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ હવે જોવા મળી રહ્યો છે. રાજ્યમાં લાંબા સમયથી બાકી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તૈયારીઓ તેજ બની છે. નવા અપડેટ આવ્યા છે કે, આગામી ૧ મે પછી ચૂંટણી યોજાઈ શકે છે, તેથી રાજકીય પક્ષોમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે.ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ત્રણેય રાજકીય પક્ષોએ પોતાના સોગઠા ગોઠવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં ભર ઉનાળે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી જાય તેવા ભણકારા વાગી રહ્યાં છે. હવે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સંભવ ૧ મેના રોજ…
ઔડાનું ૨૦૨૬-૨૭નું રૂ.૩૧૦૧ કરોડનું બજેટ રજૂ(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે આજે(૬ માર્ચ) રૂ. ૩૧૦૧.૭૩ કરોડનું વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ઔડાના સીઈઓ દેવાંગ દેસાઇએ રજૂ કરેલા આ બજેટમાં શહેરના વિકાસ અને માળખાકીય સુવિધાઓ માટે મહત્ત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. આગામી વર્ષમાં સંસ્થાને રૂ.૩૧૧૯.૮૩ કરોડની આવક થવાનો અંદાજ છે.ઔડા પોતાની આવક વધારવા માટે હસ્તગત કરેલા ૫૦થી વધુ પ્લોટોનું વેચાણ કરશે, જેનાથી રૂ. ૧૩૦૦ કરોડ ઊભા કરવાનું આયોજન છે. આ ઉપરાંત, દુકાનોના વેચાણમાંથી રૂ. ૫ કરોડ અને એફોર્ડેબલ હાઉસિંગના હપ્તા પેટે રૂ. ૧૫.૩૬ કરોડની આવક ગણતા કુલ રૂ. ૧૩૨૦.૩૬ કરોડની આવક થવાની શક્યતા છે. જોકે,…
(એજન્સી)અંકલેશ્વર, પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર હવે ગુજરાતના અર્થતંત્રના મહત્વના ગણાતા મોરબીના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે.આંતરરાષ્ટ્રીય તણાવને કારણે પ્રોપેન ગેસનો પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જતાં સિરામિક એકમો માટે અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે. ઈંધણના અભાવે આગામી ૨૪થી ૪૮ કલાકમાં મોટાભાગના કારખાનાઓ બંધ થઈ જવાની શક્યતા છે, જેના કારણે લાખો પરિવારોની આજીવિકા પર જોખમ તોળાઈ રહ્યું છે.તો અમેરિકા-ઈરાન યુદ્ધ ને લઇ હવે અંકલેશ્વર જિલ્લાના ઉદ્યોગો માં એલએનજી ગેસ ની અછત શરૂ થઇ છે. અમેરિકા-ઈરાન- ઈઝરાયલ યુદ્ધ થી એલએનજી સપ્લાય ઘટ્યો છે. ગુજરાત ગેસ દ્વારા ગેસ સપ્લાય કરાર હેઠળ “ફોર્સ મેજર” જાહેર કરીને ઉદ્યોગોને…
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટા વહીવટી ફેરફાર કરવામાં આવ્યાં છે. ૩૭ આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે. જેમાં અનેક મહત્વના હોદ્દાઓ અપગ્રેડ અને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે. આ ફેરબદલમાં રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જ આઈજી અને ગગનદીપ ગંભીરને એસએમસીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.તો સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ આઈજી બનાવાયા છે. સમશેરસિંગ સિવિલ ડિફેન્સના ડીજીની જવાબદારી સોંપવામાં આવી છે. એસએમસીના ડીઆઈજીપી તરીકે વિશાલ વાઘેલાની નિમણુક કરવામાં આવી છે. સુરતના જેસીપી તરીકે મહેન્દ્ર બગડિયાને જવાબદારી સોંપાઇ છે. બનાસકાંઠા રેંજ આઈજી તરીકે પરિક્ષિતા રાઠોડ, એસીબી જોઈન્ટ ડાયરેક્ટર તરીકે દીપક મેઘાણી, વડોદરાના જેસીપી તરીકે નિલેશ જાજડિયાની…
સુરત, રાજ્યની સરકારી હોસ્પિટલો-જિલ્લા હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ આપવામા આવે છે. જેમાં હાલ ૨૦૨૪-૨૫ના વર્ષ પ્રમાણે ૧૩૮૬ દવાઓ છે.આ યાદીની સરકારે સમીક્ષા કરીને ૧૫૦ નવી દવાઓનો ઉમેરો કર્યાે છે.જ્યારે બિનજરૂરી ૫૭ દવાઓ રદ કરવામા આવી છે. આગામી વર્ષ માટે હવે કુલ ૧૪૭૯ સર્જિકલ અને ડાયગ્નોસ્ટિક સહિતની દવા દર્દીને મળશે.રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્સિયલ ડ્રગ લિસ્ટને રિવાઈઝ કરવામા આવી છે.જેમાં સમાવિષ્ટ પ્રત્યેક દવા અને સર્જિકલ આઈટમ રાજ્યના ગ્રામીણ અને શહેર વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઈને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં વિનામૂલ્યે આપવામા આવે છે.સરકારના હાલના એસેન્સિયલ ડ્રગ લિસ્ટમાં પ્રાથમિક કક્ષાની ૩૭૮ દવાઓ,સેકન્ડરી કક્ષાની ૬૨૮ દવાઓ અને ટર્સરી કક્ષાની…
અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં એવું ઠરાવ્યું છે કે કોઇ વ્યક્તિ અન્ય કોઇનું વાહન લઇને નીકળ્યો હોય અને અકસ્માત સર્જે તો તે થર્ડ પાર્ટી ગણી શકાય નહીં. તેને વળતર મેળવવાનો હક રહેતો નથી. આ રીતે હાઇકોર્ટે મોટર વાહન અધિનિયમ હેઠળની જોગવાઇઓ મુજબ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.હાઈકોર્ટે આ મામલે સ્પષ્ટતા કરી છે કે જે વ્યક્તિ તેના માલિક પાસેથી વાહન ઉધાર લે છે અને તેને ચલાવતી વખતે અકસ્માતનો ભોગ બને છે તે મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ની કલમ ૧૬૩એ હેઠળ વળતર મેળવવા માટે હકદાર નથી. હાઇકોર્ટની બેન્ચે ઠરાવ્યું હતું કે આવા ઉધાર લેનાર કાનૂની જવાબદારીના હેતુઓ માટે તૃતીય પક્ષ એટલે કે…
