હિંમતનગર, ઈડર તાલુકાના લાલોડા ગામે એક હડકાયા કૂતરાએ ભેંસને બચકું ભરતાં ભેંસનું બે દિવસ બાદ મોત નીપજ્યું હતું. જોકે આ ભેંસનું દૂધ પીધેલા ૨૦થી વધુ લોકોએ હડકાવા વિરોધી રસી લેવા માટે ઇડર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.ઇડર તાલુકાના લાલોડા ગામે સોમવારે એક હડકાયા કૂતરાએ ભેંસને બચકું ભર્યું હતું. હડકાયા કૂતરાના કરડ્યા બાદ ખેડૂતની ભેંસનુ બે દિવસ બાદ મોત નીપજ્યું હતું. ભેંસનું મોત નીપજ્યા બાદ લોકોમાં ભય જોવા મળ્યો હતો અને કૂતરુ કરડ્યા બાદ બે દિવસ સુધી ભેંસનું દૂધ પીનારા ૨૦થી વધુ લોકોમાં પણ ભય ફેલાયો હતો.ભેંસને બચકું ભર્યા બાદ તેનું મોત નીપજ્યાના સમાચાર ગામમાં ફરતા થતા લોકોમાં અનેક પ્રકારની…
Author: gujarat
સુરત, સુરત શહેર પોલીસ અને પાલિકાએ સંયુક્ત ઓપરેશનમાં નકલી પનીરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પાંડેસરા વિસ્તારની ભીડભંજન સોસાયટીમાં ચાલતા એક કારખાનામાં દરોડા પાડી ૧૪૦૧ કિલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે.પોલીસે સ્થળ પરથી મશીનરી અને કાચા માલ સહિત કુલ રૂ. ૨૮.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.શહેર પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્›પના ડીસીપી રાજદીપસિંહ નકુમનું કહેવું હતું કે, પાંડેસરામાં આવેલા આ કારખાનામાં પામોલીન તેલનો ઉપયોગ કરી નકલી પનીર (એનાલોગ પનીર) બનાવવામાં આવતું હતું.દરોડા દરમિયાન સ્થળ પરથી પનીર બનાવવા માટેના આધુનિક સાધનો જેવા કે પાસ્ચ્યુરાઈઝેશન મશીનરી, હોમોજીનાઇઝર મશીન, વેન્ચ્યુરી મશીન અને સ્ટોરેજ મળી આવ્યા હતા. જેની કિંમત આશરે…
ઉમરગામ, ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઈ સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. ત્યારે ઉમરગામના મરોલી ગામના ૨૫ થી વધુ માછીમારો ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાતા મુશ્કેલીમાં મુકાયા છે.પરિવારજનો સાથે છેલ્લા પાંચ-છ દિવસથી સંપર્ક નહીં થતા ચિંતા મુકાયા છે. પરિવારે ઈરાન માછીમારી કરવા ગયેલા લોકોને હેમખેમ ભારત પરત લાવવા સરકારને સહયોગ કરવા અપીલ કરી છે.ફસાયેલા માછીમારોને હેમખેમ પરત લાવવા સરકારને અપીલ કરી છે. ઇઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઈ સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે.ત્યારે આ યુદ્ધની સીધી અસર વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામના અનેક પરિવારોને થઈ રહી છે કારણ કે…
મોરબી, પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર હવે ગુજરાતના અર્થતંત્રના મહત્વના ગણાતા મોરબીના સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે.આંતરરાષ્ટ્રીય તણાવને કારણે પ્રોપેન ગેસનો પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જતાં સિરામિક એકમો માટે અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે. ઈંધણના અભાવે આગામી ૨૪થી ૪૮ કલાકમાં મોટાભાગના કારખાનાઓ બંધ થઈ જવાની શક્યતા છે, જેના કારણે લાખો પરિવારોની આજીવિકા પર જોખમ તોળાઈ રહ્યું છે. તો અમેરિકા-ઈરાન યુદ્ધ ને લઇ હવે અંકલેશ્વર જિલ્લાના ઉદ્યોગો માં એલએનજી ગેસ ની અછત શરૂ થઇ છે. અમેરિકા-ઈરાન- ઈઝરાયલ યુદ્ધ થી એલએનજી સપ્લાય ઘટ્યો છે.ગુજરાત ગેસ દ્વારા ગેસ સપ્લાય કરાર હેઠળ “ફોર્સ મેજર” જાહેર કરીને ઉદ્યોગોને…
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય કોલ સેન્ટર, વોટ્સએપ ચેટબોટ, મોબાઈલ એપ, સોશિયલ મીડિયા અને વેબ પોર્ટલ જેવા ફરિયાદોના તમામ અલગ-અલગ માધ્યમોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવીને વ્યવસ્થિત કરવાનો છે.ફરિયાદ નોંધણી, ટ્રેકિંગ, એનાલિટિક્સ ડેશબોર્ડ અને AI આધારિત સંવાદ શક્ય બનશે : દેવાંગ દાણી(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ જેવા ઝડપથી વિકાસ પામતા મહાનગરમાં અસરકારક નાગરિક શાસન અને પ્રતિસાદક્ષમ જાહેર સેવા પ્રદાન લાખો નાગરિકોના જીવનની ગુણવત્તા, સામાજિક વિશ્વાસ અને સુવિધા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. શહેરની વસ્તી વધે છે, શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરે છે અને નાગરિકોની અપેક્ષાઓ પણ વધી રહી છે.પરિણામે ફરિયાદોના નિરાકરણમાં વિલંબ, સંચારના વિખરાયેલા માધ્યમો, ડેટા આધારિત નિર્ણય પ્રક્રિયાનો અભાવ અને ફરિયાદ નિવારણમાં પારદર્શિતાની મર્યાદા…
શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન-જેતલપુર, ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને આગામી વિ. સ. ૨૦૮૨ ફાગણવદ આઠમ તા. ૧૧-૦૩-૨૦૨૬ના શુભ મંગલ દિવસે ૨૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.જેના ભાગરુપે શ્રી નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી તથા મોટા મહારાજશ્રી પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી ભાવી આચાર્ય પ. પૂ. ૧૦૮ વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની તા. ૦૫-૦૩-૨૦૨૬ થી તા.૧૧-૦૩-૨૦૨૬ સુધી ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે.આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આજનો દિવસ આપણા સૌ માટે સૌભાગ્યની વાત…
અમદાવાદ, 2026માં Akshay Gupta યુરોપના GT4 રેસિંગ ગ્રિડ પર લાઇન અપ થશે — એક એવી સફરનું નવીન અધ્યાય, જે વિશ્વના અગ્રણી રેસ ટ્રેકોથી દૂર, અમદાવાદમાંથી શરૂ થઈ હતી. આજે Nürburgring પર પોડિયમ ફિનિશર અને endurance રેસર તરીકે ઓળખાતા Akshay Gupta માટે GT4માં પ્રવેશ કોઈ અચાનક પગલું નથી, પરંતુ વર્ષોની મહેનત, વિચારીને લીધેલા જોખમો અને પ્રતિભા તથા સતત પ્રયત્ન પ્રિવિલેજને પણ પાછળ છોડી શકે છે એવી અડગ માન્યતાનું પરિણામ છે.ક્લબફૂટ સાથે જન્મેલા અને અમદાવાદના મધ્યવર્ગીય પરિવારમાં ઉછરેલા Akshay Gupta માટે મોટરસ્પોર્ટમાં પ્રવેશવાનો માર્ગ ક્યારેય સરળ રહ્યો નહોતો. બાળપણથી જ તેમને ગતિ અને મશીનો પ્રત્યે આકર્ષણ હતું, પરંતુ આસપાસનો ઇકોસિસ્ટમ પ્રોત્સાહન આપતો…
વિજ્ઞાન ફલક પર વિદ્યાર્થીનીઓનો દબદબો-ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી એ વિજ્ઞાન ક્ષેત્રે નારી શક્તિને કરી રહી છે વધુ સશક્ત; યુનિવર્સિટીના અનેકવિધ સંશોધન – સિદ્ધિઓ નારી શક્તિના નામેગત એક દાયકાથી સંશોધન અને નવીનતા પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા સતત મજબૂત બની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સંશોધન,વિકાસ અને નવીનતા યોજના અંતર્ગત ફાળવવામાં આવેલું રૂ. ૧ લાખ કરોડનું સંશોધન ભંડોળ દેશના સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમના નિર્માણ તરફનું એક ઐતિહાસિક પગલું છે. તેમના ‘જય જવાન,જય કિસાન,જય વિજ્ઞાન,જય અનુસંધાન’ના મંત્રને ગુજરાત ખરા અર્થમાં આત્મસાત કરી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શન હેઠળ તાજેતરમાં જ રાજ્ય દ્વારા સાયન્સ ટેકનોલૉજી એન્ડ ઈનોવેશન પોલિસી ૨૦૨૬-૩૧ જાહેર કરવામાં આવી…
અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પ્રિઝન ઇન્ટરવેન્શન પ્રોગ્રામ અંતર્ગત ઇન્ટેન્સીફાઇડ કેસ ફાઇન્ડિંગ કેમ્પેઇનનો શુભારંભરાજ્યની તમામ જેલોના 20 હજારથી વધુ બંદિવાનોને આવરી લેવામાં આવશેઅમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પ્રિઝન ઇન્ટરવેન્શન પ્રોગ્રામ અંતર્ગત ઇન્ટેન્સીફાઇડ કેસ ફાઇન્ડિંગ કેમ્પેઇનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પેઇન ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, જેલ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન એઇડ્સ કંટ્રોલ સોસાયટી, એલાઇન્સ ઈન્ડિયા દિલ્હી તથા GSNP+ ના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પેઇન રાજ્ય પોલીસ વડા શ્રી કે.એલ.એન.રાવ તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી અશ્વિન ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમજ અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષક શ્રી ગૌરવ અગ્રવાલ અને ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. કાર્તિક શાહની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં…
CEO કચેરીની તમામ શાખાઓના અધિકારીશ્રીઓ સાથે પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરીAhmedabad, ભારતના ચૂંટણીપંચે જાહેર કરેલા આદેશ અનુસંધાને 05-03-2026ના રોજ શ્રી સંદીપ સાગલે (IAS)એ મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે ચાર્જ સાંભળ્યો છે. પ્રથમ દિવસથી જ પ્રોએક્ટિવ એપ્રોચ દાખવતા તેમણે CEO કચેરીની તમામ શાખાઓના અધિકારીશ્રીઓ સાથે રાજ્યવ્યાપી તંત્રની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં ચૂંટણી સંચાલન, સંકલન, મતદારયાદી, મીડિયા સેલ, ફરિયાદ, આઈ.ટી. સહિતની વિવિધ શાખાઓના જવાબદાર અધિકારીશ્રીઓ પાસેથી મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ વર્તમાન સ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા. જેમાં તેમણે રાજયથી માંડી જિલ્લા સુધી તમામ સ્તરે તાલીમ સુયોગ્ય રીતે થાય તેના પર ભાર મુક્યો હતો. તાલીમ મોડ્યુલમાં રચનાત્મકતા લાવવા તાકીદ કરી હતી.આમ, આગામી…
