Author: gujarat

ખેડાના નવરચિત ફાગવેલ તાલુકામાં સમાવેશના વિરોધમાં -ચિખલોડ બેઠક પર ભાજપ-કોંગ્રેસ સહિત તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા(પ્રતિનિધિ)નડિઆદ, ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકા પંચાયતની આગામી ચૂંટણી પૂર્વે જ વહીવટી તંત્ર માટે મોટી મુંઝવણ ઉભી થઈ છે. ફાગવેલ તાલુકાની ચિખલોડ બેઠક પરથી ભાજપ, કોંગ્રેસ અને બે અપક્ષ મળી કુલ ચારેય ઉમેદવારોએ એકસાથે પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લેતા સમગ્ર ગુજરાતના રાજકારણમાં આ પ્રથમ ઘટના બની છે.ચિખલોડ ગામને કપડવંજ તાલુકામાંથી હટાવી નવા બનેલા ફાગવેલ તાલુકામાં સમાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના સમર્થનમાં ઉમેદવારોએ ચૂંટણીનો બહિષ્કાર કરી મેદાન છોડ્‌યું છે.ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ…

Read More

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્‌યુંજામનગર, જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલો અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ ૧૨ દરિયાઈ ટાપુઓ આવેલા છે. જે પૈકી માત્ર ૧ પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલ છે. જ્યારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે. જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે.આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સહેલાઈથી આ દરિયાઈ ટાપુઓ ઉપર આશ્રય મેળવે અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે.આથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ…

Read More

(એજન્સી) અમદાવાદ, ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકા મુજબ મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાર મહત્તમ ચાર મત આપી શકશે એટલે કે ચાર ઉમેદવારને મત આપી શકશે. જો ચારથી ઓછા ઉમેદવારને મત આપવો હોય તો આપી શકાશે, પરંતુ મત આપ્યા બાદ રજિસ્ટરનું પીળું બટન દબાવવું ફરજિયાત છે.ચૂંટણી પંચ દ્વારા મતદારોને વોટિંગમાં મુશ્કેલી ન પડે અને મતદાન પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે ચૂંટણી પહેલા ટ્રેનિંગો પણ ગોઠવાતી હોય છે અને આ સાથે મતદારોને પણ ધ્યાનમાં રાખવી જેવી માર્ગદર્શિકાઓ જાહેર કરાય છે. જે મુજબ આ વખતની કોર્પાેરેશન ચૂંટણીમાં મતદાર મહત્તમ ચાર મત આપી શકશે.દરેક વોર્ડમાં જુદા જુદા પક્ષના ચાર ઉમેદવારની પેનલ હોય છે,…

Read More

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટગાંધીનગર, ગુજરાતની ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ ૯૩૮ ફોર્મ પરત ખેંચાયા છે. જેને લઈને હવે કુલ ૨૭,૨૯૭ ઉમેદવારોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ શનિવારે હતો.જો કે, વિવિધ રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારોના નામ છેલ્લી ઘડી સુધી જાહેર કરાયા ન હતા. આ દરમિયાન શુક્રવારે મોડી રાત્રે તેમજ ડાયરેક્ટ મેન્ડેટ આપેલા ઉમેદવારો આખરી દિવસે ફોર્મ ભરવા આવતા રાજ્યભરની કચેરીઓમાં ભારે ભીડ પણ જામી હતી, તો ક્યાંક વિવિધ રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ખેંચતાણના ફિલ્મી દૃશ્યો પણ સર્જાયા હાત. આ ઉમેદવારી પરત ખેંચવાની તારીખ ૧૫ એપ્રિલ અને સમય બપોરે…

Read More

ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે રાજયમાં માહોલ ગરમાયો-જિલ્લા પંચાયતની રણોલી બેઠક પર ભાજપનો વિજયથલતેજ વોર્ડમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર રમીલા ઠાકોરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું ભાજપના ઉમેદવાર રીટા ઠાકોર બિનહરીફ ચૂંટાયાઅમદાવાદ, રાજયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓમાં આજે ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હતો જેના પરિણામે રાજયના અનેક વિસ્તારોમાં રાજકીય માહોલ ગરમાયો હતો.ઠેર ઠેર ઉમેદવારી પત્રો પાછા ખેંચવા માટે ઘર્ષણ થતું જોવા મળ્યું હતું કેટલાક પક્ષોએ પોતાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે સુરક્ષિત રાખ્યા છે. તો બીજી બાજુ કેટલાક ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પાછું ખેંચી લેતા ભારે હોબાળો મચ્યો હતો. અમદાવાદમાં પણ કોંગ્રેસના ત્રણ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પાછુ ખેંચતા ભાજપના…

Read More

અમદાવાદ: શહેરની પ્રતિષ્ઠિત એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હોસ્ટેલના બિલ્ડિંગમાં ધાબાનો સ્લેબ અચાનક તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થી કાટમાળ નીચે દબાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે.મળતી માહિતી મુજબ, હોસ્ટેલના બ્લોકમાં જ્યારે વિદ્યાર્થીઓ હાજર હતા, ત્યારે અચાનક છતનો એક ભાગ (સ્લેબ) ધડાકાભેર નીચે પડ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો. અન્ય વિદ્યાર્થીઓએ તુરંત જ એકઠા થઈને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.આ ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે:અમદાવાદની સૌથી જૂની અને…

Read More

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ઘટીને ₹6 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં (Q4 FY25) ₹146.48 કરોડ હતો. મુંબઈ, 15 એપ્રિલ: ઇન્ડસ્ટ્રિયલ ગિયરબોક્સ અને મટિરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ (MHE) ક્ષેત્રની અગ્રણી કંપની એલેકોન એન્જિનિયરિંગ કંપની લિમિટેડે બુધવારે નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટર (Q4) ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીના ચોખ્ખા નફામાં 96 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે, જે મુખ્યત્વે આ સમયગાળા દરમિયાન થયેલા અસાધારણ નુકસાન (Exceptional Loss) ને કારણે છે.નફા અને આવકમાં ઘટાડો: સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગ મુજબ, માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો ઘટીને ₹6 કરોડ રહ્યો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં (Q4 FY25) ₹146.48 કરોડ હતો. નફામાં આ…

Read More

ગુજરાત રાજ્યમાં યોગનો વ્યાપ વધારવા અને યોગ શિક્ષણને વધુ સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કચેરી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજી અને લકુલિશ યોગ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી મુકેશભાઇ શાહ ની વિષેશ ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU)કરવામાં આવ્યા છે.આ પ્રસંગે લકુલિશ યોગ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ શ્રી વિવેક મહેશ્વરી,લાઇફ મિશન સંસ્થાના સેક્રેટરી શ્રી એ.ડી. ગોહિલ,ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખાસ ફરજ પરના અધિકારીશ્રી ડૉ. મૃણાલદેવી ગોહિલ,ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કો-ઓર્ડીનેટરશ્રી અનિલભાઇ ત્રિવેદી તેમજ લકુલિશ યોગ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી શિવમભાઇ ત્રિપાઠી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કરાર અંતર્ગત બંને સંસ્થાઓ આગામી સમયમાં યોગના ક્ષેત્રમાં પરસ્પર…

Read More

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી – પાંચમો પદવીદાન સમારોહØયુવા શક્તિ જ દેશના સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્યનો આધારØડિજિટલ યુગમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જેવી સંસ્થાઓનું મહત્વ અને જવાબદારી અનેકગણી વધી છેØસુરક્ષા માત્ર ભૌગોલિક સીમાઓ કે પરંપરાગત હથિયારો પૂરતી સીમિત નથી,પરંતુ સાયબર સુરક્ષા,ડેટા સુરક્ષા અને કૂટનીતિ એ પરંપરાગત શક્તિ જેટલા જ મહત્વપૂર્ણØસાયબર સુરક્ષા એ હવે માત્ર સુરક્ષાનો વિષય નથી પરંતુ તે ડિજિટલ વિશ્વાસનું પણ અભિન્ન અંગØ*યુવા શક્તિ દેશભક્તિના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સુરક્ષાના મિશનમાં જોડાય*Ø*સમર્પણ,તપસ્યા અને બલિદાનની ભાવના સાથે રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બની પોતાનું કર્તવ્ય પૂર્ણ કરો*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શિક્ષણને વ્યક્તિગત ઉન્નતિ કે વિકાસનું નહીં પણ સમાજ અને રાષ્ટ્ર નિર્માણનો પ્રભાવી આધાર માને છે:મુખ્યમંત્રી શ્રી*રાષ્ટ્રની…

Read More

*વૈશ્વિક ઊર્જા કટોકટી વચ્ચે પણ રાજ્ય સરકાર અનેGGLદ્વારા ઉદ્યોગોને ગેસ સપ્લાય સુનિશ્ચિત કરાયો*અમદાવાદ, ગુજરાત ગેસ લિમિટેડ (GGL)મોરબીમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ના અધિકૃત સપ્લાયર તરીકે કાર્યરત છે. મોરબીના સિરામિક ઉદ્યોગની ગેસની જરૂરિયાતોને પહોંચી વળવા કંપનીએ વર્ષોથી એક અત્યાધુનિક અને વ્યાપક વિતરણ નેટવર્ક ઊભું કર્યું છે.GGLદ્વારા જારી કરાયેલ યાદી મુજબ,ફેબ્રુઆરી-૨૦૨૬ની કટોકટી પૂર્વે મોરબીમાં ૩૭૭ ગ્રાહકોGGLનાPNGનો ઉપયોગ કરી રહ્યા હતા. તેની સરખામણીમાં,લગભગ ૪૧૫ ગ્રાહકોIOCL, BPCLઅનેHPCLજેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પૂરા પાડવામાં આવતા પ્રોપેન પર નિર્ભર હતા. આ ગ્રાહકો દૈનિક અંદાજે ૫.૬MMSCMD (નેચરલ ગેસ સમકક્ષ) ઈંધણનો વપરાશ કરતા હતા,જેનો અર્થ છે કે,કુલ જરૂરિયાતનો આશરે ૭૦% હિસ્સો પ્રોપેન દ્વારા પૂરો થતો હતો.માર્ચ-૨૦૨૬ની શરૂઆતમાંGGLનો સપ્લાય વધ્યો…

Read More