Author: gujarat

ગોમટા ચોકડી નજીકથી નકલી ઘી-દૂધનો જથ્થો ઝડપાયો -SOGએ રૂ.૧,પ૯,૯૬રનો મુદ્દામાલ કબજે કર્યોગોંડલ, ગોમટા ચોકડી પાસે આવેલા કોરોવા મિલ્ક પ્રોડકટ પ્રાઈવેટ લીમીટેડ નામની દૂધ તથા દૂધની બનાવટ બનાવતા કારખાના પર એસઓજી પોલીસે દરોડો પાડી રૂ.૧,પ૯,૯૬રની કિંમતનું રપ૮ લીટર શંકાસ્પદ ઘી કબજે કરી કાર્યવાહી કરી હતી.રાજકોટ જિલ્લા વિસ્તારમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો વિરુદ્ધ સખત કાર્યવાહી અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઈન્સપેકટર એફ.એ. પારગી દ્વારા અલગ અલગ ટીમ બનાવી રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતા તત્વો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલા તે દરમિયાન પો.સબ ઈન્સ પી.બી. મિશ્રા, એ.એસ.આઈ વિપુલભાઈ ગુજરાતી તથા હે.કો. ક્રિપાલસિંહ જાડેજાની બાતમીના આધારેરાજકોટ…

Read More

જામનગર, જામનગરમાં ૧૯૮રમાં નગરપાલિકા માંથી મહાનગરપાલિકા બન્યા બાદ પણ શહેરની ટ્રાફિક વ્યવસ્થા અમુક અમુક મહિના પુરતી ઓટોમેટિક સિગ્નલ પર આવ્યા બાદ ફરી જૂની હાથ દેખાડવાની દેશી પદ્ધતિ પર આવી જાય છે.શહેરમાં ર૦૧૯માં લાખો રૂપિયાના ખર્ચે કોર્પોરેશને ઈલેકટ્રોનિક ટાઈમરવાળા ટ્રાફિક સિગ્નલ ચાલુ કરીને શહેરની ટ્રાફિક પોલીસ શાખાને સોંપ્યા બાદ બંધ થયેલી ઈલેકટ્રોનિક ટ્રાફિક સિસ્ટમ હજુ પણ ચાલુ નથી થઈ. મ્યુ. તંત્ર આજની તારીખે પોલીસ તંત્ર પાસે ટ્રાફિક સિગ્નલ ઈન્સ્ટોલેશન અને રીપેરીંગના રૂ.૭૦ લાખથી વધુ માંગે છે.જામનગર મહાનગરપાલીકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની જરૂરિયાતને ધ્યાને રાખીને ટ્રાફિક સિગ્નલો કાર્યરત કરવા આવ્યા હતા. ડી.કે.વી. સર્કલ, હનુમાન ગેઈટ પાસે, જનતા ફાટક, સંતોષી…

Read More

વાગરાના પીપલીયા ગામે દાદાની હત્યાથી રાઠોડ પરિવારમાં શોકનું મોજું -પોલીસે ત્રણેય હત્યારાઓને દબોચી જેલના સળિયા પાછળ ધકેલ્યા(પ્રતિનિધિ) ભરૂચ, વાગરા તાલુકાના પીપલીયા ગામે પૌત્રને ગાળો બોલવા બાબતે ઠપકો આપવો એક વૃદ્ધ દાદા માટે કાળ સાબિત થયો છે.ગત ૨૪ ફેબ્રુઆરીના રોજ થયેલા લોહિયાળ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે, આ મામલે વાગરા પોલીસે સક્રિયતા દાખવી ગણતરીના કલાકોમાં જ હત્યાના ત્રણેય આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધા છે.બનાવની વિગત અનુસાર ગત તારીખ ૨૪/૦૨/૨૦૨૬ ના રોજ રાત્રિના આશરે આઠેક વાગ્યાના અરસામાં પીપલીયા ગામના જૂના ફળિયામાં આવેલી મહમદભાઈની દુકાન પાસે આ હિંસક મારામારી…

Read More

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે ધંધાકીય અદાવતે ત્રિપુટીએ પ્રથમ હત્યાની ધમકી આપ્યા બાદ પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે હનીફ ગઠે ફિલ્મી ઢબે પોતાની કાર હંકારી લાવી બે થી ત્રણ બંમ્પરો કુદાવી મકસુદ પટેલને અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યાનો પ્રયાસ કરતાં આખરે મુખ્ય સુત્રધાર ઝડપાઈ જતાં તેને ઘટનાને અંજામ કેવી રીતે આપ્યો છે તેનું એ ટુ ઝેડ રીકન્ટ્રકશન કરાવતાં ઘટના સ્થળે ગ્રામજનોનું માનવ મહેરામણ ઉમટી પોલીસની પણ ગ્રામજનોએ પ્રશસંના કરી હતી.ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે ૧પમી ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે મુબ્બસીર ગઠ ટેન્કર લઈ જુના બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતી વેળાએ ટેન્કર ચાલકને મકસુદ પટેલે…

Read More

નોટબંધીના વર્ષો બાદ નરોડામાં રદ થયેલી નોટોનો મોટો જથ્થો ઝડપાયો-શું આ નોટો બદલાવવાનું કોઈ આંતરરાજ્ય કૌભાંડ ચાલી રહ્યું છે?(એજન્સી)અમદાવાદ, શહેરના નરોડા વિસ્તારમાં પોલીસે એક સનસનાટીભર્યા ઓપરેશનમાં રૂ. ૮૯ લાખની કિંમતની જૂની (રદ થયેલી) ચલણી નોટોનો જથ્થો ઝડપી પાડ્‌યો છે. નોટબંધીના વર્ષો બાદ પણ આટલી મોટી માત્રામાં પ્રતિબંધિત નોટો મળી આવતા પોલીસ અને એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.ગેલેક્સી ચાર રસ્તા પાસે પોલીસે કારમાં છુપાવેલું આ નાણું પકડી પાડી આગળની તપાસ તેજ કરી છે. પોલીસે રદ થયેલી લાખોની નોટો સાથે બે શખ્સોને ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. નરોડા પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે એક શંકાસ્પદ કારમાં પ્રતિબંધિત ચલણી નોટોની હેરાફેરી…

Read More

(એજન્સી)સુરત, સુરત શહેરમાં માનવ તસ્કરીના ગંભીર ગુનાનો પર્દાફાશ કરતા લિંબાયત પોલીસે ૧૪ વર્ષની સગીરાને કેટરિંગના બહાને લઈ જઈ વેચી દેવાઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર લાવ્યો છે.સમગ્ર મામલામાં મુખ્ય સૂત્રધાર ફરજાના ઉર્ફે ફજ્જો રફીક શાહને પાંચ મહિનાથી ફરાર રહ્યા બાદ ઝડપી પાડવામાં આવી છે. પોલીસ માહિતી મુજબ, લિંબાયત વિસ્તારમાં રહેતી સગીરાને કામની લાલચ આપીને લસકાણા લઈ જવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે સગીરાનો પ્રથમ સોદો ૫૦ હજાર રૂપિયામાં સોયેબ નામના વ્યક્તિ સાથે કરવામાં આવ્યો હતો.જોકે, લસકાણામાં સગીરા પર બળજબરી કરવાનો પ્રયાસ નિષ્ફળ જતા આ સોદો રદ થયો હતો. ત્યારબાદ, સગીરાને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે લઈ જઈ એક હિન્દુ યુવક સાથે…

Read More

૧૦૦૦થી વધુ સભ્યોની ઉપસ્થિતિમાં વેપારી સંગઠનને મજબૂત કરવા સંકલ્પઅમદાવાદ: તાજેતરમાં અમદાવાદના શેલા સ્થિત ઔડા ઑડિટોરિયમ ખાતે ‘અખિલ ગુજરાત હાર્ડવેર એસોસિએશન’ની વાર્ષિક સાધારણ સભા (AGM) ઉત્સાહભેર યોજાઈ ગઈ. આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી એસોસિએશનના ૧૦૦૦થી પણ વધુ સભ્યોએ હાજરી આપી પોતાની એકતાનું પ્રદર્શન કર્યું હતું.સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આ પ્રસંગે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સભ્યોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવતાલક્ષી અભિગમ દાખવ્યો હતો.એસોસિએશનના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ પટેલ અને તેમની કારોબારી સમિતિના માર્ગદર્શન હેઠળ વિવિધ મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સભાનો મુખ્ય ઉદ્દેશ્ય:આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ના…

Read More

ઈરાનના રાષ્ટ્રપતિ ભવન પર ભીષણ હુમલો-ઈરાને વળતા પ્રહારમાં બેહરીન, ઈરાક સહિતના દેશો પર કરેલો ભીષણ હુમલોતહેરાન, ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલા બાદ એક પછી એક ગંભીર પરિણામો આવી રહયા છે. ઈરાનની ટોચની હરોળના લશ્કરના અધિકારીઓ તથા તેમના પ્રમુખ ખામનેઈના ખાત્મા બાદ હવે ઈરાન વળતા પ્રહારો કરી રહયું છે.જોકે ઈઝરાયલે ઈરાનના પાટનગર તહેરાનમાં વ્યાપક બોમ્બમારો કરી ભારે નુકશાન પહોંચાડયું છે અને મોટાપ્રમાણમાં જાનહાની થઈ છે. આજે ઈઝરાયલે ઈરાનના રાષ્ટ્રપતિ ભવન પર હુમલો કર્યો હતો ત્યારે બીજીબાજુ ઈરાને પણ કુવૈત, બેહરીન, ઈરાક પર હુમલો કર્યો છે.ઈઝરાયલે ઈરાન સામે કરેલું યુદ્ધ ભીષણ તબક્કામાં પહોંચી ચૂક્્યું છે. ઈઝરાયલના સુરક્ષા દળોઅ ૩ માર્ચે…

Read More

નિકોલ વિધાનસભા વિસ્તારમાં 5 માર્ચે અંદાજીત રૂ.97.36 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તઅમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 5 માર્ચ 2026, ગુરુવારના રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા ઘ્વારા પૂર્વ ઝોનના નિકોલ વિધાનસભા વિસ્તારમાં અંદાજિત રૂ.97.36 કરોડના ખર્ચે કુલ 31 વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં રૂ.17.67 કરોડના 2 કામોના લોકાર્પણ, રૂ.77.56 કરોડના 8 કામોના ખાતમુહૂર્ત અને રૂ.2.13 કરોડના 70:20:10ના 21 કામોના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.નિકોલ વિધાનસભા વિસ્તારમાં કુલ રૂ.રૂ.17.67 કરોડના 2 કામોનું લોકાર્પણ કરવામાં આવશે.નિકોલ વિધાનસભાના વિરાટનગર વોર્ડમાં રૂ.6.76 કરોડના ખર્ચે બનાવેલી વિરાટનગરની નવી સબ ઝોનલ ઓફિસ અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને ડિમોલીશ…

Read More

મુંબઈ, રાજ્યભરમાં જ્યારે હોળી-ધૂળેટીના પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં હોલિકા દહન દરમિયાન અશાંતિ સર્જવાનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે જૂથના યુવાનો સામસામે આવી ગયા હતા.જોકે, પોલીસે સમયસૂચકતા વાપરીને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે.મળતી માહિતી મુજબ, રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં પરંપરાગત રીતે હોલિકા દહનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ત્યાંથી અન્ય ધર્મના કેટલાક યુવાનો પસાર થઈ રહ્યા હતા.હોલિકા દહનની વિધિમાં અડચણ ન આવે તે માટે ત્યાં હાજર હિન્દુ યુવાનોએ આ યુવકોને સાઈડમાં ખસીને ચાલવા અથવા જગ્યા આપવા માટે જણાવ્યું હતું.આ સામાન્ય બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી…

Read More