Author: gujarat

ઉમરગામના મામલતદારે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરતા ચકચાર(પ્રતિનિધિ)ઉમરગામ, ઉમરગામ ખાતે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા ડી.સી. ડી.સી. બ્રાહ્મણકાચ્છ ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર મળ્યા છે. આ બનાવને પગલે સમગ્ર વલસાડ જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી અનુસાર, ગત રાત્રે મોડીરાત્રિના સમયે મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છ રેલવે ટ્રેક પર જઈ ટ્રેન નીચે પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.ઘટના બનતાની સાથે જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. હાલમાં દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અને સરકારી તંત્ર ચૂંટણીની તૈયારીઓમાં…

Read More

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન શ્રી બાબાસાહેબ આંબેડકર જયંતિની ભારતીય જનતા પાર્ટી તેમજ દલિત સમાજ દ્વારાભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. સવારના ૧૦ઃ૦૦ વાગ્યે ભારતીય જનતા પાર્ટી શહેર તાલુકા સંગઠન દ્વારા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા ને પુષ્પ સુમન અર્પણ કર્યા હતા.આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ લુકેશભાઈ સોલંકી, મંત્રી અંબિકા બેન સુથાર, શહેર સંગઠનના પ્રમુખ બ્રિજેશ બારોટ, તાલુકા સંગઠન પ્રમુખ હિતેશભાઈ પટેલ, મહામંત્રીઓ, નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તથા સદસ્યો તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના ઉમેદવારો હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડબ્રહ્મા શહેરના ગામ વિસ્તારમાં આવેલ વણકર વાસ ભાભીવાસ વાલ્મિકી વાસ માંથી આ શોભા યાત્રાનો શુભારંભ કરાયો હતો.આ શોભાયાત્રામાં ખેડબ્રહ્મા…

Read More

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ નગરમાં વાવડી ફળિયામાં રહેતા અને બકરા ચરાવી પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવતા યુવાન ઉપર મગર હુમલો કરી ઇજાગ્રસ્ત કરતા પરિવાર ચિંતિત બન્યો હતો.આમોદ નગરમાં આવેલા વાવડી ફળિયામાં રહેતા અશરફ હસન પટેલ ઉ.વ.૨૨ પોતાના ઘરે ૪૦ થી વધુ બકરા રાખી પશુપાલન કરે છે અને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે.ગત રોજ ૧૧ કલાકે તેઓ ૪૦ બકરા લઈને શમા હોટલ પાછળ આવેલા ખેતર પાસે બકરા ચરાવતો હતો.ત્યાર બાદ બપોરના ૨ઃ૩૦ વાગ્યાના સમયે નજીક આવેલી તલાવડી પાસે બકરાઓને પાણી પીવડાવવા માટે લઈ ગયો હતો.જ્યાં બકરીના નાના બચ્ચાને પોતાના હાથથી પાણી પીવડાવવા જતાં શાંત પાણીમાં રહેલા મગરે તેના જમણા હાથનો પંજો…

Read More

મ્યુનિ. કોર્પાેરેશનના પ્રશ્નો હલ કરવા હોય તો સરદાર પટેલ જેવા વ્યક્તિત્વ વાળા ઉમેદવારોને મ્યુનિ. કોર્પાેરેશનમાં ચૂંટો ?! પક્ષ જોઈને નહીં ?! વ્યક્તિ જોઈ મત આપવાનો સમય શું નથી આવ્યો ?!તસ્વીર નરોડા વોર્ડ પર નવી બનેલી ખારીકટ કેનાલ પાસે આવેલા ચાર રસ્તાની છે ! ત્યાં નરોડા, વ્યાસવાડી આવેલ છે તેની પાસેથી અડીને એક સર્વિસ રોડ આવેલ છે ! આ સર્વિસ રોડ તૈયાર કરી વાહનોના અવર જવર માટે શરૂ નથી કરાતો કારણે કે પ્રજાની ફરિયાદ મુજબ વ્યાસવાડીનું પોતાનું મોટું પા‹કગ નથી તેથી ૫૦% વાહનો ગેરકાયદેસર રીતે બહાર પાર્ક કરાય છે !આ ગેરકાયદેસર વાહનો પાર્ક કરી શકાય તે માટે વ્યાસવાડી પાસેથી પસાર થતો…

Read More

સાયબર ઠગે આતંકી કનેકશન હોવાનું કહી વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કરી ૩૩ લાખ પડાવ્યા(એજન્સી)અમદાવાદ, નારણપુરા વિસ્તારમાં વૃદ્ધ શિક્ષીકા અને તેમના પતીને ડીજીટલ એરેસ્ટ કરી સાયબર ઠગો ૩૩ લાખ ચાઉ કરી ગયાની વધુ એક ઘટના અમદાવાદ સાયબર સેલમાં સોમવારે પ્રકાશમાં આવી છે. એટીએસ અધિકારી તરીકે સાયબર ઠગે ઓળખ આપી નિવૃત્ત શિક્ષકોને જણાવ્યું કે, એટીએસએ આતંકીના ફાર્મમાં રેડ કરતા તમારા પતીનું આધારકાર્ડ અને હથીયારો મળ્યા છે.તમે પતી-પત્ની શંકાના દાયરામાં હોવાથી તમારી ધરપકડ કરવી પડશે. આ રીતે ડરાવી ધમકાવી વૃદ્ધ દંપતીના રોકાણની વિગતો મેળવી આરોપીઓએ ૩૩ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. બીજા ૩૦ લાખ ટ્રાન્સફર કરવાના હતા જો કે, સહી મેચ ના થતાં બેકમાં…

Read More

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ૪૮ વોર્ડના ૧૯ર ઉમેદવારોની યાદી જાહેર કરી તેમના ફોર્મ પણ ભરાવી દીધા છે અને તેની અંતિમ ચકાસણી પણ પૂર્ણ થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જુના જોગીઓની બાદબાકી કરી નવા ચહેરાઓને તક આપી છે.પરંતુ કોંગ્રેસમાંથી વંડી ટેકી ભાજપમાં ગયેલા કેટલાક પ્રતિભાશાળી નેતાઓની પણ બાદબાકી કરવામાં આવી છે જેના કારણે તેમની કારકિર્દી પણ હાલ પૂરતો પૂર્ણ વિરામ મુકાયો હોય તેવી ચર્ચા ચાલી રહી છે.અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ર૦ર૧માં યોજાયેલ ચૂંટણીમાં તત્કાલિન વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા ચાંદખેડામાંથી ચૂંટણી લડ્યા હતા જયાં તેમની હાર થઈ હતી ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા…

Read More

રહેણાક વિસ્તારોમાં નળ ખુલ્લાં મૂકવાની પ્રવૃત્તિને રોકવા બૂચ લગાવાયા પરંતુ લોકોમાં જાગૃતિ નથી આવતી(એજન્સી)અમદાવાદ, જળ એ જ જીવન છે તેવા સુત્રોને ભુલાવી દઈ શહેરનાં અનેક વિસ્તારોમાં રહેણાંક તથા કોર્મશીયલ એકમોમાં પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ કરવામાં આવતો હોય છે.પરંતુ મ્યુનિ.નાં મધ્ય ઝોનમાં બીનજરૂરી પાણી વેડફાતાં અને રોડને નુકશાન પહોચાડતા કોર્મશીયલ એકમો સામે પાણીનાં જોડાણ કાપવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અને તેના ભાગરૂપે રપ એકમના જોઠાણો કાપી નાખવામાં આવ્યા છે.મધ્ય ઝોનના ડે.કમીશ્નર રમ્યકુમાર ભટ્ટનાં જણાવ્યા અનુસાર મધ્ય ઝોનનાં જુદાજુદા વોર્ડમાં કેટલાક દુકાનદારો પાણીની પાઈપલાઈન બંધ કરવાને બદલે પાણી વેડફાતાં હોવાની અને રોડ પર વહેતું હોય તોય તેને અટકાવવામાં કોઈ પ્રયાસ કરતા…

Read More

રોજનાં પાંચ હજાર ટનના રોડ રિસરફેશના કામો સામે હાલ ૧૦૦ ટનથી ઓછું કામ થાય છે(એજન્સી)અમદાવાદ, મેગાસીટી અને સ્માર્ટ સીટી એવા અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહીના કરતાં વધુ સમયથી રોડ રિસરફેસના કામો નહીવત પ્રમાણમાં થઈ રહયાં છે. તેમાંય અમેરીકા ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ભીષણ જંગ જારી રહેશે તો રોડ રીસરફેસના બકાકી કામો કયારે હાથ ધરાશે તો નકકી નહી તેમ મ્યુનિ.ઈજનેર ખાતાના સુત્રોએ સ્વીકાર્યું હતું.શહેરમાં બે મહીના અગાઉ રોજના પાંચ હજાર ટન જેટલા મટીરીયલનો ઉપયોગ થતો હતો અને નવા રોડ બનાવવા રોડ રીસરફેસ પેચવર્ક જેવા કામો પુરજોશમાં ચાલતાં હતા તેવી માહિતીના ઈજનેર ખાતાના સુત્રોએ કહયું કે જયારેથી ઈરાન સામે અમેરીકા તથા ઈઝરાયેલ…

Read More

નવસારી, નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષનો મેન્ડેટ નહીં હોવાનાં કારણે કોંગ્રેસનાં તમામ ૨૦ ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. જ્યારે એક અપક્ષનું ફોર્મ રદ થતાં ભાજપ કુલ ૨૪ પૈકી ૨૧ બેઠકો પર બિનહરીફ થઈ છે.આમ કોંગ્રેસે ગણદેવી નગર પાલિકા ગુમાવી દીધી છે. હવે મેદાનમાં ૩ ઉમેદવારો છે. સંભવતઃ ફોર્મ ખેંચવાનાં દિવસે આ ત્રણ સીટ પણ બિન હરીફ કરવાની તૈયારી ભાજપે કરી લીધી છે.ગણદેવી નગરપાલિકાનાં કુલ ૬ વોર્ડની ૨૪ બેઠકોની ચૂંટણી માટે ભાજપે ૪૯, કોંગ્રેસે ૨૦ અને અપક્ષો મળી ૬૯ ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરાઈ હતી.જેમાં કોંગ્રેસી ઉમેદવારોના ફોર્મ સાથે પક્ષનો મેન્ડેટ નહીં હોવાથી તેને રદ કરાયા હતા. જ્યારે એક અપક્ષનું…

Read More

અમદાવાદ, રાજ્યમાં દારૂબંધીના અમલ વચ્ચે પોલીસ દ્વારા બુટલેગરો પર કડક નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન અમદાવાદ શહેર પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે.નરોડા પોલીસ સ્ટેશનની હદમાં પીસીબીએ વોચ ગોઠવીને લાખો રૂપિયાના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા છે.મળતી માહિતી અનુસાર, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનના ડુંગરપુરથી એક સફેદ રંગની એસયુવી કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે.આ બાતમીના આધારે પીસીબીની ટીમે નરોડા વિસ્તારમાં સધી માતા ચાર રસ્તા પાસે આવેલા આયુષ્માન પ્લાઝા કોમ્પલેક્ષ સામે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર નજરે પડતા પોલીસે તેનો પીછો કરી…

Read More