ઉમરગામના મામલતદારે ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરતા ચકચાર
(પ્રતિનિધિ)ઉમરગામ, ઉમરગામ ખાતે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા ડી.સી. ડી.સી. બ્રાહ્મણકાચ્છ ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર મળ્યા છે. આ બનાવને પગલે સમગ્ર વલસાડ જિલ્લામાં ભારે ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, ગત રાત્રે મોડીરાત્રિના સમયે મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છ રેલવે ટ્રેક પર જઈ ટ્રેન નીચે પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.ઘટના બનતાની સાથે જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. હાલમાં દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અને સરકારી તંત્ર ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે.
આવા સમયે એક જવાબદાર ઉચ્ચ અધિકારીના આપઘાતે અનેક સવાલો ઉભા કર્યા છે. કામનો વધતો બોજ, માનસિક દબાણ કે અન્ય કોઈ અંગત કારણ આ પગલાં પાછળ જવાબદાર છે કે નહીં તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હજુ સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી, જેના કારણે આપઘાત પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી.
હાલ પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે અને વિગતવાર તપાસ બાદ જ હકીકત બહાર આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ બનાવે માત્ર ઉમરગામ જ નહીં પરંતુ સમગ્ર વલસાડ જિલ્લાના મહેસૂલી વિભાગને હચમચાવી દીધો છે. ઉચ્ચ અધિકારીઓ પણ આ મામલે મૌન ધારણ કરી રહ્યા છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ સત્તાવાર નિવેદન આપવાની શક્યતા છે.
મળતી માહિતી અનુસાર, મામલતદાર ડી.સી. બ્રહ્મકચ્છ ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીની કામગીરીમાં દિવસભર વ્યસ્ત હતા. ઉમરગામ તાલુકામાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી ચાલી રહી હોવાથી ઉમેદવારોના ફોર્મની ચકાસણી, મંજૂરી અને રદ કરવાની મહત્વપૂર્ણ જવાબદારી તેમના ઉપર હતી। તેઓ દિવસભર આ કામગીરીમાં વ્યસ્ત રહ્યા હતા અને રાત્રે મોડા સુધી કામ ચાલતું હતું.
ત્યારબાદ રાત્રે અંદાજે ૧૦ થી ૧૧ વાગ્યાની વચ્ચે ઉમરગામ રેલવે સ્ટેશન નજીક, પ્લેટફોર્મ પૂર્ણ થતું હોય તે વિસ્તારમાં તેમણે ટ્રેન આગળ કૂદી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.આ ઘટનાની જાણ થતાં સરકારી તંત્રમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
દિવસભર ચૂંટણીના કામમાં વ્યસ્ત રહેલા અધિકારીએ અચાનક આ પ્રકારનું પગલું કેમ ભર્યું તે અંગે અનેક સવાલો ઉભા થયા છે.હાલમાં રેલવે ય્ઇઁ પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આત્મહત્યાના કારણો અંગે વધુ તપાસ ચાલી રહી છે.

