રહેણાક વિસ્તારોમાં નળ ખુલ્લાં મૂકવાની પ્રવૃત્તિને રોકવા બૂચ લગાવાયા પરંતુ લોકોમાં જાગૃતિ નથી આવતી
(એજન્સી)અમદાવાદ, જળ એ જ જીવન છે તેવા સુત્રોને ભુલાવી દઈ શહેરનાં અનેક વિસ્તારોમાં રહેણાંક તથા કોર્મશીયલ એકમોમાં પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ કરવામાં આવતો હોય છે.
પરંતુ મ્યુનિ.નાં મધ્ય ઝોનમાં બીનજરૂરી પાણી વેડફાતાં અને રોડને નુકશાન પહોચાડતા કોર્મશીયલ એકમો સામે પાણીનાં જોડાણ કાપવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અને તેના ભાગરૂપે રપ એકમના જોઠાણો કાપી નાખવામાં આવ્યા છે.
મધ્ય ઝોનના ડે.કમીશ્નર રમ્યકુમાર ભટ્ટનાં જણાવ્યા અનુસાર મધ્ય ઝોનનાં જુદાજુદા વોર્ડમાં કેટલાક દુકાનદારો પાણીની પાઈપલાઈન બંધ કરવાને બદલે પાણી વેડફાતાં હોવાની અને રોડ પર વહેતું હોય તોય તેને અટકાવવામાં કોઈ પ્રયાસ કરતા નથી તેવું માલુમ પડયું હતુ્. અને સ્થાનીક લોકોમાંથી પણ આ બાબતે ફરીયાદ આવી હતી.
આથી મધ્ય ઝોનનાં ઈજનેર ખાતાનાં અધિકારીઓને જુદાજુદા વોર્ડના બજાર વિસ્તારોમાં રાઉન્ડ લઈ પાણીનાં નળ ખુલ્લા મુકી દેવાયા હોય તેવા વેપારીઓના જોડાણ કાપી નાખવાની સુચના આપવામાં આવી હતી. તેના પગલે ખાડીયામાં ૬ જમાલપુર ૧, શાહપુર ૭, શાહીબાગમાં ૧ અસારવામાં ૩ અને દરીયાપુરમાં ૭ મળી કુલ રપ જેટલા જોડાણો કાપી નાખવામાં આવ્યો છે.
તેના પગલે જોડાણો નહી કાપવા અને ફરી જોડાણ કરી આપવા માટે રાજકીય ભલામણો ચાલુ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય મધ્ય ઝોનમાં રહેણાંક વિસ્તારોમાં પાણીની લાઈનો ઉપર નળચકલી લગાવનારને બદલે ખુલ્લી રાખવામાં આવતી હોવાથી ખુલ્લી લાઈન ઉપર બુચ લગાવવાની મહેનત એક કોપોરેટરને કરી હતી.
પરંતુ લોકોમાં આ બાબતે જાગૃતિ આવતી નથી. આ અગાઉ જમાલપુર વોર્ડમાંથી પ્રદુષીત પાણીની ફરીયાદમાં તપાસ કરવા ગયેલી ટીમને પણ રહેણાંક ફલેટમાં ગેરકાયદે જોડાણો તેમજ મોટર પંપ મળી આવ્યા હતા.

