પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા તથા વધતી મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર બે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવશે. ટ્રેનોની વિગત નીચે મુજબ છે:ટ્રેન નંબર 09027 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ સ્પેશિયલ શનિવાર, 07 માર્ચ 2026ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 23:45 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 08:30 કલાકે અમદાવાદ પહોંચશે.તે જ રીતે, ટ્રેન નંબર 09028 અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ સોમવાર, 09 માર્ચ 2026ના રોજ અમદાવાદથી 03:00 કલાકે પ્રસ્થાન કરશે અને તે જ દિવસે 11:15 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર રોકાણ કરશે.આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટિયર…
Author: gujarat
નવી દિલ્હી, ભારતીય મહિલાઓ રેકોર્ડ સંખ્યામાં કાર્યબળમાં જોડાઈ રહી છે, તાજેતરના સરકારી આંકડા અનુસાર તેમની રોજગારી લગભગ બમણી થઈને 40%થી વધુ થઈ ગઈ છે, અને છેલ્લા સાત વર્ષમાં 1.56 કરોડ મહિલાઓ ઔપચારિક નોકરીઓમાં પ્રવેશી છે. જો કે વધતી આર્થિક ભાગીદારી અને લિંગ-કેન્દ્રિત નીતિની ફાળવણીના વિસ્તરણ છતાં, મહિલાઓમાં વ્યક્તિગત આરોગ્ય વીમાની માલિકી અપ્રમાણસર રીતે ઓછી રહે છે, જે પોતાની સુરક્ષાના અંતરને સતત ઉજાગર કરે છે.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે, કેર હેલ્થ ઇન્સ્યોરન્સ એ વાત પર ભાર મૂકે છે કે મહિલા પ્રસ્તાવકો હાલમાં તેના વ્યક્તિગત આરોગ્ય વીમાના પોર્ટફોલિયોમાં 28-30% હિસ્સો ધરાવે છે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વધી રહ્યો છે. મહિલાઓ દ્વારા પસંદ…
હોળી-ધૂળેટી પર્વ પર ગુજરાત એસ.ટી. નિગમનું સુદ્રઢ આયોજન-ડાકોર રણછોડરાયજીના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ ૩૬૦૦ ટ્રીપ ચલાવવામાં આવીનાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ તહેવારોમાં આ સફળ આયોજન બદલ એસ.ટી. નિગમના ડ્રાઈવર-કંડકટર સહિત સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યાAhmedabad, હોળી અને ધૂળેટીના પર્વ દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ,ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કરવામાં આવેલું એક્સ્ટ્રા બસ સંચાલન ખૂબ જ સફળ રહ્યું હતું. ચાલુ વર્ષે નિગમે ગત વર્ષના તમામ રેકોર્ડ તોડી મુસાફરોને શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડી છે. નિગમ દ્વારા આ વર્ષે ૭૪૦૦થી વધુ વધારાની ટ્રીપ દ્વારા ૩.૧૪ લાખ મુસાફરોને સલામત પરિવહન સેવા પૂરી પાડવામાં આવી…
સરકારી આરોગ્ય સેવાની સંવેદનશીલતા; અમદાવાદ અને બનાસકાંઠાના બાળકોને નવજીવન આપતા સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર્સ…અમદાવાદ, બનાસકાંઠાના ખેડૂત પરિવારમાં રમત રમતમાં ભાઈથી ભૂલથી એરગનનું ટ્રિગર દબાઈ જતાં એરગનની ગોળી નાનકડી સુમનબાને વાગી અને ઘટનાની ગંભીરતા જોતાં તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાઈ. જ્યાં ઓપરેશન બાદ આ પેલેટ દૂર કરવામાં આવી અને આજે સુમનબા સંપૂર્ણ સ્વસ્થ છે…જ્યારે અન્ય કિસ્સામાં અમદાવાદના શ્રમિક પરિવારના બાળકને સીટી સ્કેન કર્યા બાદ ખબર પડી કે તેની શ્વાસનળીમાં પથ્થર ફસાયેલો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમે વેન્ટિલેટર સપોર્ટ પર રહેલા આ બાળકનું સફળ ઓપરેશન કર્યુંઅને તેની શ્વાસનળીમાંથી પથ્થર નીકળતા જ સ્થિતિમાં સુધારો થયો અને નવજીવન મળ્યું… આ બંને જટિલ…
કર્મચારી પાસે મોટી રકમ છે તેની જાણ તસ્કરોને હોવાથી, ચોક્કસ સ્થળે રેકી કરીને જ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાનું જણાય છે.(એજન્સી)અમદાવાદ, શહેરના પોશ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં ધોળે દિવસે તસ્કરોએ પોલીસના નાક નીચે આંગડિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવ્યો છે. સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે આવેલા ટ્રેડ સેન્ટર બિલ્ડિંગ નજીક તસ્કરોએ ફિલ્મી ઢબે સરનામું પૂછવાના બહાને કર્મચારીનું ધ્યાન ભટકાવ્યું અને તેની એક્ટિવાની ડેકીમાંથી રૂપિયા ૨૦ લાખની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર શહેરના આંગડિયા બજાર અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, એક જાણીતી આંગડિયા પેઢીનો કર્મચારી ૨૦ લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગ એક્ટિવાની ડેકીમાં મૂકીને જઈ…
(એજન્સી)અમદાવાદ, સમગ્ર દેશમાં ચોથી માર્ચે ધુળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી થઇ રહી હતી ત્યારે ગુજરાતમાં આ રંગોનો પર્વ કેટલાક પરિવાર માટે માતમ લઇને આવ્યો હતો. ધૂળેટી પર્વ પર રંગોથી રમ્યા બાદ તળાવમાં ન્હાવા ગયેલા હોલી રસિકોને કાળ ભરખી ગયો હોવાથી ગુજરાતમાં ૧૦થી વધુ ઘટનઓ સામે આવી છે.ગુજરાતના સુરત, રાજકોટ, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, દેવભૂમી દ્વારકા અને નર્મદા સહિતના જિલ્લામાં પાણીમાં ડૂબી જવાથી બાળકો, કિશોરો અને યુવકો સહિક કુલ ૨૪ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે.સુરત માંગરોળના પાનસરા ગામે ૩ના મોતઃ રંગોભર્યા ધૂળેટીના પર્વ પર કરુણ દુર્ઘટનાનો પહેલો કિસ્સો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામેથી સામે આવ્યો છે. પાનસરા ગામે આવેલી આર…
સુભાષબ્રિજ રીડેલપમેન્ટ માટે રૂ.236 કરોડના ટેન્ડર મંજૂર-હયાતબ્રિજ 9 મહિનામાં તૈયાર થઈ જશે(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત કહી શકાય તેવા સુભાષબ્રિજની રી-સરફેસને નુકશાન થયા બાદ મ્યુનિ. કોર્પોરેશન ઘ્વારા તેને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે. તેમજ જુના બ્રિજ રીપેરીંગ અને તેની બંને તરફ નવી બે લેન બનાવવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. જેને મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી તરફથી મંજૂરી આપવામાં આવી છે.અમદાવાદના હયાત સુભાષબ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડીને નવા બનાવવા અને નવી બે લેન સાથે આખો નવો બ્રિજ બનાવવા માટે કુલ રૂ. 236 કરોડનો ખર્ચ થશે.હયાત સુભાષબ્રિજનું રીડેવલોપમેન્ટની કરવામાં આવશે. જેનું કામ લગભગ 9 મહિનામાં પૂર્ણ થઈ જશે તેમજ ટુ વ્હીલરો અને…
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફુડ ડિપાર્ટમેન્ટને તા.૦૫/૦૩/૨૦૨૬ના રોજ એક ફરિયાદ મળી હતી. જેમાં ફરિયાદીએ તેમના ભોજનમાં મૃત ગરોળી નીકળી હોવાનું જણાવ્યું હતું. તંત્રને મળેલ ટેલીફોનિક ફરિયાદના આધારે Wah Pizza & Bhel House, 12-13-14, મ્યુ.માર્કેટ, સી.જી.રોડ, નવરંગપુરા, અમદાવાદવાળી જગ્યાની FSSAI / GPMC એક્ટ અન્વયે એફ.એસ.ઓ. દ્વારા ખાદ્ય એકમની તપાસ કરવામાં આવી હતી.. …મ્યુનિસિપલ હેલ્થફૂડ વિભાગના વડા ડો.તેજસ શાહના જણાવ્યા મુજબ ગ્રાહકની ફરિયાદ મુજબ ગ્રાહકે મંગાવેલ ખાદ્ય સામગ્રી ચણાપુરીમાં મૃત ગરોળી જોવા મળી હતી. જેનો ફરીયાદી દ્વારા ફોટોગ્રાફ બતાવેલ અને સ્થળ તપાસ દરમ્યાન તે ફરીયાદ સાચી હોવાનું સાબિત થયું હતું.અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ તપાસ કરતા રેસ્ટોરન્ટમાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી…
સ્ટેન્ડિંગ કમિટીમાં ₹2500 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી: દેવાંગ દાણી(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ઘ્વારા ગુરુવારે મહાનગરના રૂ.2500 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રૂ.600 કરોડના રોડ પ્રોજેક્ટના કામો છે,આ સિવાય ડ્રેનેજ અને વોટર પ્રોજેક્ટના અલગ-અલગ કામોને મંજૂરી આપવામાં આવી છે, તેના પરિણામે અમદાવાદનો વિકાસ રોકેટગતિએ વૈશ્વિક કક્ષાએ થઈ રહ્યો છે. આગામી સમયમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ આવી રહી છે ત્યારે, સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામો ઝડપી થાય તે પ્રકારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ અપાવતા કામોને મંજૂરી આપવામાં આવી છે.મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, નરોડાથી નારોલ સુધી આઈકોનિક રોડની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી તેમજ…
અમદાવાદ, અમદાવાદના કાલુપુર બ્રિજ પાસે વહેલી સવારે આગની એક મોટી ઘટના બની છે. શહેર કોટડા પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલા સેવ બનાવવાના એક કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી.ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.અમદાવાદના કાલુપુર બ્રિજના છેડે અને શહેર કોટડા પોલીસ સ્ટેશનની સામે આવેલા સેવ બનાવવાના કારખાનામાં આજે વહેલી સવારે ૨ઃ૨૩ કલાકે ‘અંગાર કોલ’ (આગનો મેસેજ) મળ્યો હતો. કારખાનામાં રહેલા જ્વલનશીલ પદાર્થાે અને તેલના કારણે આગએ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આગની ગંભીરતાને જોતા શહેરના અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી તાત્કાલિક મદદ બોલાવવામાં આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા ચારેબાજુથી પાણીનો મારો…
