આગામી AMC ચુંટણી માટે સંક્લ્પ પત્ર-૨૦૨૬નું વિમોચન મહાનગર કાર્યાલય ખાતે ઋષિકેશ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યુ
સંકલ્પ પત્રની મુખ્ય વિશેષતાઓ:
અમદાવાદ, કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગની એક અખબાર યાદીમાં જણાવે છે કે, આજરોજ કર્ણાવતી મહાનગર કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી અને મહાનગરના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, મહાનગરના અધ્યક્ષશ્રી પ્રેરકભાઇ શાહ, મહાનગર ચુંટણી સમિતિના ઇન્ચાર્જ અને પુર્વ ધારાસભ્યશ્રી રાકેશભાઇ શાહ, પુર્વ મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈન, પુર્વ ડે.મેયરશ્રી જતિનભાઇ પટેલ, પુર્વ સ્ટે.કમિટી ચેરમેનશ્રી દેવાંગભાઇ દાણીના વરદ હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચુંટણી -૨૦૨૬ના સંક્લ્પ પત્રનુ વિમોચન કરવામાં હતુ.
પત્રકાર પરિષદને સંબોધતા કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યુ કે, ભાજપના ઉમેદવારો વિકાસના ઇતિહાસ તેમજ વિકાસ પથ પર અગ્રેસર ગુજરાતની બાબતો સાથે સૌ મતદારો પાસે વધુમાં વધુ મતદાનની અપિલ કરી રહ્યા છે.
ગત સંક્લ્પ પત્રના અંતર્ગત ૯૬ ટકા જેટલા સંક્લ્પો પરિપુર્ણ કરીને અમારા ઉમેદવારો પ્રજાજનો સમક્ષ પોતાનો રિપોર્ટ કાર્ડ લઇને આશિર્વાદ લેવા જઇ રહ્યા છે. ભુતકાળમાં અમદાવાદની શુ પરિસ્થિતિ હતી અને હાલમાં અમદાવાદ ક્યાં છે અને ભવિષ્યમાં વિકાસની યોજનાઓ થકી ક્યાં પહોંચશે તેનો ચિતાર આ સંક્લ્પ પત્રમાં રજુ કરવામાં આવ્યો છે.
આ સંક્લ્પ પત્રમાં રિવરફ્રન્ટ અંતર્ગત થનાર આગળનુ આયોજન વોટર પ્રોજેક્ટ, વોટર સપ્યાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુએજ અને સ્ટ્રોમ વોટર પ્લાનિંગ શહેરના તમામ ઝોનમાં ડ્રેનેજ લાઇન અને સ્ટ્રોમ વોટર નેટવર્કના રિહેબિલિટેશનનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. ફાયર સેફ્ટી પ્લાન અંતર્ગત અમદાવાદને કેવી રીતે વધુ સુરક્ષિત બનાવી શકાય તે અંગેનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. સિનિયર સિટિઝન માટે આરોગ્ય સેવા, આરોગ્ય સંસ્થાનોનુ અપગ્રેડેશન અને નવી સંસ્થાઓની સ્થાપના કેન્સરની સારવાર માટે અદ્યતન સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનો નિર્ધાર આ સંક્લ્પ પત્રમાં રજુ કરવામાં આવ્યો છે.
શ્રી પટેલે વધુમાં જણાવ્યુ કે, સમગ્ર શહેરમાં AI આધારિત ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ વિકસાવીને ટ્રાફિક સોલ્યુશનના તમામ પગલા લેવામાં આવશે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને વધુ સુદ્રઢ બનાવવા માટેના જરુરી પગલાઓ લેવામાં આવશે. સંપુર્ણ સ્લમ મુક્ત અમદાવાદ શહેર બનાવવાનો નિર્ધાર આ સંક્લ્પ પત્રમાં કરવામાં આવ્યો છે, તેના અંતર્ગત ૫૦ હજાર જેટલા રહેણાંક મકાનો બનાવવામાં આવશે.
હાલમાં ૪૩ ટકા જેટલી રિન્યુએબલ એનર્જીના ઉપયોગ થકી વર્ષે ૩ હજાર કરોડની બચત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યુ છે અને ભવિષ્યમાં ૧૦૦ ટકા લક્ષ્યાંકને પરિપુર્ણ કરવા વોટર બોડી પર સોલર એનર્જી પ્રોજેક્ટ મુકવામાં આવશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે ૧૭ જેટલા ઓવર બ્રિજ અને ૩ અંડરપાસનુ નિર્માણ હાથ ધરવામાં આવશે.
શ્રી પટેલે જણાવ્યુ કે, કોમન વેલ્થ ગેમ-૨૦૩૦ની યજમાની માટે અમદાવાદ તૈયાર છે અને તેના અંતર્ગત પ્રત્યેક ઝોનમાં મિની સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ તેમજ રમત-ગમતના મેદાન બનાવવાનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. હાલમાં અમદાવાદનુ ગ્રીન કવર ૧૨.૫ ટકા જેટલુ છે તેને ૧૮ ટકા સુધી લઇ જવા માટે આયોજન હાથ ધરવામાં આવશે અને તેની સાથે સાથે શહેરમાંથી પસાર થતી રેલવે લાઇનના બન્ને બાજુ અર્બન પ્લાન્ટેશન હાથ ધરવામાં આવશે.
નાના હસ્ત કલાના હેન્ડિક્રેફ્ટ અને પરંપરાગત ઉત્પાદનોના ઉત્પાદકો માટે મહાનગરના પુર્વ વિસ્તારમાં અમદાવાદ હાટ બનાવવાની યોજન હાથ ધરી છે તેમજ આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવા સ્ટાર્ટપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટપ ફેસ્ટિવલનુ આયોજન હાથ ધરવામાં આવશે. નાગરિકોને ઝડપી પારદર્શક અને ટેક્નોલોજી આધારિત સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ઇ-ગવર્નન્સ અને જીઓ ટેગિંગ સિસ્ટમને વધુ અસરકારક બનાવવામાં આવશે.
શ્રી પટેલે સ્વચ્છતાના આગામી આયોજન અંતર્ગત જણાવ્યુ કે, આગામી સમયમાં પિરાણાની ડમ્પ સાઇટને નેસ્ત-નાબુદ કરી તે જગ્યા પર સુંદર ગાર્ડન ડેવલોપ કરવામાં આવશે અને નવા પાંચ RTS અને ૨૦૦૦ હજાર મેટ્રિક ટન જેટલા કચરાને આધુનિક પધ્ધિતિથી નિકાલ કરવાનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે તેમજ કિચન વેસ્ટથી સી.એન.જી. ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપિત કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. હયાત તળાવોના શુધ્ધિકરણ માટે સ્માર્ટ એરેટર અને ફાઉન્ટેન ડેવલોપમેન્ટનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.

