આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમદાવાદમાં અંગદાતા મહિલાઓને બિરદાવતો કાર્યક્રમ યોજાયોમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા અને ગાયિકા કિંજલ દવે દ્વારા અંગદાતા મહિલાઓનું સન્માન કરાયુંAhmedabad, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા અમદાવાદ ખાતે AMAમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા અને જાણીતી ગાયિકા સુશ્રી કિંજલ દવે ઉપસ્થિત રહ્યા હતા.“She gave life beyond life” થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં એવી પ્રેરણાદાયી મહિલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમણે અંગદાનના નિઃસ્વાર્થ નિર્ણય દ્વારા અનેક પરિવારોને નવજીવન આપ્યું છે.આ અવસરે મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા અને ગાયિકા સુશ્રી કિંજલ દવે દ્વારા અંગદાતા મહિલાઓનું સન્માન…
Author: gujarat
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજનેતાની છબી બાજુ પર મૂકીને સાચા અર્થમાં ‘ખેડૂતપુત્ર’ હોવાનો પરિચય આપ્યોકૃષિ મંત્રીશ્રીએ ખેડૂતો સાથે આત્મીયતાપૂર્વક ગોઠડી માંડી, ખેતી-વાડીની વર્તમાન સ્થિતિ અને પાક વિશે ચર્ચા કરીઅમરેલી, ગુજરાતના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ એક રાજનેતાની છબી બાજુ પર મૂકીને સાચા અર્થમાં ‘ખેડૂતપુત્ર’ હોવાનો પરિચય આપ્યો છે. પોતાના પ્રભારી જિલ્લા અમરેલીના સનાળા ગામે ખેડૂત મિત્ર રમેશભાઈના ખેતરે પહોંચેલા કૃષિ મંત્રીશ્રીએ ખેતરની ધૂળ અને માટી વચ્ચે રહીને પોતીકાપણાનો અહેસાસ કરાવ્યો હતો.કૃષિ મંત્રીશ્રીએ ખેતરમાં પહોંચીને માત્ર મુલાકાત જ ન લીધી,પરંતુ સ્વયં ટ્રેક્ટરના સ્ટિયરિંગ પર બેસીને ખેતરમાં સવડું એટલે કે,હળ હાંક્યું હતું. એક કુશળ ખેડૂતની જેમ જમીન ખેડતા કૃષિ મંત્રીશ્રીને જોઈને ત્યાં…
દરેક પરિવારે દર મહિને દાન આપીને કરેલો મંદિરનો જીર્ણોદ્ધાર સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ: નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવી દીકરીઓની સુરક્ષા માટે માતા-બહેનોને ‘રાણી લક્ષ્મીબાઈ’ બનવા નાયબ મુખ્યમંત્રીશ્રીનું આહ્વાનપોતાની ઓળખ છુપાવી દીકરીઓને ફસાવનારા ગુનેગારો સામે રાજ્ય સરકાર કડક હાથે કામ લેશે: નાયબ મુખ્યમંત્રી શ્રી સંઘવીવડોદરા, નવાયાર્ડ વિસ્તારમાં રેલવે કોલોનીના ‘ડી’ કેબીન ખાતે આવેલા અતિ પ્રાચીન શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મૂર્તિ આયોજીત પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહી અખંડ જ્યોત અને ભવ્ય કળશ યાત્રામાં સહભાગી થઈ આસ્થાના આ કેન્દ્ર ખાતે શીશ નમાવ્યું હતું. આ મહોત્સવ અંતર્ગત મંદિરમાં ખાટૂ શ્યામ,સાંવરિયા શેઠ…
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ‘ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઇન ગુજરાત’ વિષય પર રાષ્ટ્રીય બેઠકનું આયોજનઆપત્તિ વ્યવસ્થાપન હવે માત્ર રાહત-પુનઃવસન પૂરતું મર્યાદિત નથી,પરંતુ તેમાં નિવારણ, જાગૃતિ અને સર્વગ્રાહી આયોજનનો પણ સમાવેશ: અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિઆપત્તિ સમયે સૌથી અગત્યનું પાસું સામુદાયિક સ્વયંસેવકોની ભૂમિકા:NDMAના સચિવગાંધીનગર, ગુજરાત રાજ્ય હંમેશા આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે,ત્યારે રાજ્યની આ સજ્જતાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે ‘ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ ઇન ગુજરાત’ વિષય પર એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ્તરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી…
સોલધરા ગામની “લખપતિ દીદી”,જેણે ગ્રામ્ય ભૂમિ પર સ્વ-નિર્ભરતાનો નવો ઇતિહાસ રચ્યો:VGRCદક્ષિણ ગુજરાતમાં બનશે આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણનું ઉદાહરણગ્રામ વિકાસથી વૈશ્વિક ફલક સુધી: દક્ષિણ ગુજરાતની આત્મનિર્ભર મહિલા ઉદ્યોગકાર અસ્મિતાબેન પટેલ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં આપી રહી છે યોગદાન “સ્ત્રી શક્તિ એ સમાજની સાચી શક્તિ” કહેવતને સાચા અર્થમાં સાર્થક કરે છે ગુજરાતના ચિખલી તાલુકાના સોલધરા ગામના અસ્મિતાબેન અશોકભાઈ પટેલ. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે અસ્મિતાબેન અને એમની આત્મનિર્ભરતાની સફર વિષે જાણતા નવાઈ લાગશે કે,એક ખેડૂત પરિવારમાંથી હોવા છતાં આજે તેઓ પોતાનો ઉદ્યોગ ચલાવી અન્ય10મહિલાઓને પોતાની સાથે આત્મનિર્ભર બનાવી છે. જે આપણા દેશના માનનીય વડાપ્રધાનશ્રીના “આત્મનિર્ભર ભારત મિશન” ને સાકાર કરે છે.ઉલ્લેખનીય…
અટલ સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે પોર્ટલનું વિધિવત લોન્ચિંગદેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપતા સાંસદ ડો. હેમાંગભાઇ જોશીના એક નવતર પ્રયોગના ભાગરૂપે એમપી ઓફિસ ઈ-પોર્ટલનું આજે વડોદરામાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. અટલ સાંસદ જનસેવા કેન્દ્ર,વડોદરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે આ પોર્ટલનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું.આ પોર્ટલ દ્વારા નાગરિકોને હવે સાંસદ કાર્યાલય સંબંધિત વિવિધ સેવાઓ અને માહિતી પોતાના મોબાઈલના ફિંગરટિપ્સ પર ઉપલબ્ધ થશે. ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહેલા દેશમાં નાગરિકોને નાની નાની બાબતો માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે હેતુસર આ ઈ-પોર્ટલ…
રાજ્યના મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૭૨ ટકાથી વધુØગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં ૭૪ ટકાથી વધુ પાણીનો સંગ્રહØરાજ્યમાં સૌથી વધુ ૨.૩૪ લાખMCFTપાણીનો જથ્થો દક્ષિણ ગુજરાતના જળાશયોમાંØગત વર્ષે માર્ચ ૨૦૨૫ કરતા આ વખતે રાજ્યમાં ૪.૧૫ ટકા વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાવાર્ત્રિક અને ભારે વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયો એટલે કે ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને જળ સંપત્તિ – પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વમાં પાણી સંચય અંગેના સુચારૂ વ્યવસ્થાપન થકી રાજ્યમાં દિન-પ્રતિદિન પીવાના અને સિંચાઈ માટેના પાણીની ઉપલબ્ધતા વધી રહી છે.રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સરેરાશ ૧૨૮…
પોક્સોના ગુનાઓમાં આણંદ પોલીસની દાખલારૂપ કામગીરી: વધુ બે કેસના ગુનેગારોને આજીવન કેદની સજાતમામ ૭ કેસોમાં ગુનો નોંધાયાના મહત્તમ ૪૫ દિવસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી: મહત્તમ કેસમાં માત્ર ૮ થી ૯ મહિનાના ટૂંકા ગાળામાં ચુકાદાઓ આવ્યાગુજરાત પોલીસની આ સજ્જતા અને સંવેદનશીલતા રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારજનોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીઆણંદ જિલ્લાના તપાસ અધિકારી તત્કાલિન સીપીઆઈ તથા તેમની ટીમ દ્વારા આ તમામ કેસની કરવામાં આવેલી બારીક પરિણામલક્ષી તપાસ બદલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પાઠવ્યા અભિનંદનગુજરાત સરકાર મહિલા સુરક્ષા અને સગીરા પર દુષ્કર્મના ગુનેગારો સામે‘ઝીરો ટોલરન્સ‘ની નીતિ સાથે મક્કમતાથી કામગીરી કરી રહી છે. મુખ્યમંત્રી…
સુરતમાં નકલી પનીર બનાવતું કારખાનું ઝડપાયું, ૧૪૦૦ કિલો જથ્થો જપ્ત કરાયો -પોલીસ અને પાલિકાનું સંયુક્ત ઓપરેશન,સુરત, સુરત શહેર પોલીસ અને પાલિકાએ સંયુક્ત ઓપરેશનમાં નકલી પનીરનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. પાંડેસરા વિસ્તારની ભીડભંજન સોસાયટીમાં રહેતા એક કારખાનામાં દરોડા પાડી ૧૪૦૧ કિલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે સ્થળ પરથી મશીનરી અને કાચા માલ સહિત કુલ રૂ.ર૮.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમનું કહેવું હતું કે, પાંડેસરામાં આવેલા આ કારખાનામાં પામોલીન તેલનો ઉપયોગ કરી નકલી પનીર બનાવવામાં આવતું હતું. દરોડા દરમિયાન સ્થળ પરથી પનીર બનાવવા માટેના આધુનિક સાધનો જેવા કે…
કડીના લક્ષ્મીપુરાની કંપનીની કોલોનીમાં બે સિક્યોરિટી ગાર્ડે યુવકની હત્યા કરીમહેસાણા, કડી તાલુકાના લક્ષ્મીપુરા (નંદાસણ)ની ગુજરાત માઈક્રો કંપનીની કોલોનીમાં કંપનીના બે સિક્યોરિટી ગાર્ડે યુવકને ઢોર માર મારતાં તેનું મોત નીપજયું હતું. નંદાસણ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બિહારના જાહાનાબાદ તાલુકાના વતની સિદ્ધનાથ મોહન યાદવ તથા તેમના બે ભાઈઓ રામવિજયકુમાર (ઉ.વ.ર૩) અને અક્ષય કડી તાલુકાના લક્ષ્મીપુરા (નંદાસણ)ની ગુજરાત માઈક્રો કંપનીમાં નોકરી કરતા હોઈ કંપનીની કોલોનીમાં રહે છે. બુધવારે રામવિજયકુમારે મસાલો ખાધેલો હોવાથી કંપનીના ગેટ પરના ગાર્ડ અક્ષય પટેલે તેને નોકરી પર જવા દીધો નહોતો.સાંજે રામવિજયકુમાર તથા તેમની સાથેના બલરામકુમાર યાદવ બંને કોલોની બહાર શીમલા હોટલે ઉભા હતા ત્યારે આ…
