ચૂંટણી પછી ગુંડાઓને છોડીશું નહીં, ભ્રષ્ટાચારીઓનો હિસાબ કરાશેઃ મોદી
(એજન્સી) કોલકાતા, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ૨૩ અને ૨૯ એપ્રિલે મતદાન યોજાવાનું છે. આ માટે તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચારમાં કરી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બંગાળના પુરુલિયામાં જનસભા સંબોધી બહુમતી સાથે ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
તેમણે કહ્યું કે, તેઓ ચૂંટણીમાં ક્્યારે આગાહી કરતા નથી, ક્્યારે બોલતા પણ નથી. તેઓ વર્ષોથી ચૂંટણી લડી રહ્યા અને આગાહીની વાતો ટાળતા રહ્યા છું. તેમણે એમ પણ કહ્યું કે, બંગાળમાં નાની વ્યક્તિથી લઈને ઘરમાં કામ કરનાર વ્યક્તિઓ ભાજપની જ સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “સાથીઓ, હું સામાન્ય રીતે ચૂંટણીમાં ક્્યારેય આગાહી કરતો નથી. શું પરિણામ આવશે તે વિશે હું ક્્યારેય બોલતો નથી. હું વર્ષોથી ચૂંટણી લડી રહ્યો છું, પરંતુ હું આવી વાતો ટાળું છું. પરંતુ આ વખતે, જે પણ મળે છે – પછી તે કોઈ નાની વ્યક્તિ હોય કે ઘરમાં કામ કરનાર વ્યક્તિ હોય – દરેકના મોઢે એક જ વાત છે… આ વખતે બધા જ કહે છે કે, ભાજપની સરકાર પાક્કી છે.
આ બધું જોયા પછી, સાંભળ્યા પછી અને મારા રાજકીય અનુભવના આધારે હું કહી રહ્યો છું કે, આ વખતે ભાજપ ખૂબ જ ભારે બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. અને જ્યારે હું ‘ભારે બહુમતી’ કહું છું, ત્યારે તેનો અર્થ એ છે કે હું પૂરા વિશ્વાસ સાથે કહી રહ્યો છું કે આ વખતે સરકાર ભારે બહુમતીથી ભાજપની જ બનવાની છે.”
વડાપ્રધાન મોદીએ પુરુલિયાના મુફÂસ્સલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાયબાઘિની દેવી મેળા મેદાનમાં જનસભાને સંબોધતી વખતે તૃમણૂલ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો કે, ‘બંગાળની પ્રજા હવે ડરના માહોલમાંથી બહાર નીકળી ગઈ છે.
આ વખતે ભાજપની જ સરકાર બનશે. છેલ્લા ૧૫ વર્ષમાં ટીએમસી સરકાર માત્ર જંગલરાજની જેમ નિર્દય શાસન ચલાવી રહી છે. આ સરકારે પ્રજાને ભયભીત કરીને રાખી છે, જોકે ટીએમસીએ જેટલી નિર્દયતા કરી છે, પ્રજાનો ભાજપ પરનો વિશ્વાસ તેટલો જ મજબૂત થયો છે. જે રીતે આસામમાં કોંગ્રેસને અને ત્રિપુરામાં માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીને ઉખેડી ફેંકવામાં આવી છે, તેવી જ રીતે બંગાળમાં પણ ઈતિહાસનું પુનરાવર્તન થશે.’
પીએમ મોદીએ અત્યંત આક્રમક તેવરમાં તૃણમૂલ કોંગ્રેસ ના કાર્યકરો અને નેતાઓને ચેતવણી આપતા કહ્યું કે, “હું ટીએમસીના તમામ ગુંડાઓ, સિન્ડિકેટ અને ભ્રષ્ટાચારીઓને છેલ્લી તક આપું છું. ૨૯ એપ્રિલ પહેલા પોતપોતાના પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી લો, કારણ કે ૪ મે પછી કોઈ બચશે નહીં. તેમણે ઉમેર્યું કે, હવે બંગાળની જનતા બંગાળ ટાઈગર બનીને દહાડી રહી છે કે ‘હવે નહીં સહીએ, નિર્મમ સરકારને હટાવીને રહીશું’.
બંગાળની બહેનો માટે પીએમ મોદીએ યોજનાઓનો પટારો ખોલતા જણાવ્યું કે ભાજપ સરકાર બન્યા બાદ, માતૃશક્તિ ભરોસા કાર્ડઃ દરેક બહેનને વર્ષે ૩૬,૦૦૦ રૂપિયા મળશે. મહિલાઓને ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળશે (આયુષ્માન યોજના). દીકરીઓના શિક્ષણ માટે ૫૦,૦૦૦ રૂપિયાની મદદ આપવામાં આવશે.

