સુરત મનપાના ૩૦ વોર્ડની ૧ર૦ બેઠકો માટે ૪૮૩ ઉમેદવારો મેદાનમાં
સુરત, સ્થાનિક સ્વરાજયની ચૂંટણી- ર૦ર૬ અંતર્ગત સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા હવે તેના નિર્ણાયક તબકકે પહોચી ગઈ છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. સુરતના ૩૦ વોર્ડની ૧ર૦ બેઠકો માટે હવે કુલ ૪૮૩ ઉમેદવારો વચ્ચે જંગ જામશે.
ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારોના ફોર્મ ચકાસણી અને નામ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ફોર્મ ખેંચવાના અંતિમ દિવ્સે ૧૬ ઉમેદવારોએ નામાંકન પત્રો પરત ખેંચ્યા હતા જેમાં કોંગ્રેસના બે ઉમેદવારમાં વોર્ડ ૧૮ લિંબાયત- પરવટ-કુંભારિયાના સંજય રામાનંદી અને વોર્ડ નંબર ૧ જંહાગીરપુરા- વરીયાવ-છાપરાભાઠા-કોસાડના ઉમેદવાર બોની છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા તેના નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂકી છે અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચૂંટણીનું ચિત્ર હવે સંપૂર્ણપણે સ્પષ્ટ બન્યું છે. શહેરના કુલ ૩૦ વોર્ડની ૧ર૦ બેઠકો માટે હવે કુલ ૪૮૩ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. શરૂઆતમાં ૧૦પ૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ ચકાસણી પ્રક્રિયા દરમિયાન પ૬૧ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા.
અંતિમ દિવસે વધુ ૧૬ ઉમેદવારોએ પોતાના નામાંકનપત્રો પરત ખેંચતા હવે મેદાનમાં રહેલા ઉમેદવારોની સંખ્યા ૪૮૩ પર આવી પહોંચી છે. ફોર્મ પરત ખેંચનારામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બે ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે.
વોર્ડ નંબર ૧૮ (લિંબાય-પરવટ- કુંભારિયા)માંથી સંજય રામાનંદી અને વોર્ડ નંબર ૧ (જહાંગીરપુરા- વરીયાવ- છાપરાભાઠા- કોસાડ)માંથી બોની પટેલે ઉમેદવારી પાછી ખેંચી હતી. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં ત્રિપક્ષીય સ્પર્ધા ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીના પરિણામોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આગામી ર૬ એપ્રિલના રોજ મતદાન યોજાશે.

