Author: gujarat

(પ્રતિનીધિ) અમદાવાદ, અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવા માટેની મંજૂરી આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છેજે દરમિયાન મંગળવારે સાંજના સમયે હાટકેશ્વર બ્રિજ ની પાસે બ્રિજ તોડવા માટે નીચે રેતી- કોંક્રિટ કોથળા મૂકવામાં આવ્યા હતા જે કોથળાઓ એક સાથે નીચે પડ્‌યા હતા. બ્રિજની નીચે લારી લઈને ઊભેલી એક મહિલા ઉપર રેતી- કોંક્રિટના કોથળા પડ્‌યા હતા જેમાં મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી અને તેના માલ સામાનને પણ નુકસાન થયું હતું.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર ઓવરબ્રિજને તોડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજના બંને તરફના છેડા તોડી પાડવામાં આવ્યા છે બ્રિજની વચ્ચેના…

Read More

રપ ટકાનો વીજ લોસ, નવ ટકા સુધી પહોંચ્યોઃ એમડીના હસ્તે સન્માનસુરેન્દ્રનગર, જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વીજ ચોરી ડામવા પીજીવીસીએલ અને પોલીસ તંત્ર દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં ચોટીલા થાનગઢ મૂળ સહિતના વિસ્તારોમાં દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જિલ્લા પોલીસને સાથે રાખી અને નામચીન ભૂમાફિયાઓ બુટલેગરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્ત્વોના ઘરે જઈ ઈલેકટ્રોનિક ઉપકરણોની તપાસ કરવામાં આવી હતી બાદ જે વીજ ચોરી કરવામાં આવી રહી હતી તેના દંડ ફટકારવામાં આવ્યા હતા.શહેરના પંડિત દીનદયાલ હોલમાં ખાસ કાર્યક્રમ પીજીવીસીએલના એમડી કેતન જોષીની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં જિલ્લા એસપી અને તેમની ટીમના સહકાર બદલ સન્માનિત કરાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં રૂ.૧પ૧…

Read More

જીમમાં હવે વોઈસ રેકોર્ડીંગવાળા સીસીટીવી કેમેરા લગાવવા પડશે- ટ્રેનરોની પ્રોફાઈલ અને દસ્તાવેજોની ચકાસણીમાં કોઈ કચાશ રાખનાર જીમ સંચાલકો સામે કડક પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.સુરત, સુરતના જીમોમાં આવતી મહિલા-યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી બ્લેક મેઈલ કરાતી હોવાની ફરિયાદો ઉઠતા સુરત એસઓજી પોલીસ એકશનમાં આવી છે. પોલીસે જીમ સંચાલકો સાથે બેઠક યોજી સ્પષ્ટતા સૂચના આપી હતી. જીમમાં હવે વોઈસ રેકોર્ડીગ સાથેના સીસીટીવી રાખવાના રહેશે. જો પર્સાનલ મેરેજ કરી કનડગત કરતા ઝડપાશે તો જીમ સંચાલક સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાશે.સુરત એસઓજી પોલીસ દ્વારા વેસુ, પીપલોદ, રાંદેર, અડાજણ અને પાલ વિસ્તારના જીમ માલિકોને પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. બેઠકમાં પોલીસે સ્પષ્ટ કર્યું હતું…

Read More

પાલનપુર, રાજ્ય સરકાર દ્રારા છેવાડાના માનવીને સરકારી યોજનાઓનો લાભ સ્થાનિક સ્તરે આપવાનો નવતર અભિગમ એટલે સેવાસેતું કાર્યક્રમ …જે અંતર્ગત પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે પ્રા.શાળામાં બનાસકાંઠા ડી.ડી.ઓ.શ્રીના માર્ગદર્શનમાં પાલનપુરના સેવાભાવી મામલતદાર શૈલેષભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં તેમજ પાલનપુરના ઉર્જાવાન તા.વિ.અધિકારી પિયૂષભાઇ સિસોદીયાની વિશેષ ઉપસ્થિતિમાં સેવાસેતુ 2.0 કાર્યક્રમમાં યોજાયો હતો .આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ (ગઢ) , ખુશાલભાઇ અંબાણી સહિત ગઢ – કુંભાસણ વિસ્તારના લગભગ 20 ગામના લાભાર્થી – અરજદારો , સરપંચશ્રીઓ , રાજકીય અગ્રણીઓ , તમામ સરકારી વિભાગના અધિકારીશ્રીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવાસેતું કાર્યક્રમને સફળ બનાવ્યો હતો …

Read More

સબ રજિસ્ટ્રારની ફરિયાદના આધારે મહુધા પોલીસે તપાસ શરૂ કરી: ત્રણ સામે ગુનો દાખલ(પ્રતિનિધિ) નડિયાદ, મહુધા સબ રજિસ્ટ્રાર કચેરીમાં વર્ષ ૨૦૦૮માં થયેલા એક જમીન દસ્તાવેજમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. વર્ષો પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતને જીવિત દર્શાવી, તેમના નામે ખોટું પાવર ઓફ એટર્ની બનાવી કિંમતી જમીન અન્ય વ્યક્તિને વેચી દેવાના ગુનામાં ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.ખેડા જિલ્લા જમીન તકેદારી સમિતિ (સીટ) ની તપાસ બાદ આ કૌભાંડનો પર્દાફાશ થયો છે.મળતી માહિતી મુજબ નડિયાદના સબ રજિસ્ટ્રાર સુરેશભાઈ ચૌધરીએ મહુધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.તે મુજબ અમરતભાઈ બીપીનભાઈ અંબાલાલ હરીજન રહે. હરીજનવાસ બલોલ તા. મહુધા વાળાએ તેઓની વડીલોપાર્જીત બલોલ ગામની સીમમાં…

Read More

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ તાલુકા ના દવાપુરા ગામના જોરાપુરા વિસ્તારમાં રહેતા એક ખેડૂતના બેંક ખાતામાંથી કોઈ ગઠિયા ગેંગે ઓટીપી કે કોઈપણ લિંક મોકલ્યા વિના બારોબાર રૂપિયા ૧,૩૩,૧૦૦ ઓનલાઇન ઉપાડી લઈ છેતરપિંડી કરી હોવાનો બનાવ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છેમળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના દવાપુરા ગામના જોરાપુરા વિસ્તારમાં રહેતા ખેડૂત રણજીતભાઈ જશાભાઈ પરમાર નડિયાદના સાઈ આર્કેડ કોમ્પ્લેક્સમાં આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રની શાખામાં બચત ખાતું ધરાવે છે. આ બેંક ખાતામાં તેમનો મોબાઈલ નંબર રજીસ્ટર થયેલ ન હોવાથી, બેંકના તમામ વ્યવહારના મેસેજ ખેડૂત રણજીતભાઈ ના પુત્ર શૈલેષભાઈના મોબાઈલ પર આવતા હતા.ખેડૂતના બેંક ખાતામાં ગત તારીખ ૩૧/૧૨/૨૦૨૫ના રોજ રૂપિયા ૧,૩૩,૦૮૩ જમા હતા. ત્યારબાદ તેમણે…

Read More

ગ્રીસ, આઈસલેન્ડ કે બહામાસ જેવા વિદેશી સ્થળો ભલે આકર્ષક હોય, પણ ગુજરાતમાં પણ હનીમૂન માટે એવા કેટલાક શ્રેષ્ઠ ડેસ્ટિનેશન છે જે તમારા પ્રેમ અને રોમાંચને વધારી દેશે:૧. દીવ (Diu) – ગુજરાતનું ‘મીની-ગ્રીસ’જો તમે ગ્રીસના ‘સનટોરિની’ (Santorini) જેવા અનોખા વાતાવરણનો અનુભવ કરવા માંગતા હોવ, તો દીવ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. દીવના શાંત, સુંદર બીચ અને પોર્ટુગીઝ વારસાને કારણે તેને ઘણીવાર ‘ગુજરાતનું મીની-ગ્રીસ’ કહેવામાં આવે છે.૨. સાપુતારા (Saputara) – પર્વતો વચ્ચે રોમેન્ટિક રોકાણજો તમે આઈસલેન્ડ જેવા પહાડી વિસ્તાર કે સ્વિટ્ઝર્લેન્ડ જેવો અહેસાસ ઈચ્છતા હોવ, તો ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન, સાપુતારા, તમારી પસંદ હોઈ શકે છે. ચોમાસામાં અને શિયાળામાં આ સ્થળ ખૂબ…

Read More

વટવા-નરોડા જીઆઈડીસી અને નારોલના કાપડ યુનિટમાં ઉત્પાદન ધીમું, પરપ્રાંતીય મજૂરો વતન જતા મહાનગરોમાં કામકાજ પર અસર(એજન્સી)અમદાવાદ, ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં હોળી ખુબ મહત્વની અને ખુબ તહેવાર માનવામાં આવે છે. તેથી આ રાજયોના લોકો દેશનાં જયાં પણ કામ કરતા હોય ત્યાંથી તેઓ હોળી પરીવાર સાથે ઉજવવા માટે પોતાના વતન જતા રહેતા હોય છે.હોળી પહેલાં જ મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમીકો પોતાના માદરે વતન પહોચી જતા હોય છે અને હોળી બાદ પણ લાંબા સમય સુધી પરત ત આવતાં મહાનગરોમાં શ્રમિકોને તંગી વર્તાઈ રહી છે. શ્રમિકોની અછતને લઈને કન્સ્ટ્રકશનના કામ થંભી ગયા છે. જુદાજુદા ઉધોગોમાં ઉત્પાદન પણ ઘટી રહયું છે. કડીયાનાકા પણ…

Read More

(એજન્સી)અમદાવાદ, શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં બુટલેગરોના વધતા આતંક અને પોલીસની રહેમનજર હેઠળ ચાલતા દારૂના કારોબારથી કંટાળીને આખરે સ્થાનિક રહીશોએ કાયદો હાથમાં લેવાની ફરજ પડી છે.પોલીસ સ્ટેશનથી માત્ર ૨૦૦ મીટરના અંતરે ચાલતા દારૂના અડ્ડા પર સ્થાનિકોએ ‘જનતા રેડ’ કરીને બુટલેગરોનો ભાંડો ફોડ્‌યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે.સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી બુટલેગરો દ્વારા ગેરકાયદેસર દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. નવાઈની વાત એ છે કે, જે અડ્ડા પર જનતાએ રેડ કરી તે પોલીસ…

Read More

લખપત-ગડુલી-હાજીપીર-ખાવડાથી ધોળાવીરા સુધીનો ૧૬૫.૫૮ કિમી લાંબો રોડ હવે ‘પેવ્ડ શોલ્ડર’ સાથે ૨-લેન બનશે (એજન્સી)ભૂજ, ગુજરાતનો ખૂણેખૂણો વિકાસ કરી રહ્યો છે. કચ્છમાં કરાયેલા ઝાકમઝોળ કારણે વિદેશના પ્રવાસીઓ પણ ખેંચાઈને આવ્યા છે. ત્યારે હવે પ્રવાસીઓ સરળતાથી કચ્છના રણ સુધી પહોંચે તેવું આયોજન કેન્દ્ર સરકારે કર્યું છે.કચ્છમાં નેશનલ હાઈવે-૭૫૪ કે ના નવીનીકરણની જાહેરાત કેન્દ્ર સરકારના મંત્રી નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી છે.કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીને ગુજરાતના કચ્છ માટે મોટી જાહેરાત કરી છે. કચ્છમાં નેશનલ હાઈવે-૭૫૪ ના નવીનીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૬૫૦.૪૨ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે.એક્સ પર આ અંગે જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ગુજરાતના કચ્છ…

Read More