૭૨ કલાકમાં ઠક્કરનગર, કુબેરનગર, મણીનગર, સાબરમતી, બહેરામપુરા, દાણીલીમડાંમાં સભાઓ
અમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના નિરીઉત્સાહી વાતાવરણ વચ્ચે સભા-સરઘસ અને રેલી માટે વધુને વધુ આયોજન કરાઇ રહ્યું છે. હવે પ્રચારના માત્ર ત્રણ દિવસ બાકી છે, ત્યારે અત્યાર સુધીમાં ૩૯૦ સભા-સરઘસ અને રેલીને મંજૂરી માટે અરજીઓ આવી છે.જેમાંથી ૨૭૨ને મંજૂરી આપી દેવાઇ છે, ૧૦૮ આગામી ૧૫ કલાકમાં મંજૂરી આપી દેવાશે.
કલેકટર કચેરીમાં સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ કુલ ૭૫૬માંથી ૨૦૬ પ્રચાર વાહનોને મંજૂરી અપાઇ છે. આગામી ૭૨ કલાકમાં ઠક્કરનગર, કુબેરનગર, મણીનગર, સાબરમતી, બહેરામપુરા અને દાણીલીમડાં વિસ્તારોમાં સભાઓ ગજવશે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના વિકાસની પ્રજા નોંધ લઇ રહી હોય તેમ આ વખતે ઉમેદવારોને ઠેર ઠેર વિરોધનો સામનો કરવો પડે છે. પ્રચાર વખતે પ્રજા જવાબ માંગે છે.
અત્યાર સુધી પ્રચારમાં પ્રાથમિક જરૂરિયાતોની અવગણના કરાતી હતી અને સમાજના જોરે ઉમેદવારો ચૂંટણી જીતવવામાં સફળ થતાં હતાં. પરંતુ આ વખતે પ્રજા પોતાની મુશ્કેલીઓના નિવારણ માટે ઉમેદવારો પાસે જવાબ અને બાંયેધરી છે, ત્યારે સોસાયટીઓના રાઉન્ડના બદલે જાહેર સભાઓ અને રેલીઓનું વધુને વધુ આયોજન કરાઇ રહ્યું છે.
કલેક્ટર કચેરી અને પોલીસ કમિશનર કચેરીની સંયુક્ત કામગીરી હેઠળ અત્યાર સુધીમાં અમદાવાદ મ્યુનિ. વિસ્તારમાં અત્યાર સુધીમાં સભાસરઘણ માટે ૧૯૧ અરજીઓ, રેલી માટે ૧૪૧ અરજીઓ અને વાહનની ૨૭૪ પરમીટની અરજી મળી કુલ ૭૫૬ અરજીને મંજૂરી માટે આવી છે. આમાંથી કલેકટર કચેરીના સીંગલ વિન્ડો સિસ્ટમમાં ૫૯૬ને મંજૂરી આપી દીધી છે, જ્યારે ૧૬૦ અરજીઓને ૧૫ કલાકમાં નિયમ મુજબ મંજૂરી આપી દેવાશે.
પ્રચારના અંતિમ દિવસ શુક્રવાર તો મ્યુનિ.ના વિવિધ વોર્ડમાં સવારથી સાંજ સુધી સંખ્યાબંધ રેલીઓનું આયોજન કરાયું છે. જેમાં વાતાવરણ ડોહાળાય નહીં તે માટે પોલીસની વિવિધ ટીમો રેલી સાથે જોડાયેલી રહેશે.

