કેન્દ્ર ગૃહમંત્રી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર વચ્ચે મતદાન કરવા માટે રવિવારે અમદાવાદ આવી પહોંચ્યાં હતા.-મતદાન કર્યાં બાદ અમિત શાહે કામેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કર્યાં હતા.
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં રવિવારે સવારથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાઈ રહ્યું છે. દરમિયાન રાજકીય આગેવાનોએ પણ મતાધિકારનો ઉપયોગ કરીને મતદારોને જંગી મતદાન કરવા માટે અપીલ કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રીએ અમદાવાદના શીલજમાં આવેલી પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મતદાન કરવા માટે અમદાવાદ આવ્યાં હતા. તેમજ પરિવાર સાથે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા મતદાન મથક ઉપર મતદાન કર્યું હતું.તેમજ બંને મહાનુભાવોએ મતદારોને જંગી મતદાન કરવા માટે અપીલ કરી હતી.

અમિત શાહની સાથે આઈસીસીના ચેરમેન જય શાહે પણ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. વ્યસત કાર્યક્રમને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરવા માટે અમદાવાદ આવી શક્યા ન હતા. જો કે, તેમણે બેલેટ પેપરથી મતદાન કર્યું હતું.
કેન્દ્ર ગૃહમંત્રી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર વચ્ચે મતદાન કરવા માટે રવિવારે અમદાવાદ આવી પહોંચ્યાં હતા. અમિત શાહ પરિવાર સાથે નારણપુરા વિસ્તારમાં આવેલી સબ ઝોન ઓફિસ ખાતે મતદાન કરવા માટે પરિવાર સાથે ગયા હતા. મતદાન કર્યાં બાદ અમિત શાહે કામેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કર્યાં હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મતદાન કર્યું હતું. મુખ્યમંત્રી અને તેમના પત્ની મતદાન કરવા માટે શીલજ પ્રાથમિક શાળા પહોંચ્યાં હતા.

જ્યાં તેમણે મતદાન કર્યું હતું. તેમજ તેમણે મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી. આવી જ રીતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ પરિવાર સાથે સુરતના ભટાર ખાતે મતદાન મથક પહોંચ્યાં હતા અને મતદાન કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાન ખાન પઠાણે પણ મતદાન કર્યું હતું. તેમજ તેમણે લોકોને જંગી મતદાન કરવા માટે અપીલ કરી હતી.

રાજકોટમાં પણ સવારથી શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન આરએમસીની ચૂંટણીમાં મતદાન કરવા માટે રાજવી પરિવાર વિન્ટેજ કારમાં પહોંચ્યો હતો. પેલેસ રોડ પર આવેલી શ્રી મુરલીધર સ્કૂલ ખાતા રાજા માંધાતિસિંહજી જાડેજા અને રામીસાહેબ કાંદબરી દેવીએ મતદાન કર્યું હતું. રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન પટેલે પણ મતદાન કરવા પહોંચ્યાં હતા. તેમજ પતિ વિજયભાઈ રૂપાણીને યાદ કરીને તેઓ ભાવુક થઈ ગયા હતા.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના વોર્ડ નંબર ૨૧માં આવેલી કેન્દ્રીય વિદ્યાલય ખાતે પત્ની સાથે પહોંચીને મતદાન કર્યું હતું. સુરતની ૧૨૦ બેઠકો માટે યોજાઈ રહેલા આ મતદાનમાં હર્ષ સંઘવીએ વિકાસના મુદ્દે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

