અમદાવાદ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના 28 એપ્રિલે પરિણામો લગભગ બપોર પછી જાહેર થઈ જશે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કુલ 10 હજાર 5 સીટમાંથી 732 સીટ બિનહરીફ થઈ ચૂકી છે. શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ જીત તરફ છે.

ગુજરાત રાજ્યની 15 મહા નગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 26,196 બેઠકો પર ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલ, 2026ના રોજ આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું.
અમદાવાદના ગુજરાત કોલેજ ખાતે મત ગણતરી કરવાની પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી ચાલુ થઈ ગઈ છે. ગુજરાત કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટી તંત્રની દેખરેખ હેઠળ મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે આગામી થોડા કલાકોમાં ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો માટેના પરિણામો અને ટ્રેન્ડ સામે આવવા લાગશે, જેના પર સમગ્ર શહેરની નજર છે.
ગુજરાતમાં 15 મહા નગર પાલિકાઓ છે જેમાં સૌથી મોટી અમદાવાદમાં 48 વોર્ડ અને 192 સીટો, સુરતમાં 120 સીટો, વડોદરામાં 76 સીટો, રાજકોટમાં 72, જામનગરમાં 64, વાપી -નવસારી સહિતની બીજી નગરપાલિકાઓમાં 52 સીટો પણ ચૂંટણી જંગ ખેલાયો હતો.


