બાંધકામ સ્થળોએ સલામતીના પૂરતા પગલાંનો અભાવઃ વિપુલ પંડયા
(એજન્સી)ગાંધીનગર, આંતરરાષ્ટ્રીય કામદાર સ્મૃતિ દિવસ ર૮ એપ્રીલે ઉજવાય છે. તેમાં કામના સ્થળે સુરક્ષા અને સ્વાસ્થયની પણ ચિંતા થાય છે. પરંતુ કમનસીબે ગુજરાતમાં બાંધકામ ઉધોગ ફેકટરીઓ ફટાકડાના ગોડાઉનમાંથી લઈને જોખમી કામગીરી કરતા શ્રમીકો સલામતીના ધોરણે કેટલા સચવાય છે.
તેની સરકારી વિભાગોની ઈન્સ્પેકશન ઓથોરીટી દ્વારા સમયાંતરે પુરતી ચકાસણી કરવામાં આવતી નથી. વર્ષ ર૦ર૧ થી ર૦રપ સુધી ગુજરાતમાં કુલ પ૯૬ બાંધકામ શ્રમીકોના મૃત્યુ થયા છે.
વિશ્વભરના મજુર સંગઠનો દ્વારા અને ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન આઈએલઓ દ્વારા ર૮ એપ્રીલે શ્રમીકોની સલામતી અને સ્વાસ્થ્ય માટે સંકલ્પ લેવામાં આવે છે. જો કે ગુજરાતમાં અવારનવાર ફેકટરી-કારખાના અને ગોડાઉનમાં થતા પડાકા, આગ તેમજ મોટી સંખ્યામાં બાંધકામ સ્થળે શ્રમીકોના થતા અકસ્માતે મૃત્યુ દર્શાવે છે. કે જુ સુધી તેમનીસલામતી માટેની બેદરકારી યથાવત છે.
એટલું જ નહી શ્રમીકોના મૃત્યુ પછી વળતર આપવામાં પણ એકમના માલીકો મોટાભાગના કિસ્સામાં તસ્દી લેતા નથી. અને સરકારી તંત્ર બાંધકામ મઝદુર સંગઠનના મહામંત્રી વિપુલ પંડયાએ જણાવ્યું છે કે આરટીઆઈ થકી માહિતી મુજબ સૌથી જોખમી એવા બાંધકામ ઉધોગમાં છેલ્લા ૧૮ વર્ષના ગુજરાતમાં કુલ ૧૭૪૬ બાંધકામ શ્રમીકોના મૃત્યુ થયા છે. અને પર૭ને ગંભીર ઈજા થઈ છે.
વર્ષ ર૦ર૧થી ર૦રપ સુધીના સમયગાળામાં પ૯૬ શ્રમીકોના મૃત્યુ થયા છે. વર્ષ ર૦રપમાં જ ૧૩૦ જેટલા મજુરોના મૃત્યુ અને ૧૭ ને ગંભીર ઈજાના બનાવ નોધાયા હતા. જેમાંથી ૬૦ ટકા મૃતકો ૧પથી૩પ વર્ષના હતા. અમદાવાદમાં ર૪, ગાંધીનગરમાં ર૪, સુરતમા ર૩, વડોદરામાં ૧૩ અને રાજકોટમાં ૧૧ શ્રમીકોના મૃત્યુ નોધાયા છે. જેનું મૃખ્ય કારણ ઉપરથી પડવાના બનાવો છે.
જે કુલ મૃત્યુના ૬૦ ટકા છે. તે ઉપરાંત કરંટ લાગવો, ભેખડ અને દિવાલ ધસી પડવાથી પણ મૃત્યુ થાય છે. ૮૮ ટકા બનાવ ખાનગી બાંધકામ સ્થળોએ અને ૧ર ટકા જાહેર બાંધકામમાં થાય છે. મોટાભાગના અકસ્માતો અટકાવી શકાય તેમ હોવા છતાં સલામતી પગલાં લેવાતા નથી.

