ગાંધીનગર: અમેરિકાના ન્યૂજર્સી રાજ્યમાં ગત રવિવારની સાંજ એક અનોખા સેવાકાર્યનું સાક્ષી બની હતી. પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી, જેઓ હાલ અમેરિકા અને કેનેડાના સાંસ્કૃતિક પ્રવાસે છે, તેમના એક કાર્યક્રમ દરમિયાન ભારતની નિર્દોષાનંદજી ટીબી હોસ્પિટલ માટે અંદાજે એક કરોડ રૂપિયા જેવી માતબર રકમનું દાન એકત્રિત કરવામાં આવ્યું હતું.
ન્યૂજર્સીમાં સેવાકાર્યનું આયોજન ન્યૂજર્સીના બેલવિલ ખાતે આવેલા ‘ઓમ મંદિર’ના હોલમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યને સફળ બનાવવા માટે ડૉ. મહેશ લીંબાણી, ડૉ. નટુભાઈ રાજપરા, નિર્દોષાનંદજી ટીબી હોસ્પિટલના પ્રમુખ ધનસુખ દેવાણી, જય ધડૂક, અશોક બારવાળિયા અને ધર્મેશ સુહાગીયાએ ભારે જહેમત ઉઠાવી હતી.
દાતાઓની ઉદારતા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત દાતાઓએ મુક્ત મને દાનનો પ્રવાહ વહેવડાવ્યો હતો:
આ તમામ રકમ મળીને કુલ એક લાખ ડોલરનું ભંડોળ એકત્ર થયું હતું, જે ભારતીય ચલણ મુજબ અંદાજે એક કરોડ રૂપિયા જેટલી રકમ થાય છે.
વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિ આ સેવાકીય પ્રસંગે સમાજના અગ્રણીઓ અને તબીબી ક્ષેત્રના નિષ્ણાતો ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુની સેવા આશ્રમના ડૉ. વિક્રમ પટેલ, ન્યુયોર્કના ડૉ. યોગેન્દ્ર પટેલ અને બાલ્ટીમોરના બકુલ વિરડીયાનો સમાવેશ થાય છે.
પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદીના સાંસ્કૃતિક પ્રવાસ દરમિયાન થયેલું આ આર્થિક અનુદાન ભારતની નિર્દોષાનંદજી ટીબી હોસ્પિટલના દર્દીઓ માટે મોટી રાહત અને સહાયરૂપ સાબિત થશે.

