Author: gujarat

૩૭ જંકશન તૈયાર, ૧૨ પર કામ ચાલુ – ૭૬ સ્થળોએ ‘લેફ્‌ટ ટર્ન ફ્રી’થી ટ્રાફિક મૂવમેન્ટમાં રાહતઅમદાવાદ, (પ્રતિનિધિ )અમદાવાદ શહેરમાં વધતા ટ્રાફિક ભારણને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક મૂવમેન્ટ સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે શહેરના ટ્રાફિકથી સૌથી વધુ પ્રભાવિત એવા ૧૦૦ જંકશનોના ડેવલપમેન્ટનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી ટ્રાફિક સર્વે કરાવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે તેમજ ટ્રાફિક પોલીસ વિભાગની જરૂરી અમદાવાદ મ્યુ. કોર્પો. મેળવી જંકશન ડેવલપમેન્ટની કામગીરી અમલમાં મુકાઈ રહી છે.અત્યારસુધીમાં કુલ ૩૭ જંકશનોનું સફળતાપૂર્વક ડેવલપમેન્ટ પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે ૧૨ જંકશનો પર કામ પ્રગતિમાં છે. બાકીના જંકશનો…

Read More

ભાજપે મારા જેવી સામાન્ય મહિલા પર વિશ્વાસ મુક્્યો તે મારા માટે ગૌરવની વાત છે.ગીતાબેન પાટણવાડીયા નપાની ચૂંટણીમાં જીત્યા છે-મારી ચાની કીટલી જ મારી ઓફિસ બનશેઃ ગીતાબેન પાટણવાડીયા(એજન્સી) નર્મદા, રાજપીપળાના ઇતિહાસમાં ભાજપે જીતનો નવો અધ્યાય લખ્યો છે. ત્યારે રાજપીપળા નગરપાલિકામાં ભાજપના એક ચાની કીટલી ચલાવતા ગીતાબેન પાટણવાડીયાએ જીત મેળવી છે. જીત બાદ ગીતાબેન અને તેમની આસપાસના લોકોનો ઉત્સાહ સમાતો ન હતો.સામાન્ય જનજીવન સાથે જોડાયેલા આ બહેનને જ્યારે ભાજપે ઉમેદવાર બનાવ્યા ત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ગીતાબેન પાટણવાડીયાએ ઘરેઘરે જઈને જનતા સાથે સીધો સંપર્ક સાધ્યો હતો.પોતાની સાદગી, મહેનત અને લોકો સાથેના લાગણીસભર સંબંધને કારણે તેઓ ઝડપથી…

Read More

કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટના કારણે આગ લાગી હતી.જેમાં ઓછામાં ઓછા ૧૬ કામદારો ઘાયલ થયા હતા.ઝઘડિયાની મેટ્રોપોલિટીન એક્ઝિમકેમમાં થયેલ બ્લાસ્ટની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગંભીર નોંધ લીધીરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હી દ્વારા ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચના પોલીસ અધિક્ષકને નોટિસ ફટકારી બે અઠવાડિયામાં આ બાબતનો વિગતવાર અહેવાલ માંગ્યો(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટીન એક્ઝિમકેમ કંપનીમાં થયેલ બ્લાસ્ટની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગંભીર નોંધ લીધી છે અને ગુજરાતના મુખ્ય સચિવ તેમજ ભરૂચ જીલ્લા અધિક્ષકને નોટિસ ફટકાડી બે અઠવાડિયામાં આ બાબતનો વિગતવાર અહેવાલ માંગ્યો હોવાનું તેઓની વેબ સાઈટ પર પ્રેસ રિલીઝ આવ્યો છે.ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ જીઆઈડીસી માં મેટ્રોપોલિટન એક્ઝીકેમ કંપની…

Read More

ઝઘડિયા જીઆઈડીસીનીમેટ્રોપોલિટન એક્ઝીકેમકંપનીમાં સોળ કામદારો દાઝી જવાની ઘટનામાં ન્યાય આપવા માટે ધારાસભ્ય કંપની પર પહોંચ્યા હતાકંપની સંચાલકો વાતચીત માટે નહીં આવતા ધારાસભ્યએ કંપનીનો ગેટ કુદી પ્રવેશ મેળવ્યો હતો અને ભોગ બનેલા પરિવાર સાથે લાફા વાળી કરી હતી તથા પોલીસ સાથે ઘર્ષણ વિગેરે બાબતોએ ફરિયાદ નોંધાયા હોવાનું સામે આવ્યું છે!(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલીટીન એક્ઝિમકેમ કંપનીના એક પ્લાન્ટમાં ગત તા.૨૩.૪.૨૬ ના રોજ બ્લાસ્ટ સાથે ભયંકર આગ ફાટી નીકળી હતી, જેમાં સોળ જેટલા કામદારો ભયંકર રીતે દાજી ગયા હતા જે પૈકી બે કામદારોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.ઘટનાને લઈ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ૨૭ એપ્રિલ સોમવારના રોજ કામદારોને ન્યાય…

Read More

સીરમ ક્રિએટીનીનનું લેવલ સતત વધતું હોવાનું સામે આવ્યું હતું, જે કિડની ડિસફંક્શનનું સ્પષ્ટ સંકેત માનવામાં આવે છેસુરત, સુરત શહેરના સરથાણા નેચર પાર્કમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પાર્કમાં રાખવામાં આવેલ નર સિંહ ‘આર્ય’નું કિડની સંબંધિત ગંભીર બિમારીના કારણે મોત નિપજ્યું છે.આ ઘટના પછી પાર્કના સ્ટાફ તથા પ્રાણીપ્રેમીઓમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. માહિતી મુજબ, આશરે ૯.૫ વર્ષનો આ સિંહ વર્ષ ૨૦૨૦ દરમિયાન નંદનવન ઝૂ અને જંગલ સફારીમાંથી સરથાણા નેચર પાર્કમાં લાવવામાં આવ્યો હતો. ‘આર્ય’ પાર્કના મુખ્ય આકર્ષણોમાંથી એક હતો અને તેને જોવા માટે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હતા.સિંહ ‘આર્ય’ની તબિયત ૨૯ માર્ચ ૨૦૨૬થી નબળી થવા લાગી હતી. તબીબોની ટીમ…

Read More

ઉત્તમ વિચારો જ વ્યક્તિ અને સમાજને ઉંચાઈ પર લઈ જાયજૂનાગઢ, શહેરના સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ દ્વારા ધોબી સમાજના તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો માટે ર૪મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો.સમારોહનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો, તેમને પ્રોત્સાહન આપવાનો અને સમાજમાં શૈક્ષણિક ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જવાનો હતો. છેલ્લા ર૪ વર્ષથી સતત આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જેના પરિણામે આજે સમાજના અનેક યુવાનો ડૉક્ટર, સીએ, એન્જિનિયર, સરકારી તેમજ કોર્પોરેટ ક્ષેત્રોમાં તેમજ વિદેશમાં પણ નોંધપાત્ર સફળતા મેળવી સમાજનું ગૌરવ વધારી રહ્યા છે.આ વર્ષે યોજાયેલા સમારોહમાં જૂનાગઢ શહેર ઉપરાંત સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાંથી ધો.૧૦ અને ૧રમાં…

Read More

પરેશાન ટ્રમ્પે અનેક દેશોને મોકલ્યો સિક્રેટ મેસેજ(એજન્સી)વોશિંગ્ટન, હોર્મુઝમાં જારી નાકાબંધી વચ્ચે ગુરુવારે કાચા ક્રૂડ ઓઈલની કિંમતોએ છેલ્લા ચાર વર્ષનો રેકોર્ડ તોડ્‌યો છે અને ભાવ પ્રતિ બેરલ ૧૨૬ ડોલર સુધી પહોંચી ગયા છે. આ ઉછાળા પર ઈરાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, અમેરિકાની નાકાબંધીની તેની ક્રૂડ ઓઈલ ઉત્પાદન ક્ષમતા પર કોઈ અસર થઈ નથી, ઉલટાનું ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે. ઈરાને એવી પણ ચેતવણી આપી છે કે, ક્રૂડ ઓઈલની કિંમતો ૧૪૦ ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે.ક્રૂડ ઓઈલના ભાવમાં દિવસ ને દિવસે વધારો થતાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પેરશાન થઈ ગયા છે અને તેમણે અનેક દેશોને એક સિક્રેટ મેસેજ…

Read More

અમદાવાદ, લગ્નેતર સંબંધો અને પ્રેમ પ્રકરણમાં ૧૯૯૨માં થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. વટવાના કુતુબનગરમાં પરિણિત શમસુદ્દીનને મળવા માટે તેની સ્ત્રીમિત્ર શબનમ ઉર્ફે ફરઝાના આવી હતી અને ઘરમાં થયેલી તકરારને કારણે તેની હત્યા કરવામાં આવી હતી. શબનમ ઉર્ફે ફરઝાના હવે હત્યારાના પરિવારજનોના સપનામાં આવી તેમને પરેશાન કરતી હોવાની વાતો ચર્ચાતી હતી.જેથી તેનો નિકાલ કરવા પરિવારે તાંત્રિકની મદદ લીધી અને આ વાત ક્રાઈમ બ્રાન્ચ સુધી પહોંચી ગઈ. ક્રાઈમ બ્રાન્ચે ૩૫ વર્ષ પહેલા થયેલી હત્યાના પુરાવા મેળવવા માટે આ ઘરમાં જેસીબીથી ખોદકામ શરૂ કરી કથિત કંકાલ મેળવ્યા છે. હવે એફએસએલના રિપોર્ટ બાદ સમગ્ર ઘટના પરથી પડદો ઊઠશે.આ કેસમાં…

Read More

ધાર, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આજે બુધવારની રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. ચીકલિયા સ્થિત રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે શ્રમિકોથી ભરેલી એક પિકઅપ વાન અનિયંત્રિત થઈને પલટી ખાઈ ગઈ હતી.જેમાં ૧૨ લોકોના મોત થયા છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ છે. સ્કાર્પિયોને પણ ટક્કર મારી હતી, અકસ્માત બાદ વિસ્તારમાં બૂમાબૂમ અને અફરાતફરી મચી ગઈ હતી.ઘટના સાંજે લગભગ રાત્રે ૮ઃ૩૦ વાગ્યાએ ઘટી હતી. જાણકારી અનુસાર, પિકઅપ વાહનમાં ક્ષમતા કરતા વધુ અંદાજે ૩૦ થી ૩૫ શ્રમિકો સવાર હતા.જે બાદ ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, વાહન અચાનક પલટી જવાથી ઘણા લોકો તેની નીચે દબાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ અનેક…

Read More

અમદાવાદ, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ મોડી રાત્રે એક જ્વેલર્સના વેપારી પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે.વસ્ત્રાલ રિંગ રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સફેદ રંગની સ્વિફ્ટ કારમાં આવેલા ચાર શખ્સોએ વેપારીનું એક્ટિવા રોકી, તલવાર અને લાકડી વડે હુમલો કરી માર માર્યાે હતો. આ મામલે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વસ્ત્રાલમાં નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતા અને ઓમ સર્કલ પાસે જ્વેલર્સની દુકાન ધરાવતા લાભુભાઈ મોહનભાઈ દેસાઈ (ઉં.વ. ૩૬) ગઇકાલે મોડી રાત્રે પોતાની દુકાન બંધ કરી એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા. તેઓ જ્યારે સાનિધ્ય બંગ્લોઝ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી…

Read More