Author: gujarat

અમદાવાદ , સેટેલાઈટમાં રહેતા વેપારીને શેરબજારમાં રોકાણ કરી મોટું વળતર આપવાની લાલચ આપીને લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ અને સભ્યે કુલ શ્ ૪.૦૪ કરોડની છેતરપિંડી આચરી છે.આરોપીએ શેરબજારમાં રોકાણ કરવાની વાત કરીને પત્ની, માતા અને ભાગીદારના નામે આખું રેકેટ ચલાવીને અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ થઇ છે. વેપારીએ આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.આંબાવાડીમાં રહેતા મહેન્દ્રભાઈ પટેલ વટવા જીઆઈડીસીમાં મશીનરી મેન્યુફેક્ચરિંગ કંપની ધરાવે છે. છેલ્લા પાંચ વર્ષથી લાયન્સ ક્લબમાં સભ્ય હોવાથી સભ્ય અને પ્રમુખ એવા મિહિર પરીખ સાથે પરિચય થયો હતો. મિહિર પોતે માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, ટૂર્સ એન્ડ…

Read More

પાલનપુર, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં બાઇક સહિતના વાહનોની ઉઠાંતરી કરતી ટોળકીને પાલનપુર એલસીબીની ટીમે ઝડપી પાડી છે. જેમાં જુદા જુદા ૧૭ વાહન ચોરીના ભેદ ઉકેલીને આરોપી પાસેથી ચોરી કરાયેલા ૧૦ બાઇક અને એક બોલેરો મળી ૧૧ વાહનો કબજે કરી ત્રણની અટકાયત કરી હતી.બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ અલગ ૩ ટીમો દ્વારા વાહન ચોરીના ગુના ડીટેક્ટ કરવા હ્યુમન સોર્સ તથા ટેકનીકલી લીડ મેળવવાનો ટાસ્ક અપાયો હતો. જેમાં અલગ અલગ જગ્યાના આશરે ૧૦૦ વધારે સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ તથા ટેકનિકલ, નેત્રમ કેમેરાની મદદથી આજુબાજુના જિલ્લાઓમાં બનેલા વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા નરેશ ઉર્ફ નરશા દિતારામ ખેર (રહે.મહુડી તા.કોટડા જિ.ઉદેપુર રાજસ્થાન), કિરણસિંહ…

Read More

સુરત, સુરતના ઉમરા-વેલંજા રોડ પર આવેલા અવસર પ્લાઝામાં છેલ્લા દોઢ વર્ષથી ચાલતી નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર ઉત્રાણ પોલીસે દરોડો પાડી ૫૮૩ કિલોગ્રામ તૈયાર નકલી ઘી સહિત અંદાજે પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે. આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે ફેક્ટરીનો માસ્ટર માઈન્ડ વોન્ટેડ જાહેર કરાયો છે.પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, અવસર પ્લાઝાની દુકાન નંબર ૧૦૬ અને ૧૦૮માં આ કૌભાંડ ચાલી રહ્યું હતું. આરોપી પિયુષ વિઠ્ઠલ સાંગાણી છેલ્લા દોઢ વર્ષથી અસલ ઘી જેવી સુગંધ લાવવા માટે ઘાતક કેમિકલ સિરપ ઉમેરતો હતો. આ નકલી જથ્થો ‘શ્રી સહજાનંદ’ અને ‘શ્રી ગજાનંદ’ જેવી બ્રાન્ડના નામે પેક કરી સુરત…

Read More

આણંદ, આણંદ જિલ્લાના ખંભાત શહેરના મૂળ વતની હાલ વડોદરા શહેરમાં સ્ટાર રેસીડેન્સી વસંત વિહાર ભાયલી રોડ વિસ્તારમાં રહેતા એક શખ્સે ૪૫ જેટલા લોકોને વારાણસી ખાતે યોજાયેલી કથામાં લઈ જવા માટે રૂ.૧.૪૮ લાખ ઉપરાંતની રકમ ઓનલાઈન મેળવી લઈને ટિકીટ બુક નહીં કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ પેટલાદ શહેર પોલીસમથકમાં નોંધાઈ છે.આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં નાના પંડયાની પોળ વિસ્તારમાં ક્›ણાલ કિરીટભાઈ ત્રિવેદી રહે છે. તેઓ દશ વર્ષ પહેલા પેટલાદ રાજકિય સંસ્કૃત પાઠ શાળામાં પૂજાપાઠ કરવા માટે જતા હતા. ત્યારે તેમની સાથે વડોદરા ખાતે રહેતા મૂળ ખંભાતના ચિરાગભાઈ મુકેશચંદ્ર જોશી પણ પૂજાપાઠ શીખવા માટે આવતા હોવાથી તેમની સાથે ઓળખાણ થઈ હતી.તેમને અઢી માસ અગાઉ…

Read More

પાટણ, પાટણના સમી તાલુકામાં ગંભીર ઘટના સામે આવી છે. જેમાં ૨૩ વર્ષીય પરિણીતાએ એક વર્ષના માસૂમ દીકરા સાથે કૂવામાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું. પરિણીતાએ સાસરીયાના ત્રાસથી આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે, ત્યારે મૃતકના પિતાએ જમાઈ-સાસરી પક્ષ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.સમગ્ર મામલે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, સમી તાલુકાના અમરાપુર (હંસનગર)માં પરિણીતાએ પુત્ર સાથે કૂવામાં પડીને આપઘાત કરતાં સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે.પોલીસ ફરિયાદ અનુસાર, રાધનપુરના ધરવડીના રહેવાસી પ્રભુભાઈ દાનાભાઈ ઠાકોરે તેમની પુત્રી હંશાબેનના અમરાપુર ગામના દેવુભાઈ કાનજીભાઈ ઠાકોર સાથે વર્ષ ૨૦૧૯માં લગ્ન કર્યા હતા. લગ્નજીવન થોડા સમય બાદ પરિણીતાનો…

Read More

ગાંધીનગર, ખેડૂતોની આવક બમણી કરવાની ગુલબાંગો વચ્ચે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ તરફની આંધળી દોટના કારણે ખેતી નષ્ટ થઈ રહી હોવાનું ચિત્ર સામે આવ્યું છે. ગુજરાતના સાત જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ખેતીની ૧૬,૩૫૨ જમીનો ‘બિન ખેતી’ થઈ ગઈ છે. એટલે કે આટલા ધરતીપુત્રોએ ખેતી તરફથી મોઢું ફેરવી લીધું છે.ખાસ કરીને વિપરીત સંજોગો વચ્ચે પણ ખેતી કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા હોવાથી હવે તેઓ પરંપરાગત વ્યવસાય તરફથી મોઢું ફેરવી રહ્યા છે.ભારત કૃષિ પ્રધાન દેશ છે.ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે, પરંતુ અત્યારે સૌથી વધુ દુઃખી ધરતીપુત્રો જ છે. એક તરફ વાતાવરણ વારંવાર દગો કરી રહ્યું છે, બીજી તરફ જણસોના પોષણક્ષમ ભાવ…

Read More

વડોદરાના પોઇચા ગામે મહી નદી ઉપર રૂ.૩૪૯ કરોડના ખર્ચે તૈયાર થનાર વિયરનું કામ પ્રગતિમાં:-જળ સંપત્તિ મંત્રીવડોદરા, રાજ્યમાં સિંચાઇ વિસ્તારમાં વધારો થાય અને ભૂગર્ભ જળ સ્તર ઉંચા આવે તેવા હેતુથી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જળ સંચયના અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે વડોદરાના પોઇચા ગામે મહી નદી ઉપર રૂ.૩૪૯ કરોડના ખર્ચે તૈયાર થનાર વિયરનું કામ પ્રગતિમાં છે.આ વિયરનું નિર્માણ થવાથી આજુબાજુની અંદાજે ૨૯ હજાર એકર જમીનને સિંચાઈના લાભની સાથે આ વિસ્તારમાં જળસ્તર ઉંચા આવશે‌ તેમ,જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું.જળ સંપત્તિ મંત્રી શ્રી પટેલે વધુ વિગતો…

Read More

રાજ્યમાં ઘરેલુLPG-LNGપુરવઠો સુનિશ્ચિત કરવા માટેનું આયોજનઅમદાવાદ, મધ્ય-પૂર્વમાં ઉદ્ભવેલ ભૂ-રાજકિય પરિસ્થિતીના કારણે વિશ્વસ્તરે ઊર્જા ક્ષેત્રમાંLPG (Liquified Petroleum Gas)તથાLNG (Liquified Natural Gas)પુરવઠા પર પડેલા પ્રભાવને પહોંચી વળવા માટે અને રાજ્યમાં ગેસ પુરવઠો સતત જાળવી રાખવા માટે કેન્દ્ર સરકાર,રાજ્ય સરકાર અને ગેસ તથા ઓઇલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.સમગ્ર રાજ્યમાં ઘરેલુLPGસિલિન્ડરના વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્‍દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે.કેન્દ્ર સરકાર દ્વારા ૫ માર્ચ ૨૦૨૬ ના ગેઝેટ નોટિફિકેશન દ્વારાLPGમાટે ઉપયોગ થતા બ્યુટેન તથા પ્રોપેન ગેસનો મહત્તમ ઉપયોગLPGના ઉત્પાદન માટે કરવામાં આવે તથા તે જાહેર ક્ષેત્રની ત્રણ ઓઇલ માર્કેટીંગ કંપનીઓ (IOCL, BPCLઅનેHPCL)ને જ…

Read More

રાજ્ય સરકારના સર્વગ્રાહી અભિગમ અને રિયલ ટાઈમ મોનિટરિંગને કારણે ગુજરાતમાં કુપોષણના દરમાં મોટો ઘટાડો નોંધાયોપરિવાર અને સમાજની સક્રિય ભાગીદારી થકી આપણે સૌ સાથે મળીને રાજ્યને સુપોષિત બનાવીશુંવિધાનસભાના ગૃહમાં મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રીએ રાજ્યમાં કુપોષણની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સર્વગ્રાહી અભિગમ અને રિયલ ટાઈમ મોનિટરિંગને કારણે ગુજરાતમાં કુપોષણના દરમાં મોટો ઘટાડો નોંધાયો છે.મંત્રીશ્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારના’પોષણ ટ્રેકર’ડેટા મુજબ,જાન્યુઆરી ૨૦૨૫ માં રાજ્યમાં ઓછા વજનવાળા બાળકોની ટકાવારી ૨૦.૫ ટકા હતી,જે જાન્યુઆરી ૨૦૨૬ માં ઘટીને ૧૧.૪ ટકા થઈ છે. આમ,એક જ વર્ષમાં ૯.૧ ટકાનો માતબર ઘટાડો જોવા મળ્યો છે. આ સુધારોNFHS-5ના જૂના આંકડાઓની સરખામણીમાં…

Read More

ઘેડ વિસ્તારના વિકાસ માટે મહત્વનો નિર્ણયકેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા,વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા તેમજ સ્થાનિક ધારાસભ્યના સતત પ્રયત્નોથી આ વિસ્તારની સમસ્યાનો કાયમી હલ આવશેફેઝ-૧ અને ફેઝ-૨ હેઠળ સોરઠી ઘેડ વિસ્તારમાં રૂ. ૧૧૮૪.૧૮ કરોડ અને બરડા ઘેડ માટે રૂ. ૩૫૦.૦૧ કરોડ મળી કુલ રૂ. ૧૫૩૪.૧૯ કરોડની યોજનાથી બન્ને ઘેડ વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ આવશેઅગાઉ એપ્રિલ-૨૦૨૫માં ફેઝ-૧ની રૂ. ૧૩૯.૪૨ કરોડની યોજનાના કામો હાલ પ્રગતિ હેઠળઘેડવિસ્તારના૬તાલુકાનાગામ–ખેડૂતોનેઆયોજનાનોલાભમળશે ફેઝ–૧ના૧૭અનેફેઝ–૨ના૧૨કામોઆગામીબેવર્ષમાંપૂર્ણકરવાનુંઆયોજનખેડૂતો અને ગામજનોના હિતમાં સૌરાષ્ટ્રમાં સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી…

Read More