Author: gujarat

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોસ્કોના ગુનામાં ધરપકડ કરાયેલો આરોપી પોલીસને ચકમો આપીને નાસી છૂટ્યો છે. વાડજ પોલીસે પોસ્કોના ગુનામાં સંડોવાયેલા ‘ભરત’ નામના આરોપીની ગત રાત્રે આશરે ૧૧ઃ૩૦ વાગ્યે ધરપકડ કરી હતી. આરોપી ભાગ્યો ત્યારે તેની સાથે બે જ પોલીસકર્મીઓ હોવાની જાણકારી મળી રહી છે જેમને ચકમો આપી આરોપી નાસી છૂટ્યો હતો.ધરપકડ કર્યા બાદ નિયમ મુજબ આરોપીને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. વહેલી સવારે આશરે ૫ઃ૦૦ વાગ્યાની આસપાસ જ્યારે પોલીસ ટીમ આરોપીને મેડિકલ કરાવીને પરત લાવી હતી, ત્યારે પોલીસ સ્ટેશનની બહાર ગાડીમાંથી ઉતારતી વખતે આ ઘટના બની હતી. ગાડીમાંથી ઉતારતી વખતે તક મળતાં જ આરોપી ભરત પોલીસની…

Read More

(એજન્સી) અમદાવાદ, શહેરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ઘરેલુ હિંસાના એક કેસમાં મહત્ત્વનો ચુકાદો આપતા પુત્રવધૂની અરજી ફગાવી દીધી છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે, અરજદાર મહિલા સાસુ-સસરા સામે શારીરિક કે માનસિક ત્રાસના આક્ષેપો સાબિત કરવામાં નિષ્ફળ રહી છે.પતિના અવસાન બાદ મિલકતમાં હિસ્સો લેવા સાસુ-સસરા સામે ખોટી ફરિયાદ કર્યાનું ફલિત થાય છે. પિયરમાં રહેતી અને પેન્શન મેળવતી મહિલાને ભરણપોષણ આપી શકાય નહીં.ગોમતીપુરમાં રહેતા મોનાબહેનના(ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) લગ્ન વર્ષ ૨૦૦૪માં મનોહર સાથે થયા હતા.વર્ષ ૨૦૧૬માં પતિના અવસાન બાદ મોનાબહેન તેમના સાસુ-સસરા અને કાકા-કાકી સાસુ વિરુદ્ધ ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ ફરિયાદ કરી હતી. મોનાબહેનનો આક્ષેપ હતો કે, પતિના મૃત્યુ બાદ…

Read More

ડીએનએ રિપોર્ટે ઉકેલ્યો હત્યાનો ભેદ(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના વટવાના કુતુબનગર વિસ્તારમાં એક સનસનાટીભર્યા ૩૪ વર્ષ જૂના મર્ડર કેસનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાંચે બાતમી આધારે તપાસ કરતાં કુતુબનગરના પ્લોટ નંબર ૧૦ના એક મકાનમાંથી ૨૦ ફૂટ ઊંડે દાટેલું માનવ કંકાલ મળ્યું હતું.જે મૃતક મહિલા ફરજાનાનું હોવાનું જણાયું હતું. સમગ્ર મામલે પોલીસે માનવ કંકાલ ફરજાનાનું જ છે કે કેમ તે સાબિત કરવા માટે ડીએનએનો સહારો લીધો હતો. જ્યારે આજે(૮ મે) મૃતક મહિલાના ડીએનએ સેમ્પલ તેના જીવિત ભાઈના ડીએનએ સાથે સરખાવતા રિપોર્ટ પોઝિટિવ મેચ થયો છે. આમ, ૧૯૯૨ વટવા હત્યા કેસ મામલે પોલીસે વિધિવત રીતે એફઆઈઆર નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 34 Years…

Read More

આસ્થા અને અસ્મિતાના પ્રતીક સમા શ્રદ્ધાના કેન્દ્ર સમા દ્વાદશ જ્યોતિર્લિંગ એવા સોમનાથ પર અનેક આક્રમણો થવા છતાં,આસ્થા અને અસ્મિતાને ડગાવી શક્યા નથી અને તે અડિખમ અને અવિચલ રહ્યું છે.એવા સોમનાથ ભગવાનના સાન્નિધ્યમાં આગામી તા.૧૧ મેના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યાં છે. જેના ઉપલક્ષમાં કૃષિ અને પ્રવક્તામંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સ સોમનાથ સાગરદર્શન ખાતે આવેલા મિટિંગ હોલમાં યોજી હતી.આ અવસરે શિક્ષણ મંત્રી શ્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા,વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જૂનભાઈ મોઢવાડિયા,સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા,ધારાસભ્ય શ્રી અનિરૂદ્ધભાઈ દવે સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.કૃષિમંત્રીશ્રીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પર અનેક આક્રાંતાઓએ હુમલો કર્યાં છતાં આજે…

Read More

૮મે – વિશ્વ થેલેસેમિયા દિવસ-*થેલેસેમિયા મુક્ત સમાજના નિર્માણ માટે જનજાગૃતિ સહીત સિવિલ હોસ્પિટલમાં ચાલતી વિવિધ કામગીરી અને અનેક પહેલોને બિરદાવતા આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા**બ્લડ ટ્રાન્સફ્યુઝનથી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સુધી: થેલેસેમિક બાળકો માટે વરદાનરૂપ બનતી અમદાવાદ સિવિલની હાઈટેક સુવિધાઓ*‘Hidden No More’ થીમ સાથે ઉજવાઈ રહ્યો છે આ વર્ષે વિશ્વ થેલેસેમિયા દિવસ –એક પણ દર્દી નિદાન વગર ન રહે અને તમામ જરૂરિયાતમંદોને યોગ્ય તબીબી સહાય મળે એ ઉદ્દેશ્યગુજરાતમાં લ્યુકો-ડિપ્લિટેડ બ્લડ ટ્રાન્સફ્યુઝન અને ચેલેશન થેરાપી જેવી અદ્યતન સેવાઓ શરૂ કરવામાં સિવિલ હોસ્પિટલ અગ્રેસર :- ડો. રાકેશ જોશી,મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ,સિવિલ હોસ્પિટલદર વર્ષે ૮ મેના રોજ વિશ્વભરમાં થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ…

Read More

રાજ્યમાં મોઢેરા સહિત કુલ પાંચ બેટરી સ્ટોરેજ પ્રણાલીઓ કાર્યાન્વિત, અન્ય13પ્રોજેક્ટ પાઇપલાઇનમાં,ઉચ્ચ માંગ સમયે વીજ પુરવઠો પહોંચાડશેગ્રીડને સ્થિર રાખવામાં મદદરૂપ થશે,વધારાની રિન્યૂએબલ ઊર્જાને સંગ્રહ કરીને ઇમરજન્સી બેકઅપ તરીકે પણ કામ કરશેગાંધીનગર, ભારતના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાના સફળ અમલીકરણથી ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમવાર સોલાર પાવર પ્લાન્ટ સાથે સંકલિત બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS)એટલે વીજળીનો સંગ્રહ કરતી બેટરીની વ્યવસ્થા રજૂ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ દિશામાં આગળ વધતા અત્યારે ગુજરાત સમગ્ર દેશમાં બેટરી સ્ટોરેજ પ્રણાલીને આગળ લઇ જવામાં અગ્રણી રાજ્યોની યાદીમાં સામેલ થઇ ગયું છે. મોઢેરા બાદ અત્યારે ગુજરાતમાં870મેગાવોટની ક્ષમતા સાથે કુલ5સ્થળોએ બેટરી સ્ટોરેજની વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે. બેટરી સ્ટોરેજ…

Read More

ગાંધીનગર, 8 મે, 2026 : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે ‘ઈન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટ 2.0’ ને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતની ગિફ્ટ સિટી (GIFT City) ખાતેના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 5.8 અબજ ડોલરની કિંમતની 370 થી વધુ એવિએશન એસેટ્સ (વિમાન અસ્કયામતો) લીઝ પર આપવામાં આવી છે.ગિફ્ટ સિટીમાં આયોજિત આ સમિટમાં બોલતા પટેલે કહ્યું કે, ભારતમાં એવિએશન લીઝિંગ સેક્ટર ખૂબ જ ઝડપથી વિસ્તરી રહ્યું છે અને IFSC દેશમાં એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ પ્રવૃત્તિઓ માટે એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે.પટેલે જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટીમાં કાર્યરત IFSC દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 5.8 અબજ…

Read More

વિદેશી પક્ષીઓ માટે ગુજરાત સુરક્ષિત-રાજ્યની પાંચ ‘રામસર સાઈટ’ સહિત છેલ્લા એક વર્ષમાં અંદાજે ૩૫ લાખથી વધુ સ્થાનિક-વિદેશી પક્ષીઓ બન્યા ગુજરાતના ‘અતિથિ’ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે સૌથી વધુ કુલ ૩૪૭ પ્રજાતિઓના પક્ષીઓની હાજરી ૦૯ મે : ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી દિવસ’-૨૦૨૬ગુજરાત દેશ-વિદેશના પ્રવાસીઓની સાથે વિદેશી પક્ષીઓ માટે પણ પસંદગીની રાજ્ય બન્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬માં છેલ્લા એક વર્ષમાં રાજ્યની પાંચ ‘રામસર સાઈટ’ વિસ્તાર, નડાબેટ તેમજ કચ્છના ‘રોડ ટુ હેવન’માં અંદાજે કુલ ૩૫ લાખથી વધુ યાયાવર- સ્થાનિક પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. સરહદી જિલ્લા એવા વાવ-થરાદમાં આવેલું ‘નડાબેટ’ એ પ્રવાસીઓની સાથે પક્ષીઓની પણ પહેલી પસંદ બન્યું છે, એટલે કે, આ વર્ષે નડાબેટ ખાતે સૌથી વધુ…

Read More

આણંદ, આણંદ એસ.ઓ.જી. પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને શહેરના પોશ વિસ્તારમાં આવેલા શાન મોલમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કર્યાે છે. પોલીસે ‘ધી વન એ લીલી સ્પા એન્ડ ગ્›પ વેન્ચર’ નામના સ્પા સેન્ટર પર દરોડો પાડયો હતો.જેમાં વિદેશી યુવતીઓ પાસે દેહવિક્રય કરાવતા મોટા સેકસ રેકેટને ઝડપી પાડીને થાઈલેન્ડની ૮ યુવતીઓ સહિત ૧૪ જણાંને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ શહેર અને સાક્ષર નગરી વિદ્યાનગરમાં છેલ્લા કેટલાય સમયથી સ્પા સેન્ટરની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ ફૂલીફાલી હોવાની ફરિયાદો અવારનવાર મળતી રહે છે.આ દરમિયાન આણંદની એસઓજી પોલીસને બાતમી મળી હતી કે આણંદ શહેરમાં સરદાર પટેલ રાજમાર્ગ પર આવે શાન મોલમાં પ્રથમ માળે આવેલા…

Read More

આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા નિર્મિત કેમ્પસમાં આધુનિક અભ્યાસક્રમ સાથે યોગ અને સંસ્કારનું શિક્ષણ અપાશે.શાળામાં CBSE બોર્ડ આધારિત નવો અભ્યાસક્રમ ભણાવાશે -વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક સ્પોર્ટ્સ એકેડમીની સુવિધા મળશે -પર્ફોર્મિંગ અને ક્રિએટિવ આર્ટસ એકેડમી પણ બનશે નવી ઇનોવેશન એકેડમી સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધગોધાવી (સાણંદ): અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગોધાવી ખાતે એક મહત્વપૂર્ણ શૈક્ષણિક પ્રકલ્પનો પ્રારંભ થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે શુક્રવાર, ૮ મે ૨૦૨૬ના રોજ ‘શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર’નું શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આર્ટ ઓફ લિવિંગ પરિવારના સભ્યો અને શિક્ષણ જગતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન ભૂમિપૂજન બાદ આયોજિત સભાને…

Read More