સુરતમાં લગ્નના પાંચમા દિવસે ત્રણ લાખના દાગીના લઈ દુલ્હન રફુચક્કરસુરત, પુણા વિસ્તારમાં રહેતા રત્નકલાકાર સાથે લગ્ન કરી નાસિકની લૂંટેરી દુલ્હન રૂ.૩.૦૪ લાખનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયાની ફરિયાદ પુણા પોલીસ મથકમાં નોંધાઈ છે.પુણાગામ સોસાયટીમાં રહેતા પ્રફુલ દેવરાજભાઈ ગોહિલ (ઉં.૩૭) હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. વર્ષ ૨૦૧૫માં તેના લગ્ન થયા હતા, જોકે તેમની વચ્ચે મનમેળ નહીં રહેતા વર્ષ ૨૦૨૩માં છૂટાછેડા લઈ લીધા હતા.ત્યારબાદ વર્ષ ૨૦૨૪માં તેને લગ્ન કરવાના હોવાથી પોતાના સમાજના મોહન રામજી ટાંકનો સંપર્ક કર્યાે હતો. એ મોહને પોતાના મિત્ર જીતેન્દ્રકુમાર જેરુપચંદ જૈન લગ્ન કરાવતો હોવાનું કહ્યું હતું અને નાસિકમાં તેની પાસે એક કન્યા હોવાનું પણ જણાવ્યું હતું.…
Author: gujarat
પીકઅવર્સ દરમ્યાન ટ્રાફિક જામ રહેતા નોકરીયાત વર્ગને હાલાકી (પ્રતિનિધિ)હિંમતનગર, હિંમતનગરના પ્રવેશ દ્વારા સમાન તથા શામળાજીથી અમદાવાદ જતા રોડ પર આવેલ સહકારી જીન વિસ્તારમાં ઓવરબ્રિજ બન્યા બાદ ઘણી વખત સર્વિસ રોડ પર ટ્રાફિક જામને કારણે રોજબરોજ નોકરીયાત વર્ગને વાહન લઈને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે સોમવારે પણ આવી સમસ્યા ઉદ્ભવી હતી. જેને લઈને અડધો કલાકથી વધુ વાહન ચાલકો અટવાયા હતા.સહકારી જીન વિસ્તારમાં થઈને રોજબરોજ ગામડાઓમાં રહેતા લોકો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગ વાહન લઈને સહકારી જીન વિસ્તારમાં આવેલ સર્વિસ રોડ પર થઈ શહેરમાં પ્રવેશે છે ત્યારે કેટલાક વાહન ચાલકોની ઉતાવળ અને સર્વિસ રોડ પર પાર્ક થતાં વાહનોને કારણે ટ્રાફિકની…
લોકસભાના ઈન્ચાર્જ ડો.રાજીવ પાંડેનું રાજીનામું-મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી(પ્રતિનિધિ) વાપી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડયો છે. વલસાડ લોકસભા બેઠકના ઇન્ચાર્જ ડો. રાજીવ પાંડેએ પાર્ટીના તમામ હોદાઓ પરથી રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેમણે પાર્ટીના આંતરિક માળખા અને કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા.રાજીનામું આપ્યા બાદ ડો. રાજીવ પાંડેએ મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “પાર્ટીમાં અનુશાસનનો ભારે અભાવ છે. પાર્ટીમાં શિસ્તનો અભાવ, વલસાડ જિલ્લાની સતત અવગણના અને શિર્ષસ્થ નેઆઓની જમીન સ્તરે કામગીરીના અભાવથી નારાજ થઈ પક્ષમાંથી છેડો ફાડ્યો.કોઈ પણ પ્રકારના ર્જીંઁ કે પ્રોટોકોલનું પાલન કરવામાં આવતું…
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચની એક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે તેને શાળાએ મુકવા તથા ઘરે લાવવાનું કામ કરતાં સ્કૂલવાનના ડ્રાઈવરે દુષ્કર્મ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.જે ચકચારી મામલામાં પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.ભરૂચ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થીની સાથે સ્કૂલવાનના ચાલકે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાના બનાવ અંગે ભરૂચના સી ડિવિઝન પોલીસ મથક ફરિયાદ નોંધવામાં હતી.જેમાં ભરૂચ તાલુકાના હલદર ગામનો શાહરૂખ ગોહિલ નામનો વાનચાલક વિદ્યાર્થીનીને સ્કૂલે લાવવા લઈ જવાના બહાને તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કરતો હતો.સગીરા હોવા છતાં આરોપીએ તેની ઉપર અનેક વખત…
મોડાસામાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. જગદીશભાઈ ત્રિવેદીનો હાસ્ય દરબાર યોજાયો(પ્રતિનિધિ)મોડાસા, મોડાસામાં આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર, સમાજસેવક અને પ્રખર દાનવીર પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. જગદીશભાઈ ત્રિવેદી નો હાસ્ય દરબાર યોજાયો હતો. લકુલીશ યોગાશ્રમ અરવલ્લી (કંભરોડા-શાંતિપુરા કંપા, મેઘરજ-માલપુર રોડ, તા. મેઘરજ, જી. અરવલ્લી)ના લાભાર્થે યોજાયેલા કાર્યક્રમમાં એમની સાથે મુબઈના જાણીતા કલાકાર ભાગ્યેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે સંતો મહંતો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા૨૩ મી માર્ચે શહીદ દિવસને અનુલક્ષીને ડૉ. જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે દેશ કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, મદનલાલ એવા યુવાનોએ પ્રાણની આહુતિ આપી છે ત્યારે આ દેશને આઝાદી મળી છે .એમણે આ તમામ શહીદોને અંજલિ રૂપે…
ખાનગી સ્કૂલના મહિલા પ્રિન્સીપાલ, પતિ અને પુત્ર સામે પોલીસ ફરીયાદ -પત્ની, સંતાનને મૂકી પતિ અન્ય મહિલા તેના બાળકો સાથે વિદેશ ફરાર(એજન્સી)અમદાવાદ, શહેરમાંરહેતી એક મહિલાએ તેના સાસરીયાઓ સામે માનસીક શારીરિક ત્રાસની ફરીયાદ નોધાવી છે. આ મહીલાનો પતી ટેનીસ કોચ છે. અને તે ત્રણેક માસ પહેલા કલબમાં ફોટોશુટ હોવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો.જે બાદ તે ઘરે ન આવતા અન્ય સ્ત્રી અને તેના સંતાનોને લઈને વિદેશ જતો રહયો હોવાની મહિલાને જાણ થઈ હતી. આટલું જ નહી પુત્રને વિદેશમાં સેટ કરવા માટે સાસુ દહેજ લાવવા માટે મહિલાને દબાણ કરીને ત્રાસ આપતી હતી. આનંદનગર પોલીસે સેટેલાઈટની જાણીતી સ્કુલની મહીલા પ્રિન્સીપાલ તેના પતી તથા ટેનીસ…
(એજન્સી)અમદાવાદ, અને આ જ રીતે ને રાંચરડામાં આવેલું સંકટમોચન મહાવીર હનુમાન મંદીરે જમણા હાથે દાન આપીએ તો ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ દાન આપવાની પદ્ધતિને આત્મસાત કરી છે. મંદીર દ્વારા સેવાકાર્યો કરાય છે. પરંતુ તેમાં કયાંય દાતા તરીકે મંદીરના સંચાલકો પોતાનેંં નામ સુધ્ધાં આપતા નથી.એટલું જ નહી નામનો આગ્રહ રાખનારા દાતાઓનું દાન પણ સ્વીકારાતું નથી. મંદીરના સંચાલક ડો. પ્રવીણ ગર્ગનું કહેવું છે કે મહાબલી હનુમાનજીના પ્રગટ અવતાર સમા નીમ કરોલી બાબાની પ્રેરણાથી આ મંદીરની સ્થાપના કરાઈ છે. એટલે તેમના જ આદર્શોને ધ્યાનમાં રાખીને દાન અને સેવાધાર્થોની સરવાણી વહવાઈ રહી છે. સંકટમોચન મહાવીર હનુમાન મંદીર દ્વારા દૈનીક પ૦૦ પરીવારને…
(એજન્સી)અમદાવાદ, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વૈશ્વિક અસરો હવે સીધી રીતે મધ્યમ વર્ગના રસોડા સુધી પહોચી ગઈ છે. સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝના માર્ગે થતા વેપારમાં અવરોધ અને કુડ ઓઈલના આસમાને પહોચેલા ભાવને કારણે ગુજરાતમાં ઘરેલું અને હોટલની ગુજરાતી થાળી પર મોઘવારીનો મોટો ફટકો પડયો છે.બ્લુમબર્ગના માર્ગ ર૦ર૬ના તાજેતરમાં અહેવાલ મુજબ એલપીજી એલપીજીની અછત અને વધતા ખર્ચને કારણે થાળીના ભાવમાં અંદાજીત ર૦ ટકાનો તોતીગ વધારો જોવા મળ્યો છે. યુધ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ફુડ ઓઈલના ભાવ ૧૦૦ ડોલર પ્રતી બેરલની સપાટી વટાવીને ૧૦પ ડોલર સુધી પહોચી ગયા છે.ભારત પોતાની જરૂરીયાતનું ૮૦% ફુડ અને લગભગ ત્રણ ચર્તુમાસશ એલપીજી હોર્મુઝના માર્ગે આયાત…
અનેક આચાર્યને ફોન કર્યા, ૩થી૪ આચાર્યએ વિશ્વાસ કરી રૂપિયા આપ્યાઃ પોલીસમાં ફરિયાદ(એજન્સી)અમદાવાદ, શિક્ષક કે આચાર્ય માટે વિધાર્થી પૂર્વ હોય તોપણ વિધાથી રહે છે. અને તે તકલીફમાં હોય તો તેને મદદ કરવાની ફરજ સમજતા કેટલાક આચાર્યો ના વિશ્વાસ સાથે એક યુવકે પુર્વ વિધાર્થી બનીને વિશ્વાસઘાત કર્યો હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.આ બાબતે એક આચાર્યએ પોલીસમાં ફરીયાદ પણ કરી હતી. અને પોલીસે તપાસ કરીને યુવકને બોલાવી મેથીપાક પણ આપ્યો હતો.અમદાવાદના એક યુવકે થોડા દિવસ પહેલા શહેરની ઘણી કોલેજોના આચાર્યોને ફોન કરી રૂપિયા પડાવવા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ એક યુવક પુર્વ આચાર્યોને ફોન કરતો અને વિધાર્થી બોલું છું.…
અમદાવાદ , સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રખડતાં કૂતરાની સમસ્યા હલ કરવા ગુજરાત સરકાર સક્રિય બની છે ત્યારે ફરી રખડતા કૂતરા ગણવાની જવાબદારી આંગણવાડી બહેનોના માથે થોપી દેવાઈ છે.હવે જાહેર સ્થળોએ રખડતાં કૂતરાની ગણતરી કરીને આંગણવાડી બહેનોએ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે.છેલ્લાં કેટલાંય વખતથી આંગણવાડી બહેનો સરકાર સામે લડત લડી રહી છે. તેમનું કહેવું છે કે, પગાર વધારો કરાતો નથી પણ કામનું ભારણ વધી રહ્યું છે. એક પછી એક કામ થોપી દેવામાં આવી રહ્યું છે.અગાઉ રખડતા કૂતરાઓની ગણતરી કરવાનું કામ તલાટીઓને સોંપાયું હતું પણ હડતાલ પાડવાની ચિમકી આપતાં સરકારે બેકફુટ પર આવવું પડ્યું હતું. આ જ પ્રમાણે, શિક્ષકોને પણ આ કામગીરી…
