સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ પ્રદર્શિત કરી વડાપ્રધાનશ્રીનું અભિવાદન કર્યું : પ્રતિકૃતિમાં સરદાર પટેલ,વીર હમીરજી ગોહિલ અને ઓપરેશન સિંદૂરની સફળતાની ઝલકવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશનું ગૌરવ વધારી રહ્યા છે : શ્રી પિનાકીન ગોહિલગીર સોમનાથ તા.૧૧ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સોમનાથના આંગણે આવકારવા માટે લોકોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો,તેવા જ એક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રશંસક અને જુનિયર બચ્ચન શ્રી પિનાકીન ગોહિલ ભાવનગરથી વડાપ્રધાનશ્રીને સત્કારવા માટે પહોંચ્યા હતાં.મનોરંજનના ક્ષેત્રમાં કામ કરતા શ્રી પિનાકીન ગોહિલ સોમનાથ હેલીપેડથી સોમનાથ મંદિર સુધીના રોડ શોમાં વડાપ્રધાનશ્રીને સત્કારવા માટે ખાસ સોમનાથ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ લઈને પહોંચ્યા હતા. આ પ્રતિકૃતિમાં વડાપ્રધાનશ્રીને તેમના સ્વ. માતૃશ્રી હીરાબા સાથે દર્શાવામાં આવ્યાં…
Author: gujarat
*સોમનાથ મંદિરના પુનઃનિર્માણને ગૌરવશાળી ૭૫ વર્ષ પૂર્ણ;વડાપ્રધાનશ્રીએ ભગવાન સોમનાથની મહાપૂજા,કુંભાભિષેક અને ધ્વજારોહણ કરી જન-જનની સુખાકારી માટે પ્રાર્થના કરી**સોમનાથ દિવ્ય દેવાલયના સ્વપ્નદ્રષ્ટા શ્રી સરદાર પટેલને વડાપ્રધાનશ્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી*૭૫ ઢોલીઓ સાથે નાસિકના ઢોલ અને તૂતીના નાદ વચ્ચે પરંપરાગત પરિધાનમાં સજ્જ ૧૦૦ જેટલી બાળાઓ અને કન્યાઓએ માથે અમૃત કળશ ધારણ કરી વડાપ્રધાનશ્રીને હરખભેર આવકાર્યા*વૈભવશાળી યશોગાથા સાથે સૂર્યકિરણ ઍરોબેટિક્સ ટીમની આકાશી સલામી અને હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષાથી સોમનાથનું નભ ગુંજી ઉઠ્યું*વેરાવળ: ૧૧ મે,૨૦૨૬,ભારતીય સંસ્કૃતિના તેજ અને અસ્મિતાના પ્રતીક સમાન ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬‘ઉજવાઈ રહ્યો છે. સોમનાથ મંદિરના પુનઃ નિર્માણની વિરાસતના ૭૫ વર્ષની આ ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી થવા વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઈ મોદી…
સોમનાથ આપણને યાદ અપાવે છે કે કોઈપણ રાષ્ટ્ર લાંબા સમય સુધી મજબૂત ત્યારે જ રહી શકે જ્યારે તે તેના મૂળ સાથે જોડાયેલું રહેઃ PMસોમનાથ અમૃત મહોત્સવ એ આવનારા એક હજાર વર્ષ માટે ભારતની પ્રેરણા છે: PMસોમનાથ સહિતની સાંસ્કૃતિક વિરાસતોની જાળવણી અને હજારો વર્ષની આ પરંપરાને આગળ ધપાવવાની જવાબદારી નવી પેઢીને સોંપીએ: PMવેરાવળ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સોમનાથ ખાતે કહ્યું હતું કે, ‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ મંદિરના પુનનિર્માણના ૭૫ વર્ષની ઉજવણીના અવસર ‘સોમનાથ અમૃતપર્વ- ૨૦૨૬’માં આજે સહભાગી થયા હતા. આ તકે સદભાવના મેદાન…
સોમનાથ પુન:નિર્માણના સંકલ્પકર્તા સરદાર સાહેબને PM મોદીએ નમન કર્યાગીર સોમનાથ, 11 મે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સોમનાથ પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ઉત્સાહપૂર્વક તેમનું અભિવાદન કર્યું હતું.પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઉદ્ઘાટનના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં ભાગ લેવા માટે શહેરમાં પહોંચ્યા બાદ પીએમ મોદીએ રોડ શો યોજ્યો હતો.વડાપ્રધાનના રોડ શો માટે રસ્તાની બંને બાજુએ ઉત્સાહી રહેવાસીઓની કતારો લાગી હતી. લોકો પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ત્રિરંગો અને ભાજપના ઝંડા લહેરાવી રહ્યા હતા. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.વડાપ્રધાન…
આ પાત્રનું વજન 760 કિલો છે અને જ્યારે તે પાણીથી ભરાશે ત્યારે તેનું વજન અંદાજે 1.86 મેટ્રિક ટન થશે. આ કળશ આઠ ફૂટ ઊંચો છે અને તેમાં 11 પવિત્ર તીર્થસ્થળોનું જળ હશે.ગીર સોમનાથ, : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પુનઃનિર્મિત સોમનાથ મંદિરમાં પોતાની પ્રકારના પ્રથમ ‘કુંભાભિષેક’ સમારોહની અધ્યક્ષતા કરશે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહેલા ‘સોમનાથ અમૃત પર્વ-2026’ ના ભાગરૂપે, મંદિરના 90 મીટર ઊંચા શિખર પર 11 પવિત્ર તીર્થસ્થળોના જળથી અભિષેક કરવામાં આવશે.8 થી 11 મે દરમિયાન યોજાઈ રહેલી આ ચાર દિવસીય ઉજવણી, આઝાદી પછી પ્રથમ જ્યોતિર્લિંગ મંદિરની પુનઃસ્થાપનાના 75 વર્ષની સ્મૃતિમાં છે. સનાતન વારસાના પુનરુત્થાનના પ્રતીક…
ભુજ, સરહદી જિલ્લા કચ્છના કોઠારા નજીક આવેલા છછી ગામના દરિયાકાંઠા વિસ્તારમાંથી એક શંકાસ્પદ વિસ્ફોટક શેલ (ગોળો) મળી આવતાં સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. લાઈટ હાઉસ નજીકથી મળેલા આ શેલને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરીને વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને ભારતીય વાયુસેના દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, કોઠારા પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ગુજરાતની ટીમ દ્વારા દરિયાકાંઠાના અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં સંયુક્ત રીતે નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન છછી લાઈટ હાઉસ નજીકના વિસ્તારમાં જમીન પર એક શંકાસ્પદ વિસ્ફોટક શેલ પડેલો નજરે પડ્યો હતો. ઘટનાની ગંભીરતાને પારખીને સુરક્ષા જવાનોએ તાત્કાલિક ધોરણે…
અમદાવાદ, શહેરમાં કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે પક્ષિઓ અને પશુઓની હાલક પણ કફોડી બની છે. શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોની સુરક્ષા માટે આગવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.ઝૂમાં પ્રાણીઓ અને પક્ષિઓને ઠંડક મળી રહે તે માટે ખસની ટટ્ટી અને એરકૂલરો મુકવામાં આવ્યા છે. સૂર્યના સીધા કિરણોથી બચાવવા માટે પાંજરાઓ પર ગ્રીન નેટ બાંધવામાં આવી છે અને યોગ્ય શેલ્ટરની વ્યવસ્થા કરાઈ છે.શહેરના કાંકરિયા ખાતે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટવેવથી રક્ષણ આપવા માટે હાઇટેક સુવિધાઓ અમલમાં મૂકવામાં આવી છે.કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં હાલ ૨૧૯૦ જેટલા પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપો વસવાટ કરે છે. અસહ્ય તાપમાનથી…
ભુજ, ગુજરાતની ધરતી પર ચિત્તાની ઘરવાપસી માટે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન આૅથોરિટીએ લીલીઝંડી આપતા હવે ટૂંક સમયમાં ચિત્તા ગુજરાતમાં જોવા મળશે. કચ્છના બન્ની ઘાસિયા વિસ્તારમાં ચિત્તાને લાવવામાં આવનાર હોવાની વાત ચાલી રહી છે.જેમાં ૨ નર અને ૨ માદા ચિત્તા જુલાઈ-ઓગસ્ટ સુધીમાં ગુજરાતની ધરતી પર પગ મૂકે તેવી શક્્યતાઓ છે. જોકે, બન્ની વિસ્તારનો માલધારી સમાજ આ નિર્ણયને લઈ નાખુશ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે, જો ચિત્તા બન્ની વિસ્તારમાં વસવાટ કરશે તો તેમના પાલતુ પશુઓને ખતરો છે.મધ્ય પ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન બાદ હવે ગુજરાત ચિત્તાઓનું નિવાસસ્થાન ધરાવતું બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. કચ્છના બન્ની વિસ્તારમાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ ચાર…
તંત્રની કડકાઈ છતાં યથાવત રહેલા દૂષણે ચિંતા વધારીગોધરા, પંચમહાલ જિલ્લામાં બાળ લગ્નના કેટલીક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે જિલ્લા બાળ સુરક્ષા વિભાગે બાળ લગ્ન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં બાળ સુરક્ષા વિભાગે ગોધરા અને શહેરામાં બે બાળ લગ્ન અટકાવ્યા છે. આમ બાળ સુરક્ષા વિભાગ દ્વારા માત્ર ૩૮ દિવસમાં ૨૫થી વધુ બાળ લગ્નો અટકાવવામાં આવ્યા છે.પંચમહાલ જિલ્લામાં ચાલી રહેલી લગ્નની સિઝન વચ્ચે બાળ સુરક્ષા વિભાગની ટીમ દ્વારા ગોધરા અને શહેરા તાલુકામાં પહોંચી બાળ લગ્નો અટકાવામાં આવ્યા છે. જેમાં છેલ્લા દોઢ મહિનામાં તંત્રએ જે કામગીરી કરી છે તે સમાજ માટે એક લાલબત્તી સમાન છે.સત્તાવાર વિગતો મુજબ, પંચમહાલ જિલ્લા…
વડોદરામાં પણ સરદારધામનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાશેPM મોદી સોમનાથ વિરાસતના ૭૫ વર્ષની ઉજવણીમાં સહભાગી થશેઅમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રવિવારે રાત્રિના સમયે હવામાર્ગે ગુજરાતના જામનગરમાં આગમન થયું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર જામનગર ઉપરાંત વડોદરા અને સોમનાથની પણ મુલાકાત લેશે.પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં લોકશાહીના મહાપર્વમાં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યા બાદ, છોટી કાશી જામનગરના આંગણે પધારેલા પ્રધાનમંત્રીનું જામનગરવાસીઓ દ્વારા અદકેરું સ્વાગત કરવામાં આવ્યું.પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યાં છે. જામનગર આજે રાત્રે વડાપ્રધાન મોદી હવાઈ માર્ગે આવ્યાં હતા. તેઓ સોમનાથ…
