પાવાગઢમાં દીપડાની દહેશત વચ્ચે વન વિભાગ સતર્ક, રોપ-વે મારફતે ડુંગર પર પાંજરું ગોઠવાયું(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પાવાગઢ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની હલચલ જોવા મળતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જંગલ વિસ્તાર તેમજ છાસિયા તળાવ આસપાસ સાંજના સમયે દીપડો ફરતો હોવાના દૃશ્યો કેટલાક સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચિંતા અને દહેશત ફેલાઈ ગઈ હતી.દીપડાની હાજરીને કારણે ખાસ કરીને પાવાગઢ ડુંગર પર દર્શનાર્થે આવતા યાત્રાળુઓ અને સ્થાનિક લોકોમાં ભયની લાગણી વ્યાપી ગઈ હતી. સાંજ બાદ લોકો એકલા બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યા હતા. યાત્રાધામ વિસ્તારમાં દીપડાની અવરજવર અંગે ચર્ચાઓ તેજ બનતાં સુરક્ષાને…
Author: gujarat
ગાંધીનગર, દહેગામ તાલુકા ક્ષત્રિય સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત રરમો સમૂહ લગ્ન દહેગામ ખાતે ધામધૂમ સાથે હજારો ક્ષત્રિય સમાજના પરિવારોની વચ્ચે ૯ યુગલોએ મંગળફેરા ફરી આશીર્વાદ લીધા હતા.દહેગામ આઈટીઆઈ કોલેજની પાછળ સાંદિપની ગુરુકુળ જવાના રસ્તે હજારો ક્ષત્રિય પરિવારો ઉમટ્યા હતા. તા.૧૦.પ.ર૦ર૬ના રોજ સવારે ધામધૂમ સાથે સૌને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રમુખ પીટી ઠાકોર, ભરતસિંહ એમ. પરમાર, મહામંત્રી શિયાવાડા અમરસિંહ ડી. ઠાકોર, ખજાનચી દહેગામ તથા કારોબારી સભ્યોએ અને આગેવાનોએ સૌને ભાવભર્યા આવકાર્યા હતાઅને વાજતે ગાજતે આમંત્રણને માન આપી પધારેલા મહાનુભાવોએ મંડપમાં સ્ટેજ ઉપર બિરાજમાન કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ તેમજ ક્ષત્રિય સમાજના દાતાઓ તેમજ અન્ય આગેવાનો તેમજ સમાજના…
દહેગામ તાલુકાના હરખજીના મુવાડા ગામે ભેંસો ચરાવવાની તકરારમાં નાના ભાઈએ મોટાને ધોકાથી મારી નાંખ્યો-માતાએ જ પોતાના નાના પુત્ર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.દહેગામ, દહેગામ તાલુકાના હરખજીના મુવાડા ગામે ભેંસો ચરાવવા જવા જેવી સામાન્ય બાબતે બે સગા ભાઈઓ વચ્ચે થયેલા ઝઘડામાં નાના ભાઈએ પોતાના મોટાભાગના માથામાં લાકડાનો ધોકો ફટકારી દેતા ગંભીર ઈજા પહોંચી હતી.સારવાર દરમિયાન ૧૩ દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ યુવાનનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે શરૂઆતમાં પરિવારજનોએ ઘટનાની સાચી હકીકત છુપાવી હતી, પરંતુ અંતે માતાએ જ પોતાના નાના પુત્ર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.ર૬ એપ્રિલે સવારે આશરે ૮ વાગ્યે…
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી હાઈપાવર કમિટીના અધ્યક્ષ જસ્ટીસ સિધ્ધાર્થભાઈ મૃદુલના નિરીક્ષણ હેઠળ યોજાઈ અને હાઈપાવર કમિટીનું અવલોકન સુપરવાઈઝર કમિટીના અધ્યક્ષ અને સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ સુધાંસુભાઈ ધુલીયાએ કર્યુ ! પરંતુ ચૂંટાયેલા સભ્યો લાચાર બની મહિલા કો-ઓપ્ટ સભ્યોની નિયુક્તિની રાહ જોઈ રહ્યા છે શું હોદ્દા અને ભાડાભથ્થા અટકી ગયા છે ?!બાર કાઉન્સિલ ઓફ દિલ્હીની ચૂંટણીની મત ગણતરી “યુ-ટયૂબ” પર દેખાડાઈ છતાં “વોટ ચોરી” ના આક્ષેપ સાથે વકીલોએ આંદોલન શરૂ કર્યુ ?! બધે જ “વોટ ચોરી” દેશમાં શું થવા બેઠું છે ?!ગુજરાત બાર કાઉન્સિલમાં હાલ કોઈ ચેરમેન નથી ! કોઈ વાઈસ ચેરમેન નથી ! કોઈ એકઝીકયુટિવ ચેરમેન નથી એટલે કે ફાઈનાન્સ કમિટીના ચેરમેન…
ગુજરાતમાં ખાડાઓની ભરમાર વચ્ચે ખાડામાં પડી જવાથી બે વર્ષમાં ૯૧ લોકોનાં મોત થયા -ખખડધજ રસ્તાઓ વાહનચાલકો માટે જીવલેણ બની રહયા છે(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ખાડાઓની ભરમાર વચ્ચે ખાડામાં પડી જવાથી વર્ષ ર૦ર૪માં ૩૧ લોકોનાં અકસ્માતે મોત થયા છે. જે પૈકી રપ પુરુષ અને ૬ મહિલાઓના સમાવેશ થાય છે. વર્ષ ર૦ર૩માં ૬૦ લોકોના ખાડામાં પડી જવાથી મોત થયા હતા. આમ બે વર્ષમાં ખાડાઓએ ૯૧ લોકોના જીવ લીધો છે.નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રીપોર્ટમાં આ બાબતનો ખુલાસો થયો છે. બીજી તરફ બસ ટ્રક સહીતના વાહનો પરથી પડી જવાના કારણે ગુજરાતમાંચ વર્ષ ર૦ર૪ના એક વર્ષોમાં ૩૭૬ લોકોનાં મોત થયા છે. જેમાં ૩રપ પુરુષ અને પ૧ મહીલા…
(જૂઓ વડોદરાના રોડશોનો વિડીયો) ઓફિસમાં વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા ગોઠવો, વિદેશમાં લગ્ન કરવા તેમજ ફરવા જવાનું ટાળો, વડોદરામાં પીએમ મોદીના હસ્તે સરદાર ધામ-૩નું લોકાર્પણ(એજન્સી)વડોદરા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાત પ્રવાસે છે. તેઓ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ૭૫ વર્ષ પૂરા થવાના અવસરે સોમનાથ અમૃત મહોત્સવમાં સવારે હાજર રહ્યા હતા, ત્યાર બાદ વડાપ્રધાન મોદી વડોદરા પહોંચ્યા છે. જ્યાં વડાપ્રધાને અહીં સરદાર ધામ-૩નું લોકાર્પણ કર્યું છે.સવારે સોમનાથ દાદાના દર્શન અને જળાભિષેક કાર્યક્રમમાં હાજર રહ્યા બાદ પીએમ મોદી વડોદરા પહોંચ્યા છે. અહીં સરદાર ધામના લોકાર્પણ માટે સભામંડપમાં પીએમ મોદીનું સ્વાગત થયું. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ…
સુરક્ષા,સેવા અને સમર્પણ:RPFઅમદાવાદ મંડળની વર્ષ2025-26ની નોંધપાત્ર સિદ્ધિઓપશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું રેલવે સુરક્ષા દળ (RPF)મુસાફરોની સુરક્ષા,રેલવે સંપત્તિની રક્ષા તથા સ્ટેશનો પર સુરક્ષિત વાતાવરણ જાળવવા માટે સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કાર્ય કરી રહ્યું છે। અમદાવાદ મંડળના રેલવે સુરક્ષા દળ (RPF)એ નાણાકીય વર્ષ2025-26દરમિયાન સુરક્ષા,ગુનાઓ પર નિયંત્રણ,મુસાફર સહાયતા તથા માનવતાવાદી સેવાઓના ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરીને અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. રેલવે સુરક્ષા દળે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા,રેલવે સંપત્તિની રક્ષા કરવા તથા રેલવે પરિસરોમાં ગુનાઓ પર અસરકારક નિયંત્રણ જાળવવા માટે સતત સતર્કતા અને સક્રિયતા સાથે કામગીરી કરી છે. સાથે જRPFકર્મચારીઓએ માનવતાની ભાવના દર્શાવતા જરૂરિયાતમંદ મુસાફરો,બાળકો તથા મહિલાઓને સહાય કરીને પોતાની સામાજિક જવાબદારીનું પણ…
સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો આખરે ઝડપાયો(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ગુજસેલ એરપોર્ટ અને શહેરની વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખસને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી ભાવેશ પટેલ બી.કોમ. છે અને કન્સ્ટ્રક્શન તેમજ ઈવેન્ટ મેનેજમેન્ટ જેવા વ્યવસાય સાથે સંકળાયેલો છે. આમ છતાં, તેણે આવુ ગંભીર ગુનાઇત કૃત્ય કેમ કર્યું તે તપાસનો વિષય છે.મળતી માહિતી અનુસાર, ૨૫મી માર્ચ ૨૦૨૬ના રોજ એરપોર્ટ ઓથોરિટીને એક ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે, જો અગાઉ પકડાયેલા આરોપી સૌરભ વિશ્વાસને મુક્ત કરવામાં નહીં આવે તો ગુજસેલ એરપોર્ટ અને શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. આ મેઈલ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી…
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ઉનાળાનો અસલી મિજાજ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ચાર દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. પશ્ચિમી પવનો ફૂંકાવાને કારણે રાજ્યના અનેક શહેરોમાં પારો ૪૧થી ૪૫ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ અંગે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, ‘૧૧મીથી ૧૭મી મે સુધીની હવામાનની આગાહી જણાવી રહ્યો છું, જેમાં આ સમયગાળા દરમિયાન હવામાન મોટાભાગે સૂકું રહેશે અને આવતા ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૧થી ૪૫ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની…
(એજન્સી)વડોદરા, વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ પીએનજી ગેસમાં ૧.૫ રૂપિયા અને સીએનજીમાં ૧ રૂપિયાનો વધારો કરતા સામાન્ય નાગરિકોનું બજેટ ફરી ખોરવાયું છે.૫ મહિનામાં બીજી વખત ભાવ વધારાના પગલે પીએનજી કનેક્શન ધારકોને વધુ બિલ ચૂકવવાનો વારો આવતા લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. વડોદરમાં ગેસ લિમિટેડ કંપનીએ છેલ્લા ૫ મહિનામાં બીજીવાર સામાન્ય નાગરિકનું બજેટ ખોરવ્યું છે. પીએનજી કનેક્શન ધરાવતા ૩ લાખથી વધુ ગેસ ગ્રાહકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.વડોદરા ગેસ લિમિટેડ કંપનીએ પીએનજી ગેસમાં ૧.૫૦ અને સીએનજીમાં ૧ રૂ.નો વધારો કરતા સીએનજીનો નવો ભાવ વધી પ્રતિ કિલોએ રૂ. ૮૩.૯૫ થયો છે, જ્યારે પાઈપ લાઇનથી ઘરે પહોંચાડતા ગેસનો ભાવ વધી…
