વલસાડના કલેક્ટર ભવ્ય વર્મા હવે અમદાવાદના નવા કલેક્ટર-સુરતના કલેક્ટર ડો. સૌરભ પારધીની ગાંધીનગરમાં સિવિલ સપ્લાય ડાયરેક્ટર તરીકે બદલીગાંધીનગર, 13 મે: ગુજરાત સરકારે બુધવારે એક વિશાળ વહીવટી કવાયત હાથ ધરીને 72 IAS અધિકારીઓની મોટા પાયે બદલી કરી છે. આ ફેરબદલમાં જિલ્લા વહીવટીતંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્યના મહત્વના વિભાગોના વરિષ્ઠ અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.આ ફેરબદલમાં અમદાવાદ, સુરત, ભરૂચ, નવસારી, મોરબી, દાહોદ, જૂનાગઢ, વલસાડ, કચ્છ-ભુજ, અરવલ્લી, બોટાદ, તાપી, નર્મદા અને ખેડા સહિતના અનેક જિલ્લાઓના કલેક્ટરની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગર અને અનેક શહેરી વિકાસ સંસ્થાઓમાં પણ નવી નિમણૂકો કરવામાં આવી છે.અજય પ્રકાશની ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીમાંથી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન…
Author: gujarat
યુવકને પાર્સલ ડિલિવરીના કામ માટે નોકરીએ રાખ્યો હતો. મોબાઈલ ફોન પણ સતત સ્વીચ ઓફ આવતા સંચાલકોને શંકા ગઈ હતી.(એજન્સી)અમદાવાદ, અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત આંગડિયા પેઢીમાં વિશ્વાસઘાત અને ચોરીની મોટી ઘટના સામે આવી છે. પેઢીના સંચાલકે માત્ર ૧૧ દિવસ પહેલા જ નોકરી પર રાખેલો યુવક સોના-ચાંદીના કિંમતી દાગીના સહિત કુલ ૮૦.૫૬ લાખ રૂપિયાનો મુદ્દામાલ લઈને રફુચક્કર થઈ ગયો છે. આ મામલે કાલુપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.મળતી માહિતી અનુસાર, રાણીપ વિસ્તારમાં રહેતા અને આંગડિયા પેઢીના સંચાલક અંકિત પારેખે થોડા સમય પહેલા જ જીગરસિંહ વિહોલા નામના યુવકને પાર્સલ ડિલિવરીના કામ માટે નોકરીએ રાખ્યો હતો. શરૂઆતના દિવસોમાં…
સાબરમતી રેલવે સ્ટેશન પર DRMએ પોતે બુલડોઝર ચલાવી, આધુનિક ‘હોલ્ડિંગ એરિયા’નું ભૂમિપૂજન કર્યું-મુસાફરોની સુવિધા અને ભીડ વ્યવસ્થાપનને મળશે નવો આયામન્યુ દિલ્હી રેલવે સ્ટેશન પર વિકસાવવામાં આવેલા હોલ્ડિંગ એરિયાની સફળતા બાદ હવે સાબરમતી રેલવે સ્ટેશન પર પણ આ આધુનિક સુવિધા અમદાવાદ, સાબરમતી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને ભીડ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે આજે બે માળના અદ્યતન “હોલ્ડિંગ એરિયા”ના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ અવસરે મંડળ રેલ પ્રબંધક (DRM)વેદ પ્રકાશ દ્વારા પ્રતીકાત્મક રીતે બુલડોઝર ચલાવી પ્રોજેક્ટ કાર્યનો શુભ પ્રારંભ કરવામાં આવ્યોકેન્દ્રીય રેલવે,માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા દેશભરના વિવિધ રેલવે સ્ટેશનો પર76મુસાફર હોલ્ડિંગ…
ગીતા રાજપુરોહિતના મોત મામલે અમદાવાદમાં કરણી સેનાનો ઉગ્ર દેખાવ(એજન્સી)અમદાવાદ, અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલની પત્ની ગીતા રાજપુરોહિતની આપઘાતના કેસમાં ૨૦ દિવસ બાદ પણ આરોપીની ધરપકડ ન થતા વિવાદ વકર્યો છે. આજે રાજસ્થાનથી આવેલા લોકો અને કરણી સેનાના કાર્યકર્તાઓ સહિત ૫૦૦થી વધુ લોકોએ ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે રેલી કાઢી ઉગ્ર દેખાવો કર્યો હતો.મળતી માહિતી અનુસાર, ગત ૧૫મી એપ્રિલના રોજ વાસણા વિસ્તારમાં ગીતા રાજપુરોહિત નામની મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ મામલે વાસણા પોલીસે મૃતકના પતિ અને પોલીસ કોન્સ્ટેબલ અર્જુન પુરોહિત સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.મૃતકના પિયર પક્ષનો આક્ષેપ છે કે આ આપઘાત નહીં પરંતુ હત્યા…
૧૨ જિલ્લામાં ઍલર્ટઃ ૧૪ મે સુધી રાજ્યમાં તાપમાનનો પારો વધવાની શક્યતા ગાંધીનગર, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. હાલમાં ગુજરાતની આસપાસ ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ તરફના ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોને લીધે વિવિધ શહેરોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.જો કે, આકરી ગરમી બાદ રાહતના સમાચાર પણ છે. આગામી ત્રણ દિવસ પછી વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ૨થી ૪ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, રાજ્યમાં પડેલી રહેલી આકરી ગરમીથી બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે. સુરતમાં બપોરના સમયે અનુજ કુમાર નામનો…
અમદાવાદની સાબરમતી જેલમાં કુખ્યાત કેદી મેઈન ગેટથી જ ફરાર(એજન્સી)અમદાવાદ, અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલો એક કેદી જેલના મુખ્ય દરવાજેથી જ પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે. આ ઘટનાને પગલે જેલ પ્રશાસન અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી અનુસાર, ફરાર થયેલા કેદીનું નામ માલદે પરમાર છે. સીસીટીવી ફૂટેજની તપાસમાં બહાર આવ્યું છે કે, ગઈકાલે (૧૧મી મે) સવારે આશરે ૧૦ઃ૧૦ વાગ્યે જ્યારે જેલના મુખ્ય ગેટ પર સ્ટાફની શિફ્ટ બદલાઈ રહી હતી, ત્યારે તકનો લાભ લઈને માલદે કોઈની પણ નજરમાં…
જેલની સુરક્ષાના લીરેલીરા! માત્ર ત્રણ દિવસ પહેલા જ વાડજ પોલીસ સ્ટેશનથી પોક્સોનો એક આરોપી મેડિકલ ચેકઅપ બાદ ભાગી ગયો હતોઅમદાવાદ, અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. હત્યા અને પોક્સો જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલો એક કેદી જેલના મુખ્ય દરવાજેથી જ પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે. આ ઘટનાને પગલે જેલ પ્રશાસન અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી અનુસાર, ફરાર થયેલા કેદીનું નામ માલદે પરમાર છે. સીસીટીવી ફૂટેજની તપાસમાં બહાર આવ્યું છે કે, ગઈકાલે (૧૧મી મે) સવારે આશરે ૧૦ઃ૧૦ વાગ્યે જ્યારે જેલના મુખ્ય ગેટ પર સ્ટાફની શિફ્ટ…
પોલ્ટ્રી ફાર્મમાં સરવે શરૂબર્ડ ફ્લૂના સંભવિત જોખમોને ટાળવા માટે પશુપાલન વિભાગે પણ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છેગાંધીનગર, પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસો નોંધાતા ગુજરાત સરકાર હરકતમાં આવી છે. સંક્રમણ ગુજરાતમાં ન ફેલાય તે હેતુથી પશુપાલન વિભાગે ઍલર્ટ જાહેર કર્યું છે. રાજ્ય સરકારના આદેશ બાદ તમામ જિલ્લાઓના પોલ્ટ્રી ફાર્મમાં સરવેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ છે જેના કારણે સરહદી વિસ્તારમાં પોલ્ટ્રી ફાર્મમાં લાખો મરઘાને મારી નંખાયા છે. બર્ડ ફ્લૂના જોખમને જોતાં દરેક જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ પશુપાલન વિભાગની વિશેષ ટીમો બનાવવામાં આવી છે.આ ટીમો સતત પોલ્ટ્રી ફાર્મ…
મેટ્રિમોનિયલ ફ્રોડના કિસ્સામાં સામાન્ય રીતે આરોપી જેલમાં જાય છેમણિનગર પીઆઈને આરોપીના નામની મિલકતો અને બેંક બેલેન્સની તપાસ કરી ૫ માસમાં અહેવાલ રજૂ કરવા તાકીદદુષ્કર્મના આરોપીને આજીવન કેદ, વળતર માટે બેંક ખાતા સીઝ કરવા કોર્ટનો આદેશઅમદાવાદ, સેશન્સ કોર્ટે એક ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા મેટ્રિમોનિયલ વેબસાઇટ દ્વારા યુવતીઓને ફસાવતા આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં સૌથી મહત્ત્વનો અને સંભવતઃ ગુજરાતમાં પહેલીવાર લેવાયેલો નિર્ણય એ છે કે, કોર્ટે આરોપીના તમામ બેંક ખાતાઓ તાત્કાલિક અસરથી સીઝ (સ્થગિત) કરવાનો આદેશ આપ્યો છે, જેથી ભોગ બનનાર યુવતીને વળતર ચૂકવી શકાય.આ સાથે જ કોર્ટે મણિનગર પી.આઈ.ને આરોપીના નામે ચાલતી તમામ મિલકતો અને બેંક બેલેન્સની…
રહેણાંક વિસ્તારના લોકો દુર્ગંધથી પરેશાનમૃત માછલીઓનો યોગ્ય નિકાલ નહીં થાય તો ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત : તંત્રમાં રજૂઆત કરાઈસુઈગામ, સુઈગામ તાલુકાના છેવાડાના ભરડવા ગામના તળાવમાં પાણીનું સ્તર ઘટી જતાં અને ઉનાળાની અસહ્ય ગરમીના કારણે તળાવમાં રહેલી સેંકડો માછલીઓના મોત નીપજ્યાં છે. મૃત માછલીઓની દુર્ગંધથી આજુબાજુના અને ગામના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશતના પહલે ગ્રામજનો ચિંતિત બન્યા છે.સુઈગામ તાલુકાના છેવાડાના ભરડવા ગામ નજીકના તળાવમાં વરસાદી પાણીમાં હજારો માછલી જોવા મળી હતી. ક્ષારના કારણે તળાવનું પાણી ખારું બની ગયું હતું અને ઉનાળાની ગરમીના કારણે પાણીનું સ્તર ઘટી જતાં અને પાણી ગરમ થતાં તળાવમાં રહેલી સેંકડો…
