ગુજરાત વિધાનસભામાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા વિધેયક પાસગંભીર બેદરકારીના કિસ્સામાં રજિસ્ટ્રેશન રદ કરવાની પણ સત્તા તંત્ર પાસે રહેશે. તો નિયત સમય મર્યાદામાં નોંધણી ન કરાવનાર સંસ્થાઓ સામે દંડાત્મક કાર્યવાહી થશે.(એજન્સી)ગાંધીનગર, રાજ્યમાં તબીબી સેવાઓની ગુણવત્તા જાળવવા અને નકલી ડોક્ટરો સામે લાલ આંખ કરવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. વિધાનસભા ગૃહમાં ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) (સુધારા) વિધેયક-૨૦૨૬ વિના વિરોધે પસાર કરવામાં આવ્યું છે. આ નવા સુધારાથી હોસ્પિટલો અને ક્લિનિક્સના રજિસ્ટ્રેશનની જટિલ પ્રક્રિયા હવે વધુ લવચીક અને કાર્યક્ષમ બનશે.આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ વિધેયક રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૧માં આ કાયદો લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લાયકાત…
Author: gujarat
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં ભાજપનો મુખ્ય મુદ્દો યુસીસી રહેશેગાંધીનગર, ગુજરાતમાં 31મી માર્ચે વડાપ્રધાન મોદીના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. એક દિવસના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન ઉત્તર ગુજરાત અને ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે. તેમની ગુજરાત મુલાકાત બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ છે.આ દરમિયાન ગઈ કાલે વિધાનસભામાં યનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કરવામાં આવ્યું હતું. હવે આ બિલને લઈને રાજકારણ શરૂ થયું છે. આ બિલને લઈને ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે તેવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કરવામાં આવ્યા બાદ આજે ભાજપની પ્રદેશ કોર કમિટીની બેઠક…
(એજન્સી)ગાંધીનગર મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે અને શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે, મધ્યાહન ભોજન યોજનામાં સુખડી બંધ કરાઈ છે, ફીટ ઇન્ડિયા મુમેન્ટ અંતર્ગત નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં બાળકોને સોમવારે મગ ચાટ અપાશે,મંગળવારે વેજીટેલબલ પૌવા આપવામાં આવશે, બુધવારે મિક્સ કઠોળ ચાટ અપાશે, ગુરુવારે મિલેટ સુખડી અપાશે, શુક્રવારે વેજીટેબલ ઉપમા, શનિવારે વેજીટેબલ પૌવા અપાશે.મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનિષાબેન વકીલના જણાવ્યા મુજબ આંગણવાડી ક્ષેત્રે માળખાગત સુધારા માટે રાજ્યમાં ૨,૦૦૦ નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે રૂ. ૩૬૦ કરોડની જોગવાઈ, આંગણવાડી કેન્દ્રો ‘ચાઈલ્ડ ફ્રેન્ડલી’ કન્સેપ્ટ પર બનશે, જેમાં મોડ્યુલર ફર્નિચર, ઇર્ં મશીન, ન્ઈડ્ઢ ટીવી સ્ક્રીન અને રેઈન વોટર…
ભક્તોની આસ્થા સાથે જોડાયેલા ધામોના વિકાસ માટે મળતા ફંડનો હિસાબ આપવામાં આટલી મોટી નિષ્ફળતા (એજન્સી) ગાંધીનગર, ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોનો વિકાસ કરતું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છેલ્લા ૧૯ વર્ષથી પોતાનો હિસાબ આપવામાં નિષ્ફળ રહ્યું છે. CAGના અહેવાલો મુજબ, આ બોર્ડે વર્ષ ૨૦૦૬-૦૭ થી અત્યાર સુધીના વાર્ષિક વહીવટી અહેવાલો વિધાનસભા સમક્ષ રજૂ કર્યા નથી.સત્તાવાર વિગતો અનુસાર, ગાંધીનગર સ્થિત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના કુલ ૧૯ વાર્ષિક અહેવાલો બાકી બોલે છે. ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીની સ્થિતિએ, આ સંસ્થાએ ૨૦૦૬-૦૭ થી લઈને ૨૦૨૪-૨૫ સુધીના ઓડિટ રિપોર્ટ જમા કરાવ્યા નથી. નિયમ મુજબ, દરેક સ્વાયત્ત સંસ્થા કે બોર્ડે દર વર્ષે પોતાના હિસાબ અને કામગીરીનો…
વાડજમાં ડમ્પર ચાલકે અડફેટે લેતાં એકનું કરૂણ મૃત્યુ(એજન્સી)અમદાવાદ અમદાવાદમાં બેફામ દોડતા ભારે વાહનોનો કહેર ફરી એકવાર જોવા મળ્યો છે. વાડજ સર્કલ પાસે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.વાડજની હનુમાનપુરા ચાલીમાં રહેતા ધીરજભાઈ નામના વ્યક્તિ વહેલી સવારે ઘરની બહાર ચા પીવા માટે નીકળ્યા હતા. ચા પીધા બાદ તેઓ જ્યારે ચાલીને પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળમુખા ડમ્પરે તેમને જોરદાર અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ધીરજભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક માનવતા નેવે મૂકીને વાહન થોભાવવાને બદલે ત્યાંથી નાસી છૂટ્યો હતો.…
એક વર્ષમાં દેવામાં ૨૨ હજાર કરોડનો વધારો થયો છે(એજન્સી)ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે નિયામક અને મહાલેખા પરીક્ષકનો મહત્વપૂર્ણ અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫નો આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં રાજ્યની નાણાકીય સ્થિતિ, જાહેર દેવું અને આવક-ખર્ચ અંગેના મહત્વપૂર્ણ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.અહેવાલ મુજબ, ગુજરાતનું કુલ જાહેર દેવું ૩.૮૦ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. ગત વર્ષની સરખામણીએ રાજ્યના જાહેર દેવામાં અંદાજે ૨૨ હજાર કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે, જે રાજ્યના વધતા નાણાકીય બોજ તરફ સંકેત કરે છે.આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી બજાર લોન પણ નોંધપાત્ર રીતે વધી…
દેશમાં ૧૦૦ નવા એરપોર્ટ અને ૨૦૦ હેલિપેડ બનાવવાની મંજૂરી -કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણય(એજન્સી)નવી દિલ્હી, ભારત સરકારે દેશના ઉડ્ડયન માળખા, ઇમિગ્રેશન સિસ્ટમ અને વૈશ્વિક આબોહવા પ્રતિબદ્ધતાઓને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.કેન્દ્રીય કેબિનેટે કુલ ૩૦,૬૪૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ અને નીતિગત નિર્ણયોને પોતાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયોમાં પ્રાદેશિક કનેક્ટિવિટીને વેગ આપતી ‘મોડિફાઇડ ઉડાન યોજના’ અને ઈવર્ટ ૩.૦ના વિસ્તરણની સાથે પેરિસ કરાર હેઠળ ભારતના નેશનલી ડિટરમાઈન્ડ કોન્ટ્રીબ્યુશન સાથે જોડાયેલ એક મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય સામેલ છે.ઔદ્યોગિક હબ એવા અંકલેશ્વર અને ભરૂચ માટે આ નવું એરપોર્ટ બની રહ્યું છે.પ્રવાસન (સોમનાથ અને શાસણ ગીર) ને પ્રોત્સાહન આપવા માટે કેશોદ એરપોર્ટને મોટું…
નાનખટાઈ ખાવાના કારણે ઉલટીઓ થઈ, AMC ફૂડ વિભાગમાં ફરિયાદ(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં દિન પ્રતિદિન ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાત કે અન્ય ચીજ વસ્તુઓ નીકળવાની ઘટના બનતી હોય છે ત્યારે શહેરના નવરંગપુરા વિસ્તારમાં શ્રીજી રોડ ઉપર આવેલી BEEKEY BEKARS નામની બેકરીમાંથી ખરીદી કરવામાં આવેલી નાનખટાઈમાંથી જીવાત નીકળવાની ઘટના બની હતી. છૂટક ખરીદેલી નાનખટાઈમાંથી જીવાતો નીકળી હતી.ગ્રાહકના મિત્રએ નાનખટાઈ ખાઈ લીધી હતી જે નાનખટાઈ ખાવાના કારણે તેમને ઉલટીઓ પણ થઈ હતી. ખરીદી કરવામાં આવેલી તમામ નાનખટાઈ ફેંકી દેવી પડી હતી. ગ્રાહક દ્વારા ફૂડ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ઇ મેલ મારફતે ફરિયાદ કરવામાં આવી છે.ગાંધીનગર વિસ્તારમાં રહેતા મૌલિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે બે…
ગાંધીનગર, ગુજરાત સરકારે સેવાકીય મુદ્દાઓમાં કોર્ટના ચુકાદાનો સમયસર અમલ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી કર્મચારીઓ અને સંસ્થાઓ દ્વારા કોર્ટમાં દાખલ થતી પિટિશનોમાં ચુકાદા પછી વિભાગો દ્વારા સમયસર કાર્યવાહી ન થવાને કારણે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પરિસ્થિતિ ઊભી થતી હતી. હાઇકોર્ટમાં કેટલાક કેસોમાં થયેલા વિલંબને ગંભીરતાથી લઈને સરકારે અગાઉનો ૩ માર્ચ ૨૦૨૬નો પરિપત્ર રદ કરીને નવી ગાઇડલાઇન જાહેર કરી છે.નવા નિયમો મુજબ, જો કોર્ટનો ચુકાદો સ્વીકારવાનો હોય તો સમગ્ર પ્રક્રિયા ૪૫ દિવસમાં પૂર્ણ કરવી ફરજિયાત રહેશે. તેમાં કચેરીના વડાને ૧૨ દિવસ, ખાતાના વડાને ૧૦ દિવસ, વહીવટી વિભાગને ૮ દિવસ અને નાણા વિભાગને ૧૫ દિવસનો સમય ફાળવવામાં…
