અમદાવાદ, શહેરમાં કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે પક્ષિઓ અને પશુઓની હાલક પણ કફોડી બની છે. શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોની સુરક્ષા માટે આગવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
ઝૂમાં પ્રાણીઓ અને પક્ષિઓને ઠંડક મળી રહે તે માટે ખસની ટટ્ટી અને એરકૂલરો મુકવામાં આવ્યા છે. સૂર્યના સીધા કિરણોથી બચાવવા માટે પાંજરાઓ પર ગ્રીન નેટ બાંધવામાં આવી છે અને યોગ્ય શેલ્ટરની વ્યવસ્થા કરાઈ છે.
શહેરના કાંકરિયા ખાતે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટવેવથી રક્ષણ આપવા માટે હાઇટેક સુવિધાઓ અમલમાં મૂકવામાં આવી છે.
કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં હાલ ૨૧૯૦ જેટલા પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપો વસવાટ કરે છે. અસહ્ય તાપમાનથી બચાવવા માટે સિંહ, વાઘ, દીપડા અને હાથી જેવા પ્રાણીઓના પાંજરા પાસે ૩૮થી ૪૦ જેટલા એર કૂલર લગાવવામાં આવ્યા છે. નિશાચર પ્રાણીઓ માટેના ઝૂમાં ઈ્ૐઈ અને જીઓ-થર્મલ એરેશન સિસ્ટમ કાર્યરત છે,
જે અંદરનું તાપમાન સાનુકૂળ રાખે છે. સૂર્યના સીધા કિરણોથી બચાવવા માટે પાંજરાઓ પર ગ્રીન નેટ બાંધવામાં આવી છે અને યોગ્ય શેલ્ટરની વ્યવસ્થા કરાઈ છે.
આ ઉપરાંત પ્રાણીઓમાં ડિહાઇડ્રેશનની સમસ્યા ન સર્જાય તે માટે વેટરનરી ડૉક્ટરોની ટીમ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવે છે. ગરમીમાં ઠંડક આપવા માટે
આ ઉપરાંત પ્રાણીઓમાં ડિહાઇડ્રેશનની સમસ્યા ન સર્જાય તે માટે વેટરનરી ડૉક્ટરોની ટીમ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવે છે. ગરમીમાં ઠંડક આપવા માટે
પ્રાણીઓને તરબૂચ, ટેટી અને શેરડી જેવા ફળો આપવામાં આવે છે. વન્યજીવોના પીવાના પાણીમાં ગ્લુકોઝ અનેઇજી પાઉડર ઉમેરવામાં આવે છે. જેથી શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે. વિદેશી પ્રાણીઓ પર ગરમીની વધુ અસર ન થાય તે માટે વેક્સિનેશન, ડિર્વોમિંગ અને મેડિકલ ચેકઅપ માટે રેગ્યુલર રાઉન્ડ લેવામાં આવે છે. ઝૂના અધિકારીએ જણાવ્યું હતું કે, કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વેકેશનના સમયમાં અંદાજે ૩ લાખ જેટલા પ્રવાસીઓ મુલાકાત લેતા હોવાથી તેમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

