Øજંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈમાં રાહત આપીને₹300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો ખેડૂત પ્રજાહિતલક્ષી નિર્ણયØપરિવારના સભ્યો વચ્ચે મિલકતો વહેંચણીની સરળતા થતાં વિવાદ અને કોર્ટ કેસમાં ઘટાડો થશેવારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપતો મુખ્યમંત્રીનો ખેડૂતો અને પ્રજાહિતકારી નિર્ણયમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાં રાહત આપવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીશ્રી સમક્ષ સમાજના વિવિધ અગ્રણીઓ,કિસાન સંઘ તથા ખેડૂત સંગઠનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો તેમણે સકારાત્મક પ્રતિસાદ આપીને આ ખેડૂત તથા પ્રજા હિતકારી નિર્ણય કર્યો છે.ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ1958ની કલમ9હેઠળ રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા અથવા માફ…
Author: gujarat
અમદાવાદ, 27 માર્ચ, 2026: એર ઈન્ડિયાએ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેની ડોમેસ્ટિક ફ્લાઈટની તમામ કામગીરી 29 માર્ચ 2026ના રોજથી ટર્મિનલ-1 પરથી ટર્મિનલ-2 પર શિફ્ટ કરવાની જાહેરાત કરી છે.આ સ્થાનાંતરણમાં એર ઈન્ડિયાના અમદાવાદથી અને અમદાવાદ સુધી ચાલતી 210 સાપ્તાહિક ડોમેસ્ટિક ફ્લાઈટની કામગીરી સમાવિષ્ટ છે. ઉલ્લેખનીય છે, એરલાઈનની અમદાવાદથી ઉડાન અને ઉતરાણ કરતી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન ટર્મિનલ-2 પર અગાઉથી જ કાર્યરત છે. હવે ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું સંચાલન પણ ટર્મિનલ-2 પર થશે.એર ઈન્ડિયાના તમામ આગમન અને પ્રસ્થાનો 29 માર્ચથી ફક્ત ટર્મિનલ 2 પરથી જ કાર્યરત થશે.એર ઈન્ડિયા દ્વારા આ ફેરફાર અમદાવાદથી અને અમદાવાદમાં મુસાફરી કરતાં ગ્રાહકોના એરપોર્ટ અનુભવમાં વધારો કરવાના પ્રયાસોના…
૮૨એકરથીવધુવિસ્તારમાંફેલાયેલીઆપ્લાન્ટમાંમેગીનૂડલ્સઅનેમેગીમસાલા–એ–મેજિકસાથેKITKATનુંઉત્પાદનથાયછે,અમદાવાદ, ગુજરાત: ભારતમાં મેગીનાં ૫૦ વર્ષ પુરા થવાનાં નિમિત્તે, નેસ્ટલે ઈન્ડિયાએ તાજેતરમાં બ્રાન્ડની પેઢીઓમાં લોકોને એકસાથે લાવવાના લાંબા સમયના વારસાને ઉજવણી આપતી એક સ્મારક ટપાલ સ્ટેમ્પ અનાવરણ કર્યું. જેમ જેમ મેગી તેની આગામી વૃદ્ધિના ચરણમાં પ્રવેશ કરે છે, કંપની સમગ્ર દેશમાં વધી રહેલા માંગને પૂરી પાડવા માટે તેની ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવતી રહે છે.ગુજરાતના સાણંદમાં આવેલ ફેક્ટરી, જે સપ્ટેમ્બર ૨૦૨૧માં કાર્યરત થઈ, તે નેસ્ટલે ઈન્ડિયાની મહત્વપૂર્ણ સુવિધાઓમાંની એક છે જે આ પ્રમાણને સપોર્ટ કરે છે. ૮૨ એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી આ પ્લાન્ટમાં મેગી નૂડલ્સ અને મેગી મસાલા–એ–મેજિક સાથે KITKAT નું ઉત્પાદન થાય છે, જેમાં ૨૪ કલાક ચાલતા વિશેષ ઉત્પાદન લાઇન…
હવે વિસ્કોસ ફિલામેન્ટ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટીની ભલામણથી વિવર્સમાં ચિંતા -આયાતી નાયલોન યાર્ન પર કિલોએ રૂ.ર૩.પ થી ૭૮ સુધીની એન્ટી ડમ્પિંગ ડ્યુટીસરકાર ક્યારે એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવે છે?સુરત, ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમીડીઝ દ્વારા નાયલોન યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટીની લાદવામાં આવી છે. હજારો વિવર્સ વિરુદ્ધ બાયસ માઈન્ડથી શંકાસ્પદ ચુકાદો આપવામાં આવ્યો હોવાનું નાયલોન વિવર્સ કહી રહ્યા છે.ડીજીટીઆરના અંતિમ ચુકાદામાં આયાતી નાયલોન યાર્ન પર કિલોને રૂ.ર૩.પ થી ૭પ સુધીની વિવિધ એન્ટી ડમ્પિંગ ડયુટી લાદવામાં આવી છે. આયાતી નાયલોન યાર્ન બાદ વિસ્કોસ ફિલામેન્ટ પર પણ એન્ટી ડમ્પિંગ ડયુટીની ડીજીટીઆરની ભલામણથી વિવર્સ આલમમાં ચિંતા વ્યાપી છે.સુરતનો ટેકસટાઈલ ઉદ્યોગ વિસ્કોસ યાર્ન આધારિત છે.…
જામનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરતા રેન્જ આઈજી નિર્લિપ્ત રાયજામનગર, રાજકોટ રેન્જના નવનિયુક્ત આઈજી નિર્લિપ્ત રાયે જામનગર જિલ્લા પોલીસ વડા કચેરીની મુલાકાત લીધી હતી. તેમણે જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી. એસપી રવિ મોહન સૈની, એએસપી પ્રતિભા અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.આઈજી નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ડીવાય એસપી કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. બાદ વિવિધ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી હતી.આ બેઠકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ, શહેરના…
ધનલક્ષ્મી ઓઈલ મિલમાંથી ૪૭૧ સિંગતેલના ડબ્બા ભરી અમદાવાદ ગાડી મોકલવાની હતીગોંડલ, ભોજપરા ગામે પાસે આવેલા ઓઈલ મિલમાંથી સિંગતેલના ૪૭૧ ડબ્બા ભરેલો ટ્રક લઈ રાજસ્થાનના બે શખ્સ ફરાર થઈ રૂ.ર૮.૧૩ લાખની ઠગાઈની ગોડલ તાલકુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.જેતપુરના નવાગઢમાં રહેતા રાજેશભાઈ ઉર્ફે આયુષ જીતેશભાઈ સંખેસરિયાએ આરોપી તરીકે રાજસ્થાનના પંકજ બન્ના અને સુરેશનું નામ આપતાં તાલુકા પોલીસે તપાસ આદરી હતી.ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ જેતપુર, નવાગઢ ખાતે લાખણેચી કૃપા ટ્રાન્સપોર્ટ નામથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. ટ્રાન્સપોર્ટમાં અલગ અલગ માલિકની આશરે ૩૦ જેટલી ગાડી ચાલે છે. ત્રણેક મહિનાથી દિલ્હીના દર્શનલાલ બિહારીલાલની કંપની સાથે વેપાર ધંધો કરે છે. ગત તા.ર૩ના બિહારીલાલનો ફોન આવ્યો…
સ્વામિનારાયણ સંસ્થાના સેવક તરીકે ઓળખ આપી ખેડૂતને વિશ્વાસમાં લઈ ટુવા પાસે કેનાલ કિનારે રોકડ રકમ લઈ ઠગો ફરારગોધરા, પંચમહાલ જિલ્લામાં ડૉલર બદલવાના બહાને મોટી રકમની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવમાં પેટલાદ તાલુકાના પારજ ગામના ખેડૂત મુકેશભાઈ કાલીદાસ પટેલ સાથે ?૧૫ લાખની ઠગાઈ કરવામાં આવી છે. ઘટનાને લઈને કાંકણપુર પોલીસ મથકે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.માહિતી મુજબ, ગત ૧૭ ફેબ્રુઆરીના રોજ મુકેશભાઈને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતાને સ્વામિનારાયણ સંસ્થાનો સેવક તરીકે ઓળખાવી ડૉલરને ભારતીય રૂપિયામાં બદલવા માટે મદદ માગી હતી.શરૂઆતમાં મુકેશભાઈએ શંકા વ્યક્ત…
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરામાં ગેસ સિલિન્ડરની સંભવિત અછત વચ્ચે પણ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા તેની નિઃસ્વાર્થ ભોજન સેવા અવિરત રીતે ચાલુ રાખવામાં આવી છે, જે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. શહેરની સિવિલ (સરકારી) હોસ્પિટલમાં દાખલ ગરીબ દર્દીઓ અને તેમના સગાઓ માટે આ સેવા જીવનદાયી સાબિત થઈ રહી છે.અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા દરરોજ અંદાજે ૧૫૦ થી ૨૦૦ જેટલા લોકોને શુદ્ધ, સ્વચ્છ અને પૌષ્ટિક ભોજન પૂરૂં પાડવામાં આવે છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગરીબ તથા મધ્યમ વર્ગના દર્દીઓ માટે આ ભોજન સેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ માટે રોજિંદા ભોજનની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહે છે. આવી સ્થિતિમાં ટ્રસ્ટ તેમની માટે એક મજબૂત…
નવસારી, દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી નવસારી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. હોસ્પિટલના વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે દર્દીઓને ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલની ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ જતાં ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી સીધા ઇમરજન્સી વોર્ડમાં ફરી વળ્યા છે.નવસારી સિવિલના જે ઇમરજન્સી વોર્ડમાં દર્દીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા હોય છે, ત્યાં અત્યારે ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ડ્રેનેજ લાઇન ઉભરાતા ગંદુ પાણી વોર્ડની અંદર સુધી ઘૂસી ગયું છે, જેના કારણે સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સગાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગંદકીને કારણે વોર્ડમાં અસહ્ય દુર્ગંધ…
બોલેરો ગાડી, બે મોબાઈલ ફોન સહિત રૂ. ૪.૩૭ લાખના મુદ્દામાલ સાથે ચાલક સહિત બેની અટકાયત(પ્રતિનિધિ)દેવગઢ બારીયા, પેટ્રોલિંગમાં નીકળેલ પિપલોદ પોલીસે ભથવાડા ટોલનાકા પરથી રૂપિયા ૨.૫૩ લાખ ઉપરાંત ની કિંમતના વિદેશી દારૂ સાથે બોલેરો કેમ્પર ગાડી પકડી પાડી, રૂપિયા ૪૦૦૦/-ની કુલ કિંમતમાં બે મોબાઈલ ફોન તથા રૂપિયા ૧.૮૦ લાખની કિંમતની બોલેરો કેમ્પર ગાડી મળી કુલ રૂપિયા ૪,૩૭,૧૧૬/-ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક સહિત બે જણાની અટકાયત કરી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલે બપોરે પીપલોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જી.બી. રાઠવા, એ.એસ.આઇ અનિલ કુમાર બળવંતસિંહ, પોલીસ કોન્સ્ટેબલ વસંતકુમાર માનાભાઈ, અલ્કેશ કુમાર રમણભાઈ તથા રાજેશભાઈ ભગવાનભાઈ વગેરે સરકારી ગાડીમાં…
