ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાપના થયા પછી શરૂઆતમાં મહાનગરપાલિકા સરકારના બહુમાળી ભવનમાં બેસતી હતી ત્યારબાદ મહાનગરપાલિકાનું નવું આલિશાન ભવન કરોડો રૂપિયાના ખર્ચે શહેરના ‘ચ’ રોડ પર બનાવવામાં આવ્યું.
જે બન્યાને હજુ માંડ ૫ વર્ષ થયા છે તેમ છતાં આ નવા નક્કોર, આલિશાન અને ભવ્ય બિલ્ડીગની છતમાં કરવામાં આવેલ પ્લાસ્ટરમાંથી એક પોપડુ ખરી પડ્યું છે.ગુજરાતીમા એક કહેવત છે કે ‘પાપ છાપરે ચડીને પોકારે છે’ એ યાદ કરીને અમારા એક સિનિયર પત્રકાર મિત્રએ એ એવી નૂકતેચીની કરી કે મહાનગરપાલિકા ભવનના બાંધકામમાં થયેલ ભષ્ટ્રાચારે છત પરથી પોકારીને ગોલમાલ છતી કરી છે!

ગુજરાતના અધિક મુખ્ય સચિવ ચન્દ્ર વેણુ સોમનુ એક વધું પરાક્રમ?
અત્યંત તોછડા અને વિવેકહીન વર્તન માટે જાણીતા બનેલા અને ખૂબ વિચિત્ર સ્વભાવ ધરાવતા સોમ ઝારખંડના વતની છે.

જરાય સાચું માનવાનું મન ન થાય એવાં સમાચાર, જરૂરી પુરાવા સાથેના વિડિયો સાથે પાટનગરમાં એવાં ફરતાં થયા છે કે ૧૯૯૦ની બેચના આઈ.એ.એસ.અધિકારી અને અધિક મુખ્ય સચિવ સી.વી.સોમે તેમના સેક્ટર -૧મા આવેલા અયપ્પા મંદિર પાસે નવા તૈયાર થઈ રહેલા બંગલામાં કામ કરી રહેલા મજુરોએ તેમની પસંદગી અનુસારનું કામ નહીં કરતા બંગલામાં પુરી દીધા હતા.
અગાઉ તેમને ત્યાં ઘરકામ કરતા એક બહેન અને ભાઈને પણ સોમે ખૂબ હેરાન કર્યા હોવાનું કહેવાય છે. અત્યંત તોછડા અને વિવેકહીન વર્તન માટે જાણીતા બનેલા અને ખૂબ વિચિત્ર સ્વભાવ ધરાવતા સોમ ઝારખંડના વતની છે.
આઈ.એ. એસ.અધિકારીની યાદીમાં દર્શાવાયેલ સિનિયોરીટમાં ભવિષ્યમાં ચીફ સેક્રેટરી બની શકે એટલો અગ્રતા ક્રમ ધરાવતા સોમ ગુજરાત સરકાર માટે શિરદર્દ બની ગયેલા અધિકારી છે અને એટલે એમને (એમનાં હોદ્દાને ન છાજે એવું) સાઇડ પોસ્ટીગ આપીને વહીવટમાં સંતાડી રાખવા પડે છે.
સમગ્ર ગુજરાત સરકાર તેમની પાસે લાચાર છે.કોઈ તેમને કશું કહી શકે તેમ નથી કે કરી શકે તેમ નથી.કારણ કે સોમને કોઈની શરમ નડતી નથી! તુલસીદાસજીએ એટલે તો ગાયુ છે કે, ‘સમરથ કો નહી દોષ ગુંસાઈ.’
અવંતિકા સિંઘ ઔલખની માનવતા, લાગણીશીલતા અને સંવેદનશીલતાને સલામ!

