મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ સ્વ-ગણતરી (Self -Enumeration)અભિયાનમાં સહભાગી થયા-*સરકારી અધિકારી અને કર્મચારીઓને અભિયાનમાં જોડાવાની મુખ્ય સચિવશ્રીની અપીલ*
ગાંધીનગર, ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ ભારત સરકાર દ્વારા શરુ કરાયેલા ખાસ ‘સ્વ-ગણતરી‘ (Self-Enumeration)અભિયાનમાં સહભાગી થયા. મુખ્ય સચિવશ્રીએ ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો જાતે ભરી આ ડિજિટલ સેવાનો લાભ લીધો.
આ અવસરે મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસે જણાવ્યું હતું કે,આ પદ્ધતિને અત્યંત સરળ અને પારદર્શી છે અને અત્યાર સુધીમાં અંદાજે ૬૦ હજારથી વધુ નાગરિકોએ આ સેવાનો લાભ લીધો છે.તેમણે આ અવસરે તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ આ અભિયાનમાં જોડાવાની અપીલ કરી હતી.
તેમણે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે,આ નવી ડિજિટલ સુવિધાને કારણે આગામી સમયમાં વસ્તી ગણતરીની સમગ્ર પ્રક્રિયા ખુબ જ ઝડપી અને ચોક્કસ બનશે. મુખ્ય સચિવશ્રીએ ટૅકનલોજીના શ્રેષ્ઠ ઉપયોગ બદલ ભારત સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો.

