રાજકોટ, રાજકોટના મોરબી હાઈવે પર રોજગારીની શોધમાં આવેલા એક યુવાને આર્થિક તંગી અને માનસિક હતાશામાં આવી જઈ ચાલતા ટ્રક નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે.છેલ્લા પાંચ દિવસથી કામ માટે ભટકી રહેલા આ યુવાનને સફળતા ન મળતા અંતે આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભર્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.હાલ સ્થાનિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ તપાસમાં જાણવા મળતી વિગત અનુસાર, મૂળ નેપાળી અને વડોદરામાં વસવાટ કરતા જગદીશભાઈ રામદૂતપ્રસાદ જોશી (ઉ.૩૯) પાંચ દિવસ પહેલા જ કામની શોધમાં રાજકોટ આવ્યા હતા.તેઓ મોરબી હાઈવે પર હડાળા પાટીયા પાસે આવેલી વિરાટ હોટલમાં આશરો લઈ…
Author: gujarat
અમદાવાદ – દાદર ગુજરાત મેલ મણિનગર સ્ટેશન પર ઉભી રહેશે નહિંઅમદાવાદ: અમદાવાદ અને વડોદરા વચ્ચે નિયમિત મુસાફરી કરતા મુસાફરો માટે રેલવે દ્વારા મહત્વના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં બ્લોક લેવામાં આવનાર છે, જેના પગલે આગામી એક મહિના સુધી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, અમદાવાદ મંડળ હેઠળ આવતા કાંકરિયા અને વટવા રેલખંડ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ‘પ્રીકાસ્ટ પોર્ટલ બીમ’ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ જટિલ કામગીરી દરમિયાન રેલવે લાઈન પર ટ્રેનોની અવરજવર બંધ રાખવી અનિવાર્ય હોવાથી 04…
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ નજીક કપડવંજ રોડ પર આવેલ સંતરામ વાટિકામાં રહેતા અને નગરપાલિકામાં છૂટક મજૂરી કરતા એક યુવકને સરકારી કચેરીમાં નોકરી અપાવવાની લાલચ આપી બંટી બબલી એ વિશ્વાસમાં લઈ કુલ એ ૨૦,૭૦૦ પડાવી લઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નડિયાદ રૂરલ પોલીસ મથકે નોંધાઈ છે.મળતી માહિતી મુજબ નડિયાદના કપડવંજ રોડ પર આવેલ સંતરામ વાટીકા સોસાયટીમાં રહેતા અને નગરપાલિકામાં મજૂરી કામ કરતા ૩૩ વર્ષીય યોગેશકુમાર બાબુભાઈ તુરી (બારોટ) નો ગત ૧૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ નડિયાદ નગરપાલિકાના એક વોટ્સએપ ગ્રુપ દ્વારા હીરેન પ્રવિણ શ્રીમાળી (રહે. સંતરામ પાર્ક, બિલોદરા) સાથે સંપર્ક થયો હતો.બાદ હિરેન શ્રીમાળી એ પોતે નોકરી અપાવશે તેવી વાત કરી યોગેશકુમારને વોટ્સએપ ગ્રુપમાં…
અમદાવાદ હેરિટેજને વૈશ્વિક ઓળખઃ ૨૦૦થી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળોએ શહેરની મુલાકાત લીધી(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વ ધરોહર શહેર અમદાવાદમાં હેરિટેજ સંરક્ષણ, પુનઃસ્થાપન અને સંવર્ધન માટે વ્યાપક અને સંકલિત પહેલ હાથ ધરવામાં આવી છે. શહેરના ઐતિહાસિક ઢાંચાઓને સુરક્ષિત રાખવા અને આધુનિક સુવિધાઓ સાથે સંકલન કરવા માટે એએમસીએ વિવિધ સ્તરે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.હેરિટેજ પ્રોજેક્ટ્સને ઝડપી ગતિ આપવા માટે એએમસીના હેરિટેજ કન્સર્વેશન કમિટી હેઠળ એક્સપર્ટ સબકમિટી ફોર હેરિટેજ અપ્રૂવલ રચવામાં આવી છે, જે ટેક્નિકલ સ્ક્રુટિની અને મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરિટેજ ઇમારતોના રેસ્ટોરેશન માટે ડિજિટલ એપ્લિકેશન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જે પારદર્શિતા, કાર્યક્ષમતા અને મોનીટરીંગ વધારશે.…
સરકાર બજેટ વધારે છે, પણ સિસ્ટમ સુધારતી નથીMumbai, તાજેતરમાં મહારાષ્ટ્રના વસઈ- વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાંથી એક્સપાયર્ડ દવાનો જથ્થો પકડાતા મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે તપાસનો આદેશ આપ્યો છે. ગુજરાતમાં પણ ૪ કરોડની દવાઓ એક્સપાયર્ડ થઈ ગઈ તે હેલ્થ કર્મચારીઓની બેદરકારી જ દર્શાવે છે.સરકારી હોસ્પિટલોમાં જયારે એક્સપાયર્ડ (વાપરવાની વીતી ગયેલી તારીખવાળી) દવાઓનો ઢગલો મળી આવે ત્યારે હોસ્પિટલોના વહીવટકારોની જવાબદારી નક્કી થવી જોઈએ.મેડિકલ ક્ષેત્રે નવા સંશોધનો સતત થતા રહે છે. હવે તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારીત મેડિકલ સંશોધનો પણ થાય છે. ઓનલાઈન ડોકટરી સલાહ અપાય છે, દવાઓ આસાનીથી ઓનલાઈન ઓર્ડર કરી શકાય છે, પરંતુ મેડિકલ સવલતો આપતી સરકારી હોસ્પિટલોની લાલિયાવાડીનો ઉકેલ હજુ સુધી સરકારને…
અશોક લેલેન્ડની ટ્રક, પ્લાસ્ટિકના બબલ રોલ તથા મોબાઇલ ફોન મળી રૂપિયા ૭૨.૫૯ લાખ ઉપરાંતના મુદ્દા માલ સાથે ટ્રક ચાલકની અટકાયત(પ્રતિનિધિ) દાહોદ, પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભથવાડા ટોલનાકા પાસે દાહોદ એલસીબી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન પ્લાસ્ટિકના બબલ રોલની આડમાં લઈ જવાતા રૂપિયા ૫૨.૨૯ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ તથા બિયર સાથે બંધ બોડીની અશોક લેલન ટ્રક પકડી પાડી, રૂપિયા ૨૦ લાખની ટ્રક, રૂપિયા ૫૦૦૦/-નો મોબાઇલ ફોન તથા રૂપિયા ૨૫૦૦૦/-ની કિંમતના પ્લાસ્ટિકના બબલ રોલ મળી કુલ રૂપિયા ૭૨,૫૯,૬૧૬/-ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલકની અટકાયત કર્યાનુ સત્તાવાર જાણવા મળ્યું છે.પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એસ.જે.રાણા, પીએસઆઇ આરવી રાઠોડ, પીએસઆઇ એન બી પરમાર,…
ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેરજિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ ૧૧,૯૭,૫૫૫ મતદારો, નડિયાદ મહાનગરપાલિકા માટે ૧,૯૬,૧૬૨ મતદારો અને ૪ નગરપાલિકાઓની ચૂંટણીમાં ૭૮,૫૬૮ મતદારો કરશે મતદાન(પ્રતિનિધિ) નડિયાદ, રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગત તા. ૦૧/૦૪/૨૦૨૬ ના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેરાતની સાથે જ ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે આ ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન હેતુ જિલ્લાના નાગરીકોને યોગ્ય માહિતી પુરી પાડવા હેતુ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા નડીઆદ કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી ચૂંટણીના કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી પુરી પાડી હતી.જેમાં, કલેક્ટરશ્રીએ…
સુરત મનપાની રાંદેર અને અઠવા ઝોન માટે ૧ર૦-૧૬૦થી વધુ દાવેદારોએ દાવા રજૂ કર્યાAAP છોડીને ભાજપમાં જોડાયેલા પૂર્વ કોર્પોરેટરોએ પણ ફરી નસીબ અજમાવવા દાવેદારી કરી હોવાનું જાણવા મળ્યું છે.સુરત, સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરાઈ છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રથમ દિવસે જ વોર્ડ નંબર ૧ થી ૧ર ના ઉમેદવારો માટે કાર્યકરોનો ધસારો થઈ ગયો હતો.આ પ્રક્રિયા દરમિયાન પક્ષના ગઢ ગણાતા વિસ્તારોમાં ટિકિટ મેળવવા માટે સરેરાશ ૧ર૦ થી ૧૬૦ જેટલા દાવેદારોએ દાવો રજૂ કર્યો છે, જયારે તેની સરખામણીએ સૌરાષ્ટ્રવાસી પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારોમાં દાવેદારોની સંખ્યા મર્યાદિત જોવા મળી હતી.તસવીરઃ ભારતીય જનતા પાર્ટી-સુરત મહાનગરના વોર્ડ નંબર-૧૬ (પુણા…
ઈરાનથી આવતા કિવી, સફરઝનની આવક બંધ: કેળા, કેરી, દ્રાક્ષનું એકસપોર્ટ ખોરવાયુંભારતમાંથી મિડલ ઈસ્ટના દેશો ઈરાન, સઉદી અરબ, દુબઈ, કતાર, બહેરીન, મશ્કત, કુવૈતમાં કેળા, કેરી, દ્રાક્ષની નિકાસ થતી હતી તેમાં ફટકો પડયો છે.સુરત, વૈશ્વિક સ્તરે પ્રવર્તી રહેલી યુદ્ધની પરસ્થિતિ અને હોર્મુઝ ખાડીના ઈસ્યુના પગલે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ઈરાનથી આવતા કિવી અને સફરઝનની આવક સંપૂર્ણ બંધ થઈ છે.બીજી તરફ ભારતમાંથી કેરી, કેળા, દ્રાક્ષ, ટામેટાની મિડલ ઈસ્ટના દેશોમાં નિકાલ થતી હતી તેમાં પણ એકસપોર્ટરો અને વેપારીઓને મોટો ફટકો પડયો છે. આ કારણે ફળોના ભાવમાં પણ ૧પથી ર૦ ટકાનો ઉછાળો આવ્યો છે.ભારત દેશમાં ન્યુઝીલેન્ડ, પોલેન્ડ, સાઉથ આફ્રિકા, અમેરિકા, ઈટલી, ફ્રાન્સ, ઈરાન જેવા…
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર, પ્રસાર અને સંવર્ધન માટે શત સુભાષિત કંઠપાઠ યોજના અમલમાં મૂકવામાં આવી હતીગાંધીનગરમાં સંસ્કૃત સન્માન સમારોહમાં રાજ્યકક્ષાએ સન્માન કરાયું(પ્રતિનિધિ) વલસાડ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યપાલના અધિકૃત નિવાસસ્થાન રાજભવન ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય સંસ્કૃત સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડની પ્રતિષ્ઠિત શાહ ખીમચંદ મુળજીભાઈ હાઈસ્કૂલમાં આચાર્યા તરીકે ફરજ બજાવતા જયશ્રી બહેન ભગતને રાજ્ય કક્ષાએ શિક્ષણમંત્રી દ્વારા શત સુભાષિત પંડિતની ગરિમામયી પદવી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર, પ્રસાર અને સંવર્ધન માટે શત સુભાષિત કંઠપાઠ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. પ્રાચીન પરંપરા મુજબ જેમને ૧૦૦…
