ઊંઝામાં કલર ભેળવેલી ૩,૫૪૮ કિ.ગ્રા વરિયાળી અને ૧૪૦ કિ.ગ્રા લીલા કલરનો રૂ.૩.૩૦ લાખનો જથ્થો જપ્તઊંઝામાં ખોરાક – ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી: નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા ભેળસેળિયા તત્વો સામે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની‘ઝીરો ટોલરન્સ‘ની નીતિનાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને ખોરાકમાં ભેળસેળ કરનારા તત્વો સામે રાજ્ય સરકાર‘ઝીરો ટોલરન્સ‘નીતિ અપનાવી રહી છે. આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચના અને સતત માર્ગદર્શન હેઠળ ખોરાક – ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં ભેળસેળિયા તત્વોની સામે એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.આ ઝુંબેશના ભાગરૂપે આજે ગાંધીનગરની ફ્લાઈંગ સ્કોડ દ્વારા મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે વરિયાળીમાં પ્રતિબંધિત કલરની ભેળસેળ કરતા એક…
Author: gujarat
બલદાણા ગામે યોજાયેલ મહિલા જાગૃતિ સેમિનારમાં ઘરેલું હિંસા અને મહિલા અધિકારો અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયુંજિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની પહેલ થકી મહિલાઓ માટે કાર્યક્રમ સંપન્ન કરાયોઅમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બાવળા તાલુકાના બલદાણા ગામ ખાતે સ્થાનિક ગૃહિણીઓ અને મહિલાઓ માટે ઘરેલું હિંસા અધિનિયમ અંગે એક વિશેષ જાગૃતિ સેમિનાર સફળ રીતે યોજવામાં આવ્યો હતો.આ ખાસ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારની મહિલાઓને તેમના કાયદાકીય અધિકારો, સુરક્ષાત્મક જોગવાઈઓ અને વિવિધ સરકારી સહાય યોજનાઓથી માહિતગાર કરી તેમનું સશકતીકરણ કરવાનો હતો.આ સેમિનારમાં પેરા લીગલ વોલન્ટિયર (PLV) શ્રી હાર્દિકભાઈએ ઉપસ્થિત રહીને ઘરેલું હિંસા અધિનિયમ-2005 હેઠળ મહિલાઓને મળતા કાયદાકીય રક્ષણ, કાનૂની ફરિયાદની પ્રક્રિયા,…
આધુનિક ટેક્નોલોજીનો સંગમ: વાડીથી વિદેશ સુધી ગીરની કેસર કેરી-વિશ્વબજારમાં ગીર કેસર કેરીની સ્વાદિષ્ટ સફરપ્રીમિયમ કેસર કેરીના બોક્સ પર QR કોડ પણ જોવા મળે છે, જેને સ્કેન કરીને વિદેશમાં બેઠેલો ગ્રાહક જાણી શકે છે કે આ કેરી ગીરના કયા ગામના અને કયા ખેડૂતના આંબા પરથી ઉતારવામાં આવી છે.વૈશ્વિક ફલક પર ચમકતી ગીરની ‘કેસર’: સ્વાદ, GI ટેગ અને ટેક્નોલોજીનો અનોખો સંગમ અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે બહુપ્રતિક્ષિત “કેસર કેરી મહોત્સવ-૨૦૨૬”નો ભવ્ય પ્રારંભ ગુજરાતના ગીર પંથકની ઓળખ સમાન ‘ગીર કેસર’ કેરી માત્ર એક ફળ નથી, પણ વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ છે. તેનો સોનેરી કેસરી રંગ, મનમોહક સુગંધ અને અદ્ભુત સ્વાદ દુનિયાભરના લોકોને ઘેલા કરે…
ડિજિલોકર ઇન્ટિગ્રેશનની અસાધારણ પહેલ માટે ગુજરાત સહિત પાંચ રાજ્યોનું રાષ્ટ્રીય સ્તરે સન્માનડિજિલોકર એપમાં મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ જેવા કે આધાર કાર્ડ,પાન કાર્ડ,આભા કાર્ડ વગેરે સુરક્ષિતઅમદાવાદ, “તમારા દસ્તાવેજો હવે હંમેશા તમારી સાથે” આ વિચારને સાકાર કરતા રાજ્ય સરકારે રાજ્યની ૬૫ ટકા સેવાઓને ડિજિલોકર સાથે જોડીને ડિજિટલ ગવર્નન્સને વધુ સરળ,ઝડપી અને નાગરિક – કેન્દ્રિત બનાવ્યું છે.જેના પરિણામે રાજ્યના ૧.૯૨ કરોડથી વધુ નાગરિકો સુધી ડિજિટલ સેવાઓ અત્યંત સરળતાથી પહોંચી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વિજ્ઞાન તથા પ્રોદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વ હેઠળ ગુજરાતે આ ક્ષેત્રે અસાધારણ પ્રગતિ કરી છે.તાજેતરમાં નવી દિલ્હી ખાતે આયોજિત‘નેશનલ કન્સલ્ટેટિવ વર્કશોપ ઓન સ્ટ્રેન્ધનિંગ સાયબર સિક્યોરિટી ફ્રેમવર્ક ફોર…
આરોગ્ય રાજ્ય મંત્રીશ્રીના આદેશથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહી: ૨,૫૪૮ કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત કરાયોખૂબ જ ગંદકી વચ્ચે બનેલા ૫૫૦ કિલો અખાદ્ય માવાનો સ્થળ પર જ નાશ કરાયોગુજરાત રાજ્યના નાગરિકોને શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. પ્રજાના આરોગ્યના હિતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં સઘન ચેકિંગની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રોઝડ ગામમાં આવેલી‘ભોલેનાથ ડેરી‘પર ફ્લાઈંગ સ્કોડ દ્વારા ઓચિંતી તપાસ કરીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે.આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ આ કાર્યવાહી અંગે…
ચાંદખેડાની SMS હોસ્પિટલમાં POSH એક્ટ અને ‘SHe-BOX’ પોર્ટલ અંગે સેમિનાર યોજાયોકેન્દ્ર સરકારના ‘SHe-BOX’ પોર્ટલ અને ઓનલાઈન ફરિયાદ પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવીઅમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા એક પ્રશંસનીય પહેલના ભાગરૂપે ચાંદખેડા સ્થિત SMS હોસ્પિટલ ખાતે એક ખાસ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.હોસ્પિટલમાં કાર્યરત ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી તેમજ વહીવટી સ્ટાફ માટે “કાર્યસ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ, 2013 (POSH Act, 2013)” અંતર્ગત આ કાયદાકીય માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.સેમિનારમાં મુખ્ય વક્તા અને POSH અધિનિયમના નિષ્ણાત શ્રી ગૌરવભાઈ ઠક્કર દ્વારા ઉપસ્થિત સ્ટાફને કાયદાની વિવિધ જોગવાઈઓ વિશે સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી. તેમણે કાર્યસ્થળે…
ગીર સોમનાથ બાદ ગુજરાતમાં વધુ 7 સ્થળોએ STATCOMની સ્થાપના થશે-GETCO ભારતમાં STATCOM ટેક્નોલૉજીનો ઉપયોગ કરનારી પ્રથમ સ્ટેટ ટ્રાન્સમિશન યુટિલિટીSTATCOMથી કૃષિ ક્ષેત્રમાં વોલ્ટેજ સ્થિરતા અને સતત વીજ પ્રવાહ સુનિશ્ચિત થયાગાંધીનગર, એક સમયે વીજ અછત ધરાવતું ગુજરાત રાજ્ય આજે દેશમાં ઊર્જા ક્ષેત્રે અગ્રેસર અને આત્મનિર્ભર રાજ્ય બન્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વીજ ક્ષેત્રમાં વ્યાપક સુધારા કરવામાં આવ્યા, જેના પરિણામે રાજ્યમાં 24 કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત થયો. તેમના નેતૃત્વમાં જ ગામડાઓમાં 24 કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ બને એ માટે જ્યોતિગ્રામ યોજના શરૂ કરવામાં આવી હતી, જે અન્ય રાજ્યો માટે પણ ઉદાહરણરૂપ બની. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના…
બાળકના શૈક્ષણિક પરિણામ સાથે તેના શારીરિક, ભાવનાત્મક અને જ્ઞાનાત્મક વિકાસનું પણ મૂલ્યાંકન થશે.નવા માળખામાં વિદ્યાર્થીની શૈક્ષણિક ક્ષમતા સાથે તેની વિચારશક્તિ, પ્રેઝન્ટેશન સ્કિલ, સર્જનાત્મકતા, સમૂહમાં કામ કરવાની ક્ષમતા અને સમસ્યા ઉકેલવાની આવડત જેવા પાસાઓને પણ મહત્વ આપવામાં આવશે.(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં આગામી શૈક્ષણિક સત્રથી શિક્ષણ વ્યવસ્થામાં મોટા ફેરફારો જોવા મળશે. ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ અને રાજ્ય શિક્ષણ વિભાગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંતર્ગત નવી શિક્ષણ પદ્ધતિને તબક્કાવાર અમલમાં મૂકવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં ‘સ્ટેટ કરીક્્યુલમ ફ્રેમવર્ક’ જાહેર કરશે, જેના આધારે રાજ્યની શાળાઓમાં શિક્ષણ અને મૂલ્યાંકનની નવી પદ્ધતિ અમલમાં આવશે.નવી વ્યવસ્થામાં ધોરણ ૧થી ૮ સુધીના વિદ્યાર્થીઓ…
(એજન્સી)આણંદ, આંકલાવ તાલુકાના કંથારિયા માર્ગ પર મંગળવારે સાંજના સુમારે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે, જેમાં બે આશાસ્પદ કિશોરોએ મોપેડ સ્લીપ થઈ જતાં ગંભીર ઈજાથી પોતાનો જીવ ગુમાવતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.આંકલાવ તાલુકાના ખડોલ(હ) ગામના સુથારી વગો વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય સોહિલભાઈ સમસુદીન પરમાર અને ૧૩ વર્ષીય આરીફ રણજિત પરમાર પોતાનું એક્ટિવા લઈને ખડોલ ગામથી છબજીપુરા ખાતે આવેલા ખેતરમાં જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન કંથારિયા ગામ પાસેથી પસાર થતી વખતે અચાનક એક્ટિવા સ્લીપ ખાઈ ગયું હતું.અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા પરથી નીચે પછાડાતાં બંને કિશોરોને…
હવામાનશાસ્ત્રીઓ કહે છે કે આ વખતે ચોમાસુ વહેલું આવી શકે છે*-આ વખતે તે ૨૬ મે, ૨૦૨૬ સુધીમાં કેરળના કિનારે થોડો વહેલો પહોંચવાની ધારણા(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. આગામી એક સપ્તાહ સુધી લોકો અંગ દઝાડતી ગરમીનો સામનો કરશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાતા ગરમ પવનોને કારણે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે અને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.અમદાવાદમાં આજે તાપમાન ૪૪ ડિગ્રી સુધી પહોંચવાની શક્્યતા વ્યક્ત કરવામાં આવી છે. બુધવારે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું, જ્યાં મહત્તમ તાપમાન ૪૩.૭ ડિગ્રી નોંધાયું હતું. ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ…
