આંગણવાડી પ્રવેશોત્સવ અંતર્ગત મહત્તમ નોંધણી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી રાજ્યની ૫૩ હજારથી વધુ આંગણવાડીઓમાં બે દિવસીય ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમનું આયોજન કરાયુંરાજ્યની આંગણવાડીઓમાં પ્રવેશોત્સવ અંતર્ગત મહત્તમ નોંધણી સુનિશ્ચિત કરવાના હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૧૯ અને ૨૦ મે ૨૦૨૬ દરમિયાન ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ મંત્રી ડો. મનીષાબેન વકીલના માર્ગદર્શનમાં રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ,પાયાના શિક્ષણ અને જીવન ઘડતરના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૧૭.૫૯ લાખથી વધુ વાલીઓ અને ૧૯.૭૦ લાખથી વધુ બાળકો સહભાગી થયા હતા.આંગણવાડી માત્ર પૌષ્ટિક આહાર જ નહીં પરંતુ બાળકના સર્વાંગી વિકાસ અને વ્યક્તિત્વ ઘડતર માટેનું…
Author: gujarat
ગુજરાતઃ ૨૦૭ જળાશયોમાં ૫૫ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ,(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં કાળઝાળ ગરમીને લીધે જળાશયોમાં પાણીનું લેવલમાં ઘટોડો થયો છે. ચોમાસાના આગમનને હજુ એક મહિનાથી ઓછો સમય બાકી છે ત્યારે રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં સરેરાશ જળસ્તર માત્ર ૫૫.૨૪ ટકા જ બચ્યું છે.જ્યારે રાજ્યના ૮૮ જળાશયોમાં પાણીનું સ્તર ૨૦ ટકાથી પણ ઓછું છે, ૧૦ મોટા ડેમ તો સાવ તળિયાઝાટક થઈ ગયા છે. જો વરસાદ ખેંચાશે તો પાણીની સમસ્યા ઊભી થશે. જોકે સરદાર સરોવર નર્મદા ડેમમાં પુરતી જળરાશી હોવાથી સિચાઈ અને પીવાના પાણી માટે વધુ સમસ્યા સર્જાશે નહીં. સિંચાઈ વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં ૯૦ ટકાથી વધુ જળસ્તર ધરાવતો રાજકોટનો આજી-૨ ડેમ છે.આ સિવાય…
છાસવાલેના દસક્રોઈ ખાતે આવેલા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તપાસ કરવા બાબતે કાર્યવાહી AMCએ કરી છે-રૂ. ૨૫ હજાર પેનલ્ટી ફટકારાઇ-કાજુ અંજીરનો મિલ્ક શેક ખરીદવામાં આવ્યું હતું જે મિલ્ક શેકમાં જીવજંતુ નીકળ્યુ હતું.(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી અખાદ્ય અને જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ બનતી હોય છે. શહેરના પોલિટેકનિક ચાર રસ્તા પાસે આવેલા છાશવાલેમાંથી ખરીદવામાં આવેલા મિલ્ક શેકમાંથી જીવજંતુ નીકળવા અંગેની ઘટના બની છે.જે બાબતે ગ્રાહકે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા છાશવાલેમાં તપાસ કરી અને ૨૫,૦૦૦ રૂપિયાની પેનલ્ટી કરવામાં આવી છે અને મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તપાસ કરવા બાબતે કાર્યવાહી કરી છે.મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો…
સરસપુર વિસ્તારના બે મિત્રોએ યુવતીનું અપહરણ-બ્લેકમેઈલ કરી દુષ્કર્મ ગુજાર્યું-યુવતીએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં બંને આરોપી સામે ફરીયાદ નોંધાવી(એજન્સી)અમદાવાદ, સરસપુરના બે મીત્રોએ સ્થાનીક વિસ્તારની ૧૮ વર્ષની યુવતીના પ્રેમપ્રકરણની જાણ ઘરે કરી દેવાની ધમકી આપી તેનું અપહરણ કર્યું હતું. બંને મિત્રોએ યુવતીને હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ પણ કર્યું હતું. આટલું જ નહી યુવતીને બ્લેકમેઈલ કરી તેના માતાપિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે પરેશાન યુવતીને શહેર કોટડા પોલીસ મથકે ફરીયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ આદરી છે.યુવતીએ અને તેમના માતાપિતા માટે આંખ ઉઘાડતા કિસ્સાની જાણવા મળતી વિગતો એવી છેકે સરસપુરમાં રહેતી મોના નામ બદલ્યું છે. ને એક…
નવી દરખાસ્ત અમલી બનતા પ્રથમ ૧ કિમી મી. માટે જ રીક્ષાનું ભાડું રૂ.૮પ૦ અને સ્કુલ વાનનું ભાડું રૂ.૧૪૦૦ સુધી પહોચી શકે છે. (એજન્સી)અમદાવાદ, અમદાવાદ સહીત સમગ્ર રાજયમાં નવા શૈક્ષણીક વર્ગની શરૂઆત પહેલા જ સીએનજી ગેસના ભાવમાં થયેલા સતત વધારાને પગલે સ્કુલ વર્ધી એસોસીએશન દ્વારા સ્કુલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરવાની ગતિવિધીઓ તેજ કરવામાં આવી છે.આઠમી જુન પછી મળનારી બેઠકમાં આ અંગેનો અંતીમ નિર્ણય લેવાશે. જેને કારણે વાલીઓના ખિસ્સા પર મોઘવારીનો વધુ એક ડામ પડવાની પુરેપુરી શકયતા છે.સામાન્ય રીતે એસોસીએશન દર ત્રણ વર્ષે ભાડામાં ફેરફાર કરતું હોય છે. જે મુજબ આગામી વધારો વર્ષ ર૦ર૭ માં થવાનો હતો. પરંતુ છેલ્લાં બે…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતા અસામાજિક તત્વો ફરી એકવાર સક્રિય થયા છે. કોટ વિસ્તાર ગણાતા જમાલપુરમાં આવેલી પ્રખ્યાત કાચની મસ્જિદ નજીક મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો.આ તત્વોએ કોઈ અગમ્ય કારણોસર અથવા વિસ્તારમાં પોતાનો વટ અને ડર ઊભો કરવાના ઈરાદે રસ્તા પર અને ઘર આંગણે પાર્ક કરેલા વાહનોમાં ભારે તોડફોડ કરી હતી, જેના કારણે સવારે વાહન માલિકો જાગ્યા ત્યારે ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મધ્યરાત્રિએ જ્યારે આખો વિસ્તાર સૂતો હતો ત્યારે અચાનક કેટલાક અસામાજિક તત્વો લાકડીઓ અને પથ્થરો સાથે ધસી આવ્યા હતા.તેઓએ કાચની મસ્જિદ પાસે પાર્ક કરેલી એક ફોર…
કાપડના વેપારીને ડિસ્કાઉન્ટ ભાવે કાપડના બહાને હોટેલમાં બોલાવી હત્યા કરી હતીફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો ૧૩ વર્ષે પકડાયો-અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ખાસ ટ્રેકિંગ ટીમે આખરે આ ફરાર આરોપીને ટ્રેસ કરી લીધો હતો.(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક દાયકા કરતાં વધુ સમયથી કાયદાને થાપ આપીને નાસતા ફરતા ફાંસીની સજા પામેલા આરોપીને શોધી કાઢીને ઝડપી લીધો છે.વર્ષ ૨૦૧૩માં પેરોલ જમ્પ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયેલા આરોપી સતીષ રૂપારેલિયા (ઉર્ફે સંજય ઠક્કર)ને અમદાવાદની એક હોટેલમાં વર્ષ ૧૯૯૪માં થયેલી હત્યા તેમજ લૂંટના કેસમાં કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.આ કેસની વિગત એવી છે કે ૨૨ ઓક્ટોબર, ૧૯૯૪ના રોજ એક કાપડના વેપારીને ડિસ્કાઉન્ટ ભાવે કાપડના બહાને…
શોપિંગ મોલ, હોટલ, થિયેટર, હોસ્પિટલ સહિતના વ્યાવસાયિક એકમોને યોજનાનો લાભ મળશે(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ખાસ પહેલ કરવામાં આવી છે. શહેરમાં આવેલા કોમર્શિયલ એકમો પોતાની પાર્કિંગની જગ્યા નાગરિકોને મફત ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવશે તેમને પાર્કિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલા ક્ષેત્રફળ પુરતી પ્રોપર્ટી ટેક્સમાં વેરામાફીનો લાભ આપવામાંઅમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ કોમર્શિયલ એકમો આવેલા છે જોકે મોટાભાગના કોમર્શિયલ એકમોમાં પાર્કિંગની જ સુવિધા ઉપલબ્ધ નથી. મોટાભાગના પાર્કિંગો ગેરકાયદેસર છે અને તેમાં યોગ્ય પાર્કિંગ પણ થતું નથી.જે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની જ સુવિધા ઉપલબ્ધ નથી અને તેમને જ બીજી જગ્યાએ અથવા તો રોડ ઉપર પાર્કિંગ કરવા પડે છે ત્યારે…
